Opinion Magazine
Number of visits: 9446654
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દીનદયાલ બનામ સાવરકર કઈ દિશામાં સંઘ પરિવાર?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 July 2023

ગોળવલકર ગુરુજીના પુસ્તક ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ અને દીનદયાલ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવવાદ’ને સાથે અને સામસામે મૂકીને કોઈ તપાસે ત્યારે આ પક્ષે કાપેલું અને નહીં કાપેલું અંતર આપમેળે સમજાઈ રહેશે

પ્રકાશ ન. શાહ

નવા સંસદભવન અને સાવરકર જયંતીના જોગાનુજોગને પડછે આ દિવસોમાં, જુલાઈ 2023માં, એમ જ થઈ આવેલું સ્મરણ બરાબર સુડતાલીસ વરસ પરનું છે : અમે સૌ વડોદરા જેલમાં મિસાબન્દી હતા, સંસ્થા કાઁગ્રેસ, જનસંઘ, સમાજવાદી પક્ષ અને મારા જેવા જેપી સૈનિકો. ઉપરાંત, આર.એસ.એસ. અને જમાતે ઈસ્લામી જેવી પ્રતિબંધિત સંસ્થાઓના મિત્રો પણ ખરા. જયપ્રકાશજીના આંદોલન સાથે સત્તાપક્ષ સામે એક નવા, કંઈક સહિયારા કથાનક(નેરેટિવ)ની શક્યતાએ ભરેલું કટોકટીકાળના કારાવાસનું એ મળતાં મળેલું સહજીવન હતું.

એ મહિનાઓમાં અમે પરસ્પર વિચારવિમર્શના અવસરો શોધતા અને ઠમઠોરતા. જુલાઈ 1976માં એવું કયું નિમિત્ત મળી આવે? મને સૂઝેલું નિમિત્ત બારમી જુલાઈનું હતું. 1948ના ફેબ્રુઆરીની ચોથી તારીખે સરદાર પટેલ હસ્તકના ગૃહ મંત્રાલયે ‘દ્વેષ અને ધિક્કાર તેમ જ હિંસાનાં પરિબળોનાં નિર્મૂલન વાસ્તે’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રતિબંધિત સંસ્થા જાહેર કરી હતી, અને આશરે અઢાર મહિનાના અંતરાલ પછી 1949ની બારમી જુલાઈએ (અગિયારમી જુલાઈની મધરાતે) પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

મારી દૃષ્ટિએ સૂચિત વિમર્શનો મુખ્ય મુદ્દો, જેની ફરતે ઊહ ને અપોહ શક્ય બને, એ હતો કે 1948-49માં પ્રતિબંધ વખતે તમે (સંઘ) લગભગ એકલા પડી ગયેલા જેવા હતા, જ્યારે 75-76માં તમે એકલા નથી. આ કેવી રીતે બન્યું, એ તપાસવું રહે છે.

પ્રથમ પ્રતિબંધ પછી સંઘ વર્તુળોમાં શરૂ થયેલી ચર્ચા, એમનાં પ્રારંભિક પચીસ વરસથી વિપરીત રાજકીય પ્રવેશબારી માટેની હતી. સંગઠનબદ્ધ, શિસ્તબદ્ધ, ચોક્કસ અર્થમાં ‘બંધ’ જેવી દુનિયા અને સ્વરાજના ખુલ્લા વિશ્વ વચ્ચે જીવંત આપલે સારુ નિયંત્રિત ડોકાબારીની નહીં પણ વિધિવત્ ખુલ્લાં દ્વારની જરૂર હતી.

બીજે છેડેથી, છેક જ એવું નહીં તો પણ ઠીક ઠીક એકલાપણું અનુભવતી તે વખતની એક નોંધપાત્ર રાજકીય હસ્તી હતી – શ્યામા પ્રસાદ મુખર્જી. હિંદુ મહાસભાના નેતા. ભારતનું પ્રથમ પ્રધાનમંડળ નકરું કાઁગ્રેસબદ્ધ ન હોય એવી ગાંધીસલાહ પ્રમાણે નેહરુપટેલે જે રચ્યું એમાં મુખર્જી અને આંબેડકર આદિનો પણ સમાવેશ થયો હતો. પાછળથી પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશમાંથી હિંદુ લઘુમતીની હિજરત દમનરાજને કારણે ચાલુ રહી ત્યારે મુખર્જીએ પ્રધાનમંડળ છોડ્યું, પણ એ હિંદુ મહાસભામાં પુન: સક્રિય થવા રાજી નહોતા; કેમ કે સ્વતંત્ર ભારતમાં કોઈ પક્ષ કોઈ એક જ ધર્મકોમ સારુ ખુલ્લો હોય એ એમને સ્વીકાર્ય નહોતું.

શ્યામાપ્રસાદ મુર્ખરજી

મને યાદ છે, મુખર્જીનું નિધન થયું ત્યારે મોહનલાલ મહેતા – ‘સોપાને’ એમને અંજલિ આપતાં લખ્યું હતું કે રાષ્ટ્રવાદીઓ વચ્ચે કોમવાદી જણાતા મુખર્જી કોમવાદીઓ વચ્ચે રાષ્ટ્રવાદી વરતાતા. આ સંભારું છું ત્યારે જરી ફંટાઈને મને બંગાળી ભદ્રલોકની તાસીર ઉકેલવાનું મન થઈ આવે છે. 1905નો બંગભંગ સામેનો બંગાળના જનસાધારણનો ઉદ્વેક મુલ્કમશહૂર છે. આ જ ભદ્ર નેતૃત્વની પરંપરામાં શ્યામા પ્રસાદ 1941માં ફઝલૂલ હકના નેતૃત્વ હેઠળની મિશ્ર સરકારમાં જોડાયા હતા. હકે 1940માં મુસ્લિમ લીગના લાહોર અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ પાઈલટ કર્યો’તો એનો એમને ખટકો નહોતો. ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થયા પછી પણ એ એમાં ચાલુ રહ્યા હતા. મોડેથી અલબત્ત એમણે છોડવાપણું જોયું હતું, પણ તે પૂર્વે એક તબક્કે અંગ્રેજ સરકાર જ્યારે યુદ્ધયત્નમાં હોય ત્યારે આંદોલનથી એને નડતર ઊભું કરનારાઓ સાથે એણે કેવી રીતે કામ લેવું જોઈએ એવી લેખી સલાહ પણ આપી ચૂક્યા હતા.

જ્યારે ભાગલાની વાત આવી ત્યારે મુખર્જીએ લોર્ડ માઉન્ટબેટનને લખ્યું હતું કે ભારતના ભાગલા પડે કે ન પડે, બંગાળના પડે તે જરૂરી છે, જેથી અમે (બંગાળી હિંદુઓ) મુસ્લિમ બહુમતીના ત્રાસથી છૂટીએ.

ગમે તેમ પણ, હવે મુખર્જી છડા હતા અને સંઘની પ્રવેશશોધ પાકી ગઈ હતી. એટલે એ નેતા અને એમને સંઘની કાર્યકર ભેટ, આમ ભારતીય જનસંઘ, શ્યામા પ્રસાદ મુખર્જી, બલરાજ મધોક ને દીનદયાલ ઉપાધ્યાય એમ ત્રણ સ્થાપક સભ્યો સાથે ચિત્રમાં આવ્યો. સિદ્ધાંત-માવજત અને તડજોડની રાજનીતિ કરતે કરતે એ જેપી જનઆંદોલનમાં જોડાઈ નવી સ્વીકૃતિ પામ્યો. જુલાઈ 1949 અને જુલાઈ 1976 વચ્ચે આ ગુણાત્મક પરિવર્તન હતું.

મને યાદ છે, નવી દિલ્હીના આંબેડકર સ્ટેડિયમમાં માર્ચ 1975માં જનસંઘના અધિવેશનને જયપ્રકાશ નારાયણે એમની વ્યાપક ભૂમિકાએથી સંબોધ્યા પછી આભારવચનો ઉચ્ચારતાં અટલબિહારી વાજપેયીએ કહ્યું હતું કે હમારા ચરિત્ર બદલ રહા હૈ. મધ્યમવર્ગી કાર્યકરો જનઆંદોલન જોડે જોડાય છે ત્યારે એમની માનસિકતા અને સમજમાં ચોક્કસ પરિવર્તન આવે છે, એ મતલબની વાજપેયીની થીસિસ હતી.

આ સુવાણમાં આગલા દસકામાં જે થોડા મહિના બિનકાઁગ્રેસ સરકારોમાં હિસ્સેદારીના રહ્યા એનો સહેજસાજ હિસ્સો હશે. પણ સવિશેષ હિસ્સો તો 1965માં જનસંઘના વિજયવાડા અધિવેશને જેના પર મહોર મારી તે ‘એકાત્મ માનવવાદ’ના દીનદયાલ ઉપાધ્યાયના પ્રબંધનો હતો. જનસંઘ જ્યારે જનતા અવતાર છોડી 1980માં ભા.જ.પ. બન્યો ત્યારે પણ એણે પક્ષના બંધારણની ત્રીજી કલમમાં પક્ષના પાયાના વૈચારિક અભિગમ તરીકે એકાત્મ માનવવાદનો વિધિવત્ સ્વીકાર કરેલો છે. અહીં આ વિચારની સમજૂતમાં નહીં જતાં એટલું જ કહીશું કે સંઘ પરંપરાના જડબેસલાક રાષ્ટ્ર કૈવલ્યવાદમાં નહીં ગંઠાતી એવી એક વ્યાપક ભૂમિકા હતી. ગોળવલકરના પુસ્તક ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ અને દીનદયાલના ‘એકાત્મ માનવવાદ’ને સાથે અને સામસામે મૂકીને કોઈ તપાસે ત્યારે આ પક્ષે કાપેલું જણાતું કે કાપવું રહી ગયેલું અંતર સમજાશે.

ગમે તેમ પણ, 2016માં દીનદયાલ શતાબ્દીનો તાકડો સાધી ઘટતા અવાજો કર્યા બાદ જે રીતે સાવરકરને આગળ કરાતા જણાય છે એ સંઘ શતાબ્દીનાં ઉંબર વરસોમાં 1925ના મુંજે-હેડગેવાર-બાબારાવ દિવસોમાં પાછા જવાનાં ચિહ્નો તો નથી ને.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 05 જુલાઈ 2023

Loading

6 July 2023 Vipool Kalyani
← મહારાષ્ટૃમાં બી.જે.પી.ને ક્યારે ય બહુમતી મળી નથી
Uniformity or Gender Justice: Where is the Draft of UCC? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved