ધ્રૂજે છે હાથ, મૂંઝાય આંખ કોણ બજાવે માઝમ રાતે.
હ્રદય દીપકના શાંત ઉજાશે કોણ બજાવે માઝમ રાતે.
વરસાદની બાંધી મમત, દુષ્કાળમાં આંખોનું ભીંજાવું,
હ્રદય દીપકના શાંત ઉજાશે કોણ બજાવે માઝમ રાતે.
ઝળહળતા સઘળા આયના પાણીની જેમ રે સુકાયા,
હ્રદય દીપકના શાંત ઉજાશે કોણ બજાવે માઝમ રાતે.
આઘેથી આવ્યાં કહેણ કે ડૂમાં પલકારે પલકારે આછર્યાં,
હ્રદય દીપકના શાંત ઉજાશે કોણ બજાવે માઝમ રાતે.
તડકાની કરવત ને વહેરતાં ઝાડ શોધીએ પાંદડાંના સરનામે,
હ્રદય દીપકના શાંત ઉજાશે કોણ બજાવે માઝમ રાતે.
અજવાળાનાં સાત પગથિયાં, ચંપાયું રૂંવેરૂંવે સીસમ રૂપ,
હ્રદય દીપકના શાંત ઉજાશે કોણ બજાવે માઝમ રાતે.
ચંદનની સૂનમૂન ડાળ જો કોઈ પંચમની ફૂંક સમું આવે,
હ્રદય દીપકના શાંત ઉજાશે વ્હાલમ બજાવે માઝમ રાતે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()




શાળાઓ શરૂ કરવી, એ પણ સ્ત્રીઓ દ્વારા, ખૂબ કઠિણાઈભર્યું હતું. ના કેવળ એનો સખત વિરોધ થયો પરંતુ એના સ્થાપકોને અતિશય અપમાન અને હુમલાઓ સહન કરવા પડતાં. આમ છતાં, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌ કોઈ શિક્ષણ મેળવી શકે એવું વાતાવરણ ઊભું કરવાની નેમને કારણે તમામ વિઘ્નો સામે એ ટકી શક્યાં. વિદ્યાર્થીઓ માટે માત્ર શાસ્ત્રોનો અભ્યાસ પૂરતો ના હોઈ શકે એવું માનતા સાવિત્રીબાઈને મક્કમ નારીવાદી ઉપરાંત સ્વપ્નદૃષ્ટા કહી શકાય. એ અંગ્રેજી શિક્ષણની તરફેણમાં હતાં કારણ કે એમના મત મુજબ જ્ઞાતિ વ્યવસ્થાનાં દૂષણોને મનમાંથી ધોઈ નાખવા એ સક્ષમ હતું. શિક્ષણ પ્રત્યે એમનો અભિગમ વ્યવહારુ હતો અને અન્ય વિષયોની સાથોસાથ ઔદ્યોગિક કામ અને રોજીંદુ કામ પણ શિખવાડી શકાય એવી ગોઠવણને પ્રોત્સાહિત કરતાં.