Opinion Magazine
Number of visits: 9447398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોહરાબુદ્દીન કેસનાં સ્ફોટક નવાં તથ્યો : પીંજરામાં પોપટ!

ભરત મહેતા|Samantar Gujarat - Samantar|1 December 2017

યુપીએ સરકાર વખતે લોકપાલબિલ માટે બણગાં ફૂંકનાર અને સી.બી.આ.ઈને સત્તાના પીંજરાનો પોપટ કહેનાર ભાજપે પણ મે-૨૦૧૪ પછી સી.બી.આઈ.ને કેવી રીતે પીંજરાનો પોપટ બનાવી દીધો છે, સોહારાબુદ્દીન કેસના નવાં સ્ફોટક તથ્યો તેની પ્રતીતિ કરાવે છે.

સોહારાબુદ્દીનના ખૂન પછી, તેની પત્ની કૌસરબી પરના બળાત્કાર અને ખૂન પછી, સોહરાબુદ્દીનના ભાઈ રબાબુદ્દીને પોલીસના આ નકલી એકાઉન્ટર સામે સુપ્રીમની મદદ માંગતા આ કેસને ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટે ‘ખાસ કેસ’નો દરજ્જો આપી સી.બી.આઈ.ને સોંપ્યો હતો. સાથોસાથ બે સૂચનાઓ પણ આપવામાં આવી હતી કે આ કેસ પતે નહીં, ત્યાં લગી એના ન્યાયાધીશની બદલી નહીં કરવી તેમ જ આ કેસ ગુજરાતની બહાર ચલાવવામાં આવે. આ કેસમાં આરોપીઓ મોટાં માથાં હતા. તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહ અને ડી.જી. વણઝારા, અભય ચુડાસમા સમેત મોટા બાર પોલીસ-અધિકારીઓ સંડોવાયેલા હતા જેના કારણે આ કેસ ઘણો જ સંવેદનશીલ ગણી શકાય.

સી.બી.આઈ. ન્યાયાધીશ શ્રી ઉટપુટે વારંવાર અમિત શાહને બોલાવ્યા છતાં એ હાજર થતાં ન હતા. અમિત શાહ સહિત બધાને ચાર્જશીટ મળી છતાં આ અનાદર કરાવ્યો. તેથી ન્યાયાધીશ ઉટપુટે ૨૬મી જૂન, ૨૦૧૪ની સુનાવણીની છેલ્લી તારીખ ફાળવી હતી. આ દરમિયાન મે ૨૦૧૪માં ભાજપ સત્તા પર આવ્યો અને આશ્ચર્ય વચ્ચે સુનાવણીના અગાઉના દિવસે ૨૫મી જૂને જ સુપ્રીમ કોર્ટની સૂચનાને બાજુ પર મૂકી શ્રી ઉટપુટની બદલી કરી દેવામાં આવી! મહારાષ્ટ્ર સરકારે ખુલાસો કર્યો કે આ બદલી શ્રી ઉટપુટની માંગણી હોવાથી કરવામાં આવી છે. આ માંગણી પાછળ ન્યાયાધીશને લાગેલો ડર નકારી શકાય તેમ નથી.

બીજી તરફ શ્રી ઉટપટની જગાએ નિમાયેલા નવા ન્યાયાધીશશ્રી વ્રજમોહન લોયા પણ ફરી ફરી અમિત શાહને હાજર થવા માટે જણાવતા રહ્યા, પરંતુ અમિત શાહ એને ટાળતા જ રહ્યા! નાનકડા સમારંભમાં નાગપુર ખાતે ગયેલા વ્રજમોહન લોયાનું અતિશંકાસ્પદ હાલતમાં પહેલી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ ત્યાંના સરકીટહાઉસમાં મૃત્યુ થયું. પરિવારને જણાવવામાં આવ્યું કે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. આ વ્રજમોહન લોયાના મૃત્યુની આસપાસ વીંટળાયેલી કેટલીક હકીકતો એમનાં બહેન અનુરાધા લોયા, લોયાના પિતાજી અને પુત્રને શંકાસ્પદ લાગી છે.

આવા સંવેદનશીલ કેસ સાથે જોડાયેલા ન્યાયાધીશને બે દવાખાનાં પર રિક્સા-સ્ટેન્ડમાંથી રિક્સા લઈને લઈ જવામાં આવ્યા છે! પરિવારને પાંચ વાગે મૃત્યુનો ફોન આવ્યો છે. પોસ્ટમૉર્ટમમાં ૬ઃ૧૫નો સમય મૃત્યુનો નોંધવામાં આવ્યો છે. સરકારી દવાખાનામાં તો રાતે બાર વાગે મોત પામેલા બતાવ્યા છે. લોયાના પિતાનું કહેવું છે કે વ્રજમોહનની લાશ માથા પાછળથી ઘવાયેલી હતી. શર્ટ પર લોહીના ડાઘા હતા. હૃદયહુમલામાં આ ન હોઈ શકે. તદુપરાંત પોસ્ટમૉર્ટમ રિપોર્ટ માટે લગભગ ફરજિયાત ગણાય તેવી પરિવારજનોની પરવાનગી લેવામાં જ આવી નથી. પોસ્ટમૉર્ટમમાં રિપોર્ટમાં એક પોલીસ-કર્મચારીની સહી છે, જ્યારે બીજી સહી વ્રજમોહનના પિતરાઈ ભાઈ તરીકે કોઈએ કરી છે! વ્રજમોહન લોયાના પિતાજીએ કહ્યું કે અમારે આવો કોઈ જ પિતરાઈ ભાઈ નથી!

બીજી કેટલાક સવાલો પણ આ આખી માહિતી બહાર લાવનાર ‘કારવાન’ના પત્રકાર નિરાંજન ટકલે એ વ્રજમોહન લોયાનાં બહેન અનુરાધા લોયાની મુલાકાત લઈને ઊભા કર્યા છે. વ્રજમોહન લોયાની લાશ એમના પૈતૃક ગામ લઈ જવામાં આવી, જ્યાં લાશની સાથે ડ્રાઇવર સિવાય ઍમ્બ્યુલન્સમાં કોઈ જ ન હતું! આવડા મોટા કેસ સાથે સંકળાયેલા ન્યાયાધીશ સાથેનો આ વહેવાર શંકાસ્પદ નથી?

બીજું, વ્રજમોહન લોયાનાં બહેન અનુરાધા લોયાના જણાવવા અનુસાર એમને જ્યારે ભાઈના મૃત્યુની જાણ થઈ ત્યારે તેઓ પોતે શારદા હૉસ્પિટલમાં પોતાનાં બીજાં સ્વજનોની ચાકરીમાં હતાં. એમને જાણ કરવા માટે ઈશ્વર બહૈટી નામના આર.એસ.એસ. કાર્યકર્તા આવ્યા હતા. એ જ વખતે અનુરાધાબહેને એમને પૂછ્યું હતું કે ‘હું શારદા હૉસ્પિટલમાં છું એ એવા અજાણ કાર્યકર્તાને શી રીતે જાણ થઈ?’ કારવાનના પત્રકારે ઈશ્વર બહૈટીનો સંપર્ક કર્યો, પરંતુ તે કોઈ જ વાત કરવા તૈયાર નથી! આ મૃત્યુને શંકાસ્પદ બનાવતાં તમામ તથ્યો મોજૂદ છે. ન્યાયાધીશ જેવા હોદ્દાનો પ્રોટોકોલ જળવાયો નથી. સૌથી મોટી વાત એ છે કે પંચનામું પણ થયું નથી, જે સામાન્ય કાર્યવાહી છે. વ્રજમોહન લોયાનો મોબાઇલ ફોન તો પરિવારને આપવામાં આવ્યો, પરંતુ સંપૂર્ણ ડેટાબેઝ ડિલિટ કરીને આપવામાં આવ્યો છે! શું આ ડેટા પુનઃ ન મેળવી શકાય? ભારેખમ આરોપીઓ સામેના ન્યાયાધીશ માટે આવી લાપરવાહી એ વધુ એક ફેક એનકાઉન્ટરની શંકા ઊભી કરે છે. વ્રજમોહન લોયા સરકારી ગેસ્ટહાઉસમાં રોકાયા હતા અને બે વાગે રિક્સાસ્ટેન્ડ પરથી રિક્સામાં દવાખાને લઈ જવામાં આવ્યા! ત્રણ વર્ષ પછી એમની બહેને મૌન તોડ્યું છે. પત્ની-પુત્ર હજુ પણ ગભરાયેલાં જ છે.

બીજી તરફ વ્રજમોહન લોયાના સ્થાને આવેલા ન્યાયાધીશ શ્રી ગોસ્વામીએ જેમને ચાર્જશીટ અપાયેલી એવા અમિત શાહને કોર્ટમાં બોલાવ્યા વિના જ ‘નિર્દોષ’ છે નો ચુકાદો પણ આપી દીધો! લોયાના મૃત્યુ વખતે સંસદના શીતકાલીન સત્ર વખતે ટી.એમ.સી.ના સાંસદોએ દેખાવો કર્યા હતા પણ એને ગંભીરતાથી ન લેવામાં આવ્યા! સોહારાબુદ્દીનનો ભાઈ પૂરી સુપ્રીમ કોર્ટમાં ગયો પણ સુનાવણી આવતાં જ એણે પણ અપીલ પાછી ખેંચી લીધી! દસ વર્ષ સુધી ભાઈ-ભાભીનાં મોત અંગે ઝીંક ઝીલનાર પણ ડરી ગયો? ઉચ્ચ સત્તાધારી જ્યારે આરોપી હોય, ત્યારે ઘટેલી આ આખી ઘટના ન્યાયપ્રણાલીની સ્વાયત્તતા વિશે સવાલો ઊભા કરે છે. ત્રીજા જજને આવડો મોટો કેસ ચલાવવાની જરૂર ન લાગી અને અમિત શાહને ડિસ્ચાર્જ કરી દીધા? આ આખો કિસ્સો મીડિયાને એક આહ્‌વાહન છે. ત્રીજા જજ બેસતાવેંત જ ફીંડલું વળી ગયેલો આ કેસ પીંજરામાં ભાજપનો પોપટ ઝૂલે છે, તેનો સીધી પુરાવો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 07-08

Loading

2 September 2021 admin
← મીડિયાત્મા મરણાસન્ન
પ્રજાસત્તાક સ્વરાજને લાયક બનવા માટે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved