Opinion Magazine
Number of visits: 9449301
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી લડત ફાસીવાદ સામે

જયંતી પટેલ|Opinion - Opinion|15 March 2019

સ્વાધીનતા તથા ત્યાર પછીના બેએક દશકાના જાહેરજીવન અને નેતૃત્વની સાથે વર્તમાનને સરખાવતાં વિષાદયોગમાં સરી પડાય છે. નેતૃત્વ તથા જાહેરજીવનમાં એવાં તે કેવાં આચરણ, મૂલ્યો અને વ્યવહારોને આપણે ઉત્તેજન આપ્યું કે એખલાસ, મૂલ્યનિષ્ઠા, પ્રામાણિકતા, સેવાવૃત્તિ, પ્રજાના યોગક્ષેમ માટેની ચિંતા તથા તે માટે ઝઝૂમવાની સક્રિયતા લોપાતી ગઈ અને ધિક્કાર, ભેદભાવ, સત્તા માટેની તડજોડ, ભ્રષ્ટાચાર, પ્રજાના યોગક્ષેમની અવજ્ઞા, વ્યક્તિગત સ્વાર્થની સાધના માટે જાહેરજીવનનો ઉપયોગ, ગુંડાગીરી, બેફામ જુઠાણાં તથા વચનો દ્વારા પ્રજા સાથે છેતરપિંડી વ્યાપક બન્યાં છે?

જાહેરજીવનનાં વિચાર-આચારનાં મૂલ્યોના ઘડતરમાં તથા તેનાં ઉર્ધ્વીકરણમાં પ્રબુદ્ધ-વિચારશીલ અગ્રવર્ગના આચાર-વિચાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તદુપરાંત, માર્ક્સે દર્શાવ્યા મુજબ, આર્થિક-ભૌતિક ઉત્પાદકીય પરિબળો પણ અસરકારક છે. છેલ્લા દશકાઓ દરમિયાન રાષ્ટ્રના જાહેરજીવનના આચાર-વિચાર ઉપર સત્તાની દોડમાં ગળાડૂબ રાજકારણીઓએ આ બંને પરિબળો પર કબજો જમાવ્યો હોય તેમ લાગે છે. પરિણામે પ્રબુદ્ધ વિચારશીલતા નષ્ટ પામી છે કે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને સત્તા આર્થિક સમૃદ્ધિ એકત્ર કરવાનું સાધન બની રહી છે. એટલે કે, સ્વસ્થ જાહેરજીવનની પુનઃસ્થાપના માટે, પ્રજાકીય જાગૃતિ દ્વારા સત્તાના રાજકારણ સામે મોરચો માંડવો રહ્યો, સંઘર્ષ કરવો રહ્યો.

આમ પ્રજા જાહેરજીવનમાં મૂલ્યોના મહત્ત્વને સમજે છે. વિચારશીલોનું કામ આ મૂલ્યોને વ્યાખ્યાબદ્ધ કરી, પ્રજાને સંગઠિત કરી, તે માટે આગ્રહ સેવતા કરવાનું છે. આ માટે એ જરૂરી છે કે બંને વચ્ચે સંબંધસેતુ રચાય. આવો સેતુ રચવા માટે પ્રજાની મૂળભુત આવશ્યક્તાઓની માંગોના ઉકેલ માટે તેમને સાથ-સહકાર આપી તેમ જ, સાથેસાથે, મૂલ્યો માટેની જાગૃતિ અને આગ્રહને સાંકળી લેવાનું કાર્ય હાથ ધરવું જોઈએ. મૂલ્યો માટેની જાગૃતિ અને આગ્રહ સિવાયની આર્થિક સમૃદ્ધિ કે વિકાસ પૂરતાં નથી. ઠેરઠેર આવાં વૈચારિક તથા સંઘર્ષનાં કેન્દ્રો વિકસાવવાની તાતી જરૂર છે. આ કેન્દ્રો લોકશાહીના સમર્થક, પ્રામાણિક, પ્રજાને જવાબદાર ઉમેદવારો ચૂંટાય તથા તેમના કાર્યો ઉપર નજર રાખે તેવું પણ બને. એટલે કે, વૈચારિક અને રચનાત્મક-સંઘર્ષાત્મક પ્રવૃત્તિએ હાથમાં હાથ મિલાવી ચાલવું રહ્યું.

આપણી લડત માનવીય મૂલ્યોના વિરોધી, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલીનાં ધારાધોરણોની અવજ્ઞા કરતાં, સમાજ તથા રાષ્ટ્રને વિભાજીત કરતાં, આડો-ઊભો વેતરી નાંખતાં ભેદભાવ અને ધિક્કારને પોષતાં અને ફેલાવતાં, હિંસા-હત્યા-દમનને પ્રેરતાં, ફાસીવાદી પરિબળો સામે છે.

ભારતમાં છેલ્લા નવેક દાયકાથી ફાસીવાદી વિચારધારાનું સમર્થક આંદોલન વિકસતું રહ્યું છે. માનવીય મૂલ્યો અને વિચારશક્તિને કુંઠિત કરતાં પ્રચાર કેન્દ્રો દ્વારા તેણે ચાવીથી ચાલતાં રમકડાં જેવા રોબોપેથો (રોબોટ-યંત્રમાનવ-જેવી માનસિકતા ધરાવતા) સર્જ્યા છે. આક્રમક-રાષ્ટ્રવાદી ઉન્માદ, મૂડીવાદી પરિબળો, જુઠાણાં અને લલચાવનારાં વચનો, ધાકધમકી તથા ચાલબાજીઓ (ઈ.વી.એમ. સાથે ચેડાં કરી તથા વિપક્ષના વિધાયકોને ફોડી) અજમાવી સત્તા ઉપર કબજો જમાવ્યો છે. આ પાંચેક વર્ષમાં તો તેનું શેતાની સ્વરૂપ પ્રગટ થઈ ચૂક્યું છે. તેની સામેની લડત આંતરવિગ્રહ જેવી કપરી, લોહિયાળ, વિનાશક અને પીડાદાયક ના બને તેવી આશા રાખીએ. આવી આશા રાખી શકાય તેવાં કારણો પણ છે. આ ખોફનાક વાદળોનો ઘટાટોપ વિખરાશે અને ભારતમાં માનવીય મૂલ્યો, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલી, એખલાસ, અમન અને શાંતિનો માહોલ પ્રસરશે તેવી આશા રાખવા પ્રેરે તેવાં પરિબળો પણ છે.

પ્રથમ તો, બહુમતી જનતા હજી આ ફાસીવાદી રંગે રંગાઈ નથી. એવી વ્યક્તિઓ, સંગઠનો અને પક્ષો છે જે લોકશાહીની રક્ષા માટે સચિંત અને કાર્યરત છે. ચૂંટણીઓ દ્વારા અહિંસક માર્ગે શાસક પક્ષને બદલવાની શક્યતા સુલભ છે. કેટલાંક રાજ્યોમાં બેત્રણ પક્ષો વચ્ચે સમજૂતી સાધી, વિરોધી મતો વહેંચાઈ જાય નહીં તેવી ગોઠવણ થઈ રહી છે, પરંતુ ઇન્દિરાઈ કટોકટી સમયે જેમ બધા વિરોધપક્ષોએ એક થઈ જનતા મોરચો રચ્યો હતો તેવી સમજૂતી સર્જવી રહી. આવી સમજૂતી દ્વારા સાઠ ટકા ઉપરાંત મતો એકત્ર થઈ શકે અને સત્તાપક્ષને દૂર કરી શકાય.

અલબત્ત, ફાસીવાદીઓને માત્ર સત્તાસ્થાનેથી દૂર કરવા પૂરતું નથી. મહત્ત્વની લડત તો ફાસીવાદી વિચારશૈલી તથા માન્યતાઓની સફાઈ કરવા માટે વ્યાપક વૈચારિક આંદોલન કરવાની તથા તે માટેની તાલીમ શિબિરોના આયોજન દ્વારા માનવીય મૂલ્યો, લોકશાહી વ્યવસ્થા અને જીવનશૈલી તથા વિચારશૈલી, અભિવ્યક્તિની સ્વતંત્રતા, રેશનલ અને સેક્યુલર વલણ તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવવા ઉપર પણ ધ્યાન આપવું રહ્યું. આમ, સંગઠન તથા વૈચારિક એમ બંન્ને મોરચે લડત આપવાનો પડકાર ઉપાડવાનો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 03

Loading

15 March 2019 admin
← Glorifying Self: Maintaining status Quo : Modi’s Gimmick of Washing feet of Sanitary Workers
યુદ્ધને ‘જશ્ન’ માનનારા તેનો હિસ્સો નથી, જે યુદ્ધમાં ભાગ લે છે તેને માટે એ ‘જશ્ન’ નથી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved