Congratulations !
I know you have mixed emotions right now. Even I can share some of the emotions though I am remotely attached to Opinion. But I believe this is a start of a new era.
20/3/13 : e.mail message
Congratulations !
I know you have mixed emotions right now. Even I can share some of the emotions though I am remotely attached to Opinion. But I believe this is a start of a new era.
20/3/13 : e.mail message
આવા ઉપાલંભ આપવાના બંધ કરીએ એ જરૂરી છે.
કારણ કહું ? એક હજાર ‘ને એક છે, બોલો છે તૈયારી સાંભળવાની ?
૧. કોઈ પશુ, પક્ષી કે પ્રાણી પોતાને નર કે માદા અવતરશે એ જાણવા તપાસ કરાવવા જાય છે? અને જો જાણ થાય તો માદા આપનાર ઈંડાને સેવે નહીં કે ઈંડામાંથી માદા નીકળતી જુએ તો તેની ડોક મરડી નાખે એવું જાણ્યું નથી હોં, ભાઈ !
૨. પ્રાણી પોતાના બચ્ચાં માટે મારણ લાવીને, પક્ષી ચણ લાવીને અને જીવ જંતુ નાની જીવાત લાવીને ભરણ-પોષણ કરે અને બીજા ભક્ષકોથી એમનું જતન કરે છે. કોઈ દી હાથી કે હાથણી પોતાના મદનિયાને જન્મ આપતા જ જંગલની કેડીઓ પર મૂકીને રફુચક્કર થઈ ગયા હોય એવું છાપામાં આવ્યું નથી.
૩. મનુષ્ય બુદ્ધિ અને વાણીનો સ્વામી હોવાને કારણે અન્ય પ્રાણીઓથી પોતે ઉચ્ચતર કોટિનો છે એમ માને છે. બંધુઓ, એ જ એક એવી જાત છે જે પોતાના બચ્ચાંને સાચવવા ભાડૂતી માણસો રોકે છે, જયારે બીજા પ્રાણીઓમાં એ કામ જન્મ આપનાર પોતે જ કરે છે (કોયલનો દાખલો આપશો મા, એ પણ કુદરત નિર્મિત નિયમનું પાલન કરે છે).
૪. જળચર, ભૂચર અને ખેચર એવા તમામ પ્રાણીઓ પોતાનાં બચ્ચાંઓને જીવન ટકાવવા માટે ખોરાક કેમ મેળવવો એ ય જાતે જ શીખવે છે, કંઈ એને માટે બીજા પ્રાણીઓને નોકરીએ રાખીને એમને ‘ડોનેશન’ના નામે લાંચ આપીને પોતાની સંસ્કૃિતને એ લોકો લાંછન નથી લગાડતા. સાચ્ચું ને?
૫. સિંહ પોતાનું અને પોતાના બચ્ચાંનું પેટ ભરવા હરણ કે ઝેબ્રા મારશે પણ કોઈ દી સાંભળ્યું છે કે બે સિંહને એક બીજા સાથે દુશ્મનાવટ થઈ અને એકે બીજાનો વિના કારણ જાન લઈ લીધો? માણસ આવું કામ કરી દે, હો ભાઈ !
૬. પ્રાણી જગતમાં માદા પર પોતાનો અધિકાર જમાવવા બે નર વચ્ચે ખુલ્લે આમ લડાઈ થાય છે, તેની ના નહીં. પણ એક બળદની ગાય પર બીજો બળદ બદનજર નાખે, એને ભગાડીને લઈ જાય કે એના પર બલાત્કાર કરે એવું તો કળિયુગમાં ય નથી બનતું. પણ માનવ જાતને તો આમાંનું કાંઈ પણ કરતા થડકારો ન થાય, ભાઈ.
૭. વાનર જાત કેટલાંક શસ્ત્રો વાપરતાં શીખી છે, જેમ કે પત્થરનો ઉપયોગ લીલાં-સૂકાં ફળો તોડવાં અને ઝાડની ડાળનો ઉપયોગ મધપૂડામાંથી મધ મેળવવા કરે છે. પણ કોઈ દી વાનરે એ સાધનો કોઅલા બેરને વેંચ્યાનું સાંભળ્યું છે, મારા વીરા? માણસ જ એક એવી કજાત છે જે શસ્ત્રો બનાવી પોતાની જ જાતના લોકોને મારે, અને એનાથી ધરાયો ન હોય એમ વધુ શસ્ત્રો બનાવી બીજા દેશોને વેંચે! મોતનો વેપાર કરવાની સૂઝ કેળવવા બદલ ધન્ય છે એને.
૮. દરેક પશુ-પક્ષી પોતાના રહેઠાણ માટે બખોલ બનાવે, માળો બાંધે કે પોતાની સરહદો નક્કી કરીને એનું રક્ષણ કરે. બીજા જીવોને મારીને અને અમુક ચરાણમાંથી ઘાસ ખાઈને પોતાનું તથા પોતાના બચ્ચાંનું ભરણ-પોષણ કરે, પણ એ કુદરતના નિયમોને અનુસરીને એની નક્કી કરેલી મર્યાદામાં રહીને જીવે. ગાયની ગમાણમાં ઘોડા ચડી આવે, ઝપાઝપી થાય અને ગાયો વિસ્થાપિત થાય, નિરાશ્રિત બને એવી કલ્પના આવે છે?
૯. કીડીને કણ અને હાથીને મણ જોઈએ એ ખરું. આમ જુઓ તો માનવેતર હર જીવ સૃષ્ટિ રોજે રોજનો ખોરાક મહેનત કરીને મેળવે છે. તમે કીડીને ક્યારેય કણની બદલે મણ જેટલો ખોરાક એકઠો કરીને સંતાડતી નહીં જુઓ. તેમ હાથી ય મણ જેટલાં ઝાડ-પાનની જગ્યાએ દસ મણ ઝાડ-પાનનો સોથ વાળી, એ જથ્થાને દબાવીને બેસી નહીં જાય તેના પર. આવું તો માણસ જ કરે, ભાઈ.
૧૦. જીવો જીવસ્ય ભોજનમ એ કુદરતના ક્રમ ઉપર સમગ્ર જીવ સૃષ્ટિ ટકી રહી છે. આ શૃંખલામાં માનવ જાત સહુથી ઉપર છે એટલે બીજાં કોઈ પ્રાણીઓનું એ ભક્ષ્ય નથી બનતો. આ સ્થિતિનો લાભ લઈને એ પરસ્પર વૈમનસ્યના વાવેતર કરીને છુટ્ટે હાથે આતંકવાદ વેરે છે. સૌથી વધુ ઝેરી, વિકરાળ કે મહાકાય પ્રાણીઓ, પક્ષીઓ કે જંતુઓ પણ પોતાની કે બીજી જાત ઉપર માણસની જેમ પદ્ધતિસરનું આક્રમણ કરીને જાનહાનિ નથી કરતાં, એ સર્વ વિદિત છે.
૧૧. તમામે તમામ જીવ સૃષ્ટિ જીવન ટકાવવા અને સંવર્ધન કરવા પ્રાકૃતિક સંસાધનોનો પોતાના ખપ પૂરતો – (અહીં ખપ પૂરતો શબ્દ નોંધવા વિનંતી છે) ઉપયોગ કરે છે, જેમાં એક માનવ જાત અપવાદ છે. પ્રાણીની એક પણ જાત એવી નથી જે કુદરતે આપેલ હવા પાણી અને ખોરાકને ચાર હાથે લૂંટે અને બદલામાં કાંઈ ન આપે.
આપણી આસપાસ નજર કરીશું તો ખ્યાલ આવશે કે અન્ય જીવસૃષ્ટિનો એક પણ પ્રકાર એવો નથી કે જે ખોરાક મેળવવા કે ખાધા પછી, મળ-મૂત્રના વિસર્જન પછી કે પોતાની જીવન રીતિના પરિણામ રૂપ ગંદકીના એવા ઢગ સર્જતા હોય જેને કારણે પોતાનું અને બીજા જીવોનું સ્વાસ્થ્ય માત્ર નહીં, પણ સમૂળગું અસ્તિત્વ પણ જોખમાય. પૃથ્વી પરની ગંદકી અને પ્રદૂષણ જોઈને માનવને થોડી બુદ્ધિ અને વાચા આપ્યા બદલ બ્રહ્માને પેટ ભરીને પસ્તાવો થતો હશે.
માનવીની ઉણપો બતાવતા પાસાઓના આટલા ઉદાહરણો આપીને આજે અટકું. બાકીના ૯૯૦ દાખલા વાચકોને અવશ્ય સ્ફુરશે. હવે કયારેય પણ તમારા પરિચિત/અપરિચિત વ્યક્તિ કે સમૂહને સમાજના ધોરણ, કાયદા કે નીતિ નિયમો વિરુદ્ધ વર્તન કરતા જુઓ તો ‘આ તો સાવ જાનવર જેવો છે’ કે ‘આ તો ઢોરથી પણ બદતર છે’ એવા ઉદ્દગાર કાઢતાં વિચાર કરજો. માનવ જાત જેવો અત્યાચારી, દૂરાચારી, અનાચારી, ભ્રષ્ટાચારી અને વ્યભિચારી બીજો કયો પ્રાણી સમૂહ છે એની ભાળ મળે તો બીજાને ય જાણ કરજો. ક્યારેક વિમાસણ થાય કે ઉત્ક્રાંતિની ફલશ્રુતિ સ્વરૂપ માનવ જાત અસ્તિત્વમાં આવી અને તે પછીની સહસ્ત્રાબ્દીઓમાં પહેલેથી ભ્રુણ હત્યા કરતો આવ્યો હશે? પોતાના જ સંતાનો પ્રત્યે ક્રુરતા આચરવી, એનો ઉછેર ભાડૂતી લોકો પાસે કરાવવો, એનું શિક્ષણ નિષ્ઠા-શૂન્ય શિક્ષણ પદ્ધતિને હવાલે કરવું એ જ એની પ્રગતિનો માપદંડ બન્યો? અન્ય દેશો પર આક્રમણ, આતંકવાદનો ફેલાવો અને શસ્ત્રોનો વેપાર એ શું માનવની યુગો જૂની પ્રવૃત્તિ રહી હશે? હવસખોરી શું એની પ્રકૃતિનું અંગ હશે? સંઘરાખોરી, ગંદકી અને પ્રદૂષણ માનવ જાતના આભૂષણ ક્યારથી બન્યાં હશે?
માનવી પોતે ‘સંસ્કૃત’ થયો એમ માનવા લાગ્યો ત્યારથી એની પ્રકૃતિમાં વિકૃતિ આવવા લાગી એમ પૂરવાર થાય છે. મનુષ્ય માત્રએ અગણિત ક્ષેત્રોમાં અદ્દભુત સિદ્ધિઓ મેળવી છે પરંતુ માનવેતર પ્રાણી જગત પાસેથી આપણે ઘણું શીખવાનું છે અને તેના શ્રીગણેશ પ્રાણીઓને આપણાથી ઉપરતી કોટીના ગણીને આપણા દુષ્કૃત્યોને ઢોર સાથે સરખાવવાનું બંધ કરવાથી કરવા રહ્યા. જો પ્રાણીઓને વાચા હોય તો એક ગાય બીજી ગાયના કપાસિયાના તગારા પર તરાપ મારે તો પહેલી ગાય, ‘અરે, સાવ માણસ જેવી ભૂખાળવી કાં થા? જરા ગાયની સંસ્કૃિત સાચવ, નહીં તો ગાયોના ધણમાંથી ગઈ સમજ!’ એવું કહેતી સંભળાય તો નવાઈ નહીં. આવું બને તે પહેલાં જ મનુષ્ય જાતિને શોભે તેવું વર્તન કરતા થઈએ.
e.mail : ten_men@hotmail.com
("અોપિનિયન", 26 માર્ચ 2013)
‘હિંદી યુવાનોમાં હિંદી સંસ્કાર, સ્વદેશ પ્રેમ, અને રાષ્ટૃીય ભાવનાની ઊર્મિઅો જગાડી વ્યાયામ, લેખનકલા, ચિત્રકલા અને વાણી વિકાસ સાધી સમસ્ત હિંદી કોમની સેવા કરવી.’
અાવા ઉદ્દાત ઉદ્દેશ સાથે, 25 નવેમ્બર 1943ના રોજ, પૂર્વ અાફ્રિકાના યુગાન્ડા દેશના પાટનગર કમ્પાલા ખાતે, ‘શ્રી યુવક સંઘ – કમ્પાલા’ની સ્થાપના કરવામાં અાવી. અને તેના દૂરંદેશ અગ્રગામી સ્થાપક હતા તુલસીદાસ રૂગનાથ માણેક. અા ટાંકણે બહાર પડેલી પત્રિકામાં તેના અા અાગેવાન વાંચકને અનુલક્ષી કહે છે : ‘અા પત્રિકા વાંચી, ગડી કરી ખીસામાં કે ફાડી ફેંકી દેશો નહીં. પરંતુ તેનું મનન કરી યુવકના કાર્યમાં યથા-શક્તિ સહકાર અાપશો એવી અાશા.’
અા ઘટનાને અા સાલ 70 વર્ષનું છેટું થયું છે. ત્યારે અા યુવાનનું વય હતું : ફક્ત 21 વર્ષ.
તત્કાલીન યુવક સંઘ માંહેના એક સાથીદાર તેમ જ મંત્રી તરીકે તુલસીદાસભાઈના અનુગામી બનેલા જયંતભાઈ કારિયાની નોંધ અનુસાર, પ્રથમ પહેલા મંત્રીની જવાબદારી સ્વીકાર કરતા, તુલસીદાસ માણેકે કહેલું, ‘ … અા સંસ્થા ઊભી કરવા પાછળ અાપણું ધ્યેય અમુક યુવકોને ભેગા કરી ચર્ચા કે ઠરાવો કરી કાગળિયા અભેરાઈ ઉપર ચડાવવા તે નહીં; પરંતુ સંસ્થાનું મુખ્ય ધ્યેય રચનાત્મક કાર્યક્રમો યોજી હિન્દી યુવાનોમાં હિન્દી સંસ્કારો, સ્વદેશપ્રેમ અને રાષ્ટૃીય ભાવનાની ઊર્મિઅો જગાડી વ્યાયામ, લેખનકળા, ચિત્રકલા અને વાણીવિકાસ સાધવાનો તેમ જ તેમના અભ્યુદય માટે યથા શક્ય પ્રયત્ન કરવાનો છે.’
અા ઉદ્દેશોને લક્ષમાં રાખી, અા યુવાન પોતાની જવાબદારી સમજીને ઉદ્દેશને એક પછી એક પાર પાડવા સંસ્થાના કાર્યમાં તલ્લીન બની ગયા હતા, તેમ જયંત કારિયા લખે છે.
તુલસીદાસભાઈને યુવક સંઘમાં મદનગોપાળ ચત્રથ પ્રમુખ બની સાથ અાપે છે તો, હરિલાલ સામાણી ઉપ પ્રમુખપદે રહ્યા. સહમંત્રી તરીકે નવનીત શાહનો સહકાર હતો અને કોષાધ્યક્ષ તરીકે અમૃતલાલ દેવચંદનો સાથ હતો. વળી, સમિતિ પર ડાહ્યાભાઈ અા. પટેલ, સૂર્યકાન્ત સી. દેસાઈ, અંબાલાલ ભાવસર તથા મનસુખ ત્રિવેદી સભ્યો તરીકે હતા. મૂળ કાર્યવાહક સમિતિ ઉપરાંત, વ્યાયામ-શાળા સમિતિ ને ઉત્સવ સમિતિ પણ સક્રિય બનેલી.
‘અ ગિફટેડ યન્ગ મૅન – માય બ્રધર તુલસીદાસ’ નામની પ્રભુદાસભાઈ માણેકની નોંધ અનુસાર, 1938ના અરસામાં, તુલસીદાસભાઈ હિંદથી ભણી ગણી યુગાન્ડા પરત થાય છે. વધુ અભ્યાસ સારુ કમ્પાલાની માધ્યમિક શાળામાં દાખલ થાય છે. ત્યાં એમના કેટલાક સાથીસહોદરો – વનુભાઈ વી. રાડિયા, અમૃતલાલ જી. મહેતા (જે પાછળથી કમ્પાલાના નગરપતિ બનેલા), અમૃતલાલ રણછોડ સેજપાળ, પુરુષોત્તમ નાથાલાલ મોરઝરિયા, હરિદાસ કાનજી મેઘજી રાડિયા, વલ્લભદાસ દેવીદાસ અાશર, જનાર્દન એસ. પટેલ, સૂર્યકાન્ત જશભાઈ પટેલ અને ઇન્દુભાઈ જોશી સાથે મળીને એમણે ‘કિશોર મંડળ’ની પહેલવહેલી રચના કરેલી. યુગાન્ડાની ધારાસભામાં પાછળથી સભાસદ બનેલા એમ. એમ. પટેલ અા જૂથના અધ્યક્ષપદે હતા.
‘કિશોર મંડળ’ હેઠળ એ સૌએ સાહિત્યિક પ્રવૃત્તિ ચલાવેલી. તેમાં “કિરણ” નામે હસ્તલિખિત ત્રૈમાસિકનો ય સમાવેશ અગત્યનો હતો. અા સામયિકને સફળતા મળતાં, તેને મુદ્રિત કરવાનું નક્કી થયેલું. કેટલાક સાથીમિત્રો ભણતર પૂરું થતાં નિશાળ છોડીને ગયા તેથી અા મુદ્રિત પત્રિકાની યોજનાને પડતી મૂકવી પડેલી. પરિણામે, ‘કિશોર મંડળ’ને વીંટી લેવું પડેલું.
સ્થાનિક બેન્કમાં નોકરીએ લાગ્યા કેડે, કમ્પાલા લોહાણા સમાજના પુસ્તકાલયની પ્રવૃત્તિમાં તુલસીદાસભાઈ પ્રવૃત્ત બની રહ્યા. દરમિયાન, 1942ના અરસામાં નવનીતભાઈ શાંતિલાલ શાહ હિંદથી યુગાન્ડા અાવી વસ્યા. બંને વચ્ચે મૈત્રી કેળવાઈ. નવનીતભાઈ વ્યાયામ તેમ જ સાંસ્કૃિતક પ્રવૃત્તિમાં પાવરધા હતા. બંને વચ્ચે લંબાણથી ચર્ચાવિચારણા થતી રહી, અને અા બન્ને નરબંકા યુવકોએ ‘યુવક સંઘ’ની રચના કરવાનો નિર્ણય કર્યો. તુલસીદાસભાઈને માથે સંસ્થાના મંત્રીપદની જવાબદારી અાવી રહી અને એમણે મનસા, વાચા, કર્મણા તેને સુપેરે નિભાવી જાણી.
અહીં પણ સાહિત્યિક પ્રવૃત્તિઅોને પ્રધાન સ્થાન મળવા લાગ્યું. ફરી એક વાર હસ્તલિખિત ત્રૈમાસિક કાઢવાનો મનસૂબો રાખ્યો. નામ રખાયું : “હાકલ”. કવિ ડાહ્યાભાઈ પટેલ, ઉમાકાન્ત ટી. પટેલ, અંબાલાલ વી. ભાવસાર અને બીજા તેમાં તુલસીદાસ માણેક જોડાજોડ અગ્રેસર રહ્યા. તુલસીદાસભાઈને સુશોભનકળા હસ્તગત હતી, પરંતુ સામિયકને રૂપકડું બનાવવાની જવાબદારીઅો પોપટલાલ વાલજી ગજ્જર, અરવિંદ દામોદર અોઝા તથા પ્રભુદાસ માણેકને ફાળે હતી.
એક તરફ તુલસીદાસભાઈના વડપણ હેઠળ સાહિત્યિક પ્રવૃત્તિઅો ધમધમતી થઈ, તો બીજી પાસ, નવનીતભાઈ શાહની અાગેવાની હેઠળ અખાડા – વ્યાયામ – પ્રવૃત્તિએ જોર પકડ્યું. એન્ટેબી રોડ પર અાવેલા સનાતન મંદિરના પ્રાંગણમાં એ ફૂલી ફાલતી રહી. તો ત્રીજી તરફ, સાંસ્કૃિતક પ્રવૃત્તિઅો મજબૂત બનવા લાગી. તેમાં ચર્ચાસભા, સંગીત અને નાટકને કેન્દ્રગામી સ્થાન મળવા લાગ્યું. જયંતભાઈ કારિયા, મનસુખભાઈ ત્રિવેદી તેમ જ કેટલેક અંશે અમૃત ગજ્જર તેમ જ જયન્ત ભાવસાર તેમાં પૂરેવચ્ચ રહ્યા.
અા લવરમૂછિયાને કુટુંબીઅોમાં અને મિત્રવર્તુળમાં, સૌ કોઈ બચુભાઈના હૂલામણા નામે જાણે. અાશરે 16 માઈલના અંતરે, કમ્પાલા પાસેના એક નાના ગામડે – મુકોનોમાં – તુલસીદાસભાઈનો જન્મ 22 અૉગસ્ટ 1922ના રોજ થયો હતો. એમના માતા દિવાળીબહેન અને પિતા રૂગનાથ જેરાજ માણેક. ગુજરાતના હાલ જામનગર જિલ્લામાં અાવ્યા જામજોધપુરના એ મૂળ વતની. અા દંપતીનું એ સૌથી વડેરું સંતાન. એમના ઉપરાંત દંપતીને પ્રભુદાસભાઈ (બાબુભાઈ), શાન્તાબહેન, પ્રાણલાલભાઈ (છોટુભાઈ), શારદાબહેન, રમેશભાઈ, દિનેશભાઈ તથા ઇન્દુબહેન નામે સંતાનો હતાં. … ખેર !
પ્રભુદાસ માણેકના જણાવ્યા અનુસાર, ગણતરીના ગાળામાં ‘યુવક સંઘ’ યુગાન્ડાની અને તેમાં ય ખાસ કરીને કમ્પાલાની એક ગૌરવવંતી અગ્રગણ્ય સંસ્થા બની ગઈ. પુસ્તકાલય સહિતની અા તમામ સાંસ્કૃિતક પ્રવૃત્તિઅોને સારુ એક કાયમી મથક હોય, તેમ તુલસીદાસભાઈને સબળ અોરતા. અને તેને ચરિતાર્થ કરવાને સારુ એમને ન જોયા દિવસ, ન જ જોઈ રાત. સંસ્થાના કલ્યાણ સારુ એમણે લાંબા કલાકો અાપવાના રાખ્યા. … અને તેને કારણે શરીર પર તેના શેરડા દેખાવા લાગ્યા. હવે શરીર ઝાઝું ખમી શકે તેમ હતું નહીં અને સારવાર અર્થે એમને હિંદુસ્તાન મોકલવાનું પરિવારે નક્કી કર્યું. પરિણામે, એમણે પોતાની જવાબદારીઅોનો હવાલો જયંતભાઈ કારિયાને સુપ્રત કર્યો.
પિતા, રૂગનાથભાઈ માણેકે, અભૂતપૂર્વ કહી શકાય તેમ, જ્યેષ્ઠ પુત્રની માંદગી તેમ જ તે પછીની પીડાકારી પરિસ્થિતિ અંગે વિગતે બ્યાન કર્યું છે. રૂગનાથભાઈએ તુલસીદાસભાઈની બાળ વયે થયેલા ન્યૂમોનિયા(કફજ્વર)ના દરદની વિષદ વિગતો ય અાપી છે. પિતા લખે છે : ‘બાલ્યાવસ્થામાં, પોણા બે વર્ષની ઉંમરમાં, નિમોનિયાની બીમારીમાં પટકાઈ પડેલ ત્યારે કુદરતે યારી અાપી તેની જીવનયાત્રા લંબાવી માતાપિતાની મીઠી છાયા તળે લાડકોડમાં ઉછરેલ તુલસીદાસે બાલપણમાં પાંચ વરસ પસાર કરી શિક્ષણ લેવાની શરૂઅાત કરી.’ રૂગનાથભાઈનો ગુજરાતી ભાષા પરનો કાબૂ પોરસાવે છે. અા સમગ્ર લખાણ અંગત, પારિવારિક હોવા છતાં તર્કની એરણે પાર પડે તેવું છે. એમણે સતત સમથળ રહેવાનું ઉચિત માન્યું હોય, તેવી છાપ અા લખાણમાં સતત ઝવતી જોવા સાંપડે છે.
1928ની શરૂઅાતમાં, કમ્પાલા ઇન્ડિયન એસોસિયેશનના અાશરા હેઠળ ચાલતી ‘ઇન્ડિયન પબ્લિક સ્કૂલ’માં કિશોર તુલસીદાસને દાખલ કરવામાં અાવેલા. બરાબર કાળજીપૂર્વક અભ્યાસ કરી લીધા બાદ, 1930માં નાઇરોબીમાં સ્થપાયેલા ‘શ્રદ્ધાનંદ બ્રહ્મચર્ય અાશ્રમ’માં નજીવો સમય પસાર કરી, ગુજરાતના ભાવનગર પાસે અાવેલા સોનગઢના અાર્ય ગુરુકૂળમાં એમણે અભ્યાસ અાદર્યો. થોડો વખત જામજોધપુરમાં ય શિક્ષણ લીધું અને 1938 વેળા એ કમ્પાલા પાછા ફરેલા.
અાપણે અાગળ જોયું તેમ, જયંતભાઈ કારિયાને હવાલો સુપ્રત કરીને તુલસીદાસ માણેકને, સન 1945ના અરસામાં, સારવાર સારુ મોકલવાનું નક્કી થયું, ત્યારે ‘યુવક સંઘ’ હેઠળ, કમ્પાલા ખાતે, એક જાહેર દબદબાભર્યો વિદાય સમારોહ યોજવામાં અાવેલો. વેપારવણજના અાગેવાનો, સામાજિક, ધાર્મિક સંસ્થાઅોના અગ્રેસરો, સુધરાઈ સભ્યો, સરકારી અાગેવાનો સહિતના તે મેળાવડામાં વક્તાઅોએ ઉમળકાભેર તુલસીદાસભાઈના કર્તૃત્વને બીરદાવી જાણેલી. એમની અદ્વિતીય સેવાની નોંધ લઈને એક માનપત્ર પણ એનાયત કરવામાં અાવ્યું હતું. અાવડી નાની વયે અાવું માનપત્ર મેળવનાર એ પહેલવહેલા જ યુવાન હતા, તેમ જાણકારોનું કહેવું છે.
ભાવિની ગર્તામાં શું પડ્યું છે તે ક્યાં કોઈને ખબર હતી ? … પોતાની માંદગીની સારવાર સારુ તુલસીદાસભાઈને મુંબઈ – પૂણેની દક્ષિણે અાવેલા મિરજ ખાતે સારવાર સારુ લઈ જવાનું ગોઠવાયું. અને પછી બાપીકા વતન જામજોધપુર, જ્યાં, એમણે 27 જાન્યુઅારી 1947ના રોજ દેહ છોડ્યો. ત્યારે એમનું વય માત્ર 24 વર્ષનું જ હતું.
તુલસીદાસભાઈના અકાળે નિધનને લીધે, કમ્પાલાના જાહેરજીવનમાં અને ખાસ કરીને ‘યુવક સંઘ’માં જાણે કે સોપો પડી ગયો. યુગાન્ડાના લોહાણા મહાજને તેમ જ યુવક સંઘે તાત્કાલીક શોકસભાઅો યોજી અા દિવંગત યુવા અાગેવાનને શ્રદ્ધાંજલિ અર્પી. એમની સ્મૃિતમાં સંઘે થોડા દિવસ પોતાની સઘળી પ્રવૃત્તિઅો સ્થગિત કરીને ય નિવાપાંજલિ અાપી. યુવક સંઘનું જ્યારે ઉચિત ભવન બાંધવામાં અાવે તે વેળા તેના સભાખંડને ‘તુલસીદાસ માણેક સ્મૃિત ખંડ’ નામ અાપવાનો પણ જાહેરમાં ઠરાવ કરવામાં અાવેલો. જો કે, વિપરિત પરિસ્થિતિઅોને કારણે અા યોજના અમલી બની શકી નહોતી.
પોતાની અથાગ સેવાઅોને કારણે, સમાજમાં અને સરકારમાં જે માનમરતબો મેળવાયો હતો, તેને કારણે અૉલ્ડ કમ્પાલાના એક જાહેર રસ્તા પરે સંઘ સારુ ઉચિત મકાન બંધાવી શકાય તેને સારુ જમીનનો એક ટૂકડો સરકાર પાસેથી મેળવવાને તુલસીદાસ માણેક સફળ રહ્યા હતા. ત્યાં એક વિશાળ સભાગૃહ બંધાવવાના એમને અોરતા હતા.
વારુ, … જાહેર અાગેવાનો, સરકારી અધિકારીઅો અને પોતાના નજીકના અનેક સાથીસહોદરોએ દવંગત તુલસીદાસભાઈને દિલ ભરીને અંજલિઅો અાપેલી. તેમાં જયંતભાઈ કારિયા, કવિ ડાહ્યાભાઈ અા. પટેલ, ઘનશ્યામભાઈ અાર. પટેલનો સમાવેશ હતો. એ દરેકે અા ખોટને જીરવવી અઘરી બનવાની છે, તેમ કહ્યું હતું.
પોતાના દિલોજાન મિત્ર તુલસીદાસને સ્મરણાંજલિ અાપતું એક સૉનેટ કાવ્ય, શિખરિણી છંદમાં, કવિ ડાહ્યાભાઈ પટેલે લખેલું. તે પ્રસ્તુત છે :
અમારા મિત્રોના ઉપવન મહીં સૌરભ ભર્યું,
હતું તું તો પ્યારું રસભર મૃદુ પુષ્પ હસતું;
અમોને પ્રેરતું રજનીદિન કર્તવ્ય કરવા,
સુકાતી ઊર્મિને સિંચન કરતું પ્રેમ ઝરણું.
સખા ! શક્તિથી તું સભર વળી શી બુદ્ધિધીમતા,
હતી તારી પાસે જીવન પથ સાચો સૂચવવા;
કરી સેવા તેં તો તન મન અને સ્નેહધનથી
અહા યોગીઅોને પણ અગમ, નિસ્વાર્થ હૃદયે.
અરેરે શેં પ્યાસ ! પ્રણયભર મૈત્રિ સકલ અા,
અમારાં હૈયાંની વિસરી દૂર ચાલ્યો, ક્રૂર બની.
વહી ચાલ્યો કિન્તુ દરદ દિલમાં હા વિરહનું
અને મીઠ્ઠી મોંઘી સ્મરણ સુરભિ તું દઈ ગયો.
ભલે પ્યારા ચાલ્યો જગત કદિકેય છો વિસરતું
અમારાં હૈયાંમાં પણ અમર થૈ તું રમી રહ્યો.
("અોપિનિયન", 26 માર્ચ 2013)