Opinion Magazine
Number of visits: 9448905
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખાક હો જાયેંગે હમ, તુમ કો ખબર હોને તક

દીપક બારડોલીકર|Profile|28 February 2013

અાજે હું ઉદાસ છું ! અને અત્યારે ઉર્દૂના એક પ્રતિષ્ઠ શાયર નાસિર કાઝમીનો અા શેર સાંભરી રહ્યો છે :
દિલ તો મેરા ઉદાસ હય ‘નાસિર’
શહર ક્યૂં સાઈં – સાઈં કરતા હય
નાસિર કહે છે કે મારા હૃદયને સુખ – સુવાણ નથી, એ ઉદાસ છે, ગમગીન છે. હું અસ્વસ્થ, વ્યાકુળ બેઠો છું. પરંતુ અા શહેરને શું થયું છે ? એની હવા કેમ સૂસવી રહી છે ? સાઈં − સાઈં કરી રહી છે ! હીબકાં લઈ રહી છે ! એને કયું દુ:ખ છે ?!
હા, મન ઉદાસ, જીવ ગમગીન તો બધું ઉદાસ, બધું ગમગીન. શરબત પણ કડવો લાગે. અને યારની ચિર વિદાય હોય તો … … ?
સહરા ઉદાસ છે
          ને ચમન પણ ઉદાસ છે
હું છું ઉદાસ
          અાજે ગગન પણ ઉદાસ છે
હૈયું રડે નહીં તો
          પછી શું કરે, કહો
છે યારની વિદાય
          જીવન પણ ઉદાસ છે
હા, એ મારો, અમારો યાર હતો. મૈત્રીની કદર કરનારો મિત્ર હતો. હયદરઅલી જીવાણી હતો. અા જીવાણી જ્યાં કદમ ધરે ત્યાં જડ પણ ચેતનમય બની જતું. પરંતુ અાજે તે નિશ્ચેતન થઈ ગયા છે ! અમેરિકામાં તેમનું નિધન થયું છે ! અને વિશેષ દુ:ખ અા કે મારા એ પાંત્રીસ વર્ષના સંગાથીના જનાઝામાં હું શરીક થઈ શકતો નથી.
હયદરઅલી જીવાણી, જેમને અમે હયદરભાઈ કહેતા, એક કાબેલ પત્રકાર હતા તો સાથે જ એક સિદ્ધહસ્ત લેખક અને કવિ પણ હતા. તેમનાં કાવ્યો બચુભાઈ રાવતના “કુમાર” માસિકમાં પ્રગટ થતાં. સંસ્કૃત વૃત્તોના તેઅો જાણકાર હતા. પાકિસ્તાનમાં એમના જેવી વૃત્તોની, અક્ષરમેળ છંદોની જાણકારી ધરાવનારા એક બીજા કવિ તે ઉમર જેતપુરી. એ કવિ ‘સુંદરમ્’ના શિષ્ય. એમનાં કાવ્યો “દક્ષિણા” માસિકમાં છપાતાં.
હયદરભાઈ કરાચીના એક અાગેવાન અખબાર “ડોન – ગુજરાતી”ના સમાચારતંત્રી હતા. અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષાના માસ્ટર – પારંગત. અને અનુવાદની કળાના માહિર. પત્રકારત્વની કળા, હુનરમંદી તથા અાંટીઘૂંટીઅોના  સારા જ્ઞાતા એવા અા કલમકારે “ડોન – ગુજરાતી”ના સમાચાર વિભાગનું ઉચ્ચ ધોરણ જાળવી રાખવામાં તેમના સહકારીઅો અમીર કિસત, શફી મન્સૂરી તથા હબીબ લાખાણી સાથે મળીને અગ્ર ભાગ ભજવ્યો હતો. સમાચાર એટલે નક્કર હકીકત પર અાધારિત ને સમર્થન સહિતના સમાચાર એવો તેમનો અાગ્રહ રહેતો. વળી, અહેવાલ લેખનમાં પૂરેપૂરી ચોકસાઈ તથા ભાષાશુદ્ધિ માટે પણ ખંતપૂર્વક કલમ ચલાવવાની તેમની સૂચના રહેતી. અામ છતાં, તેઅો કહેતા કે સમાચાર એ રીતે અને એવી શુદ્ધ છતાં સાદી ભાષામાં લખો કે વાચકોને સમજવામાં તકલીફ ન પડે.
હયદરભાઈએ ‘નૂર’ભાઈ, સાદીક તથા ગુલામનબી મન્સૂરી જેવા તંત્રીઅોના હાથ નીચે કામ કર્યું હતું. અને એ સૌ તેમના પ્રશંસક હતા. તેઅો સપ્તાહમાં ફક્ત એક દિવસ દિવસની ડ્યૂટી પર અાવતા, બાકી હંમેશાં રાતની ડ્યૂટી. એ ડ્યૂટી ઘણી અગત્યની અને ઘણી કઠિન હોય છે. અગત્યના સમાચારો ઘણે ભાગે રાત્રે જ અાવે છે અને એ વખતે ઝટ, તાબડતોબ નિર્ણય લેવાના હોય છે − સમાચારો વિશે. વિલંબ ચાલે નહીં. વિચારવાનો સમય હોતો જ નથી. ખટાખટ તેલિપ્રિન્ટરો ચાલતાં હોય, રિપોર્ટરોની સ્ટોરીઅો હોય, સિલેક્શન કરવાનું હોય, તરજુમા કરાતા હોય અને સામે પ્રેસનો ફોરમેન ઊભો હોય : ‘સાહેબ ! મેટર અાપો … ! મેટર અાપો !’ − કડકડતી ટાઢમાં ય પ્રસ્વેદ કરાવી દે એવી સ્થિતિ હોય છે ! અાવી નાજુક સ્થિતિમાં હયદરભાઈએ પાંત્રીસથી વધુ વરસો સુધી એક કામિયાબ સમાચાર તંત્રી તરીકે સેવા બજાવી હતી.
અાવા પત્રકારો ગુજરાતમાં, પાકિસ્તાનમાં ય બીજે ક્યાંયે મુસ્લિમ ગુજરાતીઅોમાં થયા હોવાનું મારી જાણમાં નથી. એમના સિવાય સાદીક, ફખ્ર માતરી, ‘નૂર’ભાઈ અને ગુલામનબી મન્સૂરીની પણ કોઈ જોડ મુસ્લિમ ગુજરાતીઅોમાં જન્મી નથી. એ સૌ કુશાગ્રબુદ્ધિ ધરાવનારા કાબેલ પત્રકારો હતા.
હયદરભાઈ સમાચાર વિભાગ સંભાળવાની સાથે “ડોન – ગુજરાતી”માં ત્રણ કોલમો લખતા : ‘રંગતરંગ’, ‘હું હુસૈનખાં ને હાજી સાહેબ’ અને ‘સવાલ – જવાબ’. તેમનાં પ્રસિદ્ધ પુસ્તકોમાં ‘રંગતરંગ, ‘હું હુસૈનખાં ને હાજી સાહેબ’, ‘ઝરણું’ તેમ જ ‘Never Too Up, Never Too Down’નો સમાવેશ થાય છે.
મેં એમના હાથ નીચે કામ કર્યું હતું, ઘણું શીખ્યો હતો અને પ્રગતિ કરીને એડિશન ઇન્ચાર્જ સુધી પહોંચ્યો હતો. તેમના સૂચનથી “ડોન – ગુજરાતી” માટે મેં અાઠ જેટલી ઉર્દૂ નવલકથાઅોના અનુવાદ કર્યા હતા. “ડોન” માટે લખેલી બે નવલકથા પણ તેમના સૂચન અને મુલવણી[appreciation]નું પરિણામ હતું. મારી જેમ ઘણા જણ તેમનાથી ઘણું શીખ્યા હતા. એ માંહેના એક ભાઈ હારૂન જમાલ હતા. અા મેમણ યુવાન બાદમાં “ડોન”ના સમાચાર વિભાગમાં જોડાઈ ગયા હતા. બહુ તેજસ્વી હતા. પણ યુવાનીમાં જ તેમનું અવસાન થઈ ગયું હતું.
હયદરભાઈ ઘણું કરીને નેવું [1990] પહેલાં નિવૃત્ત થઈ કરાચીથી અમેરિકા ચાલ્યા ગયા હતા. તેમની સાથે મારી છેલ્લી મુલાકાત, સન 2005ના એપ્રિલ – મે માસ દરમિયાન લંડનમાં “અોપિનિયન” માસિકની દશવાર્ષિકી અને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સાતમી ભાષા-સાહિત્ય પરિષદ વેળા થઈ હતી. તેઅો અા પ્રસંગોમાં ભાગ લેવા અાવ્યા હતા.
તેમના નિધનથી ગુજરાતી ડાયસ્પોરાએ એક બહુમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. તેમની પાસે ઘણું હતું. તેમણે કરાચીની “ડોન”ની કચેરીમાં બેઠાં બેઠાં ઘણું જોયું હતું, વિચાર્યું હતું, વાંચ્યું હતું ને ઘણી ચર્ચા કરી હતી. એમ કહીએ કે તેમની પાસે પાકિસ્તાનનો એક રાજકીય, સામાજિક ઇતિહાસ હતો તો એ ખોટું નહીં હોય. કાશ, તેમની એ જાણકારીઅોનો લાભ અમેરિકાસ્થિત સાહિત્યિક સંસ્થાઅોએ લીધો હોત ! તેમના ઇન્ટરવ્યૂ કરાયા ને અૉડિયો – વીડિયોમાં સંગ્રહાયા હોત ! … કાશ ! કાશ !
પણ અાપણે સ્વથી અાગળ જઈએ ત્યારે ને ?
…, અને અંતે મિર્ઝા અસદુલ્લાહખાં ગાલિબનો એક શેર છે :
હમને માના કે તગાફૂલ ન કરોગે લેકિન
ખાક હો જાયેંગે હમ તુમ કો ખબર હોને તક 

http://never_too_up__never_too_down.pdf

[136, Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR]

("અોપિનિયન", 26 ફેબ્રુઅારી 2013)

Loading

28 February 2013 admin
← ગધના − ગધનીનાં ગીત …
FARMERS’ DISTRESS AND HEALTH IN INDIA →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved