Opinion Magazine
Number of visits: 9446979
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડૉ. બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ; અનુવાદ અને પરામર્શન અંગે

રાજુ સોલંકી|Opinion - Opinion|21 December 2019

મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગે ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાઇટિંગ્સ ઍન્ડ સ્પીચીઝ’ના નામથી બાબાસાહેબ આંબેડકર પ્રગટ-અપ્રગટ અંગ્રેજી લખાણોને બહાર પાડવાના કરેલા નિર્ણય અંતર્ગત ૧૪ એપ્રિલ, ૧૯૭૯ના રોજ વૉલ્યુમ વન બહાર પડ્યું હતું. આ વૉલ્યુમનાં કુલ ૪૯૬ પાનાંમાંથી ૨૪૦ પાનાંનું ગુજરાતી કરાવડાવીને ચૌદ વર્ષ પછી ગુજરાત સરકારે બાબાસાહેબ ડૉ. આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ – ૧ બહાર પાડ્યો હતો. ગુજરાતી ગ્રંથ – ૧ના પ્રબંધ સંપાદક  દિનકર પંડ્યા, અનુવાદક ડૉ. રવીન્દ્ર ઠાકોર હતા અને પરામર્શકો ડૉ. ચંદ્રકાંત મહેતા તથા શ્રી નિરંજન ત્રિપાઠી હતા.

આ ગુજરાતી ગ્રંથનાં સંપાદન, અનુવાદ અને પરામર્શન ત્રણેય તબક્કાઓમાં ભયાનક વેઠ ઉતારવામાં આવી છે અને તેના પાને પાને અક્ષમ્ય ક્ષતિઓ જોવા મળી છે.

૧. અંગ્રેજી વૉલ્યુમમાં પાના નંબર પાંચ પર ૨૩-૨૪મી લીટીઓમાં મૂળ લખાણ આ પ્રમાણે છે, “but unfortunately it still remains in the domain of the ‘unexplained’…” (પરિશિષ્ટ એક) જેનું ગુજરાતી સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ – ૧માં પાંચ નંબરના પાના પર ૨૨-૨૩મી લીટીઓમાં આ પ્રમાણે છે, “…પણ હજી તે ‘અસ્પષ્ટતા’ના રિસ્લેના જ રહ્યા છે…” (પરિશિષ્ટ બે) ખરેખર સાચો અનુવાદ આ પ્રમાણે છે, “…પણ હજી તે ‘અસ્પષ્ટતા’ના ક્ષેત્રમાં જ રહ્યા છે…” હવે અહીં રિસ્લે શબ્દ ક્યાંથી આવ્યો? અંગ્રેજી વૉલ્યુમના સાતમા પાના પર અગિયારમી લીટીમાં “According to Sir H. Risley…” (પરિશિષ્ટ ત્રણ) લખ્યું છે, જેનો ગુજરાતી અનુવાદ ગુજરાતી ગ્રંથના સાતમા પાના પર પચીસમી લીટીમાં “સર એચ.ના મત પ્રમાણે…” એમ છે, જેમાંથી રિસ્લે શબ્દ ઉડાડી મુકાયો છે અને તેને પાંચમા પાના પર ચોંટાડી દીધો છે. (પરિશિષ્ટ ચાર) આ તો માત્ર એક ઉદાહરણ છે, આવી તો અસંખ્ય ક્ષતિઓ ગુજરાતી અનુવાદના પાને પાને જોવા મળે છે.

૨. ગુજરાતી અનુવાદક ડૉ. રવીન્દ્ર ઠાકોર અંગ્રેજીના પ્રાધ્યાપક હતા, પરંતુ તેમને જાતિ (race) અને વંશ(caste)માં શું તફાવત છે તેની ક્યાં તો ખબર નહોતી, અથવા તો તેમણે ફરક કરવાની કાળજી લીધી નથી. જેમ કે, અંગ્રેજી વૉલ્યુમના પાના નંબર આઠની આડત્રીસમી લીટી આ પ્રમાણે છે, “The various races of India occupying definite territories have more or less fused into one another….” (પરિશિષ્ટ પાંચ) આ વાક્યનો ગુજરાતી અનુવાદ ગુજરાતી ગ્રંથ – ૧ના પાના દસની ચૌદમી લીટીમાં આ પ્રમાણે છે, “નિશ્ચિત પ્રદેશોમાં વસતી હિંદની વિવિધ જાતિઓ વત્તાઓછા અંશે એકમેકમાં ભળી ગઈ છે…..” (પરિશિષ્ટ છ). આ ભૂલ પ્રૂફરીડિંગની નથી, અનુવાદકથી માંડીને પરામર્શક અને છેલ્લે મુખ્ય સંપાદક, કોઈએ આ અનુવાદનું કામ ગંભીરતાથી લીધું નથી, એ સ્પષ્ટ જણાય છે. જેણે બાબાસાહેબનું મૂળ અંગ્રેજી વાંચ્યું નથી, તેવો સામાન્ય વાચક આવો અનુવાદ સાચો છે, એવું માનીને એવો અભિપ્રાય આપે કે બાબાસાહેબને જાતિ (caste) અને વંશ (race) વચ્ચે શું ફરક હતો, તેની ખબર નહોતી, તો આવા પુસ્તકના પ્રકાશનનો મૂળ હેતુ જ માર્યો જશે.

૩. અત્રે દર્શાવેલી ભૂલો હાલના ગ્રંથમાં કે હવે પછીના પ્રકાશનમાં ‘શુદ્ધિપત્રક’ મૂકીને દૂર કરી શકાય એમ નથી. સમગ્ર ગ્રંથનો ફરી અનુવાદ અને પરામર્શન થાય તો જ આ ભૂલો સુધરી શકે.

૪.  બાબાસાહેબના ગ્રંથોના પ્રકાશનમાં ગુજરાતમાં એક અત્યંત મહત્ત્વની બાબત ઉવેખવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં બાબાસાહેબના ગ્રંથોનું પ્રકાશન કરવાનું નક્કી થયું. ત્યારે સરકારે આંબેડકરવાદી અગ્રણીઓ, નામાંકિત કવિ-લેખકો સહિતની અઠ્યાવીસ વ્યક્તિઓની બનેલી ‘ડૉ. બાબાસાહેબ આઁબેડકર સોર્સ મટીરિયલ પબ્લિકેશન કમિટી, મહારાષ્ટ્ર સ્ટેટ’ની રચના કરી હતી. (પરિશિષ્ટ સાત). આવી કોઈ જવાબદાર સમિતિના અભાવમાં ગુજરાતમાં બાબાસાહેબની ગરિમાને લાંછન લાગે તેવા અનુવાદો થયા છે અને સમગ્રપણે અક્ષરદેહની કામગીરી ટીકાપાત્ર બની છે. ગુજરાતમાં મહારાષ્ટ્રની પૅટર્ન પ્રમાણે આવી કોઈ સમિતિની રચના થાય અને તે સમિતિ પૂરતી જવાબદારી સાથે આ ભગીરથ કામ ઉપાડી લે, તો સરકારની પ્રતિષ્ઠા વધશે, ઓછી નહીં થાય. બાબાસાહેબના ગ્રંથોના પ્રકાશન અંગે સરકારે કોઈ નિયમો બનાવ્યા જ નથી, તમામ કાર્ય ઉભડક રીતે થયું છે. એક અત્યંત મહત્ત્વનું કાર્ય ચોક્કસ ધારાધોરણો મુજબ થવું જોઈએ જે નથી થયું.

બાબાસાહેબ જેવી વિદ્વાન વ્યક્તિના વિચારોને લાંછન લગાવે એવાં કૃત્ય કરનારા ગુજરાતી લેખકોએ એ સમજી લેવું જોઈએ કે હવે કલમમાં કસાઈઓની કલમ દ્વારા ઠંડા કલેજે કરવામાં આવતી વૈચારિક હત્યા પકડી પાડે તેટલી જાગૃતિ તો લોકોમાં આવી ગઈ છે. લોકોને ફક્ત મહાપુરુષોનો જયજયકાર કરતા જ નહીં પણ તેમના વિચાર-વારસાને ભવિષ્યની પેઢી માટે સંરક્ષિત કરતા પણ આવડે છે.

આંબેડકરવાદીઓની સરકારમાં આ રજૂઆત અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે બાબાસાહેબના વૉલ્યુમના અનુવાદમાં થયેલી ભૂલો સુધારવામાં આવશે. જો કે, મંત્રીએ અનુવાદમાં અક્ષમ્ય વેઠ ઉતારનારા અનુવાદક, પરામર્શકો અને સંપાદકનો બચાવ કર્યો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 06-07 

Loading

21 December 2019 admin
← સિટિઝનશિપ અમૅન્ડમૅન્ટ કાનૂન ૨૦૧૯ : અગત્યના મુદ્દા
નાગરિક સુધારાધારા સામેના પ્રદર્શનો ધાર્યા કરતાં વધારે વ્યાપક કેમ થયાં? →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved