Opinion Magazine
Number of visits: 9553376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતનું પહેલવહેલું છાપખાનું શરૂ થયેલું સુરતમાં

દીપક મહેતા|Opinion - Opinion|29 July 2014

હાલના ગુજરાત રાજયમાં આવેલા વિસ્તારોમાં પહેલવહેલું ગુજરાતી છાપખાનું સુરતમાં શરૂ થયું. એ શરૂ કરનાર  હતા લંડન મિશનરી સોસાયટીના બે પાદરી રેવરન્ડ જેમ્સ સ્કીનર અને રેવરન્ડ વિલિયમ ફાઇવી. ૧૮૧૫માં ઇંગ્લન્ડથી સુરત આવ્યા પછી તેમણે પહેલું કામ ગુજરાતી ભાષા શીખવાનું કર્યું. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે પુસ્તિકાઓ (ટ્રેક્ટસ) ગુજરાતીમાં લખીને મુંબઈમાં છપાવી. તે પછી તેમણે બાઇબલનો ગુજરાતી અનુવાદ કરવાનું કામ શરૂ કર્યું. બાઇબલ જેવા મોટા ગ્રંથનો અનુવાદ સુરતમાં રહીને મુંબઈમાં છપાવવો એ કામ મુશ્કેલ હતું. એટલે તેમણે સુરતમાં જ છાપખાનું શરૂ કર્યું, ૧૮૨૦માં. મુંબઈનાં છાપખાનાંની જેમ આ છાપખાનું પણ મુવેબલ ટાઈપ વાપરતું હતું, તે શિલાછાપ (લિથોગ્રાફ) પધ્ધતિનું નહોતું. આ માટેના ગુજરાતી ટાઈપ તેમણે કયાંયથી મેળવ્યા કે પોતે બનાવ્યા તે જાણી શકાયું નથી.

બાઇબલના નવા કરારનો અનુવાદ સુરતના આ પ્રેસમાં છપાઈને ૧૮૨૧ના જુલાઈ મહિનામાં બહાર પડયો. ગુજરાતમાં છપાયેલું આ પહેલું ગુજરાતી પુસ્તક. ત્યાર બાદ ૧૮૨૪માં જૂના કરારનો અનુવાદ પ્રગટ થયો. અલબત્ત, સુરતમાં છપાયેલો બાઇબલનો આ અનુવાદ પહેલો ગુજરાતી અનુવાદ નહોતો. તે અગાઉ સિરામપોરથી ૧૮૨૦માં વિલિયમ કેરીએ બાઇબલનો ગુજરાતી અનુવાદ પ્રગટ કરેલો. આર. બિકાનેરી અને એમ. અવધી નામના બે પંડિતોએ આ અનુવાદ તૈયાર કરેલો. પણ એક તો ગુજરાતી આ બે પંડિતોની માતૃભાષા નહીં એટલે તેમની ભાષા અણઘડ અને હિંદીની છાંટવાળી હતી. બીજું, એ વખતે સિરામપોરના પ્રેસ પાસે ગુજરાતી ટાઈપ નહોતા એટલે એ અનુવાદ દેવનાગરી લિપિમાં છાપેલો. એટલે એ અનુવાદ ગુજરાતમાં ઝાઝો ચાલ્યો નહીં. કવિ નર્મદના નર્મકોશનું છાપકામ ભાવનગરના પ્રેસમાં થતું હતું તે ત્યાંના દીવાન ગૌરીશંકર ઓઝાએ અધવચ્ચે અટકાવ્યું તે પછી તેનો બાકીનો ભાગ આ સુરત મિશન પ્રેસમાં છપાયો હતો. ૧૯૫૯માં બંધ થયું ત્યાં સુધી આ પ્રેસ ગુજરાતી મુદ્રણ અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે સતત કામ કરતું રહ્યું.

મુંબઇમાં ફરદુનજીના છાપખાના પછી ૧૮૩૦ સુધી બીજું કોઈ ગુજરાતી છાપખાનું શરૂ થયાની માહિતી મળતી નથી. ફરદુનજી પાસે જ પત્રકારત્વની તાલીમ પામેલા નવરોજજી દોરાબજી ચાનદારૂ ઉર્ફે હલકારુએ મુંબઈ સમાચારની હરીફાઈમાં ૧૮૩૦ના સપ્ટેમ્બરની પહેલી તારીખથી ‘મુમબઇના ચાબુક’ નામનું અખબાર શરૂ કર્યું તે પહેલાં તેમણે પોતાનું છાપખાનું શરૂ કરેલું. ૧૮૩૨ના માર્ચની ૧૨મી તારીખે “મુંબઈ સમાચાર”ની હરીફાઈમાં બીજું અખબાર શરૂ થયું તે “જામે જમશેદ”. શરૂઆતમાં તે શિલાછાપ પધ્ધતિથી છપાતું પણ ૧૮૩૮થી મુવેબલ ટાઇપ વાપરીને છપાવા લાગ્યું. ભલે અઠવાડિક રૂપે અને મર્યાદિત ફેલાવા સાથે પણ “જામે જમશેદ” આજ સુધી પ્રગટ થતું રહ્યું છે. “મુંબઈ સમાચાર” છાપખાનાની જેમ આ બે અખબારોનાં છાપખાનાંમાં સાથોસાથ ગુજરાતી પુસ્તકો પણ છપાતાં. બીજી નોંધપાત્ર વાત એ છે કે આ ત્રણે છાપખાનાં અને અખબાર શરૂ કરવાનું માન પારસી સાહસિકોને ફાળે જાય છે.

(વધુ હવે પછી, ક્યારેક)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2014

Loading

29 July 2014 admin
← િશક્ષણ ક્ષેત્રે વિચારધારાકીય આક્રમણ
Ideology as a cover for political agenda: New ICHR Chief is a Communal Ideologue →

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved