Opinion Magazine
Number of visits: 9446693
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કલારૂપી પ્રાચીન વારસો પાછો મેળવવાની કવાયત …

કિરણ કાપુરે|Opinion - Opinion|11 January 2022

થોડા સમય અગાઉ કાશીના વિશ્વનાથ મંદિરમાં અન્નપૂર્ણા મૂર્તિની વિધિવત્ રીતે સ્થાપના થઈ. આ વિધિને ધર્મ સાથે સાંકળીને જોવાય; પણ તે માત્ર ધર્મની બાબત નથી. ખરેખર તો તે વિશેષ કરીને પુરાતત્વની બાબત છે. સોએક વર્ષ પહેલાં અન્નપૂર્ણાદેવીની આ મૂર્તિની ચોરી થઈ હતી. આ મૂર્તિ અઢારમી સદીની છે અને તેનું માપ 17x9x7 સેન્ટીમીટર એમ કાઢવામાં આવ્યું છે. અન્નપૂર્ણા મૂર્તિના એક હાથમાં ખીરનો બાઉલ છે અને બીજા હાથમાં ચમચી. અન્નપૂર્ણા માનું માહાત્મ્ય હિંદુ ધર્મમાં અન્નની દેવીથી જાણીતું છે; પણ વારાણસીમાં તેનું આગવું મહત્ત્વ છે. તેઓને માત્ર અન્નનાં દેવી તરીકે નથી પૂજવામાં આવતાં બલકે તેમની આરાધના શિવના અર્ધાંગિની તરીકે પણ થાય છે. અને એટલે જ વારાણસીમાં તેમનું એક અલાયદું મંદિર છે.

1913માં આ મૂર્તિ કેનેડાના એક એડવોકેટ નોર્મન મેકેન્ઝી ભારતમાંથી ગેરરીતિથી કેનેડા લઈ ગયા હતા. તે સમયે આ મૂર્તિ ગંગા કિનારે આવેલા એક મંદિરમાં સ્થાપિત હતી. આ પછી મેકેન્ઝીની પુરાતત્વની સંપત્તિ જેમાં અન્નપૂર્ણાદેવીની આ મૂર્તિ પણ હતી, તે કેનેડાની ‘યુનિવર્સિટી ઓફ રેગિના’ દ્વારા સ્થપાયેલા નોર્મન મેકેન્ઝી આર્ટ ગેલેરીમાં મૂકવામાં આવી. નોર્મને જ્યારે અન્નપૂર્ણા મૂર્તિ વિશે સાંભળ્યું ત્યારે તેને મેળવવાની તાલાવેલી લાગી અને તેની ચોરી કરાવવવામાં આવી. હવે તે સંપત્તિ ભારતને ફરી મળી ચૂકી છે.

એ જાણીતું છે કે ભારતનું મબલખ આર્ટવર્ક અમેરિકા, યુરોપના દેશોના મ્યુઝિયમને શોભાવી રહ્યું છે. તેમાં અનેક આર્ટ વર્ક ગેરરીતિથી ત્યાં પહોંચ્યા છે. અંગ્રેજોના શાસન દરમિયાન પુરાતત્ત્વની દૃષ્ટિએ મહામૂલી આર્ટ ભારતમાંથી લઈ જવામાં આવ્યાં અને તે પછીના કાળમાં પણ ભારતીયોનું આર્ટવર્ક વિદેશોમાં કાયદેસર કે ગેરકાયદેસર રીતે વિદેશોમાં પહોંચતું રહ્યું છે. આ બાબતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગંભીરતાથી ધ્યાને લીધી છે અને તે આર્ટવર્કને સ્વદેશમાં લાવવાની કવાયત આદરી છે. અત્યારે અન્નપૂર્ણાદેવીની મૂર્તિ પાછી લાવવામાં આવી એ રીતે અમેરિકાએ પણ ભારતની 248 અલભ્ય પ્રાચીન વસ્તુઓ પાછી આપી છે. આમ તો તે બધી અલભ્ય છે પણ તેમાં બારમી સદીનું શિવ નટરાજની પણ છે, જેની કિંમત માર્કેટ પ્રમાણે 15 મિલિયન ડોલર આંકવામાં આવે છે. આજે પ્રાચીન વસ્તુઓ ભારતમાં પાછી ફરી છે તેને વિદેશ પહોંચડનારા તરીકે આર્ટ ડિલર સુભાષ કપૂરનું નામ ખૂલ્યું છે. સુભાષ કપૂર ભારતની આવી અસંખ્ય મૂલ્યવાન વસ્તુઓને ગેરરીતિથી વિદેશ પહોંચાડતો રહ્યો છે. સુભાષ કપૂર આવું કામ કરનારો એક માત્ર નથી, આ ચીજવસ્તુઓની ટ્રાફીકિંગ માટે ઇન્ટરનેશનલ સ્તરે નેટવર્ક ગોઠવાયેલું છે.

વિદેશમાંથી મૂળ ભારતનું આર્ટવર્ક મેળવવું તે મોટી સફળતા છે, કારણ કે આ પૂરી કવાયત કરવામાં વર્ષોનો સમય જાય છે અને તેના ઠોસ પુરાવા જે-તે દેશોને આપવા પડે છે. જે વસ્તુ મૂળ ભારતની છે તે માહિતી મળતાં છતાં તેને આપવામાં ગલ્લાંતલ્લા થાય છે. પરંતુ આ વખતે આ પૂરી પ્રક્રિયા પછી ભારત સારી એવી એન્ટિક વસ્તુઓ પાછી મેળવી શક્યું છે.

ભારત અને તેના પાડોશી દેશો પુરાતત્ત્વની રીતે સમૃદ્ધિ ધરાવે છે. દેશના ખૂણેખૂણે આપણને હજારો વર્ષો પુરાના મંદિરો મળે છે. તેમાં પણ અનેક મંદિરો કે સ્થાપત્યો એવાં છે જેની નોંધ સરકારે ચોપડે નથી. નોંધ ન હોય તો તેનું મહત્ત્વ કે મૂલ્ય તો ક્યાંથી અંકાયું હોય! નોંધ નથી તેની કેટલું મોટું નુકસાન ભોગવવું પડે છે તે એક દાખલા પરથી સમજી શકાય. આપણે ત્યાં ‘હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોરર્વમેન્ટ’ નામની સરકારી સંસ્થાએ 2018ના વર્ષમાં એક અભ્યાસ કર્યો અને તેમાં આ રીતે ચોરી થયેલી મૂર્તિઓનો એક અંદાજ કાઢવામાં આવ્યો. આ અભ્યાસ મુજબ માત્ર તમિલનાડુમાંથી 1992થી 2017 સુધીમાં 1,200 પ્રાચીન મૂર્તિઓની ચોરી થઈ છે. આ ગાળા દરમિયાન દેશમાંથી 3,676 સંરક્ષિત ક્ષેત્રમાંથી ચાર હજારથી વધુ પ્રાચીન વસ્તુઓ ચોરાઈ છે. આ વસ્તુઓમાંથી પોલીસ માત્ર 1,493 પાછી મેળવી શકી છે, જ્યારે અન્ય 2913 પ્રાચીન વસ્તુઓની કશી ભાળ મળી નથી અથવા તો દુનિયાના અલગ-અલગ જગ્યાએથી તેના વેચાણની માહિતી મળી છે.

પોતાના વારસાને સુરક્ષિત રાખવા અર્થે ભારતમાં કાયદા પણ સખ્ત નથી અને તે માટે કોઈ સમર્પિત તપાસ એજન્સી નથી, તે કારણે આ વેપાર ફૂલ્યોફાલ્યો છે. આ ગેરકાયદેસર વેપારમાં ભારતના સુભાષ કપૂરનું નામ અવ્વલ આવે છે. તેઓ અમેરિકામાં આ બિઝનેસ ફેલાવીને બેઠા છે. સુભાષ કપૂરની જેમ અન્ય આર્ટ ક્રિમિનલનો બેઝ ન્યૂયોર્ક છે. અહીંયાથી જ વિશ્વનું આર્ટ ક્રાઇમ મેનેજ થાય છે. આ દિશામાં વર્ષોથી કામ કરનારા આર્કિયોલોજિસ્ટ અને કાયદાના અભ્યાસી ટીસ ડેવિસ છે. આ માટે ટીસ ડેવિસે ‘એન્ટીક્વાટીસ કોઅલિઝન’ નામની સંસ્થા પણ બનાવી છે. તેમના મતે માત્ર ગત્ દાયકામાં ગેરકાયદેસર રીતે ભારતમાંથી અમેરિકા આવેલા આર્ટની કિંમત સાતસો મિલિયન ડોલર છે. ટીસ એવું માને છે કે આનાથી પણ અનેકગણું આર્ટ ભારતમાંથી આવ્યું હોઈ શકે. ટીસ ડેવિસ આંતરરાષ્ટ્રિય સ્તરે કળા ક્ષેત્રે થઈ રહેલાં ગુના સંદર્ભે જોરશોરથી લડત ચલાવી છે અને તેમનું કહેવું છે કે ચિંતાની વાત તો એ છે કે ઘણાં દેશોમાં સરકારી મ્યુઝિયમ સ્મગલર પાસેથી આર્ટ વર્ક ખરીદીને પોતાની ગેલેરીમાં ડિસપ્લે કરે છે. આ પ્રેક્ટિસ અનેક દેશો કરી રહ્યા છે સાથે સાથે ટીસ ડેવિસનું એવું પણ માનવું છે કે આ બિઝનેસ દ્વારા મોટા પાયે આંતકવાદી પ્રવૃત્તિને નાણાં મળે છે. મૂળે આખો ધંધો કરોડો બિઝનેસનો છે અને તેમાં ગુનાઇત માનસિકતા ધરાવતા લોકો સામેલ છે. બીજું કે આર્ટનો આ બિઝનેસ આંતરરાષ્ટ્રિય સ્તરે થઈ શકે છે. તેથી પણ તેના તાર આંતકવાદી પ્રવૃત્તિ સાથે જોડાય છે.

ભવિષ્યમાં ભારતનો આ વારસો સહિસલામત રહે અને ચોરી કે અન્ય ગેરરીતિથી તે વિદેશોમાં ન પહોંચે તે માટે દિલ્હી સ્થિત આર્કિયોલોજિસ્ટ ડો. કિરીટ મંકોડી પાયાનું સૂચન કરે છે. તેઓ જણાવે છે કે સૌથી પહેલાં દેશના તમામ આવી વસ્તુઓનું કેટલોગિંગ અને તેનું પદ્ધતિસરનું ડોક્યુમેન્ટશન થવું જોઈએ. ઇતિહાસકારો પણ એમ કહે છે કે આપણા દેશનો વારસો સુરક્ષિત રાખવાની જવાબદારી  ‘આર્કિયોલોજિ સર્વે ઓફ ઇન્ડિયા’ની છે, અને તેના દ્વારા દરેક મંદિરો સહિત અન્ય સ્થાપત્યોની એક રાષ્ટ્રિય સ્તરની યાદી બનવી જોઈએ. આમ ન થાય તો દેશમાંથી ક્યારે શું બહાર જાય છે તેની ઠોસ માહિતી નહીં મળે.

છેલ્લાં વર્ષોમાં દેશની અલભ્ય પ્રાચીન વસ્તુઓને પાછી મેળવવામાં સારી સફળતા મળી છે. મિનિસ્ટ્રી ઑફ કલ્ચરની યાદી મુજબ 1976થી 1921 સુધી મહામૂલી 54 મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ પાછી મેળવી શકાઈ છે. જ્યાંથી આ મૂર્તિઓ-વસ્તુઓ પાછી મળી છે, તેમાં જે દેશો છે તેમાં મુખ્યત્વે બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા છે. વસ્તુઓ પાછી મેળવવાની બાબતને રાજકીય રીતે પણ જોવામાં આવે છે. 1976થી આ વર્ષ સુધી કુલ 55 મૂર્તિઓ પાછી મેળવવામાં આવી છે, તેમાં 1976થી 2014 સુધીની સંખ્યા 14 હતી જ્યારે તે પછી વર્તમાન સરકારના કાળમાં 30 આવી અલભ્ય મૂર્તિઓ પાછી મળી છે. તમિલનાડુમાંથી લઈ જવામાં આવેલી પાર્વતી, ચક્રવથવલવાર, પ્રત્યંગીરા, દુર્ગા, નટરાજ, દ્વારપાલ, રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ છે. તમિલનાડુ, મધ્ય ભારત, બિહારમાંથી મહદંશે આ મૂર્તિઓ વિદેશમાં પહોંચી છે. જો કે હજુ પણ આ વિદેશમાં ભારતની પ્રાચીન વસ્તુઓ લાવવાની બાકી છે તેમાં શિવાજીની તલવાર છે. આ તલવાર હાલ લંડનમાં આવેલા બકિંગહામ પેલેસમાં છે. એ પ્રમાણે ટીપુ સુલતાનનો વાઘ પણ લંડનના વિક્ટોરિયા મ્યૂઝિયમમાં છે. લાકડાનો આ વાઘ એક બ્રિટિશ સૈનિક પર હૂમલો કરતો દર્શાવાયો છે. આ વાઘ અઢારમી સદીના અંતમાં બ્રિટન લઈ જવામાં આવ્યો હતો, જે પછી પાછો મળ્યો નથી. ટીપુ સુલતાનની વીંટી, મધ્ય પ્રદેશની અંબિકાની મૂર્તિ, શાહજહાનનો વાઇન કપ, સુલ્તાનગંજના બુદ્ધ, આંધ્ર પ્રદેશના અમરાવતીના નક્શીકામ કરેલાં પથ્થરો પણ મહામૂલી વારસો છે, જે હજુય વિદેશોના મ્યૂઝિયમમાં છે.

e.mail : kirankapure@gmail.com

Loading

11 January 2022 admin
← ગુરુદેવ આપણે આંગણે …
આજના સંબંધો લાગણીના નહીં, પણ માગણીના છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved