Opinion Magazine
Number of visits: 9556309
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વંદે માતરમ્’નું વરવું રાજકારણઃ કોમી ધ્રુવીકરણનું અનર્થકારણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 December 2025

બહસ –

નિર્ણય જવાહરલાલનો એકતરફી નહોતો

રાષ્ટ્રીય ગાન તરીકે ‘વંદે માતરમ્‘નો મહિમા ઇતિહાસદર્જ હતો, છે અને રહેશે. એમાં પાછળથી થયેલા ઉમેરાને ધોરણે નહીં વિચારતાં એના મૂળ સ્વરૂપને વળગી રહેવું તે ઇષ્ટ લેખાશે.

પ્રકાશ ન. શાહ

રાષ્ટ્રગીત જનગણમનની સમકક્ષ મહત્ત્વ ધરાવતું રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ આઝાદીની લડતની તવારીખમાં એક પ્રેરણાસ્રોત તરીકે હંમેશ મહિમામંડિત રહ્યું છે. એની સાર્ધ શતાબ્દી જેમ દેશમાં ઠામોઠામ મનાવાય તેમ સંસદમાં પણ એના પડછંદા પડે, તે કોને ન ગમે. 

મુશ્કેલી જો કે એ છે કે વર્તમાન સત્તાપક્ષની ‘વંદે માતરમ્’ પરત્વેની ભાવોર્મિ છેક જ સરળ, સહજ ને સ્વચ્છ નથી. કશોક રાજકીય એજન્ડા, કંઈક ભળતીસળતી સમજનો અને ધ્રુવીકરણનો એને વણછો લાગેલો છે. 

લોકસભામાં વડા પ્રધાને તો રાજ્યસભામાં ગૃહ પ્રધાને ચર્ચાનો ઉધાડમોરચો સંભાળી બેટિંગ તો બરોબરની કીધી, પણ એમની માંડણીએ એક તબક્કે લગભગ અધવચ જે મરોડ આપ્યો એમાં સાર્ધ શતાબ્દીના ગૌરવ કરતાં વધુ તો પક્ષીય રાજકારણ સોડાતું હતું. 

જેમના નેતૃત્વમાં કાઁગ્રેસે ‘વંદે માતરમ્’ના પહેલા બે અંતરા જાહેર જીવનમાં રાષ્ટ્રીય ગાનના દબદબા ને દરજ્જાભેર ખપમાં લેવાનો નિર્ણય લીધો એ અલબત્ત પક્ષપ્રમુખ જવાહરલાલ હતા, અને કેમ કે એ જવાહરલાલ હતા, સંઘ પરિવારને નિશાન સારુ સદૈવ સુલભ ખલનાયક એમનાં સિવાય બીજું કોઈ હોય પણ ક્યાંથી. બંને ગૃહોમાં ચાલેલી ચર્ચામાંથી જે વિગતો ઊપસી આવી તે ક્રમબદ્ધ બિલકુલ પગથિયે પગથિયે દર્જ કરી સમજમાં કંડારવા જોગ છે. 

પહેલું તો એ કે આ નિર્ણય જવાહરલાલનો એકતરફી નહોતો. એમના પછી જે કાઁગ્રેસપ્રમુખ થવાના હતા તે સુભાષબાબુના સૂચનથી જવાહરલાલે રવીન્દ્રનાથ સાથે પરામર્શપૂર્વ મૌલાના આઝાદ અને આચાર્ય નરેન્દ્રદેવ સહિતના સમિતિ સભ્યો વગેરે જોડે મળીને કરેલો એ નિર્ણય હતો કે પહેલા બે અંતરા ખપમાં લેવાશે. બંધારણ સભામાં એ જ ધોરણે નિર્ણય લેવાયો. ભા.જ.પ.ના પૂર્વ અવતાર જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જી સહિતના નેહરુ પ્રધાનમંડળની એના પર મહોર વાગી હતી.

જે અંતરા પડતા મુકાયા, વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની ચિત્રાત્મક ભાષા પ્રમાણે ‘વંદેમાતરમ્‌’નું જે વિભાજન થયું એણે ભારતના ભાગલાનો પથ પ્રશસ્ત કર્યો, કેમ કે એમાં મુસ્લિમ તુષ્ટીકરણ રહેલું હતું. ઉલટ પક્ષે, સિલસિલાબંધ તવારીખ શું કહે છે? જે રચનાવર્ષ, 1875ને ધોરણે આજે સાર્ધ શતાબ્દી મનાવાય છે ત્યારે બંકિમચંદ્રે કરેલી રચના માત્ર પહેલા બે અને પહેલા બે જ અંતરાની હતી. જેને પૂર્ણ ‘વંદે માતરમ્’ કહેવામાં આવે છે તે બાકીના નવા અંતરા સહિતની રચના એ મૂળમાં ઉમેરા સાથે બંકિમબાબુની ‘આનંદમઠ’ નવલકથામાં મોડેથી પ્રગટ થઈ છે. 

‘આનંદમઠ’ નવલકથાની વિવેચના કે વિવરણમાં લાંબે નહીં જતાં એટલું જ કહેવું બસ થશે કે એમાંની સામગ્રી અને નવલકથામાં ‘વંદે માતરમ્’નું સ્થાન સામાન્યપણે જેને હિંદુ-મુસ્લિમ તનાવ ને અથડામણ કહીએ તે રીતનું છે. બંગભંગ વખતે ‘વંદે માતરમ્’ ઊંચકાયું એ સાચું છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે એ જેમ આઝાદીનો નારો હશે તેમ ‘વંદે માતરમ્’ અને ‘અલ્લાહોઅકબર’ હિંદુ-મુસ્લિમ રમખાણોમાં સામસામેના નારા તરીકે વપરાવા લાગ્યા હતા. જે અનુશીલન સમિતિનું નામ બંગાળની ક્રાન્તિકારી ચળવળમાં આદરથી લેવાય છે. એમાં આ હિંદુ પ્રતિજ્ઞાવશ મુસ્લિમોને પ્રવેશ નહોતો તે પણ ગૃહની ચર્ચાઓ દરમિયાન બહાર આવેલી વિગત છે. 

તો, નવા ઉમેરાને બાદ રાખી મૂળના બે પ્રથમ અંતરાને બહાર રાખવામાં તુષ્ટીકરણ ક્યાંથી આવ્યું, એ શોધ્યું સમજાતું નથી. ગૃહમાં કોઈકે ઇતિહાસવસ્તુ તરીકે ઠીક જ યાદ આપી કે મુસ્લિમ લીગના પ્રમુખ ઝીણાએ જૂનાનવા સઘળા અંતરા સમેતનું ‘વંદે માતરમ્’ પડતું મૂકવાની માગણી કરી હતી. પણ કાઁગ્રેસ પ્રમુખ જવાહરલાલે ‘વંદે માતરમ્’ની ઐતિહાસિક અપીલનો મુદ્દો આગળ કરીને એ નકારી કાઢી હતી. દેખીતી રીતે જ,  કિસ્સો તુષ્ટીકરણનો તો નથી. 

ગમે તેમ પણ, ‘વંદે માતરમ્’નું પાવન સ્મરણ રાષ્ટ્રીય અર્ધ્ય તરીકે થયું તેનો આદરપૂર્વક સ્વીકાર-પુરસ્કાર કરીને હાલના સત્તાપક્ષે હિંદુ વિ. મુસ્લિમના કોમી ધ્રુવીકરણની માનસિકતાને રૂખસદ આપી વેળાસર એથી ઊંચે ઊઠવાની ખાનદાની દાખવવી ઘટારત છે. તેમ કરવાથી એક વિજયી તરીકેનું તેમનું ગૌરવ પણ અક્ષુણ્ણ રહેશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 10 ડિસેમ્બર 2025

Loading

11 December 2025 Vipool Kalyani
← યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા →

Search by

Opinion

  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા
  • યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
  • સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની
  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved