
રાજ ગોસ્વામી
આજે ‘દસ મિનિટના ડિજિટલ વાંચન’ની દુનિયામાં, એક પ્રિન્ટેડ પત્રિકા તેનાં અસ્તિત્વનાં 100 વર્ષ પૂરાં કરે તે સાચે જ એક સેલિબ્રેશનનો અવસર કહેવાય; ભલે તે પત્રિકા વિદેશની હોય અને ભલે તે પત્રિકા ‘ચટપટુ’ વાંચન પીરસતી ન હોય.
ન્યૂયોર્ક શહેરમાંથી પ્રગટ થતું ‘ધ ન્યૂ યોર્કર’ નામનું સાપ્તાહિક માત્ર અમેરિકાનોનું જ લાડકું નથી; તે દુનિયાભરમાં ગંભીર વાચકોનું પસંદીદા છે. આ એક એવી ક્રાંતિકારી પત્રિકા છે જેણે આલોચનાત્મક પત્રકારત્વ, સાહિત્યિક ગહનતા, રાજનૈતિક વિશ્લેષણ અને સાંસ્કૃતિક વિવેચનાને એક ધાગામાં પરોવીને વિશ્વભરના વાંચકના મન પર અમિટ છાપ છોડી છે.
આ ‘ધ ન્યૂ યોર્કર’ આ વર્ષે 100 પૂરાં કરી રહ્યું છે. અને તે નિમિત્તે નેટફ્લિક્સ પર The New Yorker at 100 નામની એક સુંદર ડોક્યૂમેન્ટરી રિલીઝ થઇ છે. જોવા જેવી છે. ડોક્યૂમેન્ટરી માત્ર મેગેઝિનની કહાની જ નથી, પરંતુ ટેકનોલોજીના જમાનામાં આધુનિક મીડિયાની પરિસ્થિતિ, ફેક ન્યુઝના સંકટ અને સચ્ચાઈની તપાસ કરવાની આવશ્યકતાનું પ્રતિબિંબ પણ છે.
‘ધ ન્યૂ યોર્કર’ની શરૂઆત 21 ફેબ્રુઆરી, 1925ના રોજ થઇ હતી અને ત્યારથી આ મેગેઝિન ન્યૂયોર્ક શહેર અને બહારના વિચારો, સંસ્કૃતિ, રાજકારણ અને સમાજના મહત્ત્વપૂર્ણ વિષયોને લગતી ઊંડાણપૂર્વક સંશોધિત સ્ટોરીઓ પ્રકાશિત કરતી આવી છે. તેનું સ્વરૂપ સમય સાથે વિકસ્યું છે, પરંતુ તેની મૂળ પ્રતિબદ્ધતા આજે પણ યથાવત છે – ગહન સંશોધન, વિગતપૂર્વક થયેલું રિપોર્ટિંગ અને સાહિત્યિક ઉત્કૃષ્ટતા. કેટલાં મેગેઝિન આજે આવો દાવો કરી શકે છે?
આ ડોક્યૂમેન્ટરી ‘ન્યૂ યોર્કર’ની 100મી વર્ષગાંઠના અંક પર આધારિત છે; ખાસ કરીને તે તમને એ માહોલમાં લઇ જાય છે જ્યાં વિશેષ અંક માટે તૈયારીઓ ચાલી રહી હતી – ન્યુઝરૂમના તનાવ વચ્ચે લેખકો, સંપાદકો, ફેક્ટ-ચેકર્સ અને કવર ડિઝાઈનર્સ વચ્ચે ચાલતી મિટિંગ્સનું જીવંત રેકોર્ડીંગ કોઇપણ પત્રકાર માટે લલચાવનારું છે.

આ ફિલ્મ ધ ‘ન્યૂ યોર્કર’ના ઇતિહાસની સંક્ષિપ્ત પરંતુ ગંભીર ઝલક રજૂ કરે છે, જેમાં મેગેઝિનના અતિશય મહત્ત્વપૂર્ણ યોગદાનને સમજાવવામાં આવ્યું છે – જેમ કે જૉન હર્શી નામના પત્રકારે હિરોશિમા પર લખેલા વિગતવાર રિપોર્ટસ, જેણે યુદ્ધની ભયાનકતા વિશ્વ સમક્ષ મૂકી હતી, અથવા જેમ્સ બેલ્ડવિન નામના જાણીતા લેખકના નિબંધો, જેણે જાતિવાદ અને સામાજિક વિભાજન પર મહત્ત્વપૂર્ણ ચર્ચા શરૂ કરી. આ બધું આ ફિલ્મમાં એવી રીતે સમાવવામાં આવ્યું છે જાણે કે મેગેઝિને તેના પ્રથમ દાયકાની હળવી-મનોરંજક સામગ્રીમાંથી નીકળીને વૈશ્વિક ઘટનાઓને ગંભીરતાપૂર્વક જોતા પત્રકારત્વના માર્ગ પર ડગલાં માંડ્યા હતાં.
આ ડોક્યુમેન્ટરી એવા સમયે આવી છે જ્યારે પરંપરાગત પ્રિન્ટ મીડિયા સંકટમાં છે – ડિજિટલ ટેકનોલોજી, સોશિયલ મીડિયા, ફેક ન્યુઝ અને ‘ફટાફટ વાંચન’ની માંગના યુગમાં વાચકોની અપેક્ષાઓ બદલાઈ રહી છે. આ ડોક્યુમેન્ટરી બદલાતા પરિપ્રેક્ષ્યો વચ્ચે પણ પ્રશ્ન ઉઠાવે છે કે ગંભીર, વિચારશીલ પત્રકારિતાની જરૂરિયાત આજે પણ કેમ છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ‘ધ ન્યૂ યોર્કર’ના પત્રકારો, સંપાદકો અને ફેક્ટ-ચેકર્સે કેવી રીતે તેમની પ્રતિબદ્ધ નિભાવી છે, કઠિન વિષયોને પ્રકાશમાં લાવ્યા અને પોતાના વાચકોનો વિશ્વાસ જાળવી રાખ્યો.
પત્રિકાના વર્તમાન સંપાદક ડેવિડ રેમનિક પણ આ વાતને ભારપૂર્વક દોહરાવે છે. ‘ધ ન્યૂ યોર્કર’નું પત્રકારત્વ આજે પણ કેમ મહત્ત્વપૂર્ણ છે તે સમજાવતાં તેઓ કહે છે, ‘ધ ન્યૂ યોર્કર પાસેથી મારી બે મોટી અપેક્ષા છે – હું ઇચ્છું છું તે શ્રેષ્ઠ જ હોવું જોઈએ અને હું ઇચ્છું છું કે તે માનવતાવાદી હોવું જોઈએ.” આ વાક્ય સીધે-સીધે તેમની સંપાદકીય પ્રાથમિકતાઓ દર્શાવે છે કે ગુણવત્તા અને માનવતાનો સ્પર્શ આ મેગેઝિનની મૂળ વિશેષતાઓ રહી છે અને રહેશે.
રેમનિકે એ પણ જણાવ્યું છે કે ‘ધ ન્યૂ યોર્કર’ની એક ઐતિહાસિક પ્રતિષ્ઠા હોવા છતાં, આજની ઝડપથી બદલાતી ડિજિટલ મીડિયા દુનિયામાં પણ તેની ભૂમિકા કાયમ રહે છે. મેગેઝિનનાં વિશિષ્ટ ઈલસ્ટ્રેટેડ કવર હજુ પણ સામાજિક પ્રતિકોને સશક્ત રીતે પ્રતિબિંબિત કરે છે, અને તેનો પ્રભાવ ઊંડો અને ટકાઉ હોય છે.
દર્શકોને આ ડોક્યુમેન્ટરી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ લાગશે કારણ કે તે મીડિયાની બદલાતી દુનિયામાં પરંપરાગત પત્રકારત્વની અગત્યતા પર વિચાર કરવાનો અવસર આપે છે. આજે જ્યારે ‘ફેક ન્યુઝ’, ‘તથ્ય-સંદર્ભની કમી’ અને ‘ફટાફટ પ્રતિસાદ’ જેવા શબ્દો સમાચાર ઉદ્યોગમાં સામાન્ય બની રહ્યા છે, ‘ધ ન્યૂ યોર્કર’ જણાવે છે કે ઊંડાણપૂર્વક, સંશોધન આધારિત, સુસંગત પત્રકારત્વની જરૂરિયાત આજ પણ એટલી જ છે જેટલી વીસમી સદીમાં હતી. ડોક્યુમેન્ટરી દ્વારા શ્રેષ્ઠ સ્તરના રિપોર્ટિંગ, સંપાદન અને પ્રકાશનની પરંપરાનું સન્માન કરવામાં આવ્યું છે અને દર્શાવવામાં આવ્યું છે કે ‘ધ ન્યૂ યોર્કર’ તેની અનોખી અવાજ માટે કેમ સન્માનીય અને યાદગાર છે.
એટલા માટે, આ ડોક્યુમેન્ટરી માત્ર ‘ધ ન્યૂ યોર્કર’ અથવા માત્ર પત્રકારત્વની જ કહાની નથી, તે વર્તમાન સમયના વિચારો, મતભેદો, સચ્ચાઈ અને માહિતીની ભૂમિકાની ઊંડી પરખ છે. તે મીડિયાના ભવિષ્ય વિશે પ્રશ્નો ઊભા કરે છે અને એક પ્રતિષ્ઠિત સંસ્થાના ઇતિહાસ, તેની પેઢી અને તેની અસામાન્ય શૈલીની અસરકારક ઝલક પ્રદાન કરે છે. આ સો વર્ષ જૂની પરંપરાને સમજવા માટે The New Yorker at 100 ડોકયુમેન્ટરી જોવી તે આજના દરેક ગંભીર વાચક, પત્રકારત્વના વિદ્યાર્થી અને સમાજના વિચારક માટે જરૂરી છે.
‘ધ ન્યૂ યોર્કર’ની 100 વર્ષની અણનમ યાત્રા શીખવે છે કે દરેક ઘટનામાં તાબડતોબ પ્રતિક્રિયા આપવી જરૂરી નથી. ભારતમાં જ્યાં ટેલિવિઝન ચર્ચાઓ અને સોશિયલ મીડિયા ઘણીવાર ઘોંઘાટ, હઠ અને ધ્રુવીકરણથી ભરેલાં હોય છે, ત્યાં આ મેગેઝિન યાદ અપાવે છે કે સમય લઈને લખાયેલું, પરિસ્થિતિ સાથે જોડાયેલું અને સંશોધન આધારિત લેખન વાચકને વધુ શક્તિશાળી બનાવે છે.
‘ધ ન્યૂ યોર્કર’માં ફેક્ટ-ચેકિંગ औપચારિકતા નથી, પરંતુ પત્રકારિતાની આત્મા છે. ભારતીય વાચકો, જે રોજ અફવાઓ, અધૂરી માહિતીઓ અને ભાવનાત્મક દાવાઓથી ઘેરાયેલા હોય છે, આ પત્રિકા પાસેથી શીખી શકે છે કે સત્ય સુધી પહોંચવું મહેનત માંગે છે અને બિનપ્રમાણિત વાત માત્ર મંતવ્ય હોઈ શકે છે, પત્રકારિતા નહીં.
આ મેગેઝિન સત્તા, યુદ્ધ, રાજકારણ અને સામાજિક અન્યાય વિશે લખતી વખતે પણ સાધારણ માણસને કેન્દ્રમાં રાખે છે. ભારતીય સંદર્ભમાં – જ્યાં જાતિની વાત હોય, ધર્મના મુદ્દા હોય કે શહેરી-ગ્રામીણ અસમાનતા હોય – આ પત્રિકાનો આ દૃષ્ટિકોણ બતાવે છે કે આંકડા અને નારાઓથી આગળ જઈને માનવ અનુભવને સમજવું કેમ જરૂરી છે.
અંતત: ‘ધ ન્યૂ યોર્કર’ ભારતીય વાચકને સમજ આપે છે કે પત્રકારત્વનું કામ માત્ર માહિતી આપવાનું નથી, તે સમયનો દસ્તાવેજ પણ બનાવે છે. આજે જે લખાય છે, તે જ કાલે ઇતિહાસ બનશે. આ દૃષ્ટિકોણથી આ પત્રિકા એક આયનો છે – એ દેખાડવા માટે કે જો મીડિયા ઈમાનદાર, ધૈર્યવાન અને સમાજસેવી હોય, તો તે સમાજને કેટલો મજબૂત બનાવી શકે છે.
આ ડોકયુમેન્ટરી જોયા પછી એક વાત સમજાઈ; ઘોંઘાટથી ભરેલા સમયમાં પણ વિચાર માટેની જગ્યાને બચાવી શકાય છે.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 21 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



ફ્રેન્ચ સંસ્કૃતિમાં 20 પ્રકારની કિસ છે. જર્મનો 30 પ્રકારે ચુંબન કરી શકે છે. કામસૂત્રમાં 16 કિસમની કિસનાં વર્ણન છે. વૈદિક શાસ્ત્રોમાં ‘કિસ’ અથવા ચુંબન શબ્દ નથી. એના સ્થાને ‘સ્પર્શ’ અને ‘ગંધ’ શબ્દો વપરાયા છે. જગતમાં 90 પ્રતિશત લોકો કિસ કરે છે. પરંતુ 10 પ્રતિશત સંસ્કૃતિ એવી ય છે જ્યાં કિસ કરવી વર્જિત છે.
તે સમયે ભારતમાં કોસ્મેટિક ઉત્પાદન ગુણવત્તાની દૃષ્ટિએ નબળું હતું. નહેરુએ આ મુદ્દે જે.આર.ડી. ટાટા સાથે ચર્ચા કરી હતી (જે બોમ્બે ક્લબના આગેવાન હતા). ટાટાએ તે વાતને માત્ર આર્થિક સમસ્યા નહીં, બલકે ભારત માટે સૌંદર્ય અને સ્વદેશીના ગૌરવનો નવો અધ્યાય લખી શકાય તેવા અવસર તરીકે જોઈ હતી. તે પછી ટાટા ગ્રુપની કંપની TOMCO મારફતે એક એવી ભારતીય કોસ્મેટિક બ્રાન્ડ શરૂ કરવાની યોજના બનાવાઈ, જે માત્ર ભારતીય ત્વચા અને હવામાન માટે જ અનુકૂળ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સાથે પણ મેળ ખાતી હોય.