કોરોનાનો પરાજ્ય
કરશે અવશ્ય વિજ્ઞાન
વિશ્વાસ અમને.
કિંતુ
કોરોનાનો ય માનવો પડે આભાર.
કેમ કે
એણે કરાવ્યાં બંધ
મંદિર-મસ્જિદ-ચર્ચનાં દ્વાર!
અટક્યો આરતી-બાંગ-ઘંટારવનો
ઘોંઘાટ !
એણે કરાવી બંધ
ખિલાફત-રામરાજ્યની બુમરાણ
એણે અટકાવી દીધો
સાધુ-સંતો-મૌલવીઓ-પાદરીઓનાં
ભાષણોનો ત્રાસ !
એણે અટકાવી દીધાં યુદ્ધ !
ઘૂરકિયાં કરતાં અણુશસ્ત્રો થયાં ચૂપ !
મિસાઈલોના સૂસવાટા થયા શાંત !
ઉડાડી દીધાં મહાસત્તા થવાનાં સ્વપ્ન !
એણે શિખવાડ્યું જીવવું
ભગવાન વગર !
એણે શિખવાડ્યું
લેવા વિજ્ઞાનનો આધાર
કોરોનાનો આભાર!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 મે 2020