Opinion Magazine
Number of visits: 9487220
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|19 October 2025

રમેશ ઓઝા

અફઘાનીસ્તાનના વિદેશ પ્રધાન આમીર ખાન મુત્તાકી એક અઠવાડિયા માટે ભારતની સતાવાર મુલાકાતે આવી ગયા. તેઓ ભારત સરકારનાં સત્તાવાર આમંત્રણ સાથે ભારત આવ્યા હતા. તેમણે હૈદરાબાદ હાઉસમાં ભારતના વિદેશ પ્રધાન જયશંકર સાથે વાતચીત કરી હતી. તેમણે પત્રકાર પરિષદ પણ બોલાવી હતી જેમાં મહિલા પત્રકારોને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. એ પછી તેમણે દારુલ ઉલૂમ દેવબંદની મુલાકાત લીધી હતી. 

વિશ્વદેશોમાં આજકાલ જે ઝડપથી અને અનપેક્ષિત રીતે સંબંધો બદલાઈ રહ્યા છે એ જોતાં આમાં આશ્ચર્ય ન થવું જોઈએ. ખાસ કરીને ટ્રમ્પ અમેરિકામાં બીજીવાર પ્રમુખ તરીકે આવ્યા એ પછી તો વિદેશ નીતિ ફારસ બની ગઈ છે. ગુરુવારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે રશિયા પાસેથી ખનીજ તેલ નહીં ખરીદવાનો ભારતે નિર્ણય લઈ લીધો છે. ભારત વતી જાહેરાત ટ્રમ્પ કરે. ભારત સરકારે હજુ સુધી આમ કહ્યું નથી કે રદિયો પણ આપ્યો નથી. તો સંબંધોમાં શાશ્વતી નથી કે નથી સાતત્ય. આ સ્થિતિમાં અફઘાનિસ્તાનની તાલેબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ. માત્ર પત્રકાર પરિષદ બાબતે ભારતે સાવધાન રહેવું જોઈતું હતું. ભારતની ધરતી પર ભારતના કાયદા અને બંધારણને અતિક્રમીને ધર્મના નામે ભેદભાવ કરવાની ઘટના નહોતી બનવી જોઈતી હતી. ભારત સરકારે કહી દેવું જોઈતું હતું કે કાં ખુલ્લી પત્રકાર પરિષદ કરો અથવા પસંદગીના પત્રકારોને અંગત મુલાકાત આપો. 

રહી વાત દેવબંદની મુલાકાતની તો એનો તો લાંબો ઇતિહાસ છે અને હિન્દુત્વવાદીઓ તેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દારુલ ઉલુમ દેવબંદના અસ્તિત્વ સામે જ વાંધો છે. આ લોકો મુસલમાનોના વૈશ્વિક બંધુત્વમાં માને છે અને રાષ્ટ્રનો અસ્વીકાર કરે છે. જગતમાં મુસલમાનો માટે માત્ર એક જ ઓળખ છે અને તે મુસલમાન હોવાની. બાકીની ઓળખ ગૌણ છે. ભારતીય મુસ્લિમ મુસ્લિમ પહેલો છે અને ભારતીય પછી. ભારતીય હોવાપણું એ એક અકસ્માત માત્ર છે. એટલે તો તેમણે ભારતના કોમી વિભાજનનો વિરોધ કર્યો હતો. ટુ નેશનનો સવાલ જ ક્યાં છે જ્યારે ઇસ્લામ પોતે જ એક નેશન છે. એ છતાં ય જ્યારે ભારતનું વિભાજન થયું ત્યારે તેમણે પાકિસ્તાન પર કબજો જમાવ્યો હતો. પાકિસ્તાનને તેઓ સાચું અને આદર્શ ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માગતા હતા જે રીતે હિન્દુત્વવાદીઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે. આપણો વારો હવે આવ્યો છે. 

દેવબંદની વિચારધારાએ પાકિસ્તાનની જે દુર્દશા કરી છે એ તમારી સામે છે. આ વિચારધારાનો અમરિકાએ પણ સોવિયેત રશિયા સામે પેટ ભરીને ઉપયોગ કર્યો હતો. અમેરિકા અને પાકિસ્તાને મળીને ઇસ્લામિક મૂળભૂતવાદ અને ત્રાસવાદ પેદા કર્યા હતા. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સાથે લેવાદેવા નહોતી એ અરેબિક અને બીજા દેશોના મુસલમાનો પાકિસ્તાનમાં જીહાદ કરવા આવ્યા હતા. ખાસ પ્રકારના ઇસ્લામના તત્ત્વો આરોપીને તેમના દિમાગ પર કબજો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન જીહાદીઓ પેદા કરવાની ફેક્ટરી બની ગયું હતું. ૧૯૮૮-૮૯માં સોવિયેત રશિયાએ અફઘાનીસ્તાનમાંથી પોતાનું લશ્કર પાછું ખેંચ્યું એ પછી નવરા પડેલા જીહાદીઓએ ભારતને ટાર્ગેટ બનાવ્યું હતું. જીહાદ દ્વારા તેઓ કાશ્મીરને મુક્ત કરવા માગતા હતા. 

૯/૧૧ પછી અમેરિકાએ અફઘાનીસ્તાનને તાલેબાનોથી મુક્ત કરવા લશ્કરી ઓપરેશન શરૂ ર્ક્યું હતું, પણ એમાં તેને સફળતા મળી નહોતી. અફઘાનીસ્તાન જગતનો એક એવો દેશ છે જેને આજ સુધી કોઈ દેશ જીતી શક્યો નથી કે કબજો કરી શક્યો નથી. રશિયા પછી અમેરિકાએ પણ પીછેહઠ કરવી પડી અને ૨૦૨૧માં તાલિબાનોએ અફઘાનીસ્તાન પર પાછો કબજો જમાવ્યો હતો. અફઘાનીસ્તાનમાં ભારત હંમેશાં નોધર્ન એલાયન્સ તરીકે ઓળખાતા ઉત્તર અફઘાનીસ્તાનના કબીલાઈ નેતાઓને અને દળોને મદદ કરતું આવ્યું છે, પણ અત્યારે તેઓ હાંશિયામાં ધકેલાઈ ગયા છે. તાલિબાનો સરસાઈ ધરાવે છે. 

તાલિબાનો પાકિસ્તાનનું સર્જન હતું, પરંતુ હવે તેમની વચ્ચે દુશ્મની છે. અમરિકાને ઇશારે થોડો સમય અફઘાનીસ્તાન-પાકિસ્તાનની ધરી રચાઈ હતી, પણ પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારથી ક્યારે ય પાકિસ્તાન અને અફઘાનીસ્તાન વ્ચ્વ્ચે મધુર સંબંધો નહોતા. બલુચિસ્તાન અને એક સમયે વાયવ્ય સરહદ પ્રાંત તરીકે ઓળખાતા ખૈબર પખતુનવા તરીકે ઓળખતા પ્રાંતમાં વસતા પઠાણો અને બીજી કબીલાઈ પ્રજા અફઘાનીસ્તાન માટે સહાનુભૂતિ ધરાવે છે. આ સિવાય અફઘાનીસ્તાને ક્યારે ય અફઘાનીસ્તાન અને એ સમયના અવિભાજિત હિન્દુસ્તાન વચ્ચે અંગ્રેજોએ ખેંચેલી ડુરાંડ લાઈન સ્વીકાર્ય નહોતી. આમ અત્યારે અફધાનીસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તંગદિલી છે. હજુ બે દિવસ પહેલાં જ તે બે દેશ વચ્ચે યુદ્ધવિરામ થયું છે જે તકે એવું લાગતું નથી. 

આ સ્થિતિમાં ભારતની હિંદુ રાષ્ટ્રવાદી સરકારે અફઘાનીસ્તાનના તાલિબાની વિદેશ પ્રધાનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. દુશ્મનનો દુશ્મન મિત્ર એ ન્યાયે. વૈચારિક રીતે હિન્દુત્વવાદીઓ અને દેવબંદીઓ સામેના છેડે હોવા છતાં. ભારતે અફઘાનીસ્તાનની તાલિબાની સરકારને માન્યતા નથી આપી, પણ એલચી કચેરી ખોલી છે અને હવે તેને પૂરા કદની એલચી કચેરીનો દરજ્જો પણ આપ્યો છે. રશિયાએ અફઘાનીસ્તાનની સરકારને માન્યતા આપી છે. ચીન પાકિસ્તાનની સાથે છે એટેલ ભારત અફઘાનીસ્તાનની સાથે છે. 

આવું છે જગતનું રાજકારણ. ટ્રમ્પ પાકિસ્તાનના લશ્કરી વડાને વ્હાઈટ હાઉસમાં ભોજન માટે બોલાવે અને પેટ ભરીને વખાણ કરે. માન્યામાં ન આવે રીતે ભારત વિરોધી વલણ અપનાવે. ચીન ઓપરેશન સિંદૂરમાં પાછળ રહીને પાકિસ્તાનને સાથ આપે. ઈરાન ઇઝરાયેલ અને અમેરિકા બન્ને સામે એક સાથે ઝીંક ઝીલે અને અમેરિકાએ અને ઇઝરાયેલે પીછેહઠ કરવી પડે. આ સ્થિતિમાં ભારતને દક્ષિણ એશિયામાં મિત્રની જરૂર છે. છેલ્લે એક બંગલા દેશ હતું જે પણ હાથમાંથી ગયું.

હિંદુ રાષ્ટ્રવાદીઓને ભૌગોલિક રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રનિષ્ઠામાં નહીં માનનારાઓને રેડ કાર્પેટ પાથરીને સ્વાગત કરવું પડે એ કેવી વિડંબના! એક વાતે તાલિબાનોને સલામ કરવી જોઈએ. તેમની દૃષ્ટિએ યોગ્ય ઇસ્લામિક તત્ત્વોને અનુસરીને તેમણે સ્ત્રીઓને પત્રકાર પરિષદમાં નહીં આવવા દીધી અને હિન્દુત્વવાદીઓની ફિલસૂફીને અને તેમની રાજનીતિની ઐસીતૈસી કરીને દેવબંદની મુલાકાત લીધી. વિચારનિષ્ઠામાં આ જે પ્રમાણિકતા છે એ હિન્દુત્વવાદીઓમાં નથી. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 ઑક્ટોબર 2025

Loading

19 October 2025 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—311
પિયા ઓ પિયા →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved