લ્યો, આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ ૧૪ મે ૨૦૨૦ની વીડિયો માહિતીમાં સ્પષ્ટતા કરી કે દેશમાં કોરોનાના ટેસ્ટ કરવામાં ગુજરાત અગ્રક્રમે છે : રાજ્યની ૬ કરોડથી વધુ વસ્તીમાંથી કુલ ૧,૨૪,૭૦૯ જણના ટેસ્ટ થયા. એટલે કે કોરોના ટેસ્ટની સરેરાશ ૧ મિલિયન (૧૦ લાખ) વસ્તી દીઠ ૧,૮૫૯ છે, જે દેશની ૧ મિલિયન વસ્તીએ ૧,૩૪૩ ટેસ્ટની સરેરાશ કરતાં વધુ છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં મિલિયન વસ્તી દીઠ જે સરેરાશ ટેસ્ટ થયા છે એની તુલનામાં ગુજરાત અગ્રક્રમે છે.
કેન્દ્રના આરોગ્યમંત્રી હર્ષ વર્ધને ૧૪ મે, ૨૦૨૦ સુધી દેશની કુલ ૧૩૩ કરોડ જેટલી વસ્તીમાંથી ૨ મિલિયન (૨૦ લાખ) લોકોના કોરોના ટેસ્ટ થયાનું કહ્યું. ૩ મે ૨૦૨૦ના રોજ આ આંકડો ૧ મિલિયન (૧૦ લાખ)નો હતો. ભારતની ૧ મિલિયન વસ્તી દીઠ સરેરાશ માત્ર ૧,૩૪૩ લોકોના કોરોના ટેસ્ટ થયા છે અને ગુજરાતમાં ૧ મિલિયન વસ્તી દીઠ સરેરાશ માત્ર ૧,૮૫૯ લોકોના કોરોના ટેસ્ટ થયા છે.
હવે અન્ય દેશોમાં કેટલા ટેસ્ટની ૧ મિલિયન દીઠ ટેસ્ટની સરેરાશ છે એ જોઈએ : અમેરિકામાં (૩૧,૦૨૭), ઇટાલી (૬૧,૭૭૧),પોર્ટુગલ (૫૨,૭૮૧), બેલ્જિયમ (૫૨,૨૨૨), કતાર (૪૮,૨૯૦), રશિયા (૪૦,૯૯૫), સ્વિડન (૧૭,૫૭૬), ફ્રાંસ (૨૧,૨૧૩), કેનેડા (૩૦,૯૮૩), યુનાઇટેડ કિંગ્ડમ (૩૦,૮૪૯), તુર્કી (૧૬,૬૭૬), જાપાન (૧,૭૮૨) અને સ્પેન (૫૨,૭૮૧).
અમેરિકા રોજ ૩ લાખ ટેસ્ટ કરે છે. વધુ કોઈ ટિપ્પણ કરવાની જરૂર છે ખરી?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020
![]()


સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ 31 માર્ચે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે ‘હાલ કોઈ વ્યક્તિ એવી નથી કે જે તેના વતનના ગામે જવા માટે રસ્તા પર ચાલતી હોય.’ વધુમાં તેમણે પ્રતિજ્ઞાપૂર્વક એવો દાવો કર્યો કે બધાં જ હિજરતી શ્રમજીવીઓને શૅલ્ટર હોમ્સમાં રાખવામાં આવ્યાં છે અને ત્યાં તેમને પીવાનું પાણી, ખાવાનું અને દવાઓ જેવી પાયાની સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. તુષાર મહેતાએ અદાલત સમક્ષ આવા દાવા જે દિવસે કર્યા, બરાબર એ જ દિવસની સાંજે ગુજરાતની સરહદે આવેલા વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સ્ત્રીઓ અને બાળકો સહિત 120 મજૂરો દોજખમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેમને બધી બાજુથી બંધ હોય એવી કન્ટેઇનર ટ્રકમાં બળપૂર્વક ગોંધીને રાજ્યની સરહદની બહાર લઈ જવામાં આવી રહ્યાં હતાં. કન્ટેઇનર ટ્રકમાં સિલિન્ડર આકારનું એક સળંગ બૉડી હોય છે અને તેમાં હવા આવવા-જવા માટે કોઈ જ અવકાશ હોતો નથી.
લૉક ડાઉન ખૂલી ગયું તેની રાહત કોને ન હોય? સપ્તાહોથી ઘરમાં પુરાયેલાં અનેક લોકો પાછા આર્થિક પ્રવૃત્તિમાં જોડાઈને પોતાનું-પરિવારનું ક્ષેમકુશળ સાધવા મચી પડશે, તેનો આનંદ પણ ખરો. અમદાવાદ-સુરતના અમુક વિસ્તારો સિવાય રાજ્યભરમાં લૉક ડાઉન હળવું કરવાનો સરકારી નિર્ણય સમજી શકાય એવો છે. તેની પાછળ બે પ્રકારની મજબૂરી કારણભૂત હશેઃ ૧) લૉક ડાઉન રાખીને પણ આપણે કશું ઉકાળી શક્યા નથી. કોરોનાના કેસમાં વધારો જ થતો રહ્યો છે. ૨) આમ ને આમ લૉક ડાઉન ક્યાં સુધી લંબાવ્યા કરવું? હવે ઉઘાડું મૂકી જોઈએ.