સર્વવ્યાપી સર્વદિશામાં રહે છે,
મંત્ર-યંત્રો તોય ખીસામાં રહે છે.
ઉમ્રની પાછળ છુપાઈને જીવે પણ,
સૃષ્ટિ એક આખી અરીસામાં રહે છે.
ક્ષણ મહીં ઇશ્વરને નશ્વરમાં ડુબાડે,
એવું ગાંડું પૂર શીશામાં રહે છે.
લાખ ચાહો તોય એ ભટક્યા જ કરતું,
મન સદા કોઈ મનીષામાં રહે છે!
કાલિદાસે વર્ણવેલા નાગરો શું –
રૂપ 'વ્યાપમ' લઈ વિદિશામાં રહે છે?
London, 1/10//2015
![]()

