Opinion Magazine
Number of visits: 9449018
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અતુલ સુભાષની આત્મહત્યાનો કિસ્સો ‘સ્ત્રી-વિરુદ્ધ પુરુષ’નો જંગ નથી 

નેહા શાહ|Opinion - Opinion|29 December 2024

નેહા શાહ

કોઈ પણ કાયદાના ઉપયોગ અને  દુરપયોગની ચર્ચા થવી એ આમ તો સમાજની તંદુરસ્તી માટે જરૂરી છે. પણ, બેંગ્લોર સ્થિત ૩૪ વર્ષના અતુલ સુભાષની દુ:ખદ આત્મહત્યા પછી ભારતના મીડિયા પર ચર્ચા એ તો સ્ત્રી વિરુદ્ધ પુરુષનું રૂપ લીધું છે! અતુલે એની પત્ની તરફથી થતી હેરાનગતિથી થાકીને અંતિમ પગલું લીધું. મીડિયા અને સોશ્યલ મીડિયા પર ઊભી થયેલી ચર્ચામાં સ્ત્રીને રક્ષણ આપતા કાયદાને ‘પુરુષ-વિરોધી’નું બિરુદ આપવામાં આવ્યું. આ ચર્ચા સાંભળી લઈએ તો એવું લાગવા માંડે કે જાણે, સમાજના સત્તાના સમીકરણ બદલાઈ ગયા હોય ! પુરુષો જાણે સ્ત્રીઓના હાથે પ્રતાડિત જાતિ બની ગઈ હોય! દેશભરની સ્ત્રીઓ લાલચુ બની ગઈ હોય અને પતિઓને રંજાડી તેની સંપત્તિ હડપી લેવાના પેંતરા જાણે રોજીંદી વાત બની ગઈ હોય ! આઈ.પી.સી. ૪૯૮ (સ્ત્રીને પતિ તેમ જ સાસરિયા દ્વારા આચરવામાં આવતી ક્રુરતા સામે રક્ષણ આપે છે) અને દહેજ પ્રતિબંધ કરતો કાયદા તો જાણે કુટુંબ વ્યવસ્થાના તાણાવાણા તોડી નાખશે એવા ભયંકર હથિયાર જેવા લાગવા લાગે! પુરુષોના અધિકારની માંગ સાથે રસ્તા પર દેખાવો પણ થયા! ‘નિર્દોષ પતિ’ઓને બચાવવા માટે કાયદામાં સુધારા કરવાની જાહેર હિતની અરજી પણ થઇ ગઈ. અને ‘પુરુષ બચાઓ’ અને ‘કુટુંબ બચાઓ’ જેવા અભિયાન શરૂ થઇ ગયા. 

શું ખરેખર સમાજમાં ૧૮૦ ડિગ્રીનું પરિવર્તન આવ્યું છે? શું દહેજ પ્રથાનું દૂષણ આપણા સમાજમાંથી નાબૂદ થઇ ગયું છે? જવાબ છે – ના. દહેજ વિરોધી કાયદો ભલે ને છેક ૧૯૬૧માં આવ્યો, પણ આજ સુધી દહેજની માંગણી એક યા બીજી રીતે ચાલુ જ છે અને એ સાથે સ્ત્રીઓનું પ્રતાડન પણ ચાલુ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે આજે પણ સરેરાશ દિવસના ૧૮થી ૨૦ સ્ત્રીઓના દહેજ સંબંધી હિંસાને કારણે અપમૃત્યુ થાય છે. દહેજ ઉપરાંત બીજાં અનેક કારણો સર સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો ભોગ બનતી રહે છે. રાષ્ટ્રીય આરોગ્ય સર્વે મુજબ ૩૨ ટકા પરિણીત સ્ત્રીઓ ઘરેલું હિંસાનો સામનો કરે છે. જેમાંની ૮૭ ટકા ક્યારે ય કોઈ મદદ માટે પ્રયત્ન કરતી જ નથી. તે હિંસાને પોતાનું નસીબ સમજીને  સહન કર્યે જતી હોય છે! એનો મતલબ એ થયો કે ઘરેલું હિંસાના જે કિસ્સા બહાર આવે છે એ તો હિમશીલાની બહાર દેખાતી ટોચ જેટલાં જ છે. આ સંજોગોમાં ઘરેલું હિંસા અને એ માટે જવાબદાર કારણો સામે લડવા માટે ઘડાયેલા કાયદાની ખૂબ જરૂર છે. 

મહિલાઓ સાથે કામ કરનાર સ્વૈચ્છિક સંસ્થાના અનુભવ એવું બતાવે છે કે ઘરેલું હિંસાના અનેક પ્રકાર છે. ઘણી વાર એવું બનતી હોય છે કે જ્યારે મહિલા આવી હિંસા સામે ફરિયાદ નોધાવે ત્યારે પોલીસ એને ‘દહેજ સંબંધિત હિંસા’ની કલમ લગાવી કેસ નોંધે તો કોર્ટમાં એ કેસ ટકી શકતો નથી, કારણ કે દરેક હિંસા પાછળ દહેજ જ કારણ હોય એ જરૂરી નથી. જ્યારે કોર્ટ આ કેસને બરતરફ કરે તો એનું અર્થઘટન એવું થાય કે પુરુષને ફસાવવા એના વિરુદ્ધ દહેજ વિરોધી કાયદાનો ઉપયોગ કરાયો. હકીકતમાં આવા કેસમાં ફરિયાદ નોંધનાર પોલીસની કાચી સમજ અને બેદરકારી વધુ કારણભૂત હોય છે. શક્ય છે કે તેઓ ફરિયાદી મહિલાનો કેસ મજબૂત બનાવવા કડક કલમનો ઉપયોગ કરતા હોય પણ એના પરિણામે મહિલાને ન્યાય નથી મળતો તેમ જ સમાજમાં મહિલા વિરુદ્ધ માહોલ ઊભું થાય એ વધારાનું. આ ઉપરાંત, કાયદાની કડક જોગવાઈઓ પોલીસ અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો માટે લાંચ-રુશ્વત માટેનું મોટું બહાનું બની રહે છે. અતુલ સુભાષે પણ આ મુદ્દો એની સ્યુસાઈડ નોટમાં લખી છે. તો ચર્ચાનાં કેન્દ્રમાં કાયદાના અમલ તેમ જ ભ્રષ્ટ તંત્ર હોવા જોઈએ, નહીં કે કાયદાને ‘સ્ત્રી વિરુદ્ધ પુરુષ’ ચીતરતા પ્રયાસ. કાયદાના દુરુપયોગની સામે અલબત્ત પગલાં લેવાવા જોઈએ. પણ, છૂટા છવાયા કિસ્સા અને સામાજિક ધોરણ વચ્ચે વિવેક ભેદ કરવો પડે. દુર્ભાગ્યે ‘કુટુંબ બચાવો’ જેવા અભિયાન આ જટિલતામાં પડતા નથી, અને કાયદાનાં દુરુપયોગનો ઉકેલ કાયદો બદલવામાં શોધે છે. અને આજનું મીડિયાને પણ સનસનાટી ઊભી કરવામાં વધુ રસ છે. 

આમ કહેવાનો મતલબ અતુલ સુભાષ જેવા કિસ્સાની ગંભીરતા ઓછી આંકવાનો બિલકુલ નથી. કારણ કે પુરુષોમાં આત્મહત્યાના વધેલા કિસ્સા ચિંતાનું કારણ છે, જેમાં કૌટુંબિક કંકાસ પણ એક મહત્ત્વનું કારણ છે. અહીં એ નોંધવું જરૂરી છે કંકાસ પાછળનું એક મોટું કારણ યોગ્ય રોજગારનો અભાવ હોય છે. એટલે એને માત્ર સ્ત્રી-પુરુષ વચ્ચેનાં પ્રશ્ન તરીકે જોઈ શકાય નહિ. સામાજિક અને આર્થિક માળખાંને પણ સમજવું પડે. જ્યારે સમાજિક ધોરણો કમાવાની જવાબદારી પુરુષના ખભે નાખે છે, ત્યારે સામાજિક અપેક્ષાઓ પૂરી નહિ કરી શકવાનું દબાણ એના મન પર હોવાનું જોવામાં આવ્યું છે. સામાજિક મૂલ્યોનો શિકાર માત્ર સ્ત્રી જ નહિ પણ પુરુષો પણ છે. જો એ સમજીશું તો સામાજિક વ્યવસ્થાને બદલવા તરફ વધુ ધ્યાન આપી શકીશું. નહીંતર, સ્ત્રી વિરુદ્ધ પુરુષની લડાઈમાં જ અટવાયેલા રહીશું.

સૌજન્ય : નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

29 December 2024 Vipool Kalyani
← ડૉ. મનમોહન સિંહ : મૌનની મક્કમતા, કૌશ્યલ્યપૂર્ણ મહત્ત્વાકાંક્ષા અને શાલીનતાના રાજકારણનો પર્યાય
પોપ ફ્રાન્સીસ કઈ રીતે નોખા પડે છે ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved