Opinion Magazine
Number of visits: 9483845
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં મુસ્લિમ મહિલાઓની ભૂમિકા

મૂળ લેખક મર્ઝિયા શરીફ [Marziya Sharif]|Opinion - Opinion|2 October 2024

ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ઘણી મુસ્લિમ મહિલાઓએ સક્રિય ભાગ લીધો હતો, જેમાંથી કેટલીક સ્ત્રીઓ હૈદરાબાદની હતી. આ યાદીમાં આબીદા બાનો બેગમ, બીબી અમ્તુસ સલામ, બેગમ અનીસ કિડવાઈ, બેગમ નિશાતુન્નિસા મોહની, બાજી જમાલુન્નિસા, હાજરાબીબી ઇસ્માઇલ, કુલસુમ સયાની અને સૈયદ ફકરૂલ હાજિયા હસનનો સમાવેશ થાય છે.

ભારતની સ્વતંત્રતાનાં ૭૭ વર્ષ થઈ ગયાં છે અને દેશ તેની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આપણે એવા લોકોને યાદ કરવા જોઈએ, જેમણે દેશના સ્વતંત્રતાસંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ ઘણી વાર ઇતિહાસના આર્કાઇવ્સમાં અમુક લોકોને પર્યાપ્ત સ્થાન મળતું નથી.

આ ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનારા પુરુષોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હોવાથી, મહિલાઓએ પણ આ આંદોલનની કમાન સંભાળી હતી. તેમાં અનેક મુસ્લિમ મહિલાઓએ પોતાની ઓળખ બનાવી છે. આબીદા બાનો બેગમ, બીબી અમ્તુસ સલામ, બેગમ અનીસ કિડવાઈ, બેગમ નિશાતુન્નિસા મોહની, બાજી જમાલુન્નિસા, હાજરા બીબી ઇસ્માઇલ, કુલસુમ સયાની અને સૈયદ ફકરૂલ હાજિયા હસન એ લોકોમાંનાં એક છે જે જેઓ ભુલાઈ ગયાં છે અથવા જાહેર સ્મૃતિમાં નથી.

આબીદા બાનો બેગમ (જન્મ ૧૮૫૨–મૃત્યુ ૧૯૨૪) :

આબીદા બાનો બેગમ એ પ્રથમ મુસ્લિમ મહિલા હતી જેમણે સક્રિયપણે રાજકારણમાં ભાગ લીધો હતો અને ભારતને બ્રિટિશ રાજમાંથી મુક્ત કરવાના આંદોલનનો પણ એક ભાગ હતાં. આબીદા બાનો બેગમનો ગાંધી દ્વારા બી અમ્મા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેનો જન્મ ૧૮૫૨માં ઉત્તર પ્રદેશના અમરોહામાં થયો હતો. બી અમ્માનાં લગ્ન રામપુર રાજ્યના એક વરિષ્ઠ અધિકારી અબ્દુલ અલીખાન સાથે થયાં હતાં. તેમના પતિના અવસાન પછી બાનોએ પોતાનાં બાળકો(બે પુત્રી અને પાંચ પુત્રો)નો ઉછેર એકલા હાથે કર્યો. તેના પુત્રો મૌલાના મોહમ્મદ અલી જૌહર અને મૌલાના શૌકત અલી ખિલાફત ચળવળ અને ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી વ્યક્તિઓ હતા. તેઓએ બ્રિટિશ રાજ સામે અસહકાર ચળવળ દરમિયાન મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

૧૯૧૭-૧૯૨૧ દરમિયાન, તેમની નબળી આર્થિક સ્થિતિ હોવા છતાં, બી અમ્માએ, સરોજિની નાયડુની ધરપકડ પછી, બ્રિટિશ સંરક્ષણ અધિનિયમનો વિરોધ કરવા દર મહિને ૧૦ રૂપિયાનું દાન કર્યું હતું. ૧૯૧૭માં બાનો એની બેસન્ટ અને તેમના પુત્રોને મુક્ત કરાવવાના આંદોલનમાં જોડાઈ, જેમની ૧૯૧૭માં અંગ્રેજો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ રૂઢિચુસ્ત મુસ્લિમ હોવા છતાં બી અમ્મા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુસ્લિમ મહિલાઓના સૌથી અગ્રણી હતાં. મહિલાઓનું સમર્થન મેળવવા માટે મહાત્મા ગાંધીએ તેમને ઓલ-ઇન્ડિયન મુસ્લિમ લીગના સત્રમાં બોલવા માટે પ્રોત્સાહિત કર્યાં, તેમણે એક ભાષણ આપ્યું, જેણે બ્રિટિશ લોકો પર ભારતના મુસ્લિમોની કાયમી છાપ છોડી હતી. બાનોએ ખિલાફત ચળવળ અને ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે ભંડોળ એકત્ર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બીબી અમ્તુસ સલામ (મૃત્યુ ૧૯૮૫) :

પતિયાળાથી મહાત્મા ગાંધીની ‘દત્તક પુત્રી’ બીબી અમ્તુસ સલામ એક સામાજિક કાર્યકર અને ગાંધીનાં શિષ્યા હતાં જેમણે વિભાજનને પગલે કોમી હિંસા સામે લડવામાં અને ભાગલા પછી ભારતમાં આવેલા શરણાર્થીઓના પુનર્વસનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેણીએ કલકત્તા, દિલ્હી અને ડેક્કનમાં કોમી રમખાણો દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં જઈને પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. બીબી સલામ ગાંધી આશ્રમના મુસ્લિમ કાર્યકર હતાં અને સમય જતાં તે ગાંધીની દત્તક પુત્રી બની ગયાં હતાં. નોઆખલી રમખાણો પછી, ૯ ફેબ્રુઆરી, ૧૯૪૭ના રોજ ‘ધ ટ્રિબ્યુન’માં પ્રકાશિત થયેલા એક લેખમાં નોંધવામાં આવ્યું હતું કે અમ્તુસ સલામે ૨૫-દિવસના ઉપવાસ કર્યાં હતા. અપહરણ કરાયેલી મહિલાઓ અને બાળકોને બચાવવાના પ્રયાસમાં રાજ્ય સત્તાવાળાઓની ‘બેદરકારી’ના વિરોધમાં તેણી બહાવલપુરના ડેરા નવાબ ખાતે અનિશ્ચિત ઉપવાસ પર બેઠી હતી.

બેગમ હઝરત મહેલ (જન્મ ૧૮૩૦–મૃત્યુ ૧૮૭૯) :

૧૮૫૭ના વિદ્રોહની પ્રતિષ્ઠિત વ્યક્તિ બેગમ હઝરત મહેલ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યાં હતાં. અવધના શાસક નવાબ વાજિદ અલી શાહની પત્ની બેગમે અંગ્રેજો પાસેથી કોઈ પણ પ્રકારનો ઉપકાર કે ભથ્થાં સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બેગમે તેના સેનાપતિ રાજા જેલાલ સિંહની મદદથી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બહાદુરીપૂર્વક લડાઈ લડી હતી. હઝરત મહેલનો જન્મ ૧૮૩૦માં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં થયો હતો. ગુલામ હુસૈન તેના પિતા છે. તેણીને સાહિત્યની સમજ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા હાઈવે માટે જગ્યા બનાવવા માટે મસ્જિદો અને મંદિરોના વિનાશ પછી તેઓએ બળવો કર્યો હતો. જ્યારે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૫૬માં અવધમાં આક્રમણ કર્યું હતું અને અવધના છેલ્લા નવાબ તેમના પતિને કલકત્તામાં દેશનિકાલ કરવામાં આવ્યા ત્યારે બેગમે તેમના પુત્ર બિરજીસ કાદિર સાથે લખનૌમાં જ રહેવાનો નિર્ણય લીધો. ૩૧ મે, ૧૮૫૭ના રોજ, તેઓએ સ્વતંત્રતાની ઘોષણા કરવા અને અંગ્રેજોને શહેરમાંથી ભગાડવા માટે આહ્વાન કર્યું હતું. ૭ જુલાઈ, ૧૮૫૭ના રોજ, બેગમ હઝરત મહેલે તેમના પુત્ર, બિરજીસ કાદિરને અવધના નવાબ જાહેર કર્યા. તેણીએ ૧,૮૦,૦૦૦ સૈનિકો ઊભા કર્યા અને નવાબની માતા તરીકે લખનૌના કિલ્લાનું ભવ્ય રીતે નવીનીકરણ કર્યું. ૭ એપ્રિલ ૧૮૭૯ના રોજ તેણીનું ત્યાં અવસાન થયું હતું.

બેગમ અનીસ કિડવાઈ (જન્મ ૧૯૦૬–મૃત્યુ ૧૯૮૨) :

અનિસ કિડવાઈ ઉત્તર પ્રદેશ(યુ.પી.)ના રાજકારણી અને કાર્યકર્તા હતાં અને તેઓએ પોતાનું મોટાભાગનું જીવન સ્વતંત્ર ભારતની સેવા કરવા, શાંતિ માટે કામ કરવા અને ભારતના ભયાનક ભાગલાના પીડિતોના પુનર્વસન માટે સમર્પિત કર્યું. તેણીએ ૧૯૫૬થી ૧૯૬૨ સુધી રાજ્યસભામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ(INC)નું પ્રતિનિધિત્વ કર્યું, સંસદના સભ્ય તરીકે બે વખત સેવા આપી હતી.

અનિસ બેગમ કિડવાઈ ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન સક્રિય રહી હતી. તેમના પતિ શફી અહેમદ કિડવાઈની મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે સહાનુભૂતિ વધારવા અને દેશના વિભાજનને રોકવાના પ્રયાસો બદલ સાંપ્રદાયિક દળો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેણી તેના પતિના અવસાનથી ખૂબ જ વ્યથિત હતી. આ કમનસીબ દુર્ઘટનાના પરિણામે તેમના પતિના અવસાન બાદ તેણીએ દિલ્હીમાં મહાત્મા ગાંધીની મુલાકાત લીધી હતી. દેશના ભાગલાના પરિણામે જે મહિલાઓ તેમના જેવી જ પીડા ભોગવી રહી હતી તેમને ટેકો આપવા અને મદદ કરવા માટે, તેમણે મહાત્મા ગાંધીના નિર્દેશનમાં સુભદ્રા જોશી, મૃદુલા સારાભાઈ અને અન્ય મહિલા નેતાઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેણીએ પીડિતો માટે બચાવ શિબિરો પણ શરૂ કરી અને તેમને દરેક રીતે ટેકો આપ્યો. તેઓ તેને પ્રેમથી ‘અનીસ આપા’ કહેતાં. તેમણે તેમના પુસ્તક ‘આઝાદી કી ચાહ મેં’માં રાષ્ટ્રના વિભાજન દરમિયાનના તેમના અનુભવો લખ્યા છે.

બેગમ નિશાતુન્નિસા મોહાની (જન્મ ૧૮૮૪–મૃત્યુ ૧૯૩૭) :

બેગમ નિશાતુન્નિસા મોહાનીનો જન્મ ૧૮૮૪માં અવધ, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેઓએ મૌલાના હસરત મોહાની સાથે લગ્ન કર્યાં હતાં જેઓ બહાદુર સ્વતંત્રતા યોદ્ધા હતા અને જેમણે “ઇન્કિલાબ ઝિંદાબાદ” સૂત્ર આપ્યું હતું. બ્રિટિશ સત્તાના ઉગ્ર વિરોધી બેગમે મુક્તિ સંગ્રામના તત્કાલીન કટ્ટરપંથી બાળ ગંગાધર તિલકને ટેકો આપ્યો હતો.

બ્રિટિશ વિરોધી લેખ પ્રકાશિત કરવા બદલ તેમના જેલવાસ પછી તેણીએ તેમના પતિ, હસરત મોહાનીને પત્ર લખ્યો, તેમને પ્રોત્સાહિત કર્યા અને એમ કહીને તેમનો ઉત્સાહ વધાર્યો કે, “તમારા પર લાદવામાં આવેલાં જોખમોનો હિંમતપૂર્વક સામનો કરો, તમારા તરફથી કોઈ નબળાઈ ન હોવી જોઈએ.” જ્યારે તેમના પતિ જેલમાં હતા, ત્યારે તેમણે તેમના દૈનિક, ‘ઉર્દૂ-એ-મુલ્લા’નું પ્રકાશન સંભાળ્યું અને સરકાર સાથે વિવિધ કાનૂની વિવાદો સામે લડત આપી હતી.

બાજી જમાલુન્નિસા હૈદરાબાદ (જન્મ ૧૯૧૫–મૃત્યુ ૨૦૧૬) :

તેલંગાણા સશસ્ત્ર સંઘર્ષમાં સક્રિયપણે ભાગ લેનાર બાજી જમાલુન્નિસાનું ૨૨ જુલાઈ ૨૦૧૬ના રોજ ૧૦૧ વર્ષની વયે આ શહેરમાં નિધન થયું હતું. જમાલુન્નિસા બાજીનો જન્મ ૧૯૧૫માં હૈદરાબાદમાં થયો હતો અને તેઓ વંશીય શાંતિ અને સ્વતંત્રતા માટેના અગ્રણી હિમાયતી હતાં. તેણી તેના માતાપિતાના ઉદાર / પ્રગતિશીલ વાતાવરણમાં ઊછર્યાં પછી એક નાના બાળક તરીકે પ્રતિબંધિત જર્નલ ‘નિગાર’ અને પ્રગતિશીલ સાહિત્ય વાંચવાનું શરૂ કર્યું. બ્રિટિશ રાજના એક ઘટક નિઝામ શાસનની પરંપરાગત ધાર્મિક પરંપરાઓમાં ઊછરેલી હોવા છતાં, તેણીએ રાષ્ટ્રવાદી ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેણીએ નિઝામના દમનકારી શાસન અને તેના સાસરિયાઓના વાંધાઓ પર અંગ્રેજોના શાસન છતાં સ્વતંત્રતા – ચળવળમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું હતું. પાછળથી, તેણી મૌલાના હઝરત મોહાનીને મળ્યાં જેમણે તેણીને રાષ્ટ્રમાં સામ્રાજ્યવાદ વિરોધી ચળવળમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. તેણીએ, સામ્યવાદી હોવા છતાં શાહી સરકાર દ્વારા ધરપકડ થવાથી બચવાનો પ્રયાસ કરતાં સ્વાતંત્ર્યસેનાનીઓને રક્ષણ પૂરું પાડ્યું હતું. મૂળભૂત ઉચ્ચ શિક્ષણનો અભાવ હોવા છતાં, તેણી ઉર્દૂ અને અંગ્રેજીમાં અસ્ખલિત હતી અને તેણે સાહિત્યિક સમાજ બઝમે એહબાબની સ્થાપના કરી, જે સમાજવાદ, સામ્યવાદ અને ગેરવાજબી રિવાજો પર જૂથોમાં ચર્ચાઓ યોજતી હતી.

તેણીને હઝરત સૈયદ અહેમદ દરગાહમાં દફનાવવામાં આવી છે. તે સૈયદ અખ્તર હસનની બહેન હતી, જેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય અને ‘બાજી’ તરીકે વધુ જાણીતાં હતાં. તે મખદૂમ મોહિઉદ્દીનની કમ્યુનિસ્ટ પાર્ટીની મિત્ર અને સભ્ય હતી. બાજી પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિયેશન અને વિમેન્સ કૉઑપરેટિવ સોસાટીના સ્થાપક સભ્ય પણ હતાં.

હાજરા બીબી ઇસ્માઇલ, આંધ્ર પ્રદેશ (મૃત્યુ ૧૯૯૪) :

મોહમ્મદ ઇસ્માઇલ સાહેબની પત્ની, હાજરા બીબી ઇસ્માઇલ, આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના તેનાલીના સ્વાતંત્ર્યયોદ્ધા હતાં. ખાદી અભિયાન ચળવળ માટે પોતાને પ્રતિબદ્ધ કરનાર આ દંપતી પર મહાત્મા ગાંધીની નોંધપાત્ર અસર હતી. ગુંટુર જિલ્લામાં, તેમના પતિ મોહમ્મદ ઇસ્માઇલે પ્રથમ ખદ્દર સ્ટોર ખોલ્યો, જેનાથી તેમને ‘ખદ્દર ઇસ્માઇલ’ તરીકે ઓળખવામાં આવે છે. હાજરા અને તેમના પતિએ ગાંધીને ટેકો આપ્યો હોવાથી, તેઓને મુસ્લિમ લીગ તરફથી ઉગ્ર દુશ્મનાવટનો સામનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રીય ચળવળમાં તેમની સંડોવણી બદલ તેમના પતિની વારંવાર ધરપકડ કરવામાં આવી હોવા છતાં, હાજરા બીબીએ ક્યારે ય ઉત્સાહ ગુમાવ્યો ન હતો.

કુલસુમ સયાની (જન્મ ૧૯૦૦–મૃત્યુ ૧૯૮૭) :

૨૧ ઑક્ટોબર, ૧૯૦૦ના રોજ ગુજરાતમાં કુલસુમ સયાનીનો જન્મ થયો હતો. તેણીએ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો અને સામાજિક અન્યાય સામે લડત આપી હતી. કુલસુમ અને તેના પિતા ૧૯૧૭માં મહાત્મા ગાંધીને મળ્યાં હતાં. ત્યારથી, તેણીએ ગાંધી સાથે સમગ્ર ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન, સામાજિક ફેરફારોની હિમાયત કરી હતી. ડૉ. જાન મોહમ્મદ સયાની, જે એક જાણીતા સેનાની હતા તેમની સાથે તેણીએ લગ્ન કર્યાં હતાં. તેના પતિના સમર્થન સાથે ભારતીય સ્વતંત્રતા સંગ્રામની સંખ્યાબંધ ઘટનાઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેણીએ અભણ લોકો માટે કામ શરૂ કર્યું અને ચરખા ક્લાસમાં જોડાઈ હતી. તેણીએ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ‘જન જાગરણ’ ઝુંબેશ પર પણ નોંધપાત્ર અસર કરી હતી, જેણે સામાજિક રિવાજો અંગે જનજાગૃતિ વધારી હતી.

સૈયદ ફકરૂલ હાજિયા હસન (મૃત્યુ ૧૯૭૦) :

સૈયદ ફકરૂલ હાજિયા હસન, જેમણે માત્ર ભારતીય સ્વતંત્રતાની લડાઈમાં જ ભાગ લીધો ન હતો, પરંતુ તેમનાં બાળકોને પણ તેમાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેણીનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો જે ઇરાકથી ભારતમાં સ્થળાંતરિત થયો હતો. તેણીએ તેનાં બાળકોને સ્વાતંત્ર્ય-સેનાની તરીકે ઉછેર્યાં જેઓ પાછળથી “હૈદરાબાદ હસન બ્રધર્સ” તરીકે પ્રખ્યાત થયા.

હાજિયાએ અમીર હસન સાથે લગ્ન કર્યાં, જેઓ ઉત્તર પ્રદેશથી હૈદરાબાદમાં સ્થળાંતરિત થયા હતા. પરિણામે તેણીએ હૈદરાબાદી સંસ્કૃતિ અપનાવી. તેમના જીવનસાથી અમીર હસન હૈદરાબાદ સરકારમાં વરિષ્ઠ હોદ્દા પર હતા. નોકરીના ભાગરૂપે તેઓ અનેક સ્થળોએ મુસાફરી કરતા હતા. તેણીએ તેની મુલાકાતો દરમિયાન ભારતમાં મહિલાઓની વેદનાને જોઈ હતી અને તેણીએ સ્ત્રી બાળકોના વિકાસ માટે ઘણા પ્રયત્નો કર્યાં હતાં. તે હૈદરાબાદમાં રહેતી હતી, જેનું શાસન અંગ્રેજો દ્વારા ચાલતું હતું, તેમ છતાં તેણી રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે જોડાઈ હતી.

તેણે મહાત્મા ગાંધીની માંગના જવાબમાં હૈદરાબાદના ટ્રુંપ બઝાર સ્થિત આબિદ મંઝિલમાં વિદેશી કપડાં સળગાવી દીધાં. તેણીએ અસહકાર અને ખિલાફત ચળવળોમાં ભાગ લીધો હતો. તે ભારતીય રાષ્ટ્રીય સૈન્યના દરેક સૈનિકને તેનાં બાળકો માનતી હતી. સરોજિની નાયડુ અને ફકરૂલ હાજિયાએ આઝાદ હિંદ ફૌજના હીરોને મુક્ત કરાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતાં.

[પ્રગટ : “ગુજરાત ટુડે”; 12 ઑગસ્ટ 2024]
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2024; પૃ. 10-11 તેમ જ 18
https://www.siasat.com/75-years-of-independence-muslim-women-in-indias-freedom-struggle-2390946/

Loading

2 October 2024 Vipool Kalyani
← વિદેશમાં વસતા ગુજરાતીઓના પ્રશ્નો
ગુજરાતના જ્ઞાતિ સમાજોનો સમાજસુધારાનો સાદ →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved