Opinion Magazine
Number of visits: 9446708
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આદિવાસી સમાજના યોદ્ધા ‘લાલ શ્યામ શાહ’

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|16 February 2018

જીવનચરિત્ર લખવાની કળા આપણા દેશમાં બહુ વિકાસ પામી શકી નથી. આપણા દેશમાં જીવંત વ્યક્તિઓની ખુશામત તો સૌ કોઈ કરે છે, પણ જે લોકો ગુજરી ગયા છે તેમના વિશે અધિકારપૂર્વક લખવાની આંતરદ્રષ્ટિ હજુ પણ આપણે વિકસાવી શક્યા નથી. ભૂતકાળથી લઈને અત્યાર સુધીના નેતાઓનાં જીવન આધારિત પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તે પૈકી બહુ ઓછાં એવાં પુસ્તકો છે કે જેનું સાહિત્ય અર્થપૂર્ણ અને વાંચવાલાયક છે. ગોખલેના જીવન આધારિત બી.આર. નંદાનું પુસ્તક, સરદાર પટેલ આધારિત રાજમોહન ગાંધી અને રાધાકૃષ્ણન્‌ આધારિત એસ. ગોપાલનું પુસ્તક એ એવાં થોડાં પુસ્તકો છે, કે જે રાજકીય નેતાનાં જીવનચરિત્રને ન્યાય આપી શકે છે. આ વાત માત્ર રાજનીતિ અને સાર્વજનિક લેખનકાર્ય પૂરતી જ સીમિત નથી, પરંતુ, સાહિત્ય અને સાંસ્કૃિતક ઇતિહાસ આધારિત પુસ્તકોનાં પણ કાંઇક આ પ્રકારનાં જ હાલ છે. યોગ્ય સંશોધન કરીને શિવરામ કારંથ, મહાશ્વેતા દેવી અને પંડિત રવિશંકરનાં જીવન આધારિત લખવામાં આવેલા પુસ્તકો વાંચવામાં મને રસ છે; પરંતુ, દુર્ભાગ્યવશ આ પ્રકારનાં બજારમાં ઉપલબ્ધ નથી. આશા રાખું કે આ પ્રકારના જીવનચરિત્રો પણ ભવિષ્યમાં વાંચવા મળશે. જીવનચરિત્રો પર કાર્ય કરી રહેલા ચાર મહત્ત્વપૂર્ણ લેખકોને હું જાણું છે અને તેમનાં પુસ્તકો અંગ્રેજી ભાષામાં હોય છે. પરંતુ, હાલનાં સમયમાં જ હિન્દીમાં આવેલ એક જીવનચરિત્રની તો ચર્ચા કરવી જ પડે તેવું મને લાગી રહ્યું છે.

આ પુસ્તક મૂળ આદિવાસી એવા કાર્યકર્તા લાલ શ્યામ શાહને કેન્દ્રમાં રાખીને પત્રકાર સુદીપ ઠાકુર દ્વારા લખવામાં આવ્યું છે. એક એવી વ્યક્તિ કે જેઓને તેમનો વિસ્તાર ગોંડવાના તો ઓળખે જ છે પણ સાથે-સાથે તેમનાં કાર્યની ગૂંજ સમગ્ર દેશમાં સંભળાય છે. આદિવાસી અભિજાત પરિવારમાંથી આવતા લાલ શ્યામ શાહનો જન્મ વર્ષ ૧૯૧૯માં થયો હતો અને તેમની પાસે એટલાં બહોળા પ્રમાણમાં જમીન અને વન સંપત્તિનું સ્વામિત્વ હતું કે તેઓ જો ઇચ્છતા હોત તો આરામથી પોતાનું સમગ્ર જીવન પસાર કરી શક્યા હોત, પણ તેમણે પોતાનાં સમાજની સેવા કરવાનો વિકલ્પ પસંદ કર્યો અને આદિવાસી મહાસભા બનાવીને આદિવાસીઓનાં જળ-જંગલ-જમીનનાં અધિકાર અને સાંસ્કૃિતક વિરાસતની રક્ષા કરવા માટે આજીવન સંઘર્ષ કરતાં રહ્યાં. સમગ્ર મધ્યભારતનો આદિવાસી સમાજ તેઓને સન્માનપૂર્વક યાદ કરે છે. લાલ શ્યામ શાહનો સંઘર્ષ દેશની આઝાદી બાદ પણ ચાલુ જ રહ્યો. તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા અને પ્રથમ ચૂંટણી ખૂબ જ ઓછા મતોથી હારી ગયા. પરંતુ, અદાલતે બાદમાં આ ચૂંટણી રદ્દ કરી હતી. બીજી વખત ચૂંટણી થઈ તેમાં લાલ શ્યામ શાહ જીતી ગયા અને જીત્યાના થોડા સમય બાદ જ તેમને લાગ્યું કે કેટલાંક વહીવટકર્તાઓ, ઓફિસર્સ અને રાજનેતાઓ દ્વારા આદિવાસીઓનું શોષણ કરવામાં આવે છે, તેથી તેમણે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું. રાજીનામામાં તેમણે લખ્યું હતું કે કેવી રીતે સરકાર દ્વારા આદિવાસીઓની અવગણના કરવામાં આવે છે અને આદિવાસીઓને લૂંટતા ધનિક લોકોના ખોળામાં આ સરકાર બિરાજમાન છે. આ પુસ્તકમાં આદિવાસીઓનાં હિત પરત્વે લાલ શ્યામ શાહના પ્રયાસોનું વર્ણન કરવામાં આવ્યું છે. લેખકે આ પુસ્તકમાં માત્ર રાજનૈતિક જ નહિ, પણ તેનાથી પર રહીને લાલ શ્યામ શાહના સંઘર્ષની પણ ઊંડાણપૂર્વક વાત કરી છે. અને તેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે પ્રાકૃતિક સંસાધન પર આદિવાસીઓના હક અને વિસ્થાપનનું કારણ બનનાર વિનાશકારી પરિયોજનાઓ વિરુદ્ધ લાલ શ્યામ શાહ લડતા રહ્યા. અહીં ‘પૃથક ગોંડવાના’ રાજ્યના સંઘર્ષની પણ વાત કરવામાં આવી છે, પછી ભલે તે સફળ થઈ શક્યો નહિ. અને જો આવું થયું હોત તો આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓરિસ્સાના આદિવાસી પર્વતીય અને વનક્ષેત્ર આમાં સામેલ થઈ શક્યા હોત. પત્રકાર અને લેખક સુદીપ ઠાકુરની નજરમાં લાલ શ્યામ શાહ ચિંતક અને કાર્યકર્તા એમ બંને હતા. આદિવાસી સમાજની મુશ્કેલીઓ અને કાયદાકીય પ્રશ્નો અંગેની તેમની સમજણ સાફ હતી, અને લાલ શ્યામ શાહનું માનવું હતું કે સંવિધાને તો જનજાતિઓના અધિકારના સંરક્ષક તરીકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની વ્યવસ્થા બનાવી હતી, પરંતુ આ સંસ્થાઓએ પણ આદિવાસી હિતને તિલાંજલિ આપીને તેને નોકરશાહી અને ધનિકોની કૃપા હેઠળ છોડી દીધી અને તે વિરુદ્ધ લાલ શ્યામ શાહ આદિવાસીઓના હક માટે લડતા રહ્યા.

આ પુસ્તકમાં પંડિત નહેરુની સાથે લાલ શ્યામ શાહે ઓક્ટોબર ૧૯૫૦માં રાયપુરમાં મુલાકાત કરી હતી તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. નહેરુ તે વખતે રાયપુરમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક માટે આવ્યા હતા. લાલ શ્યામ શાહે આદિવાસીઓની સમસ્યાઓને સીધી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માટે એક પદયાત્રા કરી હતી કે જેમાં દેશના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં આદિવાસીઓ રાયપુર પહોંચ્યા હતા. અને કોંગ્રેસની બેઠકવાળા સ્થળથી થોડા દૂર એક મેદાનમાં એકઠા થયા હતા. તેઓનો હેતુ એવો હતો કે પૃથક ગોંડવાના રાજ્યની રચના કરો અને આદિવાસીઓને આર્થિક સુરક્ષા પૂરી પાડો. લાલ શ્યામ શાહ તો માત્ર એટલું જ ઇચ્છતા હતા કે નહેરુ આ આદિવાસીઓની સાથે થોડી વાતો કરે, પણ તે સમયે નહેરુના અંગત લોકોએ તેમને માત્ર કોંગ્રેસ બેઠક સુધી જ સીમિત રાખવા ઇચ્છતા હતા. એવામાં નહેરુ જ્યાં રોકાયા હતા ત્યાં લાલ શ્યામ શાહ તેમને મળવા માટે પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચીને તેમણે નહેરુને જણાવ્યું હતું કે દેશના આદિવાસીઓ દૂરદૂરથી ચાલીને માત્ર તમને મળવા અને પોતાની વાત રજૂ કરવા માટે અહીં આવ્યા છે. આ વાત સાંભળતાની સાથે જ નહેરુ કોઈ પ્રકારની સુરક્ષા વિના જાતે ગાડી હંકારીને આદિવાસીઓને મળવા માટે આવ્યા અને તેઓની માંગને ગંભીરતાથી સમજવા માટેનો વિશ્વાસ પૂરો પાડ્યો.

લાલ શ્યામ શાહ વર્ષ ૧૯૬૨માં ચંદા લોકસભા ક્ષેત્ર(હવે મહારાષ્ટ્રનું ચંદ્રપુર)થી ચૂંટણી જીત્યા અને અહીં પણ બે વર્ષના સમયગાળાની અંદર જ આદિવાસીઓની દયનીય હાલત અને ઉપેક્ષા જોતા રાજીનામું આપી દીધું. કારણ કે, સરકાર ઇચ્છતી હતી કે આદિવાસીઓનાં હિતને બાજુમાં મૂકીને પૂર્વ પાકિસ્તાનનાં વિસ્થાપિતોને મધ્યભારતનાં જંગલોમાં વસાવવા જોઈએ. જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં ત્યારે કટોકટી દરમિયાન લાલ શ્યામ શાહની ધરપકડ કરવામાં આવી અને તે સમયે તો તેઓ કોઈ પક્ષની સાથે જોડાયેલાં પણ નહોતા. તેઓ લગભગ એક વર્ષ સુધી જેલમાં રહ્યા છતાં પણ તેઓ પોતાના નિર્ણય અને હેતુ પરત્વે મક્કમ રહ્યા. ૧૯૮૦ના દાયકામાં તેઓ ‘જંગલ બચાઓ, માનવ બચાઓ’ આંદોલનમાં સક્રિય થઈ ગયા અને આ ઘટનાની દેશના દૂરના ભાગોમાં પણ અસર પડી. આ તે સમય હતો કે જ્યારે સરકાર ઇન્દ્રાવતી પર અનેક બંધ બાંધવાની યોજના બનાવી રહી હતી અને આ બંધ વિશાળ પ્રાકૃતિક જંગલોને ખત્મ કરવાનું અને હજારો આદિવાસી પરિવારોનું વિસ્થાપન કરવાનું એક કારણ હતું. લાલ શ્યામ શાહ જાણતા હતા કે આ પ્રકારની પરિયોજનાઓ આદિવાસી સમાજ માટે નુકસાનકારક છે. તેમણે પ્રખ્યાત ગાંધીવાદી બાબા આમ્ટેની સાથે મળીને આ વિનાશકારી પરિયોજનાઓ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું અને ઓછામાં ઓછી બે પરિયોજનાઓને રોકવામાં તેઓ સફળ રહ્યા.

વર્ષ ૧૯૮૮માં તેમનું મૃત્યુ થઈ ગયું, છતાં પણ તેમનો સંઘર્ષ તેમનાં અંતિમ શ્વાસ સુધી ચાલુ રહ્યો. લાલ શ્યામ શાહ આદિવાસી સમાજનો અવાજ અને વિવેક હતા. આજના નેતાઓની માફક તેઓ પોતાના અંગત લાભ માટે સત્તા-સંઘર્ષમાં નહોતા આવ્યા, પરંતુ તેઓ પોતાના સમાજના આત્મસન્માન અને હકો માટે લડ્યા. લાલ શ્યામ શાહનાં જીવન આધારિત આ પુસ્તક ઐતિહાસિક મહત્ત્વ માટે વાંચવું જોઈએ અને આજની પેઢી લાલ શ્યામ શાહનાં સપનાંને સમજે અને તે માટે તેમને પ્રેરણા મળે માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

https://www.telegraphindia.com/opinion/a-shining-legacy-205569

Loading

16 February 2018 admin
← વિદેશે વસેલાના વતનમાં વસતા વડીલોની વીટંબણાઓ
રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved