 ‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ’નો અનિલ સ્વરૂપ જાણીતો ચહેરો રહ્યા છે. તેમણે 38 વર્ષ સુધી આ સર્વિસમાં અલગ-અલગ જગ્યા પર ફરજ બજાવી અને અંતે તેઓ ભારત સરકારના સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા. તેમની આ સફરમાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો અનુભવ કેવો રહ્યો છે તે વિશે તેમણે તેમના પુસ્તક ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’માં લખ્યું છે. આ લખાણ ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયું છે. આ લખાણમાં અનિલ સ્વરૂપ લખે છે : “વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ અને છેલ્લી મુલાકાત દરમિયાન તેમના વિચાર સાથે મારા મતભેદ રહ્યા છે. આ બંને વખતે તેઓએ મારી વાત સાંભળી અને પછી મારી વાતથી સહમત થયા. અને તેથી જ તેમની આસપાસ રહેનારાઓની મેં ટીકા કરી છે કે તેઓ વડા પ્રધાનને તેમના વિચારો મુક્ત રીતે જણાવતા નથી. મેં એવું અનેક વેળાએ જોયું છે કે જ્યારે અધિકારીઓ પોતાનો જુદો દૃષ્ટિકોણ રજૂ ન કરીને ચૂપ બેસી રહેતાં હોય અથવા તો વાતોમાં જ વહી ગયા હોય. હા, મેં તેમને કેટલીક વાર અધિકારીઓ પર ગુસ્સે થતાં પણ જોયા છે. એક વખત તેમણે રેલવે બોર્ડના ચેરમેનને અન્ય સેક્રેટરીઓની સામે ઠપકો આપ્યો હતો. જો કે અહીં બાબત જુદો વિચાર રજૂ કરવાની નહોતી, બલકે તેમનું ખરાબ પર્ફોમન્સ હતું.”
‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ’નો અનિલ સ્વરૂપ જાણીતો ચહેરો રહ્યા છે. તેમણે 38 વર્ષ સુધી આ સર્વિસમાં અલગ-અલગ જગ્યા પર ફરજ બજાવી અને અંતે તેઓ ભારત સરકારના સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા. તેમની આ સફરમાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો અનુભવ કેવો રહ્યો છે તે વિશે તેમણે તેમના પુસ્તક ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’માં લખ્યું છે. આ લખાણ ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયું છે. આ લખાણમાં અનિલ સ્વરૂપ લખે છે : “વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ અને છેલ્લી મુલાકાત દરમિયાન તેમના વિચાર સાથે મારા મતભેદ રહ્યા છે. આ બંને વખતે તેઓએ મારી વાત સાંભળી અને પછી મારી વાતથી સહમત થયા. અને તેથી જ તેમની આસપાસ રહેનારાઓની મેં ટીકા કરી છે કે તેઓ વડા પ્રધાનને તેમના વિચારો મુક્ત રીતે જણાવતા નથી. મેં એવું અનેક વેળાએ જોયું છે કે જ્યારે અધિકારીઓ પોતાનો જુદો દૃષ્ટિકોણ રજૂ ન કરીને ચૂપ બેસી રહેતાં હોય અથવા તો વાતોમાં જ વહી ગયા હોય. હા, મેં તેમને કેટલીક વાર અધિકારીઓ પર ગુસ્સે થતાં પણ જોયા છે. એક વખત તેમણે રેલવે બોર્ડના ચેરમેનને અન્ય સેક્રેટરીઓની સામે ઠપકો આપ્યો હતો. જો કે અહીં બાબત જુદો વિચાર રજૂ કરવાની નહોતી, બલકે તેમનું ખરાબ પર્ફોમન્સ હતું.”
અનિલ સ્વરૂપ કેન્દ્ર સરકારમાં અને ઉત્તર પ્રદેશ સરકારમાં અલગ અલગ મહત્ત્વના પદે રહ્યા છે. તેમનો સૌથી કઠિન કાળ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે દરમિયાન હતો, ત્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં આવેલા સૌથી તંગ વિસ્તાર લખીમપુર ખેરીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતા. તેમણે આ કટોકટીમાં યોગ્ય નિર્ણય લીધા હતા અને તેથી જ તેમની નામના થઈ હતી. આ રીતે તેઓ કેન્દ્ર સરકારમાં વહિવટી પાંખમાં મુખ્ય પદાધિકારી બન્યા. વડા પ્રધાન મોદી સાથેના તેમના આગળ અનુભવ નોંધતા તેઓ લખે છે : “મીટિંગ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામાન્ય છાપ ઓછું બોલનાર તરીકેની છે. કોઈ મુદ્દાને સમજવાની તેમની સમજ સારી હતી. અને તેઓ ખૂબ જે વ્યવહારુ ઉકેલ પણ દાખવી શકતા. આ બધા માટે તેમનો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીના કાળનો અનુભવ કામ આવતો. આ રીતે મારા તેમની સાથેના પ્રોફેશનલ સંબંધ ઘનિષ્ઠ થયા હતા. જો કે તેમ છતાં હું તેમના નજદીકી અધિકારીઓમાં ગણના નહોતો પામ્યો. તેમના અને મારા વિચારમાં મતભેદ હોવા છતાં તેઓ હંમેશાં મારા વિચારને મહત્ત્વ આપતા. વડા પ્રધાન કાળના આરંભના દોરમાં તેમણે સાચી દિશામાં ડગ માંડ્યા અને અર્થતંત્ર સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે તેમ દેખાયું.”
અહીં સુધી અનિલ સ્વરૂપે વડા પ્રધાનનાં જમા પાસાં દર્શાવવામાં ક્યાં ય કચાશ કરી નથી. વડા પ્રધાન પાસે અનુભવની જે મૂડી છે તેનો ઉલ્લેખ પણ અનિલ સ્વરૂપે કર્યો છે. પણ આગળ તેઓ લખે છે કે, “પછી આ બધું અવળે માર્ગે ક્યારે અને કેવી રીતે ગયું? મારી સમજ પ્રમાણે 8 નવેમ્બર 2016ના રોજ તે દુઃખદ રાત્રીએ આ બધું બદલાયું. નોટબંધીની જાહેરાત કરવામાં આવી. 1000 અને 500ની ચલણી નોટોને રદ્દબાતલ કરી દેવામાં આવી. મારી પ્રથમ પ્રતિક્રિયા આનંદની હતી. ઉત્તર પ્રદેશમાં કામ કરતી વેળાએ મેં જોયું હતું કે કેવી રીતે મુખ્ય મંત્રી ભ્રષ્ટાચારથી રોકડ એકઠી કરતા હતા. તે મારા માટે આશ્ચર્યજનક ઘટના હતી. હું વિચારતો હતો કે આ પ્રકારના રાજકીય નેતાઓએ તેમની આવી ખોટી કમાણી કોઈ પણ રીતે ગુમાવવી જોઈએ. પરંતુ તેમ ન થયું. નોટબંધી પછી જે અણધડ આયોજન થયું તેમાં તો આવા લોકોને પોતાની સંપત્તિ પાછી મળી ગઈ. અને ખરેખર જેઓ આ પૂરી ઘટનામાં પીડિત બન્યા તે તો સામાન્ય માણસ હતો. તે પછી અર્થતંત્ર ખાડે જતું ગયું અને પછી તે ક્યારે ય સુધારા પર ન આવ્યું. આ પછી પણ ‘નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ’ને ઉત્તર પ્રદેશમાં સારી બહુમતિ મળી. અને તેનાથી જાણે આ વિનાશકારી પગલાંને રાજકીય વૈદ્યતા મળી ગઈ. હવે ભાવિ પેઢી જ નોટબંધીથી થયેલાં નુકસાનને આંકી શકશે. સંભવત્ આ સારો વિચાર હતો પણ તેનો અમલ ખરાબ રીતે થયો.”
 અનિલ સ્વરૂપે નોટબંધીની જે વાત કહી છે તેમાં તેમણે સરકારનો દોષ સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે કે તેનું અમલીકરણ યોગ્ય રીતે ન થયું અને તેનાથી સામાન્ય માણસને નુકસાન થયું, ભ્રષ્ટાચારીઓને નહીં. પછી તેઓ લખે છે કે, “પછી તો જાણે વાતાવરણ બદલાઈ ગયું. સેક્રેટરીઓનું અંતિમ વડા પ્રધાન સાથે ‘ટી સેશન’ હતું ત્યારે હું આ મનોદશા સાથે ઉપસ્થિત રહ્યો હતો. થયેલા અભ્યાસ મુજબ કેબિનેટ સેક્રેટરીઓએ આરંભમાં કેટલીક વાતો કહી. ત્યાર પછી એક ઓપન સેશન થયું જેમાં સેક્રેટરીઓએ સૂચનો આપવાના હતા. અને આખરે વડા પ્રધાનનું ભાષણ હતું. આ રીતે સૂચનો અને વિચાર મૂકવાની એક વેગળી જ પદ્ધતિ હતી. જો કે તે દિવસે કેબિનેટ સેક્રેટરી બોલ્યા પછી કોઈએ ટિપ્પણી કે સૂચન ન કર્યું. ત્યાં અસમાન્ય શાંતિ હતી. માહોલ કેવી રીતે બદલાઈ ચૂક્યો છે તે સેશનમાં જોઈ શકાતું હતું. છેલ્લે ખુદ વડા પ્રધાન ઊભા થયા અને સેક્રેટરીઓને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા. કેટલાંક બોલ્યાં, પણ હવે દેખાતું હતું કે સંવાદની પૂરી પ્રક્રિયા ગાયબ થઈ ચૂકી છે.”
અનિલ સ્વરૂપે નોટબંધીની જે વાત કહી છે તેમાં તેમણે સરકારનો દોષ સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે કે તેનું અમલીકરણ યોગ્ય રીતે ન થયું અને તેનાથી સામાન્ય માણસને નુકસાન થયું, ભ્રષ્ટાચારીઓને નહીં. પછી તેઓ લખે છે કે, “પછી તો જાણે વાતાવરણ બદલાઈ ગયું. સેક્રેટરીઓનું અંતિમ વડા પ્રધાન સાથે ‘ટી સેશન’ હતું ત્યારે હું આ મનોદશા સાથે ઉપસ્થિત રહ્યો હતો. થયેલા અભ્યાસ મુજબ કેબિનેટ સેક્રેટરીઓએ આરંભમાં કેટલીક વાતો કહી. ત્યાર પછી એક ઓપન સેશન થયું જેમાં સેક્રેટરીઓએ સૂચનો આપવાના હતા. અને આખરે વડા પ્રધાનનું ભાષણ હતું. આ રીતે સૂચનો અને વિચાર મૂકવાની એક વેગળી જ પદ્ધતિ હતી. જો કે તે દિવસે કેબિનેટ સેક્રેટરી બોલ્યા પછી કોઈએ ટિપ્પણી કે સૂચન ન કર્યું. ત્યાં અસમાન્ય શાંતિ હતી. માહોલ કેવી રીતે બદલાઈ ચૂક્યો છે તે સેશનમાં જોઈ શકાતું હતું. છેલ્લે ખુદ વડા પ્રધાન ઊભા થયા અને સેક્રેટરીઓને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા. કેટલાંક બોલ્યાં, પણ હવે દેખાતું હતું કે સંવાદની પૂરી પ્રક્રિયા ગાયબ થઈ ચૂકી છે.”
 અનિલ સ્વરૂપ તેમના પદ મુજબ મોઘમ રીતે ટીકા કરી છે અને સાથે-સાથે તેમાં ઘટનાઓને સરસ રીતે વણી લીધી છે. તેઓ વહિવટી અધિકારી તરીકે રહ્યા છતાં જ્યાં કહેવા જેવું લાગ્યું છે ત્યાં તેઓ અભિવ્યક્ત થયા છે. તેમની આ અનુભવોને એટલે જ તેમણે પુસ્તકરૂપે પણ મૂક્યા છે. તેમણે બે પુસ્તક લખ્યા છે. તેમાંથી એક છે : ‘એથિકલ ડાઇલેમા ઑફ અ સિવિલ સર્વન્ટ્સ’ અને બીજું પુસ્તક છે : ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’. આગળ તેઓ આ લેખમાં વર્તમાન સરકારની કેટલીક સારી બાબતોનો ઉલ્લેખ કર્યો છે : “આ સરકારે અનેક ક્ષેત્રોમાં ખૂબ સરસ કામ કર્યાં છે; જેમ કે નેશનલ હાઇવેઝ, ગ્રામ્ય હાઉસિંગ, ગ્રામિણ વીજળીકરણ, રાંઘણગેસ અને ડિજિટલ પેમેન્ટ્સમાં. અને આ જ કારણે તેમને રાજકીય ડિવિડન્ડ મળ્યું છે. આ જે થયું છે તેની ક્રેડિટ જો સરકાર લે છે તો તે યોગ્ય છે. પરંતુ કમનસીબે, તે કેટલીક એવી બાબતોની ક્રેડિટ લે છે જે તેમણે કર્યું જ નથી. મને સ્વતંત્રતા દિવસનું ભાષણ યાદ છે જ્યારે વડા પ્રધાને યોગ્ય દાવાઓ કર્યા નહોતા. તેમાંથી એક હતો કે તેમણે ‘પ્રોજેક્ટ મોનિટરીંગ ગ્રૂપ’ સ્થાપ્યું છે. ખરેખર તે પાછલી સરકારના કાર્યકાળમાં થયેલું કામ છે. હવે જ્યારે તેમની પાસે સાચા દાવાઓ કરી શકે તેવી અનેક બાબતો છે ત્યારે તેઓ કેમ ખોટા દાવાઓ કરે છે.”
અનિલ સ્વરૂપ તેમના પદ મુજબ મોઘમ રીતે ટીકા કરી છે અને સાથે-સાથે તેમાં ઘટનાઓને સરસ રીતે વણી લીધી છે. તેઓ વહિવટી અધિકારી તરીકે રહ્યા છતાં જ્યાં કહેવા જેવું લાગ્યું છે ત્યાં તેઓ અભિવ્યક્ત થયા છે. તેમની આ અનુભવોને એટલે જ તેમણે પુસ્તકરૂપે પણ મૂક્યા છે. તેમણે બે પુસ્તક લખ્યા છે. તેમાંથી એક છે : ‘એથિકલ ડાઇલેમા ઑફ અ સિવિલ સર્વન્ટ્સ’ અને બીજું પુસ્તક છે : ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’. આગળ તેઓ આ લેખમાં વર્તમાન સરકારની કેટલીક સારી બાબતોનો ઉલ્લેખ કર્યો છે : “આ સરકારે અનેક ક્ષેત્રોમાં ખૂબ સરસ કામ કર્યાં છે; જેમ કે નેશનલ હાઇવેઝ, ગ્રામ્ય હાઉસિંગ, ગ્રામિણ વીજળીકરણ, રાંઘણગેસ અને ડિજિટલ પેમેન્ટ્સમાં. અને આ જ કારણે તેમને રાજકીય ડિવિડન્ડ મળ્યું છે. આ જે થયું છે તેની ક્રેડિટ જો સરકાર લે છે તો તે યોગ્ય છે. પરંતુ કમનસીબે, તે કેટલીક એવી બાબતોની ક્રેડિટ લે છે જે તેમણે કર્યું જ નથી. મને સ્વતંત્રતા દિવસનું ભાષણ યાદ છે જ્યારે વડા પ્રધાને યોગ્ય દાવાઓ કર્યા નહોતા. તેમાંથી એક હતો કે તેમણે ‘પ્રોજેક્ટ મોનિટરીંગ ગ્રૂપ’ સ્થાપ્યું છે. ખરેખર તે પાછલી સરકારના કાર્યકાળમાં થયેલું કામ છે. હવે જ્યારે તેમની પાસે સાચા દાવાઓ કરી શકે તેવી અનેક બાબતો છે ત્યારે તેઓ કેમ ખોટા દાવાઓ કરે છે.”
“હવે હું સિવિલ સર્વન્ટ્સમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છું ત્યારે મને આશ્ચર્ય થાય છે કે સરકારે જે કરવું જોઈએ તે કેમ નથી કરી શકતી.” તે વિશે સ્વરૂપ વડા પ્રધાને સંસદમાં જે નિવેદન આપ્યું હતું તે ટાંક્યું છે. તે નિવેદન હતું : “સબ કુછ બાબુ હી કરેંગે. આઈ.એ.એસ. બન ગયે મતલબ વોહ ફર્ટિલાઈઝર કા કારખાના ભી ચલાયેગા. યે કૌન સી બડી તાકત બના કર રખ દી હમને? બાબુઓ કે હાથ મેં દેશ દે કરકે હમ ક્યા કરને વાલે હૈ?” સ્વરૂપ હવે પોતાના મુદ્દા મૂકે છે : “કેમ તેમણે આવું નિવેદન આપ્યું? વ્યંગની રીતે જોઈએ તો પણ તેમણે તે વાત તથ્યની રીતે સાચી નથી. કોઈ પણ કિસ્સામાં દેશના વડા પ્રધાન નક્કી કરી શકે છે કે સૌથી ઉપરના સ્તરે શું કરવું જોઈએ. પછી તેઓ કેમ ફરિયાદ કરે છે? વડા પ્રધાન ખુદની ઓફિસ પણ આઈ.એ.એસ.થી સંચાલિત થાય છે. અને તેઓ પોતે જ રિઝર્વ બેન્કના ગવર્નર અને અન્ય મહત્ત્વની જગ્યાએ આઈ.એ.એસ.ની નિમણૂંક કરે છે. તેમણે અગાઉ ક્યારે.ય આ રીતે ગુસ્સો ઠાલવ્યો નથી. તેમને એ બાબતનો ખ્યાલ નથી કે તેમના આ એક નિવેદનથી અનેક યુવાન અધિકારીઓનો ઉત્સાહને ઠેસ પહોંચી છે.”
અનિલ સ્વરૂપના પુસ્તકમાં આવા રોચક અનેક કિસ્સા છે અને તેમણે આ કિસ્સાઓ સાથે સરકારોનો અને સાથે સાથે નેતાઓનું આકલન સરસ રીતે મૂકી આપ્યું છે.
e.mail : kirankapure@gmail.com
 


 ખૂબ જાણીતા મનોચિકિત્સક સિગમંડ ફ્રોઇડ પણ યુદ્ધવિરોધી હતા અને તેમણે આ વિશે આલ્બર્ટ આઇનસ્ટાઇનને એક પત્ર લખ્યો છે, જે જાણીતો છે; જેમાં યુદ્ધ શા માટે? તેવો પ્રશ્ન ઊભો કરીને તેની ભયાનકતા તેમાં આલેખી હતી. આ પત્ર ‘વિશ્વમાનવ’ સામયિકમાં, 1959ના નવેમ્બરના અંકમાં, પ્રકાશિત થયો છે. તેમાં સિગમંડ ફ્રોઈડ આઇનસ્ટાઇનને લખે છે : “આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, ને હિંસા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે, એ સત્ય જો ભૂલી જઈશું તો આપણે આપણા તર્કમાં એક પગથિયું ચૂકી ગયા એમ ગણાશે.” સિગમંડ ફ્રોઇડે યુદ્ધનો પ્રશ્ન રાજકીય ગણાવ્યો છે, પણ તેમણે આ પત્રમાં માનવજાતના ચાહક તરીકે આઇનસ્ટાઇનને જવાબ આપ્યો છે. તેઓ લખે છે : “પ્રત્યેક માણસને યુદ્ધની મહામારીનો ચેપ આટલી સહેલાઈથી શી રીતે લગાડી શકાતો હશે? ને તમને લાગે છે કે, માણસ આવા ચેપનો આટલા જલદી ભોગ થઈ પડે છે, તેનું કારણ એ હોવું જોઈએ કે એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને ક્રૂરતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ. જે તક મળતાં જ વિફરી ઊઠે છે.” સિગમંડ ફ્રોઇડ મનોચિકિત્સક છે અને તે માણસનું દિમાગ અન્ય કરતાં સારી રીતે પારખે છે તેથી તેઓ એવું સ્વીકારે છે કે “માણસજાતમાં રહેલી આ આક્રમક વૃત્તિઓને આપણે કોઈ રીતે કચડી નાખી શકવાના નથી. માણસની આક્રમક વૃત્તિઓને કચડી નાખવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આપણે જો કંઈ કરવા વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ વાળવી શી રીતે?”
ખૂબ જાણીતા મનોચિકિત્સક સિગમંડ ફ્રોઇડ પણ યુદ્ધવિરોધી હતા અને તેમણે આ વિશે આલ્બર્ટ આઇનસ્ટાઇનને એક પત્ર લખ્યો છે, જે જાણીતો છે; જેમાં યુદ્ધ શા માટે? તેવો પ્રશ્ન ઊભો કરીને તેની ભયાનકતા તેમાં આલેખી હતી. આ પત્ર ‘વિશ્વમાનવ’ સામયિકમાં, 1959ના નવેમ્બરના અંકમાં, પ્રકાશિત થયો છે. તેમાં સિગમંડ ફ્રોઈડ આઇનસ્ટાઇનને લખે છે : “આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, ને હિંસા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે, એ સત્ય જો ભૂલી જઈશું તો આપણે આપણા તર્કમાં એક પગથિયું ચૂકી ગયા એમ ગણાશે.” સિગમંડ ફ્રોઇડે યુદ્ધનો પ્રશ્ન રાજકીય ગણાવ્યો છે, પણ તેમણે આ પત્રમાં માનવજાતના ચાહક તરીકે આઇનસ્ટાઇનને જવાબ આપ્યો છે. તેઓ લખે છે : “પ્રત્યેક માણસને યુદ્ધની મહામારીનો ચેપ આટલી સહેલાઈથી શી રીતે લગાડી શકાતો હશે? ને તમને લાગે છે કે, માણસ આવા ચેપનો આટલા જલદી ભોગ થઈ પડે છે, તેનું કારણ એ હોવું જોઈએ કે એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને ક્રૂરતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ. જે તક મળતાં જ વિફરી ઊઠે છે.” સિગમંડ ફ્રોઇડ મનોચિકિત્સક છે અને તે માણસનું દિમાગ અન્ય કરતાં સારી રીતે પારખે છે તેથી તેઓ એવું સ્વીકારે છે કે “માણસજાતમાં રહેલી આ આક્રમક વૃત્તિઓને આપણે કોઈ રીતે કચડી નાખી શકવાના નથી. માણસની આક્રમક વૃત્તિઓને કચડી નાખવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આપણે જો કંઈ કરવા વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ વાળવી શી રીતે?” તે પછી ફ્રોઇડે તેને લગતા ઉકેલ આપ્યા છે. જેમ કે તેમણે કહ્યું છે કે, “જો આક્રમક ને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને – અર્થાત્ સર્જનની વૃત્તિને આપણે હાથમાં લેવી જોઈએ.” તે પછી ફ્રોઇડે સત્તાના દુરોપયોગ ન થાય, સ્વતંત્ર વિચાર કરી શકતાં હોય તેવું મોકળું મેદાન મળે તેવી તરફેણ કરી છે. પણ અંતે તેઓ આ સિવાયના કોઈ ઝડપી માર્ગ નથી તેમ કહે છે. જો કે તેમને યુદ્ધની આ વાસ્તવિકતા ખબર હોવા છતાં તેઓ યુદ્ધનો વિરોધ ઉગ્ર રીતે પ્રગટ કરતા હતા. તે વિશે લખતાં તેઓ કહે છે : “આપણા જીવનની બીજી અનેક ઘૃણાજનક વાસ્તવિકતાઓનો આપણે મૂંગા મૂંગા સ્વીકારી લઈએ છીએ, તેમ આનો ય સ્વીકાર કેમ નથી કરી લેતા? એ રીતે જોવા જઈએ તો આ પણ એક કુદરતી વૃત્તિઓનું, જીવશાસ્ત્રના નક્કર પાયા પર ઊભેલી ને લગભગ અનિવાર્ય એવી વૃત્તિઓનું જ પરિણામ છે.”
તે પછી ફ્રોઇડે તેને લગતા ઉકેલ આપ્યા છે. જેમ કે તેમણે કહ્યું છે કે, “જો આક્રમક ને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને – અર્થાત્ સર્જનની વૃત્તિને આપણે હાથમાં લેવી જોઈએ.” તે પછી ફ્રોઇડે સત્તાના દુરોપયોગ ન થાય, સ્વતંત્ર વિચાર કરી શકતાં હોય તેવું મોકળું મેદાન મળે તેવી તરફેણ કરી છે. પણ અંતે તેઓ આ સિવાયના કોઈ ઝડપી માર્ગ નથી તેમ કહે છે. જો કે તેમને યુદ્ધની આ વાસ્તવિકતા ખબર હોવા છતાં તેઓ યુદ્ધનો વિરોધ ઉગ્ર રીતે પ્રગટ કરતા હતા. તે વિશે લખતાં તેઓ કહે છે : “આપણા જીવનની બીજી અનેક ઘૃણાજનક વાસ્તવિકતાઓનો આપણે મૂંગા મૂંગા સ્વીકારી લઈએ છીએ, તેમ આનો ય સ્વીકાર કેમ નથી કરી લેતા? એ રીતે જોવા જઈએ તો આ પણ એક કુદરતી વૃત્તિઓનું, જીવશાસ્ત્રના નક્કર પાયા પર ઊભેલી ને લગભગ અનિવાર્ય એવી વૃત્તિઓનું જ પરિણામ છે.” એ રીતે જાણીતાં શિક્ષણવિદ્ અને સાહિત્યકાર રસેલ બર્નાન્ડે પણ યુદ્ધવિરોધી જાગૃતિ લાવવા ખાસ્સા પ્રયાસ કર્યા હતા. સાહિત્યમાં નોબલ સન્માન મેળવનારા રસેલે હિટલર સામે જંગ છેડવાનું અનિવાર્ય લાગ્યું હતું. તેમને લાગતું હતું કે હિટલર જેવાને ડામવા ભલે યુદ્ધ કરવું પડે. જો કે તેઓ પૂરું જીવન યુદ્ધવિરોધી રહ્યા. તેઓ હિટલરના, સ્ટાલિનવાદના વિરોધી રહ્યા, જેમાં સામ્રાજ્ય ફેલાવવાનો મુખ્ય ધ્યેય હતો. આ ઉપરાંત તેઓ વિયેતનામ યુદ્ધને લઈને અમેરિકાના વિરોધી પણ રહ્યા. વિશ્વમાંથી અણુશસ્ત્રો નાબૂદ થવા જોઈએ તે માટે તેમણે આંદોલન ચલાવ્યું હતું. 1945ના વર્ષમાં તેમણે ‘ધ બોમ્બ એન્ડ સિવિલાઇઝેન’ નામનો એક લેખ લખ્યો હતો. જેમાં તેમણે પરમાણુ બોમ્બની ઘાતકતા વિશે વિગતે ચર્ચા કરી છે. પરમાણુ બોમ્બમાં વપરાતાં યુરેનિયમ વિશે તેઓ લખે છે : “યુરેનિયમ એકાએક ખૂબ જ કિંમતી પદાર્થ બની ચૂક્યો છે. અને હવે દેશો ઓઇલના બદલામાં યુરેનિયમ વિશે લડતાં પણ દેખાશે. હવે પછીના યુદ્ધમાં જો પરમાણુ બોમ્બ બંને પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાશે તો તમામ મોટાં શહેરો નેસ્તનાબૂદ થશે, અને એ રીતે જ તમામ વૈજ્ઞાનિક લેબોરેટરીઝ અને સરકારી કેન્દ્રો પણ ધ્વસ્ત થશે. સમૂહમાં રહેતી પ્રજા વેરવિખેર થશે, અને ફરી પાછાં આપણે પાષાણ યુગમાં પાછા ધકેલાશું, જ્યાં કોઈ પણ એટોમિક બોમ્બ બનાવવાની નિપુણતા નહીં ધરાવતા હોઈએ.” ટૂંકમાં રસેલ પરમાણુ બોમ્બથી શું નુકસાન થઈ શકે છે તેનું ચિત્ર આ લેખમાં બતાવ્યું છે.
એ રીતે જાણીતાં શિક્ષણવિદ્ અને સાહિત્યકાર રસેલ બર્નાન્ડે પણ યુદ્ધવિરોધી જાગૃતિ લાવવા ખાસ્સા પ્રયાસ કર્યા હતા. સાહિત્યમાં નોબલ સન્માન મેળવનારા રસેલે હિટલર સામે જંગ છેડવાનું અનિવાર્ય લાગ્યું હતું. તેમને લાગતું હતું કે હિટલર જેવાને ડામવા ભલે યુદ્ધ કરવું પડે. જો કે તેઓ પૂરું જીવન યુદ્ધવિરોધી રહ્યા. તેઓ હિટલરના, સ્ટાલિનવાદના વિરોધી રહ્યા, જેમાં સામ્રાજ્ય ફેલાવવાનો મુખ્ય ધ્યેય હતો. આ ઉપરાંત તેઓ વિયેતનામ યુદ્ધને લઈને અમેરિકાના વિરોધી પણ રહ્યા. વિશ્વમાંથી અણુશસ્ત્રો નાબૂદ થવા જોઈએ તે માટે તેમણે આંદોલન ચલાવ્યું હતું. 1945ના વર્ષમાં તેમણે ‘ધ બોમ્બ એન્ડ સિવિલાઇઝેન’ નામનો એક લેખ લખ્યો હતો. જેમાં તેમણે પરમાણુ બોમ્બની ઘાતકતા વિશે વિગતે ચર્ચા કરી છે. પરમાણુ બોમ્બમાં વપરાતાં યુરેનિયમ વિશે તેઓ લખે છે : “યુરેનિયમ એકાએક ખૂબ જ કિંમતી પદાર્થ બની ચૂક્યો છે. અને હવે દેશો ઓઇલના બદલામાં યુરેનિયમ વિશે લડતાં પણ દેખાશે. હવે પછીના યુદ્ધમાં જો પરમાણુ બોમ્બ બંને પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાશે તો તમામ મોટાં શહેરો નેસ્તનાબૂદ થશે, અને એ રીતે જ તમામ વૈજ્ઞાનિક લેબોરેટરીઝ અને સરકારી કેન્દ્રો પણ ધ્વસ્ત થશે. સમૂહમાં રહેતી પ્રજા વેરવિખેર થશે, અને ફરી પાછાં આપણે પાષાણ યુગમાં પાછા ધકેલાશું, જ્યાં કોઈ પણ એટોમિક બોમ્બ બનાવવાની નિપુણતા નહીં ધરાવતા હોઈએ.” ટૂંકમાં રસેલ પરમાણુ બોમ્બથી શું નુકસાન થઈ શકે છે તેનું ચિત્ર આ લેખમાં બતાવ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સૈનિક તરીકે હિસ્સો હેન્રી પેચનું એક કોટ અત્યારે વાઇરલ થયું છે. તેઓ કહે છે કે, “યુદ્ધ એ સામૂહિક હત્યા છે, તે સિવાય બીજું કશું નહીં.” આ રીતે યુદ્ધની નિરર્થકતા અનેક સૈનિકોએ પણ અનુભવી છે. 2004માં એક કાર્યક્રમમાં હેન્રી પેચે કહ્યું હતું કે, “યુદ્ધનો અંત આવ્યો ત્યારે મને ખ્યાલ ન આવ્યો કે અમે વિજયી થયા એટલે હું નિરાંતમાં હતો કે પછી હવે મારે પાછું યુદ્ધભૂમિ પર નથી જવું તે કારણે. પાશ્ચેન્ડેલમાં ભીષણ યુદ્ધ થયું હતું. હજારો યુવાનોને મેં મોતને ભેટેલા જોયા. આ બધાથી હું ખૂબ ગુસ્સે થયો. હું ત્યારે જર્મનીના એક સૈનિક સાથે હાથ મીલાવવા ગયો. આ મારી લાગણી છે. અત્યારે તે જર્મન સૈનિક ચાર્લ્સ કુએન્ડઝ 107 વર્ષના છે અને આજે યુદ્ધ વિશે વિચારીએ ત્યારે યુદ્ધનો અર્થ અમે જાણીએ છીએ. મારા માટે, તે એક પરવાનો છે જેનાથી હત્યાઓ કરી શકાય. કેમ મને બ્રિટિશ સરકાર બોલાવીને એવી યુદ્ધભૂમિમાં લડવા માટે મોકલે છે અને એવા વ્યક્તિને મારવાનું કહે છે જેને હું ક્યારે ય મળ્યો નથી, હું તેને જાણતો નથી, હું તેની ભાષા જાણતો નથી. આ બધા જ પોતાનું જીવન હોમી દે છે અને પછી યુદ્ધનો અંત ટેબલ પર આવે છે. અને આ બધાનો મતલબ શું છે?” બેશક એક સૈનિકને યુદ્ધની નિરર્થકતા અલગ કારણસર લાગતી હશે, પણ તે નિરર્થક છે તેટલું ચોક્કસ.
પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સૈનિક તરીકે હિસ્સો હેન્રી પેચનું એક કોટ અત્યારે વાઇરલ થયું છે. તેઓ કહે છે કે, “યુદ્ધ એ સામૂહિક હત્યા છે, તે સિવાય બીજું કશું નહીં.” આ રીતે યુદ્ધની નિરર્થકતા અનેક સૈનિકોએ પણ અનુભવી છે. 2004માં એક કાર્યક્રમમાં હેન્રી પેચે કહ્યું હતું કે, “યુદ્ધનો અંત આવ્યો ત્યારે મને ખ્યાલ ન આવ્યો કે અમે વિજયી થયા એટલે હું નિરાંતમાં હતો કે પછી હવે મારે પાછું યુદ્ધભૂમિ પર નથી જવું તે કારણે. પાશ્ચેન્ડેલમાં ભીષણ યુદ્ધ થયું હતું. હજારો યુવાનોને મેં મોતને ભેટેલા જોયા. આ બધાથી હું ખૂબ ગુસ્સે થયો. હું ત્યારે જર્મનીના એક સૈનિક સાથે હાથ મીલાવવા ગયો. આ મારી લાગણી છે. અત્યારે તે જર્મન સૈનિક ચાર્લ્સ કુએન્ડઝ 107 વર્ષના છે અને આજે યુદ્ધ વિશે વિચારીએ ત્યારે યુદ્ધનો અર્થ અમે જાણીએ છીએ. મારા માટે, તે એક પરવાનો છે જેનાથી હત્યાઓ કરી શકાય. કેમ મને બ્રિટિશ સરકાર બોલાવીને એવી યુદ્ધભૂમિમાં લડવા માટે મોકલે છે અને એવા વ્યક્તિને મારવાનું કહે છે જેને હું ક્યારે ય મળ્યો નથી, હું તેને જાણતો નથી, હું તેની ભાષા જાણતો નથી. આ બધા જ પોતાનું જીવન હોમી દે છે અને પછી યુદ્ધનો અંત ટેબલ પર આવે છે. અને આ બધાનો મતલબ શું છે?” બેશક એક સૈનિકને યુદ્ધની નિરર્થકતા અલગ કારણસર લાગતી હશે, પણ તે નિરર્થક છે તેટલું ચોક્કસ.
 આવવું પડ્યું. હવે ક્યિવમાં પણ રશિયાનો હૂમલો થયો અને તેને યુક્રેનના જ અન્ય શહેર લવિવમાં સ્થળાંતરિત થવું પડ્યું છે. ક્યિવથી લખેલી ડાયરીમાં ઝાકીદા લખે છે : “હું મારા શરીરના દરેક ભાગમાં પીડા અનુભવી રહી છું. ગત રાત્રીએ એર રેડ સાઇરન વાગી ત્યારે મેં તેની કોઈ જ પ્રતિક્રિયા આપી નહોતી. મેં કશું જ સાંભળ્યું નહોતું કારણ કે હું સૂઈ ગઈ હતી. મારી મમ્મી, મારી અને મારી અગિયાર વર્ષની દીકરીની સંભાળ રાખી રહી હતી. આ કઠિન સમયમાં મારી માતા મને હિંમત આપી રહી છે. હું તેના શબ્દો હંમેશાં યાદ રાખું છું કે આ સમય પણ પસાર થઈ જશે. તે મને કહે છે કે ઘોર રાત્રી પછી હંમેશાં પરોઠ થાય છે. અને જ્યારે આપણો એક દરવાજો બંધ થાય છે ત્યારે અલ્લાહ બીજા દરવાજા ઉઘાડે છે. એ ભૂલીશ નહીં કે બધા જે કંઈ કરી રહ્યા છે તે અલ્લાહ નિહાળી રહ્યો છે. તે જાણે છે કે તમારો આત્મા શા કારણે રડે છે.”
આવવું પડ્યું. હવે ક્યિવમાં પણ રશિયાનો હૂમલો થયો અને તેને યુક્રેનના જ અન્ય શહેર લવિવમાં સ્થળાંતરિત થવું પડ્યું છે. ક્યિવથી લખેલી ડાયરીમાં ઝાકીદા લખે છે : “હું મારા શરીરના દરેક ભાગમાં પીડા અનુભવી રહી છું. ગત રાત્રીએ એર રેડ સાઇરન વાગી ત્યારે મેં તેની કોઈ જ પ્રતિક્રિયા આપી નહોતી. મેં કશું જ સાંભળ્યું નહોતું કારણ કે હું સૂઈ ગઈ હતી. મારી મમ્મી, મારી અને મારી અગિયાર વર્ષની દીકરીની સંભાળ રાખી રહી હતી. આ કઠિન સમયમાં મારી માતા મને હિંમત આપી રહી છે. હું તેના શબ્દો હંમેશાં યાદ રાખું છું કે આ સમય પણ પસાર થઈ જશે. તે મને કહે છે કે ઘોર રાત્રી પછી હંમેશાં પરોઠ થાય છે. અને જ્યારે આપણો એક દરવાજો બંધ થાય છે ત્યારે અલ્લાહ બીજા દરવાજા ઉઘાડે છે. એ ભૂલીશ નહીં કે બધા જે કંઈ કરી રહ્યા છે તે અલ્લાહ નિહાળી રહ્યો છે. તે જાણે છે કે તમારો આત્મા શા કારણે રડે છે.”