Opinion Magazine
Number of visits: 9616827
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નરેન્દ્ર મોદી રજા મૂક્યા વિના જલસા કરે છે? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 January 2026

હેમન્તકુમાર શાહ

એક એવી છાપ ઊભી કરવામાં આવી છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે રજા ભોગવતા નથી અને રોજના ૧૮ કલાક કામ કરે છે. 

પરંતુ એ ઉજ્જૈન, કાશી, કેદારનાથ, સોમનાથ વગેરે જેવાં ધાર્મિક સ્થળોએ પૂજા કે આરતી કરવા જાય એને શું કહેવાય?

આવાં ધાર્મિક સ્થળોની મુલાકાત નરેન્દ્ર મોદી લે છે અને તે સમયે આમ જુઓ તો તેઓ દેશના વડા પ્રધાન હોવા છતાં વડા પ્રધાન હોતા નથી એમ કહેવાય. એનું કારણ એ છે કે મંદિરોમાં દર્શન કરવાં કે દરગાહ પર ચાદર ચડાવવી એને દેશની શાસન વ્યવસ્થા કે વહીવટ સાથે કશો સંબંધ નથી. 

મંદિરોમાં દર્શન કરવાં, ટીલાંટપકાં કરવાં કે આરતીઓ કરવી કે ધજા ચડાવવી કે અજમેર જઈને દરગાહ પર ચાદર ચડાવવી વગેરે એમનું અંગત ધાર્મિક કૃત્ય છે કે જેને  દેશના વહીવટ સાથે કશી લેવાદેવા છે જ નહીં. એને એમની ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધ છે એટલું જ.

આટલા સવાલ નરેન્દ્ર મોદીનાં આવાં ધાર્મિક કૃત્યોમાંથી ઊભા થાય છે :

(૧) ધર્મસ્થાનોની મુલાકાતે જવું એ એમનો અંગત મામલો છે અને તેને દેશના વહીવટ સાથે કશો સંબંધ નથી તો આવી મુલાકાતોનો ખર્ચ સરકારી તિજોરીમાંથી નહીં, પણ એમના અંગત પગારમાંથી થવો જોઈએ કે નહીં? 

(૨) એવો બધો ખર્ચ જો સરકારી તિજોરીમાંથી થતો હોય તો એ એક ધર્મનિરપેક્ષ દેશમાં કેટલું યોગ્ય છે? 

(૩) નરેન્દ્ર મોદી ધર્મસ્થાનોની મુલાકાતે જાય તો તેમણે કોઈ સરકારી કામ કર્યું એવું તો ન જ કહેવાય. તો તેમણે એ દિવસે રજા પાળી કહેવાય કે નહીં? એવી છાપ ઊભી કરવામાં આવી છે કે મોદી કોઈ રજા લેતા નથી. તો આવું બધું કર્યા કરે તો એ રજા પાળી ન કહેવાય તો શું કહેવાય? 

(૪) નરેન્દ્ર મોદી આવી રીતે અંગત ધાર્મિક યાત્રાઓ કરે તેનો ખર્ચો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની તિજોરીમાં પડે એ કેટલું યોગ્ય કહેવાય? નરેન્દ્ર મોદી આરતી કર્યા કરે એનો ખર્ચ લોકોના ટેક્સમાંથી નીકળે તે કેટલું ઉચિત છે? નાગરિકોએ એનો વિરોધ કરવો જોઈએ કે નહીં? 

(૫) વડા પ્રધાન ધર્મસ્થાનોમાં જઈને દર્શન કરે, આરતી કરે કે ચાદર ચડાવે તેનાથી દેશને શો ફાયદો થાય? એનાથી વહીવટમાં કઈ ગુણવત્તા ઊભી થાય?

(૬) નરેન્દ્ર મોદી રોજના ૧૮ કલાક કામ કરે છે એવો પ્રચાર કરવામાં આવ્યો છે. પણ એમાં એમની એવી ધાર્મિક ક્રિયાઓ કરવાના કલાકો અને તેને માટે થતા પ્રવાસના કલાકો બાદ કરવા જોઈએ કે નહીં?

(૭) મોદીના આવા ધાર્મિક પ્રવાસો માટે રાજ્ય સરકારોએ ઘણો બધો સલામતી ખર્ચ કરવો પડે છે. એ રાજ્ય સરકારોના બજેટમાંથી થાય છે. એ ખર્ચ એમના અંગત પગારમાંથી વસૂલ થવો જોઈએ કે નહીં? વળી, એને માટે સરકારી કર્મચારીઓ અને પોલિસના અનેક કલાકો બરબાદ થાય છે. એ બધા કલાકો પેલા ૧૮ કલાકમાંથી બાદ કરવામાં આવે તો મોદી માટે કેટલા કલાકો બાકી બચે?

(૮) મોદી આવી રીતે ધર્મસ્થાનોમાં જાય તો તેમણે રજા પાળ્યા વિના જલસા કર્યા કહેવાય કે નહીં? 

અને હા, દેશનાં જંગલોમાં મોદી સિંહ કે ચિત્તો કે પોપટ જોવા જાય એ પણ રજા પાળ્યા વગર જલસા કરવા ગયા એમ કહેવાય કે નહીં? 

તા.૧૫-૦૧-૨૦૨૬
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

16 January 2026 Vipool Kalyani
← ચુકાદો અને ચૂકવણી …

Search by

Opinion

  • ચુકાદો અને ચૂકવણી …
  • લાડુ અને ભૌતિકશાસ્ત્ર !
  • ગાંધી, લેનિન અને સામ્યવાદનાં 100 વર્ષ
  • એક પતંગપ્રેમીનો પતંગ-અભ્યાસ
  • અતિ ગરીબી મુક્ત કેરળ અને ભારતની બહુ આયામી ગરીબી

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • આ જ વૃક્ષો હતાં
  • તારી યાદ નડે છે
  • માનવી …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved