Opinion Magazine
Number of visits: 9482845
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભૂખની દોટ, ‘ખેતોંસે બિછડનેકી સજા’

પ્રદ્યોતકુમાર સુધીરભાઈ પ્રિયદર્શી|Opinion - Opinion|21 May 2020

કોરોનાના આગમન બાદ સાવ નવી પરિસ્થિતિઓ પણ આપણી સામે આવવા લાગી. જગતમાં માનવ થકી ચાલતું ઘણુંબધું અચાનક થંભી ગયું. કામ બંધ થાય એટલે કામદાર નવરો પડે. દુનિયાના ઘણાં બધાં તંત્રો બંધ થઈ ગયાં, સિવાય કે પાચનતંત્ર. આમ પણ બધા જીવો આ તંત્ર ચલાવવા માટે જ દોડમદોડ કરે છે ને! પાચનતંત્ર ચલાવવા માટે જ માણસ ગુફાથી ગામ સુધી અને પછી શહેર સુધી પહોંચ્યો છે.

હા, શહેરમાં જવાના કેટલાંક બીજાં કારણો પણ છે, પરંતું મુખ્ય કારણ ભૂખઃ પેટની ભૂખ, પૈસાની ભૂખ, પ્રજ્ઞાની ભૂખ, પદની ભૂખ, પ્રસિદ્ધિની ભૂખ, પ્રમોદની ભૂખ, અરે પ્રમાદની ભૂખ અને કોઈકને પૂરતી સ્વતંત્રતા ના મળતી હોય તો પ્રેમની ભૂખ પણ શહેર સુધી ખેંચી જાય છે. મૂળે ભૂખ સંતોષવા માણસ શહેરમાં પહોંચે છે. સંતોષ મળે કે ન મળે, પણ મોટા ભાગના લોકો ત્યાં ટકી જાય છે અથવા એમ કહીએ કે સંતોષ ન મળ્યો હોય એ સંતોષ પામવા અને મળ્યો હોય તો એ ટકાવવા પણ ત્યાં ટકી જાય છે. આમે ય ધરાપો આવવો સહેલો નથી.

છેલ્લા દિવસોમાં ઘણું બધું અટકી ગયું. એટલે ઘણા બધા લોકોને શહેરમાં ટકી રહેવું મુશ્કેલ થઈ પડ્યું. અમારા રાજેન્દ્રસિંહ પેલા બે પ્રકારોની ઘણી વાર વાત કરે છેઃ ફાવી ગયેલા અને રહી ગયેલા. જે લોકો ધરાઈને જમવા પામતા નથી એવા લાખો લોકો પોતાના ગામમાં જવા અધીરા બન્યા. સરકારે નોકરીદાતાઓને અપીલ કરી હતી કે કામદારનો પગાર ચાલુ રાખે અને મકાનમાલિકોને અપીલ કરી હતી કે હમણાં ભાડું ન લે, પણ બધા એમ ક્યાં માને! અને મજૂરી કરનારનો આધાર બને જ કોણ?

જે ગ્રામીણોએ શહેરીઓની આટલી બધી સેવા કરી એમને થોડાક દિવસો પણ કેમ ના સાચવી શકાયા? જે મજૂરના પરસેવે માલિક પૈસાદાર થયો એને એક માસનો પગાર એમ જ આપી શકવા જેટલી ઉદારતા કેમ દાખવવામાં ના આવી? જે કામવાળી બાઈએ ઘરનાં કચરા/પોતા/વાસણ સાથે પોતાની જાત ઘસી છે એનો નિભાવ એક માસ પણ ન કરી શકાય? જેમણે રોડ, મૉલ ને ફ્લેટ બનાવ્યાં એમની શહેર તરફની આશા કેમ ધરાશાયી થઈ ગઈ? હા, માન્યું કે સંકટ સમયે ઘર જ યાદ આવે, પણ એમને શહેરમાં ઘર જેવી હૂંફ કેમ ના આપી શકાઈ?

સવાલો તો અનેક છે. હા, દયા સૌના કોઠે હોય છે અને કેટલાકે દાખવી પણ છે. પરંતું એની જરૂર ખૂબ મોટા પ્રમાણમાં છે. સરકારે પણ ઘણા બધાંને ભોજન આપવાનો પ્રયત્ન કર્યો, પરંતું કરોડો લોકોની ભૂખ સામે તંત્રના હાથ ટૂંકા પડે છે. ખલિલ ધનતેજવીની એક ગઝલનો આ શેર આ સમયે એકદમ પ્રસ્તુત છે,

"अब में राशन की कतारोंमें नज़र आता हूं,
अपने खेतों से बिछड़ने की सजा पाता हूं"

કદાચ આવો જ ભાવ લાખો લોકોના મનમાં જન્મ્યો હશે અને એમણે શહેરથી પોતાના વતન તરફની વાટ પકડી હશે. જે ગામ શહેરે દેખાડેલ સપનાંઓના કારણે છોડ્યું હતું, ત્યાં જ આશરો મળશે એવી આશા બંધાઈ.

આ ક્ષણે એ પણ વિચારવું રહ્યું કે ગામડાંમાં પણ કંઈ ઓછી મુશ્કેલીઓ નથી. છતાં શહેર છોડીને ગામમાં જઈ રહેલા સૌને એવી આશા છે કે તેઓ ત્યાં ભૂખે નહીં મરે.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 મે 2020

Loading

21 May 2020 admin
← ગિરીશ કર્નાડ : વૈશ્વિક કક્ષાના સર્જક અને કલાકાર
મળતર →

Search by

Opinion

  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved