Opinion Magazine
Number of visits: 9449557
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બલરાજ મધોક જનસંઘને સાચો હિન્દુત્વવાદી પક્ષ બનાવવા માગતા હતા, પરંતુ સંઘ માટે તો જનસંઘ તક મળે તો સત્તા માટેની નિસરણી હતો

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|5 May 2016

બલરાજ મધોક : ૧૯૨૦-૨૦૧૬ – મધોક સવાયા હિન્દુત્વવાદી હોવા છતાં અને સંઘની સરેરાશ બૌદ્ધિક ક્ષમતા કરતાં વધારે બુદ્ધિશાળી હોવા છતાં સંઘને તેઓ માફક નહોતા આવ્યા. જો સહઅસ્તિત્વ માથે મારવામાં આવે તો સંઘીઓ કૉન્ગ્રેસીઓ સાથે જીવી શકે, સામ્યવાદીઓને પણ ખમી શકે; પરંતુ પોતાના જ જાતભાઈ હિન્દુ મહાસભાવાળાઓને અને આર્ય સમાજીઓને ન ખમી શકે. આનું કારણ એ કે જાતભાઈઓ દરેક પ્રસંગે સાચી જાત બતાવવા લલકારતા રહે છે

નવી પેઢીના વાચકોએ કદાચ પ્રોફેસર બલરાજ મધોકનું નામ પણ નહીં સાંભળ્યું હોય. ક્લોઝ્ડ કૅડરબેઝ્ડ પાર્ટીઓનાં આ લક્ષણો છે. એક વાર કોઈ નેતાને ધકેલી દેવામાં આવે તો એ પછી એ નેતાનો અરણ્યવાસ આજીવન હોય છે. ભારત અને વિશ્વભરમાં સામ્યવાદી પક્ષોમાં આવાં સેંકડો ઉદાહરણ મળી આવશે. ભારતમાં સામ્યવાદી પક્ષની સ્થાપના કરનારાઓમાંના એક શ્રીપાદ અમૃત ડાંગેને પક્ષે બરતરફ કર્યા એ પછી સામ્યવાદીઓ તેમની સાથે એવી રીતે વર્તતા હતા કે જાણે તેઓ આ ધરતી પર હયાતી જ નથી ધરાવતા. જો કે ડાંગે મરાઠી શબ્દ વાપરીએ તો અક્ટપેલુ વ્યક્તિત્વ (બહુમુખી પ્રતિભા) ધરાવતા હતા એટલે અનેક જગ્યાએ તેમની ઉપસ્થિતિ નજરે પડતી હતી, પરંતુ બિરાદર ડાંગેને તો સાવ વિસરી જવાયા હતા.

ભારતીય જનસંઘમાં અને એ પછી BJPમાં ૧૯૭૩થી બલરાજ મધોકની સ્થિતિ આવી જ હતી. બરાબર ૪૩ વરસનો વનવાસ ભોગવીને બલરાજ મધોક ૯૬ વર્ષની ઉંમરે દિલ્હીમાં અવસાન પામ્યા ત્યારે મધોક વિશે જાણનારા લોકોને જાણકારી મળી હશે કે તેઓ હજી હયાત હતા. સામ્યવાદી પક્ષોની જેમ જનસંઘ/BJP પણ ક્લોઝ્ડ કૅડરબેઝ્ડ પાર્ટી છે એટલે ઉપરથી જ્યારે નિર્ણય લેવાય ત્યારે માણસને જીવતેજીવત ભુલાવી દેવામાં આવે છે. છેલ્લાં વર્ષોમાં ખબર નહીં કયા ગુના માટે પણ સુંદર સિંહ ભંડારીની પણ આવી હાલત કરવામાં આવી હતી. સુંદર સિંહ ભંડારીએ પોતે આવો બળાપો કાઢ્યો હતો. અત્યારે BJPના ભૂતપૂવર્‍ અધ્યક્ષ બંગારુ લક્ષ્મણ ર્દીઘ અરણ્યવાસ ભોગવી રહ્યા છે. બંગારુ લક્ષ્મણ કરતાં અનેકગણો મોટો ભ્રષ્ટાચાર કરનાર યેદિયુરપ્પાની એક વાર નહીં બે વાર પુન: સ્થાપના કરવામાં આવી છે, પરંતુ બંગારુ લક્ષ્મણની કરવામાં નથી આવતી.

મૂળમાં RSSનો રાજકીય પક્ષ સ્થાપવાનો કોઈ ઇરાદો નહોતો. રાજકીય પક્ષ હિન્દુઓમાં સાવર્‍ત્રિક માન્યતા અપાવવામાં અવરોધરૂપ નીવડશે એવી તેમની ધારણા હતી અને એ સાચી પણ હતી. પક્ષ હોય તો પક્ષવિરોધી હિન્દુઓ હિન્દુ હોવા છતાં પણ સાથે ન આવે એવું બને. એટલે તો મહાત્મા ગાંધીની હત્યા પહેલાં અનેક કૉન્ગ્રેસીઓ કૉન્ગ્રેસી હોવા છતાં RSS માટે સહાનુભૂતિ ધરાવતા હતા અને મદદ કરતા હતા. બિનરાજકીય ચહેરો ધારણ કરીને રાજકીય પ્રવૃત્તિ કરવામાં જેટલો ફાયદો અને સલામતી છે એટલો ફાયદો પક્ષની સ્થાપના કરવામાં નથી એ સંઘના નેતાઓ જાણતા હતા. સંઘના સ્વયંસેવક રહી ચૂકેલા નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી અને સંઘ પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો ત્યારે સંઘના નેતાઓને લાગ્યું હતું કે સંકટની ઘડીએ દિલ્હીમાં સંઘનો અવાજ બને એવા રાજકીય પક્ષની જરૂર છે.

સંઘે ઘણાં વરસો સુધી દૂધ-દહીંમાં પગ રાખવાનો પ્રયાસ કર્યો હતો કે સંઘ સાંસ્કૃિતક સંગઠન છે, જનસંઘ/BJP સાથે એનો સીધો કોઈ સંબંધ નથી વગેરે જેથી BJPનો વિરોધ કરનારા હિન્દુઓનું સમર્થન ગુમાવવું ન પડે. હવે મોહન ભાગવત સરસંઘચાલક બન્યા પછી અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી બે મોટાં પરિવર્તનો જોવા મળી રહ્યાં છે. કેન્દ્ર સરકારે દોણી સંતાડ્યા વિના હિન્દુ કોમવાદી એજન્ડા અપનાવી લીધો છે અને સંઘે દોણી સંતાડ્યા વિના BJP સાથેના સીધા સંબંધનો સ્વીકાર કરી લીધો છે. મોહન ભાગવત નરેન્દ્ર મોદી કરતાં પણ વધુ સત્તાકીય વગ ધરાવે છે અને તેમના પુરોગામીઓથી ઊલટું તેઓ એનો આનંદ પણ ભોગવી રહ્યા છે.

જો કે એવો એક સમય હતો જ્યારે સંઘે રાજકીય પક્ષની રચના કરવી પડી હતી અને સંઘ બને ત્યાં સુધી રાજકીય બાબતોમાં મોખરે ન આવવું પડે એનું ધ્યાન રાખતો હતો. સમસ્યા હતી નેતૃત્વની. સંઘ પાસે એવો કોઈ નેતા નહોતો જે રાજકીય પક્ષનું નેતૃત્વ કરી શકે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ, અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી ઉંમરમાં અને હેસિયતમાં હજી નાના હતા. તેઓ સંઘ વતી પક્ષમાં પાછળથી દોરીસંચાર કરવા જેટલા સક્ષમ હતા, પરંતુ નેતૃત્વ કરી શકે એટલી તેમની ક્ષમતા નહોતી. ભારતીય જનસંઘના પહેલા બે દાયકા ઉધારના નેતૃત્વના હતા અને એમાં બલરાજ મધોક છેલ્લા હતા. જનસંઘના સ્થાપક-પ્રમુખ શ્યામ પ્રસાદ મુખરજીનું અકાળે અવસાન થયું એ પછી મૌલી ચન્દ્ર શર્મા જેવા સંઘ સાથે સીધો સંબંધ ન હોય એવા માણસોને અધ્યક્ષપદે બેસાડવામાં આવતા હતા. નેતા ગમે તે હોય, સંઘ પાછળથી દોરીસંચાર કરતો હતો. સંઘ સાથે સીધો સંબંધ તો શ્યામ પ્રસાદ મુખરજીનો પણ નહોતો એટલે તેઓ જો લાંબું જીવ્યા હોત તો તેમના હાલ પણ સંભવત: બીજા બહારના ઉધારના નેતાઓના થયા હતા એવા જ થયા હોત.

બલરાજ મધોક સંઘના નેતાઓને પણ ઝાંખા પાડે એવા કટ્ટર હિન્દુત્વવાદી હતા, પરંતુ હતા મૂળમાં આર્ય સમાજી. બલરાજ મધોકનો ૧૯૩૮થી RSS સાથે સંબંધ હતો. સ્વયંસેવક હતા, સક્રિય હતા; પણ તેમના આર્ય સમાજી સંસ્કાર પ્રબળ હતા. સરેરાશ આર્ય સમાજી સ્પષ્ટ વક્તવ્ય માટે અભિમાન ધરાવનારો અને પોતાને બીજા કરતાં અદકેરો માને છે. આ બાજુ સંઘના સંસ્કાર અનેક મોઢે બોલવાના છે અને નીતિ દહીં-દૂધમાં પગ રાખવાની છે. આર્ય સમાજી સ્પષ્ટવક્તા બલરાજ મધોક સવાયા હિન્દુત્વવાદી હોવા છતાં અને સંઘની સરેરાશ બૌદ્ધિક ક્ષમતા કરતાં વધારે બુદ્ધિશાળી હોવા છતાં સંઘને તેઓ માફક આવ્યા નહોતા. જો સહઅસ્તિત્વ માથે મારવામાં આવે તો સંઘીઓ કૉન્ગ્રેસીઓ સાથે જીવી શકે, અરે સામ્યવાદીઓને પણ ખમી શકે; પરંતુ પોતાના જ જાતભાઈ હિન્દુ મહાસભાવાળાઓને અને આર્ય સમાજીઓને ન ખમી શકે. આનું કારણ એ છે કે જાતભાઈઓ દરેક પ્રસંગે સાચી જાત બતાવવા લલકારતા રહે છે.

બલરાજ મધોક જનસંઘને સાચો હિન્દુત્વવાદી પક્ષ બનાવવા માગતા હતા, પરંતુ સંઘ માટે જનસંઘ જો તક મળે તો સત્તા માટેની નિસરણી હતો અને નહીં તો સંઘના હિતનું રક્ષણ કરનાર દિલ્હીમાંનો રખોપિયો હતો. બલરાજ મધોક આ વાત ક્યારે ય સમજી શક્યા નહોતા. દરમ્યાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ, અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી બૅકસીટ-ડ્રાઇવિંગ કરવાની જગ્યાએ પોતે જ ડ્રાઇવ કરી શકે એટલા તૈયાર થઈ ગયા હતા. આ ચારે ય નેતાઓને સંઘના સંસ્કાર ગળથૂથીમાં મળ્યા હતા અને એ સાથે જનસંઘનું નેતૃત્વ સીધું સંઘ પાસે આવી ગયું હતું.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 મે 2016

http://www.gujaratimidday.com/features/columns/balraj-madhok-wanted-to-create-a-true-hindu-jan-sangh-party-but-for-rss-jan-sangh-just-a-ladder-to-get-power-2

Loading

5 May 2016 admin
← દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓનાં જીવન ચરિત્ર – 1 — 

5
Ode To Indian Dukawala →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved