Opinion Magazine
Number of visits: 9448763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અભી બોલા અભી ફોક

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 July 2025

રવીન્દ્ર પારેખ

એ ખરું કે સલાહ લેવાનું ભાગ્યે જ કોઈને ગમતું હોય છે, પણ સલાહ આપવાનું તો ભાગ્યે જ કોઈ ચૂકે છે. જરૂરી નથી કે સલાહકાર, જાણકાર હોય. જો કે, જાણકારો પણ આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાઈ લેવા, સમૂહ માધ્યમોમાં સલાહ આપતા જ રહે છે. સલાહ આપનારનો હેતુ મદદ કરવાનો જ હોય છે, પણ એ કોઈ જોતું નથી કે સલાહ લેવા કોઈ ઈચ્છે છે કે કેમ? આ કહેવાતી સલાહમાં પણ હોય છે તો હુકમો જ ! આ કરો, આ ન કરો, આ જાણો, આ ન જાણો. આમ તો સલાહનો ટોન જ ફરજ પાડવાનો છે. આવી સલાહ હવે છાપાં પણ આપે છે. એક દિવસ દૂધ પીવાના ફાયદા બતાવાય છે, તો બીજે દિવસે દૂધ હાનિ કરે છે એવું પણ એ જ કોલમિસ્ટ કહે છે. એક દિવસ માંડ દૂધ ચાલુ કર્યું હોય તે બીજી દિવસે હાનિની વાત છપાતાં દૂધ છોડી પણ દે છે. એક જગ્યાએ હતું – કબજિયાત છે? તો હિંગ, અજમા ને તજનું સેવન કરો. આ તો સાચી સલાહ હતી, પણ કેટલાક લેભાગુઓ એવી સલાહ આપે છે કે એ મુજબ સેવન કરવા જતાં હેવન સુધી ઊભા જ નથી રહેતા.

એક દિવસ એક ખેડૂતે બીજા ખેડૂતને પૂછ્યું, ‘કાલે તારા બળદને તેં શું પાયું હતું.?’ પેલાએ કહ્યું, ‘એરંડિયું.’ બીજે દિવસે ખેડૂતે બીજાને કહ્યું, ‘કાલે મારા બળદને એરંડિયું પાયું તો એ તો મરી ગયો.’ પેલાએ કહ્યું, ‘મરી તો મારો પણ ગયો હતો.’

સલાહ લેવા જતાં આવું પણ થાય છે.

એ વાત છાપે ચડી છે કે નર્મદ યુનિવર્સિટીને સરકારી ગ્રાન્ટ ઓછી પડી, તો તેણે વિધિવત કાર્યવાહી કરીને જમીન ભાડે આપવાનું ઠરાવ્યું. એનો વિરોધ થયો તો ભાડે આપવાનો નિર્ણય રદ્દ કરી દેવાયો. નિર્ણય બરાબર જ હતો ને એવું યુનિવર્સિટી જાહેર કરી ચૂકી હતી, તો તે બદલવાનો અર્થ તો એવો થાય કે અગાઉ લેવાયેલો નિર્ણય ખોટો હતો. કોઈ પણ નિર્ણય એકલદોકલ લેવાતો નથી. તે કાઉન્સિલની ભલામણથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂર થયો હોય છે ને એ જ નિર્ણય બીજે દિવસે ઉલટાવી દેવામાં આવે તો તે કાઉન્સિલ અને બોર્ડની માનસિકતા અંગે સવાલો ઊભા કરે એમ બને. નિર્ણયમાં બાંધછોડ સારી વાત છે, પણ નિર્ણયની મક્કમતા પણ વિશ્વસનીયતા ઊભી કરે છે એ વાત નજરઅંદાજ ન થવી જોઈએ.

મંગળવારે એક સમાચાર લગભગ બધાં જ છાપાંમાં આવ્યા, તે એ કે હવેથી સમોસા, જલેબી, પિત્ઝા, લાડુ જેવી ફાસ્ટ ફૂડ આઈટેમ્સ પર તેમાં કેટલી ખાંડ કે કેટલું તેલ છે તેની ચેતવણી આપતું સ્ટિકર લગાડવાનું રહેશે. આ ફરમાન આરોગ્ય મંત્રાલયે બહાર પાડીને બધી કેન્દ્રીય સંસ્થાઓને આદેશ આપ્યો કે ફાસ્ટ ફૂડમાં કેટલાં ખાંડ કે તેલ છે તેનાં બોર્ડ લગાવે. ટૂંકમાં, ચા-બિસ્કિટથી લઈને બધાં જંક ફૂડને તમાકુ આઇટેમ જેવી કેટેગરીમાં મૂકવાની વાત છે. ભવિષ્યમાં જમવાનું લેબલિંગ પણ સિગારેટના પેકેટ પર લાગેલી ચેતવણી જેટલું જોખમી થાય તો નવાઈ નહીં ! આવી ચેતવણીઓ પાછળનો હેતુ લોકોને એ જાણકારી આપવાનો છે કે તેઓ જે ખાઈ રહ્યા છે તે જાણી સમજીને ખાઈ રહ્યા છે. એક સમય એવો પણ હતો કે વડીલો, બાળકોને જાડાપાડા થવાનો આશીર્વાદ આપતાં, પણ હવે સ્થૂળતા શરીરને અનેક રોગોનું ઘર બનાવે છે. દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ સ્થૂળતાનો શિકાર છે. એક એવો અહેવાલ આવ્યો છે કે 2021માં 18 કરોડ લોકો સ્થૂળતાથી પીડિત હતા, તે 2050 સુધીમાં 44.9 કરોડ લોકો સ્થૂળતાથી પીડાતા હશે ને એને લીધે ડાયાબિટીસ, હૃદય રોગ, હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ને વધશે. એ સંદર્ભે આરોગ્ય મંત્રાલયે ચેતવણીનાં પગલાં લેવા માંડ્યાં છે. એમ પણ કહેવાય છે કે આ ચેતવણીને પ્રતિબંધ તરીકે ન જોવી. કહેવાનું એટલું જ છે કે લોકો ગુલાબજાંબુમાં 5 ચમચી ખાંડ છે એ જાણીને ખાય. એમ પણ કહેવાય છે કે આ નિયમો કેન્દ્રીય સંસ્થાનો, જેમ કે એઇમ્સ, આઇ.આઇ.ટી. ને અન્ય સંસ્થાનોની કેન્ટીનો પર લાગુ થશે. જો કે, એઈમ્સ, નાગપુરે તો બોર્ડ લગાવવાનું શરૂ પણ કરી દીધું છે.

આ ફરમાન આરોગ્ય મંત્રાલયે મંગળવાર, 15 જુલાઈ, 2025ને રોજ આપ્યું ને એ જ આરોગ્ય મંત્રાલયે એ જ મંગળવારે બીજો ફતવો બહાર પાડીને એ સ્પષ્ટતા કરી કે સમોસા, જલેબી, લાડુ જેવા નાસ્તા માટે કોઈ ચેતવણી લેબલ જારી કરવામાં આવ્યાં નથી. હેલ્થ મિનિસ્ટ્રીએ એમ પણ કહ્યું કે ખાદ્ય સામગ્રી વેચતા શેરી વિક્રેતાઓને લક્ષ્ય કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આરોગ્ય મંત્રાલયનો હેતુ  કેન્દ્ર સરકારના તમામ વિભાગો માટે કાર્યસ્થળ પર સ્વસ્થ ખોરાકની પસંદગીઓને પ્રોત્સાહન આપવાનો છે. જે રિપોર્ટ એક દિવસ પહેલાં સમોસા, જલેબી માટે જાહેર કરવામાં આવ્યો તે ખોટો અને પાયાવિહોણો છે. એડવાઇઝરી જાહેર કરવામાં આવી તે કોઈ ચોક્કસ ખાદ્ય પદાર્થને ટાર્ગેટ કરવા નહીં, પણ સ્વસ્થ ખાદ્ય સામગ્રીને પ્રોત્સાહિત કરવા માટે ! મંત્રાલયનું એવું માનવું છે કે કેન્ટીન, કાફેટેરિયા, બોર્ડ રૂમ જેવી જગ્યાએ તેલ, ખાંડના લેબલ લાગશે તો જોખમી અસરો વિશેની જાગૃતિ આવશે. ટૂંકમાં, મંત્રાલયનો ઉદ્દેશ ફળો, શાકભાજી, ઓછી ચરબીવાળા ખોરાકને પ્રોત્સાહન આપવાનો છે.

એટલું સારું છે કે સ્થૂળતાને રોકવા આરોગ્ય મંત્રાલય સભાન થયું છે. હાલમાં પાર્લામેન્ટ સબઓર્ડિનેટ લેજિસ્લેશન કમિટી આ મુદ્દે ગંભીર છે, પણ તેની ચિંતા પિત્ઝા, સમોસા, જલેબી જેવી વસ્તુઓમાં રહેલી ખાંડ, તેલની જાણકારી આપવાથી આગળ જતી નથી. બજારમાંથી કોઈ પિતા બાળક માટે પેકેજ્ડ ફ્રૂટ જ્યૂસ ખરીદે તો તેને અંદરની સામગ્રીની વિગતો મળવી જોઈએ એ ખરું, પણ એટલું પૂરતું નથી. રોગની જાણકારી હોય તે સારી વાત છે, પણ તે ઈલાજ નથી. વળી પેકેટ પર વિગતો એટલી ઝીણી હોય છે કે આંખના ઈલાજની નવી જાણકારી મેળવવી પડે.

15 જુલાઈના બંને ફતવા ગેરસમજ વધારનારા છે. પહેલામાં એવી સ્પષ્ટતા નથી કે એ ફતવો સ્ટ્રીટ ફૂડ માટે નથી, એટલે બીજો ફતવો બહાર પાડીને એ સ્પષ્ટતા કરવામાં આવી કે શેરી વિક્રેતાઓને લક્ષ્ય કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એનો અર્થ એવો થાય કે સ્ટ્રીટ ફૂડ તો હેલ્ધી જ છે ને પ્રોબ્લેમ સરકારી સંસ્થાનોમાં ચાલતાં કાફેટેરિયા, કેન્ટીન વગેરેને જ છે. એવું ખરેખર હોય તો ગંધાતું અનાજ, નકલી દૂધ, સડેલાં શાકભાજી, નકલી ઘી-તેલ, અશુદ્ધ મસાલા આ બધું દુકાનોમાંથી મળતું નથી ને એ પ્રોબ્લેમ સરકારી કેન્ટીન, કાફેટેરિયા વગેરેનો જ છે, એમ માનવું પડે.

ધારો કે લેબલ લાગે છે ને સરકારી કેન્ટીન વગેરેમાં લાગે છે, તો એમાં આવનારા લેબલ વગર જાણી જ ન શકે એટલા અભણ છે? એ બધાં ખાસા શિક્ષિતો છે. તેઓ એ બરાબર જાણે છે કે તેઓ શું ખાઈ રહ્યા છે? લેબલથી બહુ ફેર નહીં પડે. સિગારેટના પેકેટ પર ચેતવણી હોવા છતાં પીનારા પીએ જ છે. દારૂ પીનારા લેબલથી ભાગ્યે જ દારૂ છોડે એમ બને. એ તો ઠીક, ડ્રગ્સથી સ્કૂલના છોકરા શિકાર થઇ રહ્યાં છે, એને ચેતવણી આપવાથી તેઓ અટકી જશે? ખરેખર તો કરોડો કરોડોનું ડ્રગ્સ શહેરોને ખૂણે ખૂણે પહોંચતું રોકવાનું હોય. રોગનાં મૂળ સુધી પહોંચવાને બદલે ચેતવણીઓ આપવાથી દા’ડો વળવાનો નથી. આરોગ્ય મંત્રાલય સ્વસ્થ ફૂડની હિમાયત કરે છે તે સારી વાત છે, પણ જે અનાજ પાકે છે, તેનાં પર રસાયણો છાંટીને તેને હાનિકારક કોણ બનાવે છે? ફળો પકવવા કાર્બાઈડ ને ઇન્જેકશન્સ ખોસવામાં આવે છે તે અટકી શકે એમ છે? દરેક વાતમાં સરકારની ચામડી પણ શું કામ છોલવી જોઈએ? ખાદ્ય સામગ્રીઓને ઝેરી, પ્રદૂષિત, ભેળસેળ યુક્ત સરકાર કરે છે? એ પાપ કરનારા આસપાસના જ માણસો છે ને ! વધુ પકવવા, વધુ કમાવા એવું કયું પાપ છે જે લોકો કરતા નથી? દૂર ઊભેલું મોત આપણે જ વેચાતું લાવીએ છીએ ને તે વેચનાર આપણામાંનો જ કોઈક છે. એ જાત લેબલથી સુધરે, ચેતવણીથી ચેતે એટલી ભોળી નથી. એ ખરું કે શૂળીનું વિઘ્ન કાંટે જાય તો સારું જ છે, પણ દરેક વખતે તલવારની જરૂર હોય ત્યાં ટાંકણીથી કામ ન કઢાય, તે ખરું કે કેમ?

000

કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 જુલાઈ 2025

Loading

18 July 2025 Vipool Kalyani
← માણસ, આજે (૨૯)  
ગૃહસ્થ સંન્યાસ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved