માન્યો સૌએ ગહન-ગભીરો, છીછરો કાં વહું છું?
શ્રદ્ધા – જેની મુજ પર – પડી સાવ ભોંઠી લહું છું.
વાતે વાતે વળ બદલવો, છેતરું જાત પહેલા –
જેથી હૈયું લવ ન થડકે અન્યને છેહ દેતાં.
ટૂંકા સ્વાર્થે નિજ, અવરની હાણ છાની કરું છું,
દાવા પાછો પ્રબળ કરતો : શ્રેય સૌનું ચહું છું.
પામ્યો ઊંચાં પદ અવનવાં ને રળ્યો કંઈ પ્રતિષ્ઠા
ખેલ્યું ભેદી છળ, ધરી દીધી હોડમાં સર્વ નિષ્ઠા.
ભોગે-જોગે પણ પનારું પડ્યું જેમને તે
વાળી લેતાં મનઃ વરદ કેવો ફળ્યો વક્ર રીતે!
સાચી-ખોટી સમજણ ધરીને કશો બાખડ્યો છું;
આજે પાછો અચરજ કરું – શો મને સાંપડ્યો છું!
માઠું લાગ્યું કદીક પણ? – તો ચીંતવો સ્વસ્થ ચિત્તે,
નિર્ભ્રાતિનું સુખ રળવિયું લો. નજીવા નિમિત્તે..
[“પરબ” – જુલાઈ ૨૦૧૦માંથી સાભાર]
સૌજન્ય: “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 06
![]()


હમણાં આપણે બે મિનિટ પહેલાં મૌન પાળ્યું … ૧૯૪૮માં એક સાંજે, આ સમયે, એક વૃદ્ધ માણસ, બે વ્યક્તિના સહારે રસ્તો પસાર કરી રહ્યો હતો અને એક શખ્સે વૃદ્ધ માણસના દુર્બળ શરીરમાં ત્રણ ગોળી ધરબી દીધી. એ શખ્સને આ ઘરડા માણસથી નફરત હતી? એક જર્જરિત કાયાથી નફરત હતી? શું તે આ ઘરડા માણસને જ મારવા માગતો હતો કે તેનું લક્ષ્ય બીજું જ કંઈક હતું? એ જર્જરિત દેહને મારવા નહોતો માગતો, એના નિશાને એક વિચાર હતો, એક સ્વપ્ન હતું, એક ઉમ્મેદ હતી, એક ભરોસો હતો; જેનું નામ ગાંધી હતું. પણ એ સ્વપ્ન, આશા, ઉમ્મેદ, ભરોસો, સિદ્ધાંત કે સત્યને ગોળીથી ઠાર મારી શકાતાં નથી. ગાંધી હયાત છે, અને એ વાતની મારા-તમારા કરતાં એ લોકોને વધારે ખબર છે, જે લોકો ગાંધીને નફરત કરે છે. એમનામાં હિંમત નથી કે જે ગાંધીની તેમણે હત્યા કરાવી, એ ગાંધી, જેમના દરેક આદર્શ, દરેક સિદ્ધાંતની તેઓ વિરુદ્ધમાં હતા અને છે; તેની સામી છાતીએ આવીને, દુર્દશા કરી શકે. હજી પણ તેમણે રાજઘાટ ઉપર હાથ જોડીને ઊભા રહેવું પડે છે. આ એવાં ઉંદરડાંઓ છે જે ગાંધીના પગ ધીમે ધીમે કટક-બટક કાપી રહ્યાં છે અને આશા રાખી રહ્યા છે કે આવનારાં બસો-ત્રણસો વર્ષમાં આ પ્રતિમાનું કદ ઘટાડવામાં તેઓ સફળ થશે. પણ એમ થવાનું નથી. એ એટલા માટે કે ગાંધી દરેકનાં દિલમાં, દરેકના વિચારોમાં ઓછા કે અધિક, પણ દરેક હિન્દુસ્તાનીના હૃદયમાં જીવતા છે.
સત્તરમી લોકસભા માટેના મતદાનની પ્રક્રિયા હવે ઉપાન્ત્ય તબક્કો વટી ચૂકી છે ત્યારે મળતા નિર્દેશો આગલા રાઉન્ડની જેમ જ ત્રિશંકુ લોકસભાનો સંકેત આપે છે. મોદી ભા.જ.પ. સૌથી મોટા પણ ચોખ્ખી બહુમતી વગરના પક્ષ તરીકે ઉભરે ત્યારે કેવુંક ચિત્ર સરજાશે એ અલબત્ત અનુમાનનો વિષય છે. ત્રણેક દાયકા પર રાજીવ ગાંધી અને કૉંગ્રેસ સૌથી મોટા પણ બહુમતી વગરના પક્ષ તરીકે ઊભર્યાં ત્યારે એમણે ભલે ગણતરી સરની પણ ગરવાઈભેર એવું વલણ લીધું હતું કે જનાદેશ અમારા પુનઃ સત્તારોહણ માટેનો નથી. ત્યાર પછી વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં બહારથી ભા.જ.પ. અને સી.પી.એમ.ના સમર્થનપૂર્વકની સરકાર બની હતી એનો જાગ્રત વાચકોને ખયાલ હોય જ. ધારો કે મોદી ભા.જ.પ. આવા સંજોગોમાં મુકાય તો તે શું કરશે?