Opinion Magazine
Number of visits: 9448942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અશોક દેસાઈ : જ્યાં મને પત્રકારત્વનો નિયમ સમજાયો

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|17 June 2020

અશોકભાઈ દેસાઈને હું નાનપણમાં મળ્યો હતો – ભારતના ભૂતપૂર્વ ઍટર્ની જનરલ અમારી સ્કૂલે વારંવાર દેખાય. એમનાં ત્રણ દીકરા-દીકરી અમારી મુંબઈની સ્કૂલમાં વિદ્યાર્થી હતાં. અમારા વાર્ષિક પ્રદર્શનના દિવસે હંમેશાં આવે અને બાળકની નિખાલસતા અને જિજ્ઞાસાથી વિદ્યાર્થીઓને એમના વૈજ્ઞાનિક પ્રયોગો વિષે પ્રશ્ન પૂછે. અશોકભાઈ મારાં મમ્મી-પપ્પાને ઓળખે; મારાં મમ્મીના ખાસ મિત્ર. જ્યારે મમ્મીને એક જટિલ સવાલનો ઉકેલ જડતો નહોતો ત્યારે એમણે શાંતિપૂર્વક બધી વાત સાંભળી, અનુકંપા બતાવી, અને સમસ્યા હલ કરવા સૂચન આપ્યાં. નાનપણથી અમે એમનાથી પ્રભાવિત થયા હતા; મોટા થઈ એમના જેવા વકીલ બનવાનું મને મન હતું.

મને યાદ છે એ ૧૯૮૦-૮૧ના દિવસો જ્યારે એમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અબ્દુલ રહમાન અંતુલે સામે કેસ કર્યો હતો, એ વખતે દેશમાં ચૂનાની અછત હતી. મકાન બાંધનારી કંપનીઓને તો ચૂનાની ખૂબ જરૂર, એટલે જો કંપની બૅગ દીઠ ચાલીસ રૂપિયા અંતુલેના પ્રતિષ્ઠાનને દાનમાં આપે, તો એને વધારે બૅગ મળે. સમાજસેવાને નામે આ એક પ્રકારના ભ્રષ્ટાચારનો નમૂનો હતો. અશોકભાઈનો સ્વભાવ શાંત પણ એમની વિદ્વત્તા પ્રખર અને મગજ હંમેશાં સતેજ. એક પછી એક પગલે પગલે એમને પોતાનો મુદ્દો અભિવ્યક્ત કર્યો અને એક જડબાતોડ દલિલ રજૂ કરી. ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’માં ગોવિંદરાવ તળવથકર અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અરુણ શૌરીના તંત્રીપદ હેઠળ અહેવાલો છપાયા અને કૌભાંડ પ્રચલિત થયું. ન્યાયધીશ બખ્તાવર લેન્ટીને યાદગાર નિર્ણય આપ્યો; અંતુલને રાજીનામુ આપવું પડ્યું – અંતુલેએ અપીલ તો કરી પણ શરદ દેસાઈ અને બી.જે. રેળેનો નિર્ણય પણ અંતુલે વિરુદ્ધ ગયો.

થોડાં વર્ષ પછી અશોકભાઈ મારાં લગ્નમાં આવ્યા હતા અને મને The Oxford Book of Legal Anecdotes નામે પુસ્તક ભેટમાં આપ્યું. મારા વકીલ બનવાનાં સપનાં તો મેડીએ ચડાવી દેવાં પડેલાં અને હું તો બન્યો પત્રકાર, પણ મારું કામ અને લખાણ માનવાધિકાર જોડે સંકળાયેલું રહ્યું. ખાસ કરીને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વિષે અને એ સંબંધે અશોકભાઈને મળવાનું ઘણું હતું.

કટોકટી પછી જ્યારે પીપલ્સ યુનિયન ઑફ સિવિલ લિબર્ટીઝની સંસ્થાપના થઈ એ પછી એનાં પ્રવચનોમાં અશોકભાઈ ઘણું દેખાતા; ક્યારેક પ્રવચન પણ આપતા. માનવાધિકારના સંઘર્ષ માટે કોઈ વકીલ પાસે જવું પડે તો અશોકભાઈનું નામ તરત યાદ આવતું. સાલવા જુડુમ જેવા બિનકાયદેસર ટોળાંને અટકાવવામાં એમનો ભાગ મહત્ત્વનો હતો. સમલૈંગિક સંબંધને ગુનો ઠરાવતા કાયદા બદલવવાના કેસમાં પણ એમનો ફાળો ઘણો મોટો. ભારતને વિક્ટોરિયા રાણીના જમાનાથી એકવીસમી સદી ખેંચી લાવવામાં એમણે નોંધપાત્ર કામ કર્યું.

ઘણા લેખક, કલાકાર, પત્રકાર અને તંત્રી નિશ્ચિંત રૂપે પોતાનું કામ કરી શકતા, કારણ કે એમને વિશ્વાસ હતો કે જો એમની સામે કોઈ ચૂં કે ચાં કરશે તો અશોકભાઈ એમની વહારે ધાશે. જ્યારે વિજય તેંડુલકરે સખારામ બાઇન્ડર નામે નાટક લખ્યું, ત્યારે મહારાષ્ટ્ર રાજ્યે એ નાટકને અશ્લીલ કહી એના પર પ્રતિબંધ મૂક્યો – તો એ પ્રતિબંધ ઉઠાવાયો, કારણ કે એની સામે એક સજ્જડ કેસ લડાયો અને એના વકીલ પણ પાછા અશોકભાઈ. હું જ્યારે ‘ઇન્ડિયા ટુડે’ સામયિકમાં રિપોર્ટર હતો, ત્યારે મેં નર્મદાયોજના વિષે એક લાંબો લેખ લખ્યો હતો. છપાયા પછી ગુજરાત સરકારના કોઈ અધિકારીને તકલીફ ઊભી થઈ અને એમણે એક ધમકીવાળો પત્ર મોકલ્યો. હું અશોકભાઈ પાસે ગયો; એમણે પત્ર વાંચ્યો અને મારો લેખ વાંચ્યો અને મને કહ્યું – આ પત્ર પર ધ્યાન દેવાની જરૂર નથી; તું કર ઉપેક્ષા. તું તારું કામ ચાલુ રાખ. આપણને તો ભાવતું’તું ને વૈદે કહ્યું!

એક છેલ્લી વાત : ૧૯૮૧ કે ૧૯૮૨માં એક સામયિક માટે મેં અંતુલે – કૌભાંડ વિષે એક લેખ લખ્યો હતો. સામયિક ગભરાઈ ગયું અને છાપવા તૈયાર નહોતું. હું ૨૧ વર્ષનો હતો અને જરા ગુસ્સામાં હતો અને એમની પાસે ગયો. એમને મારો લેખ વાંચ્યો અને કહ્યું. બીજે ક્યાં ય તો છપાશે જ, કારણ કે મારા લખાણનો પાયો મજબૂત હતો. તો ય મારે એકબે વસ્તુ બરાબર સમજવી હતી. અશોકભાઈ મારો પ્રશ્ન સમજ્યા પણ એ ત્રણેક બિંદુ જોડાવા માટેનો પુરાવો નહોતો તેમની પાસે, નહોતો મારી પાસે. તો તો પછી લખાય નહીં!

જો હું લખું તો શું, મેં પૂછ્યું.

પુરાવા વગર આવું કહેવાય નહીં, એમણે મને કહ્યું.

હું તમારો ઉલ્લેખ ન કરું તો મને તમે કંઈ અણસાર આપશો?

એ હસ્યા.

“गते सलिलं कि सेतु बन्धनम्‌ ?”

સ્વયંસ્ફુરિત શ્લેષ!

મારે શું કહેવું રહ્યું?

મને પત્રકારત્વનો નિયમ પણ સમજાઈ ગયો – જ્યાં સુધી હકીકત લઈ જાય ત્યાં સુધી જવું; એથી આગળ જવું એને અટકળ કહેવાય, પત્રકારત્વ નહીં.

આજે જો અશોકભાઈ હોત, તો મારો કાન પકડીને મારું વ્યાકરણ સુધારત, પણ એમની યાદમાં બીજું તો શું કહુંઃ गते अशोके अस्मकम्‌ को हरिष्यति ?

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2020; પૃ. 06

Loading

17 June 2020 admin
← સ્વપ્નસિક્ત સંઘર્ષના દોરમાં
શરમાવા જેવી ઘટના બને તો વડાપ્રધાન મોઢું કેમ ફેરવી લે છે ? →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved