Opinion Magazine
Number of visits: 9449227
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તેજસ્વી દેશનેતાઃ મોરારજી દેસાઈ

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|3 August 2023

નાથાલાલ અમથાલાલ શાહનો મોટો દીકરો અશોક નાનપણથી સખત મહેનતુ અને હોશિયાર. લગભગ બહુ જ નાની વયે તેમણે ઉત્તમ ગુણાંક સાથે એમ.બી.બી.એસ.નો અભ્યાસ અમદાવાદની વિખ્યાત બી.જે. મેડિકલ કૉલેજમાંથી ઝળહળતી તેજસ્વિતા  સાથે પૂર્ણ કર્યો.

અશોકભાઈને એમ.એસ.ના ઉચ્ચ અભ્યાસ માટે સ્કૉલરશિપ તો મળી જ હતી. તેમને આ બાબતની ચિંતા હતી નહીં, પરંતુ  જ્ઞાનપિપાસુ વિઘાર્થી હોવાને લીઘે તેમની એક તીવ્ર ઈચ્છા હતી કે જે પુસ્તકો દ્વારા અમેરિકા અને જર્મનીમાં એમ.એસ.નો અભ્યાસ કરતા વિઘાર્થીઓ જ્ઞાન મેળવે છે, તે પુસ્તકો જો તેમને ભારતમાં અને ખાસ કરીને અમદાવાદની મેડિકલ લાઇબ્રેરીમાં મળી જાય તો તેઓ વિદેશના વિઘાર્થી જેટલી જ સરળતાથી ભવિષ્યમાં પોતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે.

ઘણા લાંબા સમયના પ્રયાસો બાદ, અમુક લાઈબ્રેરીમાંથી તેમને માહિતી મળી કે અમેરિકાનાં તેમ જ જર્મન પુસ્તકોનાં વેપારીને ભારતની કોઈક બૅંક દ્વારા જો તે બે હજાર રૂપિયા મોક્લી આપે તો તે વેપારીઓ વિઘાર્થીના હિતને લક્ષમાં રાખીને, બજારભાવ કરતાં પણ ઓછા દરે તે પુસ્તકો ભારતમાં અમદાવાદની મેડિકલ લાઈબ્રેરીમાં મોક્લી આપે.

બે હજાર રૂપિયા લાવવા કયાંથી? કોઈ સગાંસંબંઘી કે મિત્રો પાસે હાથ લંબાવવો એ તો અશોકભાઈના લોહીમાં જ ન હતું. આમ ભારે સ્વાભિમાની. એટલે પુસ્તકો મેળવવા તેમણે અમદાવાદની ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરી પુસ્તકો મેળવી આપવા નમ્ર વિનંતી કરી જોઈ. ઘણા મેડિકલ ડૉકટર પ્રાઘ્યાપકો સાથે પણ તેમણે ઘણી માથાફોડ કરી, કિંતુ તેઓ કયાં ય કોઈ પણ રીતે સફળ ન થયા. હિંમત ન હારતાં પુસ્તકો મેળવવા એક વઘારે પ્રયાસ કરવાનું તેમણે વિચારી લીઘું.

અશોક શાહે મૅટ્રિકથી એમ.બી.બી.એસ. સુઘીની તમામ માર્કશીટ્સની નકલો કરી. તેની સાથે એક વિગતવાર પત્ર તે વેળાના કેન્દ્રીય નાણાં પ્રઘાન મોરારજી દેસાઈને લખ્યો કે જો તમે મારા અભ્યાસ માટેનાં આ પુસ્તકો માટે બે હજાર રૂપિયાની સગવડ કરી આપો, તો હું મારી સંપૂર્ણ મહેનત સાથે એ પુસ્તકોનો અભ્યાસ કરી જે જ્ઞાન અમેરિકા તેમ જ જર્મન મેડિકલ વિઘાર્થીઓને મળે છે તે જ્ઞાન મેળવવાની સફળતા હું ભારતીય મેડિકલ વિઘાર્થીઓને આપવા ઈચ્છું છું.

મોરારજીભાઈને અશોકભાઈનો આ સંદર્ભે કાગળ મળ્યા પછી અશોકભાઈને બે હજાર રૂપિયા આપવાની ઈચ્છા થઈ. પણ મોરારજીભાઈ સામે બહુ જ વિકટ પશ્ન હતો. રૂપિયા બે હજાર કઈ રીતે આ તેજસ્વી વિઘાર્થીને મદદરૂપે આપવા? પોતે કેન્દ્રના નાણાં પ્રઘાન હોદ્દાની રુએ તેઓ કોઈને ય આમ સરકારી ભંડોળમાંથી કારણ વિના એક રાતી પાઈ પણ ન આપી શકે. તેમને જે કંઈ કરવાનું તે બઘું કાયદાની મર્યાદામાં રહીને જ કરવાનું હતું.

ભારતના નાણાં પ્રઘાન માટે બે હજારની રકમ બહુ મોટી વિસાત હતી નહીં. મોરારજીભાઈ ધારત તો પોતાની સત્તાની રુએ બે હજાર શું બે લાખ રૂપિયા પણ અશોકભાઈને આપી શક્યા હોત, પરંતુ એમને મન સિદ્ઘાંત અને નીતિનિયમ પોતાના પ્રાણથી ય વિશેષ મહત્ત્વના હતા. મોરારજીભાઈ દેસાઈ ઈચ્છત તો નીતિનિયમ અને સિદ્ઘાંતનું બહાનું કાઢીને અશોકભાઈને ‘દિલગીર” છું કહીને છટકી શક્યા હોત, પરંતુ બે હજાર જેવડી નાનકડી રકમને લીઘે કોઈ તેજસ્વી વિઘાર્થીનો અભ્યાસ બગડશે તે વિચારને ઘ્યાનમાં રાખીને કશી માથાઝીંક કે ચિંતા કર્યા વગર, પોતાના અંગત બૅંક બૅલેન્સમાંથી બે હજાર રૂપિયાનો ચેક ડૉ. અશોક શાહને તેમણે તાત્કાલિક મોકલી આપ્યો. સાથે એમણે પત્રથી જણાવ્યું કે બે હજાર રૂપિયા તમને લોન તરીકે મારા અંગત ખાતામાંથી મોકલું છું. તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી તમારી સગવડે મને પરત કરશો. અને જીવનમાં તમને તમામ શિખરો પર સફળતા વરો એવી આશિષ છે.

૧૯૬૭માં અશોકભાઈ એમ.એસ.થયા. તે સમયે મોરારજીભાઈ દેસાઈ કોઈક કારણસર અમદાવાદ પઘારેલા. અશોક્ભાઈ તેમને મળવા ગયા બે હજાર રૂપિયાનો ચેક પરત કર્યો. મોરારજીભાઈ સખત કામમાં ગૂંથાયેલા હોવા છતાં તેમણે અશોક્ભાઈ સાથે બેચાર મિનિટ વાતચીત કરી અને ભાવિ અભ્યાસ વિશે પૂછપરછ કરી. અશોક્ભાઈએ મોરારજીભાઈને જણાવ્યું કે હું ટૂંક સમયમાં વઘારે અભ્યાસ અર્થે અમેરિકા જવાની ઈચ્છા રાખું છું. તેમના આ જવાબથી મોરારજીભાઈ ખુશ થયા. તેમની પાસે પૂરતો સમય ન હોવાથી તેમણે અશોક્ભાઈને કહ્યું કે તમે તમારો વિદેશનો અભ્યાસ ખુશીથી પૂર્ણ કરો. તમને મારા આશીવાર્દ છે. તમને સંતોષ થાય કે મેં જીવનમાં જેટલી ઈચ્છા રાખી હતી તેટલો અભ્યાસ પૂર્ણ કર્યો છે ત્યારે મને મારી લોનના રૂપિયા પરત કરજો. હમણાં તમે આવી ખોટીં ચિંતા ન કરો, ફકત તમારા અભ્યાસમાં ઘ્યાન રાખો. આ પ્રમાણે કહીને તેઓ પાછા પોતાના કામમાં ગૂંથાઈ ગયા.

૧૯૮૨ના અરસામાં અશોક શાહ મોરારજીભાઈને મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને મળવા ગયા. મોરારજીભાઈ રોજિંદા નિયમ મુજબ રેંટિયો કાંતી રહ્યા હતા. અશોક્ભાઈએ મોરારજીભાઈના હસ્તાક્ષરવાળો પત્ર અને ચેકની નકલ સાથે બે હજાર રૂપિયાનો ચેક સાભાર તેમના હાથમાં મૂકયો. મોરારજીભાઈ બહુ જ ખુશ થયા.

પરત કરેલા ચેકનો આભારસહ અસ્વીકાર કરીને, અશોક્ભાઈને આશીર્વાદ આપતાં તેમણે કહ્યું કે તમારા જેવા ઈમાનદાર, પ્રામાણિક અને જ્ઞાની ભારતીય પર હું ગૌરવ અનુભવું છું. લગભગ પંદરવીસ વરસ પછી પણ કોઈકે જીવનમાં કરેલી મદદનું ઋણ તમે ભૂલ્યા નથી તે મારા માટે આનંદની વાત છે. કોઈને ય મદદ કરું છું તે હંમેશ માટે ભૂલી જવામાં હું માનું છું. તમને ભૂતકાળમાં કયારે ય કોઈ મદદ કરી હોય એ મને યાદ પણ નથી. પણ આ મારા હસ્તાક્ષરવાળો કાગળ અને ચેકની ઝેરોકસ નકલ જોઈને મને તમને એક વડીલ તરીકે બે શબ્દો કહેવાનું મન થાય છેઃ ‘તમે જ્યારે પણ કોઈને કંઈ પણ મદદ કરો ત્યારે મદદ કર્યાની વાતને તમારે હંમેશ ભૂલી જવી. થાય એટલી લોકોને જીવનમાં મદદ કરવી પણ ફળની આશા કયારે ય ન રાખવી.”

વિદાય લેતા ડૉ. અશોક શાહને મોરારજીભાઈએ જરા રમૂજ સાથે કહ્યું, ‘મેં તો મારી નાનકડી મૂડીને ભારતની સેવા માટે રોકી હતી. પણ તેનો લાભ અમેરિકા જેવા સગવડવાળા દેશને મળ્યો! પરંતુ અમેરિકામાં તમે જ્યારે જીવનનો પૂરેપૂરો સંતોષ અનુભવી લ્યો ત્યારે થોડીક સેવા ભારતને પણ આપજો. હજી ભારતનાં લાખો ગામડાઓને સેવાભાવી ડોકટરોની જરૂર છે.”

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

3 August 2023 Vipool Kalyani
← સંસદીય ખડી સમિતિની ભલામણમાં અસંમતિને મુશ્કેલીમાં મૂકતો પેચ છે
Majoritarian Political Agenda and Indian Muslims →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved