Opinion Magazine
Number of visits: 9522915
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

असत्यम् एव जयते: સત્ય જ જીતે છે એવા ભ્રમમાં રહેવું નહીં

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|15 November 2025

હેમન્તકુમાર શાહ

જગતમાં અસત્ય જ જીતતું આવ્યું છે. બહુ બધી ખાનાખરાબી થાય, પછી જ સત્ય જીતે છે. એને જીત પણ ન કહેવાય. ભયાનક નરસંહાર અને દુર્દશા થયા પછી સત્ય જીતે તો એવા સત્યને શું ધોઈ પીવાનું?

સામાજિક સંબંધો, અર્થતંત્ર, ધર્મ અને રાજકારણ બધે એમ જ બને છે એમ રામાયણ અને  મહાભારતના ઇતિહાસથી માંડીને વર્તમાન સુધીનો ઇતિહાસ એની સાબિતી આપે છે. જરા જુઓ સત્યની જીત ક્યારે થઈ અથવા થઈ જ નહીં :

(૧) ચીન અને રશિયામાં કરોડો લોકો રાજકીય ગુલામીની સ્થિતિમાં જીવે છે. ત્યાં તાનાશાહી વર્ષો સુધી ચાલી ને હજુ ચાલુ છે. વિરોધીઓને જેલમાં નાખવામાં આવે છે અથવા મારી નાખવામાં આવે છે.

(૨) મુસ્લિમ બહુમતી ધરાવતા ૩૩ દેશોમાં ઇસ્લામને નામે ગુલામી નથી તો બીજું શું છે? અફઘાનિસ્તાન એનું સૌથી નોંધપાત્ર ઉદાહરણ.

(૩) હિટલરે આત્મહત્યા કરી. ક્યારે? લાખો લોકોની હત્યા થઈ ગઈ અને કરોડો બીજા વિશ્વ યુદ્ધમાં મરી ગયા પછી અને અનેક દેશો ખેદાનમેદાન થઈ ગયા પછી. 

(૪) જે હિટલર માટે સાચું છે તે જોસેફ સ્ટાલિન, ઈદી અમીન, ચિલીના જનરલ પિનોશેટ, કમ્બોડિયાના ખ્મેર રૂજ અને તેમના જેવા બીજા અનેકોના શાસન માટે સાચું જ છે. 

(૫) રામને સીતા પાછી મળી અને પાંડવો જીત્યા તે પણ હજારો લોકોની બે મહાયુદ્ધોમાં કતલ થયા પછી જ. 

(૬) લોકશાહી દેશોમાં સદંતર જૂઠને આધારે તાનાશાહી ચાલે છે તેનાં બે ઉદાહરણો અત્યારે મોજૂદ છે: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી. અસત્યને આધારે તો તેઓ ચૂંટણીઓ જીતે છે. અમેરિકા અને ભારત બંનેમાં લોકશાહીનું ધનોતપનોત નથી નીકળી ગયું? 

‘સત્યમેવ જયતે’ એ તદ્દન વાહિયાત, અવાસ્તવિક અને ભ્રામક સૂત્ર છે. એ illusion, delusion અને hallucination એટલે કે ભ્રમ, સંભ્રમ અને વિભ્રમ છે. સાપ હોય અને દોરડું દેખાય એમ નહીં પણ, સાપ જ ન હોય, કશું હોય જ નહીં છતાં ય દોરડું દેખાય એવું હોય છે એ. આ સૂત્રનાં મંજીરાં વગાડવાં નહીં. “દિલ કો બહલાને કો ગાલિબ યહ ખયાલ અચ્છા હૈ.” જે જીતે છે એ સત્ય બની જાય છે એ બરાબર યાદ રાખો. 

તો કરવાનું શું? સત્ય માટે ખાઈખપૂચીને મંડી પડતા હોઈએ તે ચાલુ રાખવાનું. એમ કરતાં જે સહન કરવાનું એ સહન કરવાની તૈયારી રાખવાની. જેઓ સત્યના ભ્રમ સાથેના, સત્યની શોધ વિનાના comfort zoneમાં જીવવા માગે છે, ખરું સત્ય એમને માટે છે જ નહીં. એ તો અસત્યમાં પણ માંહી પડ્યા પડ્યા મહાસુખ માણે છે. એમને તો એની જ ખબર હોતી નથી કે સત્ય શું છે, તેઓ એ જાણવાનો પરિશ્રમ પણ કરતા નથી અથવા તો જે તેમને કહેવામાં આવે છે તે જ સત્ય છે એમ તેઓ માની લે છે. “ભલું થયું ભાંગી જંજાળ” એ એમનો જીવનમંત્ર હોય છે. 

સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈમાં કહીએ કે असतो मा सद्गमय – અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. પણ આમાં પ્રભુ કોઈ દહાડો કામમાં લગતો જ નથી. કોઈ લઈ નહીં જાય સત્ય તરફ, આપણે જાતે જવું પડે, ઇચ્છા હોય તો. બાકી અસત્યને સત્ય માનીને જીવ્યા કરવું. 

તા.૧૪-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

15 November 2025 Vipool Kalyani
← બે શાશ્વત કોયડા
તુમ જો હુએ મેરે હમસફર, રસ્તે બદલ ગયે →

Search by

Opinion

  • યુદ્ધ રોકવા સેક્સની હડતાળ!
  • સમાધાનોમાં સુખનું સરનામું છે
  • તુમ જો હુએ મેરે હમસફર, રસ્તે બદલ ગયે
  • આર્ષદૃષ્ટા નેહરુનું ઇતિહાસદર્શન
  • અફઘાન સ્ત્રીઓના અંધકારમય-અનિશ્ચિત ભવિષ્યની પાછળ શું હશે?  

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved