Opinion Magazine
Number of visits: 9446811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુ.એન. લેબર એજન્સી કોવિડ-૧૯ રોગચાળાને, બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ખરાબ વૈશ્વિક સંકટ ગણાવે છે.

— —, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|14 May 2020

લૉક ડાઉનથી અસંગઠિત ક્ષેત્રના ૧.૬ અબજ કામદારો પર નોંધપાત્ર અસર : આઈ.એલ.ઓ.

ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (ILO), ‘કોવિડ-૧૯ અને વર્લ્ડ ઑફ વર્ક’ રિપોર્ટની ત્રીજી આવૃત્તિ બહાર પાડી રહ્યું છે અને તે અસંગઠિત ક્ષેત્રના કામદારોનું જે ચિત્ર રજૂ કરે છે તે નિરાશાજનક છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “શ્રમિકબજારમાં સૌથી અસરગ્રસ્ત લોકોમાં, અસંગઠિત ક્ષેત્રના અને/અથવા સૌથી વધુ માર સહન કરતાં ક્ષેત્રોમાં કામ કરતાં લગભગ ૧.૬ અબજ કામદારોને લોકડાઉનના પગલાંથી નોંધપાત્ર અસર થઈ છે … એક અંદાજ મુજબ મહામારીના પ્રથમ મહિના દરમિયાન વૈશ્વિક સ્તરે અસંગઠિત કામદારોની કમાણીમાં ૬૦ ટકાનો ઘટાડો થયો છે.” આઇ.એલ.ઓ.  બંને ઘટકોને — ખાસ કરીને નાના ઉદ્યોગો અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો ને સુરક્ષા પૂરી પાડવા તાત્કાલિક મહત્ત્વપૂર્ણ નીતિ ઘડી કાઢવાની સલાહ આપે છે.

અહેવાલમાં સાપેક્ષ ગરીબીના ખ્યાલને પણ ઉજાગર કરવામાં આવ્યો છે, “આ ઉપરાંત, સાપેક્ષ ગરીબીનો દર, જેને સરેરાશ ૫૦ ટકાથી ઓછી માસિક કમાણીવાળા કામદારોના પ્રમાણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તે અસંગઠિત કામદારોના કિસ્સામાં, વૈશ્વિક સ્તરે ૩૪ ટકા જેટલો, ઉચ્ચ-મધ્યમ-આવકવાળા દેશોમાં ૨૧ ટકા જેટલો જ્યારે નિમ્ન-મધ્યમ-આવકવાળા અર્થતંત્રમાં ૫૬ ટકા જેટલો વધવાનો અંદાજ છે.’ અહેવાલ એ પણ દર્શાવે છે કે આર્થિક પતનને કારણે મહિલા કામદારોએ અપ્રમાણસર સહન કરવાનો વારો આવશે. તેમાં જણાવાયું છે કે “કટોકટીથી નોંધપાત્ર અસર પામેલાં અસંગઠિત ક્ષેત્રમાં મહિલા કામદારોની સંખ્યા અતિ જોખમવાળાં ક્ષેત્રોમાં ઘણી વધારે છે. આ ક્ષેત્રમાં ૩૨ ટકા જેટલા પુરુષોની સરખામણીમાં ૪૨ ટકા જેટલી મહિલાઓ કામ કરે છે.”

અહેવાલની બીજી આવૃત્તિ ૭ એપ્રિલના રોજ બહાર પાડવામાં આવી ત્યારથી આઇ.એલ.ઓ.એ નોંધ્યું છે કે, “કોવિડ-૧૯નું વૈશ્વિક સંક્રમણ તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૦ સુધીમાં ડબલ કરતાં પણ વધીને લગભગ ૨૬ લાખ લોકો સુધી પહોંચી ગયું છે, જ્યારે મૃત્યુની સંખ્યા ત્રણ ગણી કરતાં પણ વધુ થઈ ગઈ છે, લગભગ વિશ્વભરમાં ૧,૮૦,૦૦૦  સુધી.

અહેવાલમાં નાના ઉદ્યોગો અને સ્વનિર્ભર લોકોની દુર્દશા ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે: “રોજગારદાતાઓ અને સ્વનિર્ભર કામદારો બંનેને સાથે ગણીને, વિશ્વભરમાં સૌથી વધુ અસર થઈ હોય એવા લગભગ ૪૩.૬ કરોડ ઘટકોને હાલના ગંભીર ભંગાણને કારણે મોટા જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંથી અડધાથી વધુ — લગભગ ૨૩.૨ કરોડ — જથ્થાબંધ અને છૂટક વેપારમાં છે અને તે હાલમાં વૈશ્વિક સ્તરે સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. આ ક્ષેત્રમાં ૪૫ ટકા રોજગારીના હિસ્સેદાર સ્વનિર્ભર કામદારો છે. રિટેલ વેપારમાં વૈશ્વિક રોજગારના ૭૦ ટકાથી વધુ તથા આવાસ અને ખાદ્ય સેવાનાં ક્ષેત્રમાં આશરે ૬૦ ટકા જેટલો હિસ્સો સ્વનિર્ભર કામદારો અને નાના ઘટકોનો છે, જે હાલના આર્થિક સંકટમાં આ ક્ષેત્રોની ગંભીર નબળાઈનું પ્રતિબિંબ છે.”

આ બાબતે આઇ.એલ.ઓ. ચાર મુદ્દાનો ઉકેલ સૂચવે છેઃ

• અર્થતંત્ર અને રોજગારને પ્રોત્સાહન આપવું.

• સાહસો, નોકરીઓ અને આવકને ટેકો આપવો.

• કાર્યસ્થળમાં કામદારોનું રક્ષણ કરવું.

• ઉકેલ માટે સામાજિક સંવાદ પર આધાર રાખવો.

સબરંગ ઇન્ડિયા, ૦૧ મે, ૨૦૨૦, અનુવાદઃ દિલીપ સતાશિયા

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 14 મે 2020

Loading

14 May 2020 admin
← ગાંધીજીની કલમે ફ્લૉરેન્સ નાઇટિંગેલનું સેવાકાર્ય
શરમ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved