Opinion Magazine
Number of visits: 9448998
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્જકતા અને પ્રતિબદ્ધતા

સુમન શાહ|Opinion - Literature|22 July 2018

આજે કવિશ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ છે. એમનાં 'સમયરંગ'-નાં લેખનો ઘણાં સૂચક છે અને વર્તમાનની નુક્તેચિની બાબતે ખાસ્સી પ્રેરણા આપી શકે એવાં સારગર્ભ છે

નેરુદા કહેતા -મારી કવિતા શું છે એમ પૂછશો તો એટલું જ કહીશ -નથી ખબર; પણ મારી કવિતાને પૂછશો તો કહેશે તમને, હું કોણ છું

ટ્રમ્પની ચૂંટણીના વખતથી એક શબ્દ ચલણી બન્યો છે અને તે છે, રેઝિસ્ટન્સ -પ્રતિકાર અથવા પ્રતિરોધ

આપણે ત્યાં સાહિત્યકારની પ્રતિબદ્ધતા વિશે – ખાસ તો ઈનામ-અવૉર્ડ મેળવી ચૂકેલા સાહિત્યકારોની પ્રતિબદ્ધતા વિશે – જાતજાતની ફરિયાદો થતી હોય છે. મુખ્ય એ કે દેશના રાજકારણની સમીક્ષા તો તેઓ કરતા જ નથી. પ્રકાશ ન. શાહ-ના 'નિરીક્ષક'-માં એવી સમીક્ષાઓ થાય છે પણ એમાં કોઇ મોવડી સાહિત્યકાર ભાગ્યે જ દેખા દે છે. જો કે આ પરત્વે એક ભય ભાગ ભજવતો હોય છે – એમ કે પ્રતિબદ્ધ થવા નીકળીશ તો મારી સ્વાયત્તતા જોખમમાં આવી જશે, સર્જકતા ડુલ થઇ જશે બલકે જતે દિવસે ચર્ચાખોર રાજકારણીમાં ગણાઇ જઇશ. વાત સાચી છે. જો કે સાચી નથી. કેમ કે પ્રતિબદ્ધતા અને સર્જકતા બન્ને જો સમ્યક્ હોય તો એવું દુ:ખદ પરિણામ નથી આવતું. ખરો સર્જક એના ઉત્તમોત્તમ અર્થમાં પ્રતિબદ્ધ હોય છે અને સાચી પ્રતિબદ્ધતા સર્જકતાને કદી રંજાડી શકતી નથી. શરૂઆતમાં બન્ને દ્વૈત-સમ્બન્ધે જોડાયેલાં રહે છે પણ છેલ્લે અદ્વૈતરૂપે એક થઇ જાય છે. સાહિત્યસંસારમાં એનાં દૃષ્ટાન્ત મળવાં મુશ્કેલ ખરાં પણ નથી મળતાં એમ પણ નથી. વ્યાસ-વાલ્મીકિમાં, રવીન્દ્રનાથમાં, નોબેલ-પ્રાઇઝ પામેલા અનેક સાહિત્યકારોમાં, આ અદ્વૈત જોવા મળ્યું છે. જો કે વાત ઘણી સંકુલ અને લાંબી છે…

આજે કવિશ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ છે અને આ સંદર્ભે મને એમનાં 'સમયરંગ'-નાં લેખનો યાદ આવે છે. એ ઘણાં સૂચક છે અને વર્તમાનની નુક્તેચિની બાબતે આજના સાહિત્યકારને ખાસ્સી પ્રેરણા આપી શકે એવાં સારગર્ભ છે. પરન્તુ સાઉથ અમેરિકાના ચિલીના કવિ પાબ્લો નેરુદાનું દૃષ્ટાન્ત આ પરત્વે જગજાણીતું છે. એમનો જીવનકાળ, 1904-1973. સ્પૅનિશમાં લખતા કવિઓમાં નેરુદા શ્રેષ્ઠ મનાયેલા; ચિલીના રાષ્ટ્રકવિ હતા. એમની સામ્યવાદતરફી પ્રતિબદ્ધતા પણ એટલી જ સાચી હતી. ૧૯૭૧-માં એમને નોબેલ અપાયું. જો કે લેખન તો ૧૩વર્ષની વયથી ચાલુ થઇ ગયેલું. "ટ્વૅન્ટિ લવ પોએમ્સ ઍન્ડ સૉન્ગ ઑફ ડિસ્પૅર” – સંગ્રહનાં કાવ્યોથી એમની એક આકર્ષક કવિરૂપે સ્થાપના થઇ. ત્યારે ઉમ્મર માત્ર ૨૦ હતી. નિબન્ધો, પ્રબન્ધો, રાજકારણી ઢંઢેરા, આત્મકથન એમ વિવિધ લેખનપ્રકારો અજમાવેલા. ચિલીયન કૉમ્યુિનસ્ટ પાર્ટીના સૅનેટરપદે એમણે અનેક રાજદ્વારી કાર્ય આદરેલાં અને સમ્પન્ન કરેલાં. પણ એમનો અવાજ સત્તાધીશોને પરવડેલો નહીં. કવિને જેલ થયેલી. ત્યાંથી નાસભાગ જેવી એમને કઠિન કારવાઇઓ કરવી પડેલી. પછી તો, ચિલીના સમાજવાદી પ્રમુખના મિત્રરૂપે અને વિશ્વના અનેક દેશોમાં એલચી આદિ રાજદ્વારી સેવક રૂપે એમણે કીર્તિ હાંસલ કરેલી. કહેવાય છે કે એમનું મૃત્યુ રાજકીય કાવતરાથી થયેલી હત્યા હતી. કર્ફ્યુ નાખીને શબયાત્રાને સીમિત રાખવાની કોશિશ થયેલી પણ કવિના લાખ્ખો ચાહકોની મેદનીએ કર્ફ્યુને નિષ્ફળ બનાવી દીધેલો.

નેરુદા મારા પ્રિય કવિ છે. અગાઉ મેં એમનાં અનેક કાવ્યોના અનુવાદ પ્રકાશિત કર્યા છે. અહીં પણ એક અનુવાદ રજૂ કરું છું :

આજે રાતે લખી શકું નર્યાં વિષાદમય પદ્ય.
દાખલા તરીકે, લખું "તારાભરી નિરભ્ર રાત્રિ ઝગમગે છે દૂર."
રાતનો પવન ઘુમરાય છે આકાશે, ગાય છે કશુંક.
રાતે આજે લખી શકું નર્યાં વિષાદમય પદ્ય. મેં ચાહી હતી એને, અને ક્યારેક એણેય મને ચાહ્યો હતો.
આવી રાત્રિઓમાં સાહી હતી મેં એને બાહુઓમાં. અસીમ આકાશ નીચે કેટલાંય મેં એને ચુમ્બન કરેલાં.
એણે મને ચાહ્યો હતો, મેં પણ એને ક્યારેક ક્યારેક ચાહી હતી. અમીટ એનાં નયન સામે એને ભરપૂરે ન ચાહવું તો કેવું !
લખી શકું નર્યાં વિષાદમય પદ્ય આજે રાતે. વિચારવું કે મારી એ નથી હવે. વિચારવું કે મેં એને ગુમાવી છે.
નિ:સીમ રાત્રિને સાંભળવી, પણ એના સાથ વિના સાંભળવી એ તો અતિ નિ:સીમ. ઘાસ પરે ઝાકળબિન્દુ સરે એમ સરે પદ્ય મારા આત્મા પરે.
એ તે કેવું કે પ્રેમ મારો સાચવી ન શક્યો એને. રાત્રિ છે તારાભરી, અને એ નથી પાસ મારી.
બસ એટલું જ. દૂર કોઇક ગાય છે… દૂર… મને નથી કશું ચૅન એને ગુમાવ્યા પછી.
એને જાણે મારી સમીપે આણવા નજર મારી ભટકે છે. હૃદય મારું શોધે છે એને, અને એ નથી પાસ મારી.
એ જ વૃક્ષોને અજવાળતી એ જ રાત્રિ. એ પછી, અમે, જે હતાં, તે હવે નથી.
હું હવે એને નથી ચાહતો, ખરું છે, પણ કેટલું ચાહતો હતો…
મારો અવાજ એવા પવનને શોધે જે એના કાનને અડે.
હવે એ અન્યની. થશે અન્યની. જેમ મારાં ચુમ્બનો પૂર્વે. એનો અવાજ, એની દીપ્તિમય કાયા. એનાં અનિમેષ નયન.
હું હવે એને નથી ચાહતો, ખરું છે, પણ બને કે ચાહું…
પ્રેમ ટૂંકજીવી હોય છે, અને વીસરી જવું તો ઘણું જ લાંબું.
કેમ કે આવી રાત્રિઓમાં મેં એને સાહી હતી બાહુઓમાં. ગુમાવ્યા પછી એને નથી મને ચૅન કશું.
એનાથી સાંપડેલી વ્યથા, હવે તો છેલ્લી, અને એને માટે લખેલાં પદ્ય પણ છેલ્લાં…

(Poem XX: "ધ ઍસેન્શ્યલ નેરુદા: સિલેક્ટેડ પોએમ્સ", સિટી લાઇટ્સ બુક્સ, 2004).

ઘણા અમેરિકન વિદ્વાનોને નેરુદાની સર્જકતા અને પ્રતિબદ્ધતા વચ્ચેનું દ્વૈત અને એ પછીનું અદ્વૈત સમજાયેલાં નહીં. વિદ્વાનોને એમનાં કાવ્યોના અનુવાદ અશક્ય જેવા લાગેલા; જે થયેલા તે સુખપ્રદ નહીં લાગેલા. ટૂંકમાં, નેરુદાની સાચી ઓળખ ઘણા સમય લગી અટવાયા કરેલી. કદાચ એટલે જ ૧૯૪૩-માં એકવાર નેરુદાએ કહેલું : મારી કવિતા શું છે એમ પૂછશો તો એટલું જ કહીશ – નથી ખબર; પણ મારી કવિતાને પૂછશો તો કહેશે તમને, હું કોણ છું.

આ લેખ નેરુદા વિશે કર્યો એનું એક બીજું કારણ પણ છે. અહીંની પબ્લિક લાઇબ્રેરીમાંથી મને ૨૦૧૮-માં પ્રકાશિત "નેરુદા – ધ પોએટ્સ કૉલિન્ગ" નામની નેરુદાની ૬૨૮ પાનની જીવનકથા મળી આવી. એના લેખક મુખ્ય અનુવાદક અને સમ્પાદક માર્ક આઇઝનર છે. આઇઝનર કહે છે કે ટ્રમ્પના પ્રમુખપદને ૧૦૦ દિવસ પૂરા થયા એ અરસામાં પોતે આ જીવનકથાનું લેખન પૂરું કરેલું. આઇઝનર જણાવે છે કે ટ્રમ્પની ચૂંટણીના વખતથી નવ્ય રાજકારણ તેમ જ કવિઓ પરત્વે એક શબ્દ ચલણી બન્યો છે અને તે છે, રેઝિસ્ટન્સ – પ્રતિકાર અથવા પ્રતિરોધ. દાખલા તરીકે, ઍપ્રિલ ૨૧, ૨૦૧૭-ના રોજ 'ન્યૂ યૉર્ક ટાઇમ્સે' પહેલા પાને લેખ મૂકેલો, "American Poets, Refusing to Go Gentle, Rage against the Right". પ્રતિકાર બાબતે આઇઝનરે જે પ્રશ્નો કર્યા છે એમાંના કેટલાક આવા છે : ગઇ સદીના કયા કવિ પાસેથી આપણને સૂચક અને અતિ અગત્યનો પ્રતિકાર મળી શકે એમ છે? કેવા પ્રકારે એના શબ્દો પ્રજાને 'ઍક્શન' માટે ઢંઢોળી શકે એમ છે? ચિન્તન પ્રેરી શકે કે રૂઝ લાવી શકે એમ છે? આપણા આ અભૂતપૂર્વ વર્તમાનમાં સાહિત્ય રાજકારણ કલાકારો અને સામાજિક પરિવર્તન વચ્ચે કેવાક સમ્બન્ધો છે? આઇઝનર ઉમેરે છે : આ પુસ્તક નેરુદાના જીવન અને સર્જનની વિવિધ વીગતોની સાથોસાથ આવા પ્રશ્નો કરવાની તક પૂરી પાડશે અને તેથી રોજેરોજ આપણને નવા હેતુઓ અને નવી જ પ્રાસંગિકતાઓ જડી આવશે : અભૂતપૂર્વ વર્તમાનમાં તો આપણે ય જીવીએ છીએ પણ આપણી આજકાલમાં એકે ય ગુજરાતી નેરુદા દેખાતો નથી…રાહ જોઇએ…

[તારીખ ૨૧/૭/૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં પ્રેસના સૌજન્યથી મૂક્યો છે]

https://www.facebook.com/suman.shah.94/posts/2018498901514346

Loading

22 July 2018 admin
← ‘કેળવણી શબ્દ મારે મન ધર્મનો ઘરગથ્થુ પર્યાય છે’ એમ લખનાર ઉમાશંકર શિક્ષણચિંતક પણ હતા
Their own persons →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved