Opinion Magazine
Number of visits: 9484140
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્તમ યુનિવર્સિટીનું કામ, સોક્રેટિસની જેમ, લોકોને પરેશાન કરવાનું છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 October 2021

રાજકીય અને સામાજિક પ્રક્રિયામાં યુનિવર્સિટીની ભૂમિકા શું હોવી જોઈએ તે સમજવા માટે અમેરિકન સરકારે ૧૯૬૭માં શિકાગો યુનિવર્સિટીમાં કાયદો ભણાવતા પ્રોફેસર હેરી કાલ્વેનની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ સરકારને પેશ કરેલા રિપોર્ટમાં લખ્યું હતું –

"સમાજમાં રાજકીય અને સામાજિક મૂલ્યોનો વિકાસ કરવામાં યુનિવર્સિટીની મોટી અને અનોખી ભૂમિકા હોય છે. આ ભૂમિકા યુનિવર્સિટીના લાક્ષણિક ધ્યેય અને એક સમુદાય તરીકે યુનિવર્સિટીના લાક્ષણિક ચારિત્ર્યથી નક્કી થાય છે. યુનિવર્સિટીનું ધ્યેય જ્ઞાનની શોધ, સુધાર અને પ્રસારનું છે. તેની સમીક્ષામાં સમાજનાં મૂલ્યોનાં તમામ પાસાઓનો સમાવેશ થાય છે. તેના ધ્યેયને વફાદાર હોય તેવી યુનિવર્સિટી સામાજિક મૂલ્યો, નીતિઓ, રિવાજો અને વ્યવસ્થાઓને મજબૂત પડકારો આપતી રહે છે. તેની રચના જ એવી હોય છે કે તે પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થા સામે અસંતોષ પેદા કરે છે, અને તેના સ્થાને નવી વ્યવસ્થાનું સૂચન કરે છે. ટૂંકમાં કહીએ તો, એક ઉત્તમ યુનિવર્સિટી, સોક્રેટીસની જેમ, પરેશાન કરે.”

કાલ્વેન કમિટીનો રિપોર્ટ બે જ પાનાનો હતો, પરંતુ સાર્વજનિક મુદ્દાઓ પર યુનિવર્સિટીનો અભિગમ કેવો હોવો જોઈએ તે સંદર્ભમાં છેલ્લા ચાર દાયકાથી અમેરિકા અને અમેરિકા બહારના દેશોમાં આ રિપોર્ટ ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. વધતાઓછા અંશે, આધુનિક યુનિવર્સિટીઓ રાષ્ટ્રોના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ વિકાસનાં કેન્દ્રો રહી છે. આ ત્યારે શક્ય છે, જ્યારે યુનિવર્સિટીઓ સામાજિક પરિવર્તનો લાવવા સક્ષમ હોય, પરંતુ અમુક દાયકાઓથી યુનિવર્સિટીઓની સામાજિક ભૂમિકાઓ પર અંકુશ મુકાતો રહ્યો છે.

જર્મની અને સ્વીડનના સંશોધકો તેમ જ દુનિયાભરના ૨,૦૦૦ નિષ્ણાતોના સહકારથી તૈયાર કરવામાં આવતો ધ એકેડેમિક ફ્રિડમ ઇન્ડેક્ષ કહે છે કે દુનિયાના ૧૭૫ દેશોમાંથી માત્ર ૨૦ ટકા લોકો જ એવા દેશોમાં રહે છે, જ્યાં તેમની શૈક્ષિણક સ્વતંત્રતા સલામત છે. મતલબ એ કે મોટા ભાગના દેશોમાં ઇચ્છા હોય તે ભણવાની, ભણાવવાની અને લખવાની તેમ જ લોકશાહી-તરફી રાજકીય ગતિવિધિઓ પર સરકારોના અંકુશ છે. આ રિપોર્ટ અનુસાર, રાજકીય રીતે આગળ પડતા મુદ્દાઓ પર બોલવાની વિદ્વાનોની આઝાદી ૨૦૧૩થી સતત જોખમમાં મુકાઈ રહી છે. તેનું કારણ એ છે કે દુનિયાભરના સમાજોમાં રાજકીય ધ્રુવીકરણ વધી રહ્યું છે.

અમેરિકન આઈ વી લીગ પ્રકારનું ઉદાર, આધુનિક અને રિસર્ચ આધારિત ભણતર આપવાના ઉત્તમ ઉદેશ્ય સાથે સોનેપત, હરિયાણામાં સ્થપાયેલી ખાનગી અશોકા યુનિવર્સિટીના બે વિદ્વાન ફેકલ્ટી મેમ્બર, પ્રતાપ ભાનુ મહેતા અને અરવિંદ સુબ્રમણ્યમે જે પરિસ્થિતિમાં રાજીનામું આપ્યું, તે ભારતમાં યુનિવર્સિટીઓની ભૂમિકા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. યુનિવર્સિટીઓમાં રાજકીય ગતિવિધિઓ પર સીધો કે આડકતરો દાબ મુકવામાં આવી રહ્યો છે. આ બંને વિદ્વાનોએ સરકારની નીતિઓની ટીકા કરવા માટે થઈને યુનિવર્સિટી છોડવી પડી છે. તેમના રાજીનામા પત્રમાં તેમણે એ ઈશારો કર્યો છે. સૌથી પહેલાં મહેતાએ રાજીનામું આપ્યું. તેમના સમર્થનમાં સુબ્રમણ્યમે યુનિવર્સિટી છોડી.

બંને પોતપોતાની રીતે દેશના અગ્રણી વિદ્વાન છે, પરંતુ વાત એમની નથી. વાત યુનિવર્સિટીની ભૂમિકાની છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતું કે, શૈક્ષણિક સ્વતંત્રતા એટલે જ્ઞાનની શોધનો અને જે સત્ય લાગે તેને લખવાનો અને ભણાવવાનો અધિકાર. એ અધિકારમાં ફરજનો પણ સમાવેશ થાય છે : વ્યક્તિને જે સત્ય લાગે, તેને છુપાવું ન જોઈએ.

અભિવ્યક્તિની આઝાદીમાં શૈક્ષણિક સ્વતંત્રતા નિહિત છે, અને તે માનવ સભ્યતાની સૌથી પ્રાચીન સ્વતંત્રતા છે. ભારતમાં અભિવ્યક્તિની આઝાદીનું પગેરું ઋગ્વેદ, ઉપનિષદ, બુદ્ધનાં વ્યાખ્યાન, સમ્રાટ અશોકના શિલાલેખ ભણી જાય છે. પ્રાચીન ભારતમાં નાલંદા અને વિક્રમશિલા વિશ્વવિદ્યાલયોમાં સાર્વજનિક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવાની જે પરંપરા હતી, તે અકબર બાદશાહના સામ્રાજ્યમાં અકબંધ હતી. ભારતના બંધારણમાં અભિવ્યક્તિની આઝાદીનો સમાવેશ એ રીતે થયો હતો. પશ્ચિમમાં અભિવ્યક્તિની આઝાદી ગ્રીક ચિંતન અને સાહિત્યની પરંપરામાંથી આવી છે.

ઇતિહાસમાં પ્રવર્તમાન વિચારો કે મત સામે પ્રતિમતની એક પરંપરા રહી છે. ગ્રીકમાં સોક્રેટિસે પૌરાણિક રૂઢિઓનો વિરોધ કરીને સાર્વજનિક બૌદ્ધિકની ભૂમિકા અદા કરી હતી અને એટલે જ તેમને ઝેર આપવામાં આવ્યું હતું. યુરોપમાં ગેલીલિયોએ તત્કાલીન ધાર્મિક માન્યતાઓ અને ચર્ચની સત્તાના અભિગમથી વિરુદ્ધ જનસમાજને વૈજ્ઞાનિક સમજ આપવાના પ્રયાસ કરીને આજીવન કારાવાસની સજા વહોરી લીધી હતી. આપણે ત્યાં ગૌતમ બુદ્ધે કર્મ, પૂર્વજન્મ કે આત્માની અમરતાને માનવાનો ઇનકાર કરીને હિન્દુ દાર્શનિકોનો રોષ વહોરી લીધો હતો અને ‘નાસ્તિક’ના લેબલ સાથે તે ભારતમાંથી નિષ્કાષિત થયા હતા. બૌદ્ધિક ઋષિ પરંપરામાં ચાર્વાકે પારલૌકિક સત્તાનો ઇન્કાર કરીને પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ રાખ્યો હતો. આર્યભટ્ટે જો તત્કાલીન રાજવી જ્યોતિષીઓના મત-માન્યતાઓનો વિરોધ કર્યો ન હોત, તો ગેલીલિયોથી હજાર વર્ષ પહેલાં એ સાબિત કરી શક્યા ન હોત કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.

ઇન ફેક્ટ, લોકતાંત્રિક રાજવ્યવસ્થાનો આખો વિચાર જ અભિવ્યક્તિની આઝાદીમાંથી આવ્યો છે. માણસે અભિવ્યક્તિની આઝાદીને મહત્ત્વ ન આપ્યું હોત, તો લોકતંત્રનો જન્મ જ થયો ન હોત. લોકતંત્ર વિચાર અને પ્રતિવિચારથી મજબૂત થાય છે, પરંતુ વિચારોની સ્વતંત્રતા દુનિયાભરમાં જોખમમાં છે. સરકારો આઝાદ ખયાલીને પોષતી દરેક જગ્યા પર અંકુશ મૂકી રહી છે, પછી એ યુનિવર્સિટીઓ હોય, મીડિયા હોય કે સાહિત્ય-કળા-સિનેમા હોય.

સરકારોને ઝૂકવાનું કહે તો સાષ્ટાંગ દંડવત્‌ કરવાવાળા હંમેશાં ગમે છે, અને એ મળતા પણ રહે છે. કેમ? સાષ્ટાંગ દંડવત્‌ કરવાની બીજી એક વાસ્તવિકતા એ છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ એકવાર ફરિયાદ કરી કે એની આજુબાજુ ચમચાઓ અને જૂઠું બોલનારાઓ જ છે. ચાણક્યએ હસીને કહ્યું, રાજા હોવાનો એ શાપ છે. રાજાના હાથમાં તલવાર હોય છે, અને બધાને એ તલવારની બીક લાગે છે, ખબર નહીં કઇ બાજુ વીંઝાઇ જાય! એટલે રાજાના આવેગ અને વિચારોથી બચવા એ લોકો ચાપલૂસી કરે છે. હા, તમને એ ગમતા નથી, પણ એમને પેદા કોણે કર્યા? તમારી રાજાશાહીએ.

સૌજન્ય : ‘મોર્નિંગ મ્યૂસિંગ’ નામક લેખકની કોલમ, ‘ઉત્સવ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 ઑક્ટોબર 2021

https://www.bombaysamachar.com/article/excellent-university-work-like-socrates-to-the-people-to-harass

Loading

25 October 2021 admin
← યસ, આઈ લાઈક માય માર્ગારિટા : 

પાંચ સાંસ્કૃતિક પરંપરાનો સમન્વય કરતું નાટક ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ →

Search by

Opinion

  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved