Opinion Magazine
Number of visits: 9447254
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (56)

સુમન શાહ|Opinion - Opinion|19 May 2021

= = = = શ્રમજીવીઓ તો કહેશે – ખાઈ કરીને સાજાસમાં હઇશું તો કોરોના અમને મારશે ને ! એમને મન જીવન પહેલું, મરણ પછી, આવશે તો જોયું જશે, કોરોનાથી આવશે તો ભલે ભલે, એ એમની માનસિકતા છે = = = =

દેશમાં કોરોના રોજે રોજ એનાં શિખરો સર કરી રહ્યો છે. જીવન-મરણની કટોકટી તીવ્રથી તીવ્ર થઈ છે. ઉપાયો અને વ્યવસ્થાતન્ત્રો પૂરતાં કારગત નથી નીવડ્યાં. ચોતરફ જોક્સ ચાલે છે. જેને જે સૂઝે ને જે ફાવે તે બોલે છે, તે કરે છે. ગપ્પાંબાજી ખીલી છે. ભણેલાંગણેલાં પણ કહે છે કે કોરોના થોડા દિવસોમાં જતો રહેશે, ગભરાશો નહીં. વૅક્સીન નહીં લેતા, ચાલશે. ઑક્સિજન જેવી અતિ જરૂરી ચીજોના કાળાબજાર શરૂ થયા છે. અતિ વસતીના આ દુર્ભાગી દેશનું વર્તમાન જીવન ભયાવહ છે.

એવા સંજોગોમાં, જનતા-જનાર્દન બોલે, બૂમો પાડે, પોકાર કરે, એની નવાઈ ન લાગવી જોઈએ, એમ થવું સ્વાભાવિક છે. એમ ન થાય તેની નવાઈ લાગવી જોઈએ. એ પોકારમાં લૉજિક ન જોવાય, જનતાને મળેલી માહિતીનાં લેખાંજોખાં ન કરાય, કે ન તો એમના દોષ કઢાય. ઇટ’સ અ પીપલ્સ વૉઈસ, એ એમ જ હોય, અને ખરેખર તો દિન-પ્રતિદિન એ વૉઇસનો વિકાસ થવો જોઈએ. એ બૂમો અને પોકારથી જે ઘોર સરજાય એ સરકારના કાને પ્હૉંચે ને સુધારને માટે એને સાવધ કરે. શાણી સરકારો સુધરતી હોય છે.

એથી જુદી દિશાનું એ કે દાઝીલા સાહિત્યકારો કાવ્ય, વાર્તા કે નવલકથા લખીને પ્રજાના વાચકવર્ગ માટે મનગમાડાની તેમ જ જનતા-જનાર્દનના એ પોકારમાં સૂર પુરાવવા માટેની તકો ઊભી કરતા હોય છે. એમનાં એ લેખનોનું પ્રાસંગિક મૂલ્ય હોય છે. એની ખરાખરી ન કરાય કેમ કે એ સર્જન છે. સર્જનમાં વાસ્તવિકતા હોય તેમ કલ્પકતા પણ હોય. પેલા પોકારમાં સર્જનસૂર ભળે છે એટલે એ લેખનો ઝિલાય છે અને એ જ એના કર્તાઓની સફળતા હોય છે. બાકી, એ સફળતાની નુક્તેચિની કરવાથી કશું હાથ નથી આવતું, સિવાય કે મતામતી ને પખાપખી …

શ્રીમન્તોને આ કોરોના-કટોકટી અડતી નથી. એમની પાસે અનેક રૂમવાળા બંગલા અને નોકરચાકરની પાયાની સગવડો છે. એમના હાથ પ્હૉંચતા હોય છે. યેન કેન ઉપાયે તેઓ વેડિન્ગ કે બર્થડે પાર્ટિઓ યોજી લે છે. હસતા રહીને તેઓ આ કટોકટીની મજાકો કરતા હોય છે, મજા લેતા હોય છે.

મધ્યમવર્ગીય નોકરિયાતોને ચિન્તા નથી, બૅન્ક-ઍકાઉન્ટમાં પગાર જમા થતો જ હોય છે. એમની ફરિયાદ એટલી જ હોય છે કે અમે માસ્ક પ્હેરીએ છીએ, તમામ શિસ્ત પાળીએ છીએ, એવું નાગરિક વર્તન બીજા બધાઓ કેમ નથી કરતા. એ વર્ગ અકળાયેલો જીવે છે. ઉચ્ચ મધ્યમવર્ગીઓ એમની એ ફરિયાદોના વત્તેઓછે અંશે સહભાગી બને છે.

મોટો સવાલ તો સવાર પડે ને રોજીરોટી માટે ઘરેથી નીકળી જ જવું પડે એ શ્રમજીવીઓનો છે. એ વર્ગ મોટો છે. એ વર્ગ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ કે સેલ્ફ આયસોલેશનમાં સમજતો નથી એમ નથી પણ એ બધું એમને પરવડે એવું નથી. એ તો કહેશે – ખાઈ કરીને સાજાસમાં હઇશું તો કોરોના અમને મારશે ને ! એમને મન જીવન પહેલું, મરણ પછી, આવશે તો જોયું જશે, કોરોનાથી આવશે તો ભલે ભલે, એ એમની માનસિકતા છે. એમનો વાંક જોવાને બદલે કે એમને વખોડતાં ને ભાંડતાં પહેલાં, એ માનસિકતાને આપણે સૌએ ધ્યાનમાં લેવી જોઈએ.

Picture Courtesy : Thesaurus.plus

સરકારી કે અર્ધ સરકારી બધાં વ્યવસ્થાતન્ત્રોએ પોતાના કાર્યક્રમોમાં અગ્રિમતા – પ્રાયોરિટી – પ્રજાના એ વર્ગને આપવી જોઈશે. જેમ કે, એ વર્ગને મફત કે નજીવા દરે હૉસ્પિટલાઈઝેશન તેમ જ વૅક્સીનેશન મળે એમ પહેલું થવું જોઇશે. સરકારે અને શ્રીમન્તોએ એ કાજે એક થઈને કામયાબ તન્ત્ર ગોઠવવું જોઈએ. નિષ્ણાતોએ એ કાજે આગળ આવવું જોઈએ. સેવાભાવી યુવક-યુવતીઓએ જોડાવું જોઈએ.

સાચા પત્રકારો સ-ટીક દર્શાવતા હોય છે કે એવું કશું થયું છે કે નથી થયું. એમણે કરેલી અન્ય ટીકાઓ પણ, સરકારની કે પ્રજાની, સંશોધન-અધ્યયન પર ઊભી હોય છે. તેઓ પત્રકારધર્મ અને કર્મ બરાબર બજાવતા હોય છે.

સરકારપરસ્ત છાપાંની વાત શું કરવી? વધુ તો એ છાપાં જાહેરાતોનો ધંધો કરતાં હોય છે. સ્વધર્મ ચૂકી ગયાં હોય છે. પ્રજામતનું ઘડતર કરવાનું પાયાનું કામ અભરાઈએ મુકાઈ ગયું હોય છે.

ખરા બુદ્ધિજીવી નાગરિકો પાસે પણ લૉજિક હોય છે, હોવું જ જોઇએ. રૅશનલ રહીને તેઓ પણ ઠોસ માહિતીના આધારે પરિસ્થતિની સમીક્ષાઓ કરતા હોય છે. કેમ કે જો એમણે સમ્ ઇક્ષા નહીં કરી હોય, જમા અને ઉધારનાં બન્ને પાસાં નહીં દર્શાવ્યાં હોય, તો બધું વ્યર્થ જશે – ઘાસફૂસ સમજો ! કેમ કે કોઇ પણ સમ્ ઇક્ષા જ સાર્થક અને પરિણામદાયી નીવડતી હોય છે.

બાકી, ક્હૅવાતા બુદ્ધિજીવીઓ, સ્યૂડો, કાલયાપન આરામથી કરતા હોય છે. એમનો દાવો હોય છે કે પોતે સર્વજ્ઞ છે. જેમ સાહિત્યમાં કૃતિનું વાચન કર્યા વગર જે બોલવું હોય એ બોલી શકાય છે, વિદ્રોહને નામે યદ્વાતદ્વા બકી શકાય છે, તેવું બધું જ આ કટોકટીકાળે એમનાથી કરી શકાતું હોય છે.

આવા મુશ્કેલ સમયમાં એને બૌદ્ધિક વ્યભિચાર કહેવાય એમ જો કોઈ કહે તો એ બચારો ભૂંડો ભાસે છે. તાત્પર્ય એ કે જે પ્રજાઓ પાસે સમીક્ષાધર્મી વિચારકો નથી હોતા તો એ પ્રજાઓના ઉગારની તકો દૂરની દૂર રહે છે.

આ છે દુ:ખદ વાતોને વિશેની મારી નિસબતનું સ્વરૂપ. મારાથી આમ વિચારો કરાય છે, વાતો કરાય છે, એ છે મારી પ્રતિબદ્ધતાનું સ્વરૂપ. પણ એનો પાર નથી આવતો. એથી કિંચિત્ પણ જાગૃતિ આવે તો સારી વાત છે. બાકી, વર્તમાન સંકટગ્રસ્ત છે. સારા ભવિષ્યની આશા છે, પણ હાલ તો દૂરની ક્ષિતિજે પણ નથી દેખાતી.

ત્યારે મને એવું થાય છે કે મારી પાસે કે કોઇ પણ મનુષ્ય પાસે પોતાનો એક ભૂતકાળ તો હોય જ છે. ચાલો ને, થોડા વખત માટે એ ભૂતકાળમાં ચાલી જઈએ, શૈશવને સંભારીએ, મૅમરિલેનમાં નીકળી પડીએ. હું ક્યારેક એમ કરીશ, તમે પણ કરજો …

= = =

(May 19, 2021: USA)

Loading

19 May 2021 admin
← કવીશ્વર દલપતરામ અને ‘સોસાયટી’
સિસ્ટમ બદલવી એ પણ શાસનનો વિષય છે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved