Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોબત વગરનો મનુષ્ય વિરોધાભાસ છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 January 2022

૨૬મી ડિસેમ્બરે દુનિયા ક્રિસમસ ઉજવી રહી હતી ત્યારે, દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સંઘર્ષના પ્રતીક અને નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા આર્ચબિશપ ડેસમન્ડ ટૂટૂનું, ૯૦ વર્ષની ઉંમરે, કેપટાઉનમાં અવસાન થઇ ગયું. દેશ અને દુનિયામાં માનવાધિકારો સંકટમાં છે, ત્યારે દક્ષિણ આક્રિકાને નસ્લીય ભેદભાવની ખાઈમાંથી બહાર કાઢીને સમાનતાના પથ પર મુકનાર ટૂટૂનું જવું સમગ્ર માનવજાત માટે નિરાશાના સમાચાર છે.

દુનિયાને બહેતર બનાવનારાઓ એક પછી એક અલીવિદા ફરમાવે, ત્યારે દુનિયાના ભવિષ્યને લઈને ચિંતા થવી સહજ છે. ટૂટૂ માત્ર દક્ષિણ આફ્રિકા જ નહીં, દુનિયાના એ તમામ સમાજો માટે સક્રિય હતા, જ્યાં સામાજિક અન્યાય અને અશાંતિનું સંકટ તેમના વિકાસમાં અવરોધરૂપ હતું. એટલા માટે તેમને મોરલ કમ્પાસ (નૈતિક દીવાદાંડી) કહેવામાં આવતા હતા. ભારતના લોકોને ટૂટૂ માટે અને ટૂટૂને ભારત માટે વિશેષ પ્રેમ હતો, કારણ કે ટૂટૂ એ જ રંગભેદમાંથી જન્મ્યા હતા, જેમાંથી મહાત્મા ઊભા થયા હતા.

ટૂટૂને અને તેમના અભિગમને સમજવો હોય તો, આફ્રિકાની બન્ટુ ભાષાના પ્રાચીન ‘ઉબન્ટુ’ શબ્દને સમજવો પડે. માનવતાના અર્થમાં આ શબ્દ વપરાય છે. તેનો શબ્દશ: અર્થ થાય છે; ‘તું છે એટલે હું છું.’ માનવતાનો અર્થ થાય છે એકબીજા સાથે જોડાયેલા રહેવું. આપણે અલગાવમાં એક મનુષ્ય રહી શકતા નથી. એકલતામાં આપણે બધા વ્યક્તિ છીએ, પણ આપણે જ્યારે એક થઇએ છીએ, ત્યારે આપણે મનુષ્ય થઇએ છીએ. વ્યક્તિ તરીકે આપણે માત્ર આપણા વિશે જ વિચારીએ છીએ, પરંતુ મનુષ્ય તરીકે આપણે બીજા લોકો વિશે વિચારીએ છીએ. આને ઉબન્ટુ કહે છે.

ડેસમન્ડ ટૂટૂનું માનવતાવાદી ચિંતન આ એક શબ્દની આસપાસ ઘડાયું હતું. અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ સ્થિત નૈતિક ધર્મશાસ્ત્રી માઈકલ બાટલેએ ટૂટૂના દર્શનને સમજાવવા માટે ૧૯૯૭માં એક પુસ્તક લખ્યું હતું. તેનું શીર્ષક હતું, ‘રેકન્સિલીએશન : ધ ઉબન્ટુ થિયોલોજી ઓફ ડેસમન્ડ ટૂટૂ.’ તેમાં તે લખે છે કે જેમ આખી જિંદગી પાણીમાં રહેતી માછલીને ભીના થવું કોને કહેવાય તે સમજમાં ન આવે, તે રીતે વ્યક્તિવાદી વિચારોથી ઘડાયેલા પશ્ચિમના લોકોને ઉબન્ટુ શબ્દનો સામુદાયિક અને આધ્યાત્મિક ભાવ વિચિત્ર લાગી શકે.

ટૂટૂના સમકાલીન અને સહયોગી નેલ્સન મંડેલાએ આ શબ્દને સમજાવતાં કહ્યું હતું, “એક દેશમાંથી પસાર થતો મુસાફર એક ગામમાં રોકાય, તો તેણે ખાવા-પીવા માટે પૂછવું ન પડે. એ રોકાઈ જાય, તો લોકો તેને ખાવાનું આપે છે, તેનું મનોરંજન કરે છે. ઉબન્ટુનું આ એક પાસું છે, પરંતુ તેનાં ઘણાં પાસાં છે.

ઉબન્ટુનો અર્થ એવો નથી કે લોકોએ ખુદને સમૃદ્ધ ન કરવા જોઈએ. સવાલ એ છે કે તમે એવું શું કરી શકો જેનાથી આસપાસના સમુદાયમાં પ્રગતિ થાય?”

ઉબન્ટુ માટે નજીકનો પર્યાય સહઅસ્તિત્વ છે. બ્રાઝિલમાં મહાત્મા ગાંધીના આદર્શોને પ્રચલિત કરવાનું કામ કરતાં અને એક એન.જી.ઓ.ના સંચાલક પ્રોફેસર લિયા ડિસ્કને, બ્રાઝિલમાં યોજાયેલા એક શાંતિ મહોત્સવમાં, ઉબન્ટુ શબ્દને સમજાવવા માટે એક માનવવંશશાસ્ત્રીના અનુભવની સુંદર વાર્તા કહી હતી.

આ સંશોધક આફ્રિકાની બન્ટુ જાતિના રીત-રિવાજો અને પરંપરાઓનો અભ્યાસ કરવા ગયો હતો. તેનું કામ પતી ગયું, તે પછી તે વતન પાછા આવવા માટે તૈયારી કરતો હતો. અભ્યાસ દરમિયાન તે બન્ટુ જાતિનાં બાળકોમાં પ્રિય બની ગયો હતો. તેની હવાઈયાત્રા શરૂ થવામાં વાર હતી અને સમય પસાર કરવા માટે તે બાળકો સાથે રમત રમતો હતો.

તે તેની સાથે ખૂબ બધી કેન્ડી અને મીઠાઈઓ લાવ્યો હતો. તેણે એ બધું એક બાસ્કેટમાં મૂકીને ઉપર સુંદર મજાની રિબીન બાંધી અને બાસ્કેટને એક ઝાડ નીચે મૂકી. એ પછી તેણે બધાં બાળકોને બોલાવ્યાં. બાળકોને દૂર ઊભાં રાખીને તેમની સામે જમીન પર તેણે એક રેખા દોરી, અને સમજાવ્યું કે બધાએ એ રેખાની અંદર રહેવાનું અને ઈશારાની રાહ જોવાની. એ જેવો ઈશારો કરે તે સાથે બાળકોએ દોડવાનું અને જે બાળક સૌથી પહેલાં બાસ્કેટ પાસે જાય એ તમામ કેન્ડી લઇ જાય.

તેણે જેવો ‘દોડો’ એવો ઈશારો કર્યો, તો તેના આશ્ચર્ય વચ્ચે તમામ બાળકોએ એકબીજાના હાથ પકડી લીધા અને બધાં એક સાથે દોડ્યાં. ઝાડ નીચે પહોંચીને તેમણે બાસ્કેટ ખોલીને બધી કેન્ડી એકબીજા સાથે વહેંચી લીધી.

સંશોધકને બાળકોના વ્યવહાર અંગે જિજ્ઞાસા થઇ. તેણે પૂછ્યું કે મેં તો તમને એમ કહ્યું હતું કે જે સૌથી પહેલાં પહોંચશે, તેને તમામ કેન્ડી મળશે, તો પછી તેમેં સૌ સાથે કેમ દોડ્યાં?

તેમાંથી એક નાની છોકરીએ જવાબ આપ્યો, “બીજા બધા નિરાશ હોય, તો પછી અમારામાંથી કોઈ એક કેવી રીતે ખુશ થઇ શકે?”

વ્યક્તિવાદી સમાજમાંથી આવતો સંશોધક અવાચક રહી ગયો! એ મહિનાઓથી બન્ટુ જાતિનો અભ્યાસ કરતો હતો, પણ તેને છેલ્લા દિવસે એ સમાજનું મૂળ સત્વ સમજમાં આવ્યું હતું. વર્ષો પછી, ડેસમન્ડ ટૂટૂએ એ નાની છોકરીના વિચારને ઉબન્ટુ શબ્દથી સમજાવ્યો હતો :

“આફ્રિકન સંસ્કૃતિમાં ઉબન્ટુ નામનો એક વિચાર છે. મનુષ્ય હોવાનું એ સત્વ છે અને વિશ્વને આફ્રિકાની એ ભેટ છે. એમાં યજમાનવૃતિ, બીજા માટેની દરકાર અને કોઈના માટે બે ડગલાં વધુ ચાલવાનો ભાવ સમાયેલો છે. અમે માનીએ છીએ કે એક માણસ બીજા માણસોના માધ્યમથી જ માણસ બને છે, મારી માનવતા તમારી માનવતા સાથે અટપટી રીતે બંધાયેલી છે. હું જ્યારે તમને અમાનવીય બનાવું, ત્યારે હું મને પણ અમાનવીય બનાવું છું. સોબત વગરનો મનુષ્ય વિરોધાભાસી શબ્દ છે. એટલા માટે તમારે સર્વહિતમાં કામ કરવું જોઈએ કારણ કે માનવતા તમારા સામુદાયિક લગાવમાં પેદા થાય છે.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 જાન્યુઆરી 2022

Loading

10 January 2022 admin
← મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
કલારૂપી પ્રાચીન વારસો પાછો મેળવવાની કવાયત … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved