લો, આવી ગઈ સ્મશાનમાં,
ફરી એક વાર !
બહુ વાર ન લાગી આવતાં
અહીંથી જ તો શરૂ કરેલું
જીવવાનું
અહીંનાં જ પિંડને ચિતા પર શેકીને પેટ ઠાર્યું
હવે મારો પિંડ શેકાઈ રહ્યો છે
ને જ્વાળાઓ શાંત થઈ રહી છે
કેટલી બધી ચિતા તો આંસુથી હોલવી છે
આભારી છું સ્મશાનની
જેણે અહીંથી ઉઠાડી
ને અહીં સુવાડી છે
હવે હોલવાઈ ગઈ છું ત્યારે પેટાવવા બેઠા છે
પણ હવે ઊઠવાનું નથી
ઊઠી ગઈ છું
આમ તો જન્મી ત્યારે ચીંથરું જ તો હતી !
ને દેહ સમજાય તે પહેલાં તો
નવા દેહને જન્મ આપ્યો
પતિએ છોડી દીધી પેટ સાથે
તો બાળકી જન્માવી કોઢે
ગાય મારી દાયણ બની
ને એની દેખરેખમાં જન્મ્યું મખમલ
જોકે, આ ચીંથરાએ જીવવાનું તો હતું જ !
તે જીવ્યું પ્લેટફોર્મ પર-
દોડતી ગાડીએ ભીખ આપી
તો કોઈકે કટકા નાખ્યા
એનાં બટકાં કર્યાં
ને વહેંચ્યાં ચીંથરાં વચ્ચે
એ બધાં ચીંથરાં જોડીને મેં
ઓઢ્યું અખંડ માતૃત્વ !
જેનું કોઈ ન હતું
એની હું થઈ
મને નાથ તો હતો
પણ અનાથની ગોદડી હું થઈ
એ ગોદડીમાં મારા પતિનેય મેં સીવ્યો
એ મારું સૌથી મોટું સંતાન છે
મારાથી બમણું મોટું !
એમાં મારી દીકરી અળગી કરી
એને રડતી છોડી
જેથી
બીજી આંખો લૂંછી શકું
આજે કેટલી બધી વહુઓ
અને
જમાઈઓની લીલી વાડી મૂકીને જાઉં છું
એ બધાં મારાં નથી
પણ હું એમની છું
ને હવે કોઈની નથી
મારી પણ નહીં
કૈં ન હતું ત્યારે જીવી
ને હવે બધું છે તો જાઉં છું …
આવજો !
000
e.mail : ravindra21111946@gmail.com
![]()






આપ સૌને વિવિધ સમયે દાઉદભાઈનાં વિધવિધ પાસાંનો પરિચય થયો હશે. વિષય શિક્ષણ હોય કે સાહિત્ય, વાત ચૂંટણી ને લોકશાહીની હોય કે ભાષા અને સંસ્કૃતિની, મુદ્દો સ્ત્રી-પુરુષ સમાનતાનો હોય કે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો, અભિવ્યક્તિ સંશોધનલેખ તરાહની હોય કે કટારલેખનની, ક્ષેત્ર વિદ્યાનું હોય કે વહીવટ-વ્યવસ્થાપનનું અને હા, આ સર્વે માટેનો મંચ વર્ગખંડ હોય, વ્યાખ્યાન ખંડ, સભાગૃહ કે પછી કાર્યાલય … કહો જોઈએ, દાઉદભાઈના વ્યક્તિત્વ અને અભિવ્યક્તિમાંથી કયું તત્ત્વ અવિરત ફોરતું લાગે?
આ પુસ્તકના લેખો ‘નાગરિક’, ‘નાગરિકતા’, ‘સભ્ય સમાજ’ કે ‘civil society’ શબ્દના ઉલ્લેખ સાથે કે ઉલ્લેખ વગર પણ નાગરિકતાના પાઠ બની રહે છે. ‘સર્જકનો ધર્મ’ નિબંધ આ અનુભૂતિને એક અલગ જ ઊંચાઈ બક્ષે છે. લેખક કહે છે, “સર્જક એક અતિ સંવેદનશીલ વ્યક્તિ છે. … સંવેદનશીલ અને દિલદાર સર્જક તો સમાજના આત્માનો, એની સ્વતંત્રતા અને પવિત્રતાનો રખેવાળ છે. એનું સર્જનકર્મ માનવીના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે, પુરસ્કાર કરે એ અનિવાર્ય છે. આર્થિક, સામાજિક, રાજકીય કે લશ્કરી દબાણો કે ત્રાસથી દુનિયામાં ક્યાં ય અને ક્યારે ય પણ સર્જક ઝૂક્યો નથી.” પછી આગળ ઉમેરે છે, “આમ સમાજને તેથી જ સર્જકમાં એની આશાઓ અને એના ભાવિનો આખરી વિસામો જોવા મળ્યો છે. સાચો સર્જક હંમેશાં ઉદ્ઘોષતો રહ્યો છે.” ક્યારેક નાગરિકો મૂક થઈ જાય છે, સમાજ લથડિયાં ખાતો થઈ જાય છે, ત્યારે તેમને જગાડવાની, અવાજ ઉઠાવવા માટે પ્રેરવાની જવાબદારી સર્જકની બની રહે છે એમ પણ લેખક સોય ઝાટકીને કહે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સર્જકોએ સેવેલું મૌન લેખકને અકળાવતું રહ્યું છે, એ અંગે લેખકની અકળામણ આ લેખમાં પડઘા પડી પડીને અથડાઈ છે.
ચાલી રહેલા ગૃહયુદ્ધનું એક કારણ ત્યાંની ૩૦ ટકા જેટલી આલ્બેનિયન વસ્તીની ભાષાનાં રક્ષણ અને પ્રોત્સાહન માટેની ઉત્કટ લાગણી છે. આ લાગણી યુદ્ધ થકી ખેલાય એ ઇતિહાસની એક વાસ્તવિકતા રહેલી છે. … પરંતુ નાગરિક સમાજ – civil society – યુદ્ધ સિવાયના માર્ગો વિશે વિચારે એ સભ્યતા અને સંસ્કૃતિના જતન માટે આવશ્યક છે.”