એક એવું વ્યક્તિત્વ જે પત્રકાર, રાજનેતા, લેખક તરીકે કે પછી જેમનો પરિચય હાલના સમયથી અને વ્યવસ્થાથી નાખુશ; ગુસ્સો છે; દુઃખ છે; આક્રોશ છે; ત્રસ્ત છે. કંઈ પણ હોઈ શકે … એવી વ્યક્તિ આજે આપણી સાથે છે, કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે એવા અરુણ શૌરી.
પુણ્ય પ્રસૂન વાજપેયી : એવું કેમ લાગે છે કે અરુણ શૌરીજી હાલના સમયથી ઘણા નાખુશ છે. ગુસ્સે છે, દુઃખી છે એવું કેમ લાગે છે?
અરુણ શૌરી : (ચહેરા સામે ઈશારો કરતાં હાસ્યમાં) લાગે છે.
પુ. પ્ર. : જી … ચોક્કસ લાગે છે. આપની વાતોથી લાગે છે.
અરુણ શૌરી : ગુસ્સો એટલી મજબૂત લાગણી છે કે કેમ એને વેડફવી હા … નારાજગી જરૂરથી છે, કેમ કે લોકોએ આટલી મોટી તક આપી. ને નરેન્દ્ર મોદીએ જ નહીં પરંતુ આખી વ્યવસ્થાએ એને જતી કરી.
અને બીજા દેશો જે આપણી ઉપર કંઈ મહેરબાન નથી એ કેટલા આગળ વધી રહ્યાં છે. ચીન અને આપણામાં કેટલું અંતર વધી ગયું છે. અને ચીનનું એકમાત્ર લક્ષ્ય છે આ વિસ્તાર પર પ્રભુત્વ મેળવવું, દુનિયા પર અધિકાર જમાવવો અને આજે એ અમેરિકાને આંખ બતાવે છે અને અમેરિકા કંઈ કરી નથી શકતું.
તો … આ બધું જોઈને ભારત વિચારે કે અમારામાં પણ બધું છે. લાયકાત છે, સાધન-સંપત્તિ છે પણ વાત જામતી નથી.
પુ. પ્ર. : પણ તમે –
અરુણ શૌરી : શું … જામે વાત.
પુ. પ્ર. : પણ આપે પહેલું વાક્ય કીધું કે … સારી તક મળી … તો તમે શું માનો છો કે સત્તા જેની પાસે હોય … બહુમતી આપવી (કે મેળવવી) શું? એ જ એક તક હોય છે કોઈને માટે.
અરુણ શૌરી : ના … એ …. પણ … એક તક હોય છે. જો પ્રજા સમજદાર હોય અને કો-એલિશન સરકાર ચલાવનાર અટલજી જેવા હોય અથવા નરસિંહરાવ જેવા હોય તો … નરસિંહરાવની સરકાર તો અલ્પસંખ્યક સરકાર હતી … લઘુમતીની સરકાર હતી તો પણ એમણે ઘણી બધી રાજકારણી બદીઓ દૂર કરી.
તો જો બધાંને સાથે લઈને ચાલવાની લાયકાત (શક્તિ) ન હોય તો …. તો પછી એક વ્યક્તિ તો પોતાનું કામ કરે, જેને બહુમત આપવામાં આવ્યો છે.
પુ. પ્ર. : તો જ્યારે એક વ્યક્તિની વાત ……. છે તે.
અરુણ શૌરી : ના, ના, એ વ્યક્તિએ તંત્ર (સંસ્થાને) મજબૂત કરવું જોઈએ કેમ કે આપણા એક ખંડ જેવા દેશને તો એક વ્યક્તિ તો ચલાવી ન શકે … તો આ જ સૌથી મોટી નિષ્ફળતા છે અને આ જ વાતનું સૌથી મોટું પરિણામ હશે.
જુઓ … શ્રીમતી ગાંધીની કેટલી મોટી સિદ્ધિ હતી … બાંગ્લાદેશને આઝાદ કરાવવાની.
પણ એમની અંત સુધી જે છાપ રહી તે એ કે એમણે લોકશાહી સંસ્થાઓને દગો દેવાનું શરૂ કર્યું. અને એમાં કૉંગ્રેસ પક્ષનો પણ સહયોગ હતો. કારણ શ્રીમતી ગાંધી સહન નહોતાં કરી શકતાં કે એમના ઉપર જાય એટલે જેમાં પણ એ પાયો દેખાય એને કાપતા.
અંતમાં … (મેં એ સમયે પણ લખ્યું હતું કે અંતમાં મેડમ એવું થશે કે “કોઈની પાસે એટલી શક્તિ નહીં હોય કે તમને નુકસાન પહોંચાડી શકે તો કોઈની પાસે એટલી તાકાત પણ નહીં હોય કે તમારી મદદ કરી શકે.”
અને જે નવા લોકોને નિયુક્ત કર્યા જેમ કે ખટ્ટર છે, ફડનવીસ છે, મારો મિત્ર સોનોવાલ છે. આવા લોકો જેમનો કોઈ રાજકીય પાયો નથી અને એ જ એમનું ક્વૉલિફિકેશન છે.
અચ્છા અને બીજી તરફ આપ જુઓ કે ઇન્વેસ્ટીગેશન ઍજન્સીનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે એ ‘કાંટા અને છરી’ હોય એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને જુઓ, સી.બી.આઈ.ને જોઈ લો, આઈ.બી.ને જોઈ લો, જે ઍજન્સી સબૂત રજૂ કરે છે એને જુઓ અને એ જ વસ્તુ વહીવટી તંત્રમાં, ચૂંટણી કમિશનમાં, ન્યાયતંત્રમાં છે.
દરેક વસ્તુને તમે યંત્ર (તમારો હાથો) માનશો તો એ સંસ્થા કઈ રીતે રહેશે … આનો હું શું ઉપયોગ કરી શકું આ વ્યક્તિનો? આ સંસ્થાનો? આ તકનો? એ જ દૃષ્ટિકોણ છે.
પુ. પ્ર. : શું આ ગંભીર સમસ્યા છે? લોકશાહીનું જે માળખું છે તેમાં આ પરિસ્થિતિ અગત્યનો ભાગ ભજવે છે. આપે સારાં નામ લીધાં ખટ્ટરનું નામ લીધું, ….. સોનોવાલનું નામ લીધું અથવા એવા જેનો કોઈ પાયો નથી તેવાઓને તમે બેસાડી દીધા છે.
પણ આપણે ત્યાં લોકશાહી તો તદ્દન રાજકીય રીતે થાય છે.
અરુણ શૌરી : હા ..
પુ. પ્ર. : નિષ્પક્ષ રીતે થતી જ નથી.
અરુણ શૌરી : ના … સર, આપે ઘણી મહત્ત્વની વાત કરી. રાજકારણ અને ગંદા રાજકારણમાં ફેર છે. કર્ણાટકમાં ચૂંટણી સમયે કયા સ્તર પર ભારતવર્ષના પ્રધાનમંત્રી વાત કરે છે … શું આને આપણે રાજકારણ માનશું? એ બસ સાબિત કરવા માંગે છે કે વાતચીત અને વ્યવહાર આવું ……… આવા શબ્દપ્રયોગ થશે, આવાં જુઠાણાં બોલાશે. એક ‘નવું નોર્મલ’ છે!
ર,૮૦,૦૦૦ આ વસ્તુ થઈ ગઈ. છાપામાં તપાસ કરો તો ૩૮,૦૦૦ જ થઈ છે. જાહેરાત ર,૮૦,૦૦૦ની અને પ કરોડની રોજગારી .. આ કોઈ પણ સરકારી કાગળો પર નથી … તો હવે, સરકારી કાગળોમાં ખરુંખોટું કરવામાં આવશે પણ એટલી રોજગારી ઊભી કરવામાં નહીં આવે.
તો … આપણને આદત પડી ગઈ છે ખોટા એન્કાઉન્ટરની, આદત પડી ગઈ છે જુઠાણાંની, આદી બનાવી દીધા છે, …. સાક્ષી પોતાનું નિવેદન આપીને પાછું ખેંચી લે … કોઈ કેસ પર કામ થશે તો કોઈ કેસ આગળ જ નહીં ચાલે .. તો આ એક માળખું સેટ થઈ રહ્યું છે, જે મારા મનમાં અને કોઈપણ વિચારનારના મનમાં ઊભું થશે કે આ દેશ માટે ઘાતક થઈ શકે છે.
પુ. પ્ર. : મારા ખ્યાલથી, મોદી પ્રધાનમંત્રી નહોતા બન્યા ત્યારે તમે એમની સાથે ઊભા હતા.
અરુણ શૌરી : હા … હા …. બિલકુલ.
પુ. પ્ર. : ચૂંટણી પ્રચાર …
અરુણ શૌરી : બિલકુલ. બિલકુલ. એમાં કોઈ શંકા નથી.
પુ. પ્ર. : તો આપના મનમાં એ વિચાર ન આવ્યો કે આ … વ્યક્તિ …
અરુણ શૌરી : ના. બિલકુલ ન આવ્યો. મેં જાહેરમાં કહ્યું છે કે મારા જીવનની આ બીજી મોટી ભૂલ છે. પહેલી, વી.પી. સિંહને ટેકો આપવાની.
પુ. પ્ર. : (હાસ્ય સાથે) અચ્છા …
અરુણ શૌરી : કેમ કે વી.પી. સિંહ સમયે મારા મિત્ર દ્વારા ચંદ્રશેખરજીએ મને ચેતવ્યો હતો.
પુ. પ્ર. : આ વખતે કોઈએ તમને ના ચેતવ્યા.
અરુણ શૌરી : ના. આ સમયે કોઈએ ન ચેતવ્યો. (ઉમેરતાં) મારી પત્ની અને સાળીઓએ જરૂરથી ચેતવ્યો હતો, કેમ કે જ્યારે અમદાવાદમાં મિટિંગ થતી હતી અને આવીને મિટિંગ વિશે જણાવતો ત્યારે એમણે કહેલું મને કે તમે એમના (મોદીના) ભૂતકાળનાં પાસાઓ તરફ જોઈ જ નથી રહ્યા એટલે એ બધું જે તે સમયની ઘટનાઓથી જાહેર થતું હતું.
પુ. પ્ર. : કેમ? ગુજરાત મૉડેલ તો દરેકના માથે હતું.
અરુણ શૌરી : હા. આ અગત્યની વાત છે કે ગુજરાત મૉડેલને આપણે બરાબર વાંચ્યું જ નથી. માત્ર પ્રોપેગેન્ડામાં જ વહી ગયા.
વિચારવાની વાત છે કે આજ કેબિનેટનું કોઈ મહત્ત્વ જ નથી. આપણે આશ્ચર્યમાં છીએ કેમ કે એ સ્તો ગુજરાત મૉડેલ હતું .. આપણે આશ્ચર્યમાં છીએ કે ભઈ .. સંસદ કામ જ નથી કરતી અને મોટા બિલને એમ જ મની બિલ કહીને મંજૂર કરવામાં આવે છે. એ સ્તો ગુજરાત મૉડેલ હતું, પોલીસોનો કેવો ઉપયોગ થશે, ઈન્ટેિલજન્સ એજન્સીનો કઈ રીતે ઉપયોગ થશે. આના પર આજે આપણે આશ્ચર્ય પામીએ છીએ એવું કેમ …? કેમ એ સ્તો ગુજરાત મૉડેલ હતું. આ પરથી માલૂમ પડે છે કે ગુજરાત મૉડેલને આપણે કોઈએ બરાબર રીતે ચકાસ્યું જ નથી.
(અરુણ શૌરી વધુમાં) અર્થતંત્રમાં પણ .. આજે હું એકરાર કરું છું કે મેં અર્થતંત્ર અને સરકારી તંત્રને ફેસ વેલ્યુ પર લીધાં હતાં અને યોગેન્દ્ર અલઘ જેવા નિષ્ણાત આ ફેસ વેલ્યુને સવાલ કરતા હતા.
તે સમયે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની ચૂક્યા હતા ત્યારે મને જાણ થઈ કે ઘણીવાર આપણે એક પરિસ્થિતિથી એટલા અસ્વસ્થ થઈ જઈએ છીએ કે ઘણી વખત જાણ્યા અને વિચાર્યા વગર જ આપણે તેના પક્ષમાં થઈ જઈએ છીએ.
પુ. પ્ર. : સંસદનું કામ ન કરવું, સુપ્રીમ કોર્ટ વિશે આપ કહો છો?
અરુણ શૌરી : (ઉમેરતાં) ઈલેક્શન કમિશન.
પુ. પ્ર. : ઈલેક્શન કમિશન, સી.બી.આઈ. છે, સુરક્ષા એજન્સી.
અરુણ શૌરી : તમે પ્લીઝ (કૃપા કરી) દર્શકોને બતાવો કે વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફે શું માંગ કરી છે, પાર્લમેન્ટ કમિટી પાસે. એમાંથી એટલું બધું કાપી લેવામાં આવ્યું છે કે હવે એમની પાસે મોડર્નાઈઝેશન માટે કંઈ છે જ નહીં.
તેઓ પગારની માંગ કરે છે.
અમે સરકારને વિનંતી કરી છે કે સુરક્ષા દળને મજબૂત કરવાની જરૂર છે અને સરકારે માત્ર કાગળો પર જ એમને ૧૪ હજાર કરોડ અને ૧૭ હજાર કરોડ આપ્યા છે પણ બજેટમાં એમને માટે એક રૂપિયો નથી.
સુરક્ષા દળની આ તો હાલત છે દેશમાં.
આ જ રીતે વિદેશયાત્રાની નીતિ જુઓ.
મેં એક અધિકારીને કહ્યું કે વિદેશમાં જવું, મેળ-મેળાપ કરવો સારો વિચાર છે. હવે એનું પરિણામ શું? એક વર્ષ થયું … ત્યારે એ અધિકારીએ મને કહ્યું .. શું? સાહેબ, શું કહ્યું પરિણામ? … આ વિદેશયાત્રા તો માત્ર એક ‘સેલ્ફી ઇવેન્ટ’ છે.
તો આજે તમે પાકિસ્તાનને ગળે મળો. એના ઘરમાં જઈ ખાવો-પીવો. બીજે જ દિવસ કહો … કે હું મારી નાખીશ.
તો આ તો કોઈ વાત નથી ને!’
પુ. પ્ર. : એક રાજનેતા તરીકે તે સ્થિતિને સમજીએ … આપણે ત્યાં ધીરે ધીરે વસ્તુ મિક્સ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પણ સરકાર સાથે મળી રહ્યા છે. સી.બી.આઈ.ને મનમોહનસિંહના સમયમાં કહેવામાં આવ્યું.
અરુણ શૌરી : બિલકુલ.
પુ. પ્ર. : ઈડી અને ઈન્કમટેક્સ.
અરુણ શૌરી : આ બધી પ્રક્રિયા ઘણી ગંભીર છે.
જુઓ, એક કહેવત છે, કોઈ વસ્તુને ઉકળતા પાણીમાં નાખો તો એક એકદમ ચોકીને ઉછળીને બહાર આવી જશે અને બચી જશે પણ જો તમે એ જ વસ્તુને ઠંડા પાણીમાં રાખશો અને ધીમે ધીમે ગરમ કરશો તો એ તેમાં જ મરી જશે.
એવું નથી કે બધું મોદીએ જ ખરાબ કર્યું.
પુ. પ્ર. : બિલકુલ.
અરુણ શૌરી : નહીં … પણ જે વસ્તુ થઈ રહી હતી તેને હવે વેગ મળી ગયો છે. અને એનું તો આપણે પરિણામ ભોગવી રહ્યા છે તો અત્યારે પણ આપણે સજાગ નહીં જઈએ અને એ જ વિચારીશું કે સાહેબ .. મનમોહનસિંહના સમયે પણ આ થતું હતું, ઈન્દિરા ગાંધીએ પણ ન્યાયતંત્ર પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ જ પરિણામ આવશે.
પુ. પ્ર. : આપણી પાસે જે વિકલ્પ છે.
અરુણ શૌરી : (રીપોર્ટરને અટકાવતાં) એક બીજી વાત કે તમને ચૂંટ્યા શા માટે? તમે શું મનમોહનસિંહ અને કૉંગ્રેસ નીતિને જ ચાલુ રાખશો. કે પછી, તમે એમનાથી જુદું કરો એટલે એવું કહ્યા કરવું કે તેઓ સંસ્થાઓનો ઉપયોગ કરતા હતા એમ અમે પણ કરીશું તો એ વાત તો ખોટી છે.
પુ. પ્ર. : આપણી જે સમસ્યા છે, આપણે ઈચ્છીએ છીએ કે આજે શું થઈ રહ્યું છે.
કર્ણાટકમાં ચૂંટણી થઈ ત્યારે શું બી.જે.પી. જીતશે કે કૉંગ્રેસ જીતશે? બધો પ્રકાશ એના પર જ હતો.
ઈડી પોતાનું કામ કરી શકશે કે એમપી ને લઈને કોઈ કામ થશે? નહીં આપણે એક મુશ્કેલીમાં છીએ. આપણું શિક્ષણ તંત્ર, આરોગ્ય તંત્ર બધું નાશ થઈ રહ્યું છે. તો રસ્તો શું? કારણ કે અમારી પાસે બીજો કોઈ ચઢિયાતો વિકલ્પ નથી.
અરુણ શૌરી : આપે મહત્ત્વની વાત કહી કે આપણે તે સમયે બસ પ્રસંગનાં પરિણામ વિશે જ વિચારતા હોઈએ છીએ. આ થશે કે આ નહીં થાય … અને મેં મારા પુસ્તકમાં લખ્યું છે કે ચીફ જસ્ટીસ જે પ્રકારે જજમેન્ટ આપે છે તેને માટે માત્ર ચીફ જસ્ટીસ એકલા જ જવાબદાર નથી … આ સંસ્થાકીય સમસ્યા છે.
પુ. પ્ર. : આપની સામે ગંભીર પરિસ્થિતિ કઈ છે?
ચાર મુખ્ય ન્યાયાધીશોનું બહાર નીકળીને કહેવું કે લોકશાહી ખતરામાં છે કે પછી ગૌમાંસના નામે લોકોને રસ્તામાં માર મારી અધમુઆ કરી નાખવું.
અરુણ શૌરી : સાહેબ, બન્ને વસ્તુ સમાન જ છે. એનું કારણ કહું તો બંધારણમાં રુટ કૉઝ જે રાજકીય માળખું છે. આપણું રાજકીય ફિલ્ટરિંગ મિકેનીઝમ (નિસ્યંદક પદ્ધતિ) એવું થઈ ગયું છે. રાજકારણમાં જે નાના લોકો છે જેઓનું ધ્યાન માત્ર દેશ પર જ છે અને જે પ્રામાણિક લોકો છે એ લોકો આ ફિલ્ટરિંગ મિકેનીઝમને કારણે સત્તા પર નથી આવી શકતા .. અને ભારતની આ મુખ્ય સમસ્યા છે.
આ પ્રક્રિયામાં કઈ રીતે લોકો આવે? કોઈના નામ પર આવે છે, લોકોને ભ્રમિત કરીને સંસદમાં આવે છે અને પછીથી લોકો નક્કી કરે છે કે કોણ હશે? પોલીસ કઈ રીતે કામ કરે. ઈન્વેિસ્ટગેશન એજન્સી પોપટ હશે કે બિલાડી હશે? આ બધું કરે છે.
તો, આ બધાનો ઉપાય શું? આપણે બધાએ ચૂંટણીપંચ અને તેને પ્રક્રિયા વિશે ફરી વિચારવું પડશે.
એવી જ રીતે વર્તન …
તમે સંસદમાં હોવ તો આપનું આચરણ કેવું રહેશે … આપ પોતાની જવાબદારી જવા દેશો? પ્રધાનમંત્રી કે મંત્રી કોઈ ખોટી વાત કહેશે તો એનું પરિણામ શું રહેશે?
જુઓ ને, ઈંગ્લેન્ડમાં કઈ રીતે ગૃહમંત્રીએ રાજીનામું આપવું પડ્યું! એમણે સંસદમાં એક નાની વાત ખોટી કહી અને જેથી એમને સંસદમાંથી જવું પડ્યું. કોઈએ બીજીવાર વિચાર્યું પણ નહીં.
અને આપણે ત્યાં રોજ જે મનમાં આવે તે કહી દો.
પુ. પ્ર. : એક આખરી સવાલ, શૌરીજી.
શું ર૦૧૯માં અમે એ જ વાતને લઈને બેસીએ .. ‘મોદી અને રાહુલ ગાંધી?’
અરુણ શૌરી : ના. આ વખતે રાહુલ ગાંધી કેન્દ્રમાં નહીં હોય. ફોકસમાં એ રીતે થઈ શકે જો એક વ્યૂહરચના બનાવે.
બી.જે.પી.ના એક ઉમેદવાર સામે માત્ર એક ઉમેદવાર હોય તો વાસ્તવિક રીતે જેનું સ્થાન જ્યાં છે તે એ સ્થાને જ નક્કી કરે. પટનાયક નક્કી કરે કે ઓરિસ્સામાં …..ને ટિકિટ આપવી કે અરુણને ટિકિટ આપવી? કોલકાત્તામાં મમતા બેનર્જી કરશે આ રીતે.
આ રીતે કો-એલિશન બનશે, સારું બનશે કે ખરાબ હું નથી જાણતો. અન્યને ઊભા રાખીએ તો પણ જીત શક્ય નહીં બને. કેમ કે આ એક સંસ્થાકીય પરિવર્તન છે જેને લાવવામાં ઘણો સમય લાગશે.
ઘણી નાની વાત હતી જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણીપંચ ઉમેદવારી પત્રમાં શિક્ષણ, લાયકાત, આવક, ગુનાઇત પ્રવૃત્તિ વગેરેની વિગત ઉમેરે ત્યારે તે સરકારમાં તમને આશ્ચર્ય થશે કે કોણે કોણે વિરોધ કર્યો. સંસદીય બાબતોના મંત્રી પ્રમોદ મહાજનનું તો નિવેદન હતું કે “આ કોણ છે … કહેવાવાળાં કોર્ટ કહે અને …. …….. જોઈએ.”
બધાંએ એટલો વિરોધ કર્યો હતો.
મેં પહેલા જ કહ્યું … આ વિરોધ દરમ્યાન મેં કહ્યું કે આમાં સુપ્રીમ કોર્ટની રાહ જોવાની શી જરૂર છે? આ બદલાવ તો આપણે કરવા જોઈએ.
અટલજીએ એ સમયે સ્મિત કરતા હતા.
પછી અન્યએ પણ વિરોધ શરૂ કર્યો. ખાસ તો મહારાષ્ટ્રના રાજનેતાઓ એક પછી એક કેટલાયે વિરોધ કર્યો … પછી અટલજી મારી સામે જોઈ કહેવા લાગ્યા કે અરુણજી સમજ્યા હશે કે કઈ મહેફિલમાં આવ્યા છે. પછી એમણે ઉમેર્યું કે મહેમાન છે જે કહે એ કરી લો.
પુ. પ્ર. : અમે એ માનીને ચાલીએ કે ર૦૧૯ બાદની મહેફિલમાં ફરી આપ હશો.
અરુણ શૌરી : ના … અમે તો પુસ્તક લખીએ છીએ પુસ્તક. પુસ્તક વાચક વાંચે છે અને મારાં ત્રણ પુસ્તકો છે. ન્યાયતંત્ર પર મને ઘણું સારું લાગે છે જ્યારે ન્યાયાધીશો કહે એ પુસ્તકને જરા ઓટોગ્રાફ (સહી) કરીને પુસ્તક આપો.
આમાં જજની ઉદારતા છે અને એની પર ગર્વ કરવો જોઈએ જજ તો ઉપર બેઠા છે. કંઈ સાંભળતા નથી કંઈ નથી .. અરે એ બીચારા સંભાળે જ છે એ પણ એટલે જ દુઃખી છે.
પુ. પ્ર. : એટલે આપ ર૦૧૯ પછી પણ પુસ્તક જ લખશો …? અમને નથી લાગતું? અમને લાગે છે તમે મહેફિલમાં આવશો.
અરુણ શૌરી : નહીં … નહીં .. પુસ્તક લખવું સરળ છે.
પુ. પ્ર. : (અરુણ શૌરી સાથે હાસ્ય સાથે હાથ મેળવીને) આપનો ખૂબ ખૂબ આભાર (ત્યાર બાદ (કેમેરા સામે જોઈને) શૌરીજીનો ગુસ્સો હોય કે આક્રોશ … આ એક નિરાશા છે મૂળ વાત, ચૂંટણી પ્રક્રિયાને બદલવાની જરૂર છે.
[અનુવાદ : દીપ્તિકા ડોડિયા]
અમૃત મોદી કૉલેજ ઑફ માસ કમ્યુિનકેશન ઍન્ડ જર્નલિઝમ, નડિયાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2018; પૃ. 04-06
આ મુલાકાત સાંભળવા અહીં આ લિંક પરે ક્લિક કરવું :