ગલીએ ગલીએ ગામે-ગામે અંધાધૂંધી ચાલે છે,
કહો જવું ક્યાં, હર સરનામે અંધાધૂંધી ચાલે છે.
એ માણસને શોધી લાવો, પકડો, એને  કેદ કરો,
શાને   માટે   એની   સામે   અંધાધૂંધી  ચાલે  છે ?
થયા  કરે  છે  એની  સામે ચાલે છે તે ચાલે પણ,
થયા  નથી  એવા  કંઈ  કામે  અંધાધૂંધી ચાલે છે.
વચ્ચે મંદિરમસ્જિદ છે, ગુરુદ્વારા છે ને છે દેવળ,
એ  બાબત  પર   ચારોધામે  અંધાધૂંધી  ચાલે  છે.
એકબીજાની  સામે  જુએ  લોકો  એવી  શંકાથી,
કે  અહીંયાં  કોનાં  પરિણામે  અંધાધૂંધી ચાલે છે ?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 16
 

