Opinion Magazine
Number of visits: 9450450
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તબીબોના સામાજિક દાયિત્વનો સવાલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 February 2020

તબીબી શિક્ષણમાં સામાજિક નિસબત, દાયિત્વ, મૂલ્યો અને સમભાવને જોડવામાં આવે તો સેવાને વરેલો આ વ્યવસાય વધુ સફળ બની શકશે.

ભારતમાં ૧,૬૬૮ અને ગુજરાતમાં ૧,૦૦૦ વ્યક્તિએ એક ડોકટર છે. આશરે સાડા છ કરોડની વસ્તીના આપણા રાજ્યમાં ૬૬,૯૪૪ રજિસ્ટર્ડ ડોકટર છે. દેશના કુલ ૨૫,૭૪૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી ૧,૪૯૪ ડોકટર વિનાના છે. તેમાંના દસ ટકા ગુજરાતના છે. ગુજરાતના ૧,૪૭૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી ૧૦૦માં એક પણ ડોકટર નથી. છેલ્લા પાંચ વરસમાં રાજ્યમાં ૮૪૮ બોગસ ડોકટરો હોવાની ફરિયાદો મળી હતી અને તેની તપાસ કરતાં ૧૯૮ બોગસ ડોકટરો પકડાયા હતા. બેરોજગારીને કારણે ગુજરાત હાઈકોર્ટની પટાવાળાની જગ્યા માટે એમ.બી.બી.એસ. અને ડોકટરની અન્ય ડિગ્રી ધરાવતી ૧૯ વ્યક્તિઓએ ઉમેદવારી કરી હતી, તેમાંથી ૭ પસંદ થઈ છે. પરસ્પર વિરોધી લાગતી આ હકીકતો એક કટુ વાસ્તવ છે અને તે આરોગ્યનાં ક્ષેત્રે કેવું અનારોગ્ય પ્રવર્તે છે તેનું દ્યોતક છે.

ડોકટર થવા માટે જરૂરી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવવા માટે દેશમાં વરસે ૮૦,૦૦૦ વિધ્યાર્થીઓને પ્રવેશ મળે છે. આ પૈકીની અડધી બેઠકો ખાનગી મેડિકલ કોલેજોની છે. ખાનગી મેડિકલ કોલેજોની ૪૦,૦૦૦ બેઠકોની અડધી એટલે કે ૨૦,૦૦૦ બેઠકોની ફી કેન્દ્રીય નિયમો મુજબ લેવાય છે અને બાકીની ૨૦,૦૦૦ બેઠકો એકથી ત્રણ કરોડ રૂપિયાની ફીથી ભરાય છે. ડોકટરોની ભારે અછત ધરાવતા દેશમાં મોટા શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં તો તબીબી સેવાઓ મળી રહે છે પણ ગ્રામીણ ક્ષેત્રોમાં, ખાસ કરીને દૂરના ગામડાંઓમાં અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાનાં નામે મીંડું છે. સરકારો મેડિકલ કોલેજો અને બેઠકો વધારવાની વાતો કરે છે પરંતુ દેશમાં તમામ વ્યક્તિને ગુણવત્તા લક્ષી આરોગ્ય સેવા મળી રહે તે બાબત સ્વપ્નવત છે.

સરકારી મેડિકલ કોલેજોમાં ઓછી ફી ભરીને ભણેલા ડોકટરો ગ્રામીણ વિસ્તારોમાં તેમની સેવાઓ સ્વૈચ્છિક ધોરણે આપે તેવું બનતું નથી, એટલે ગુજરાત સહિતની રાજ્ય સરકારોએ નિયમો બનાવવા પડ્યા છે. ગુજરાત સરકારને સરકારી મેડિકલ કોલેજમાં એક તબીબને તૈયાર કરવામાં ૨૦થી ૩૦ લાખનો ખર્ચ થાય છે. તેના બદલામાં સરકાર તે અમુક વરસો ગ્રામીણ વિસ્તારમાં સેવા આપે તેવી અપેક્ષા રાખે છે. સરકારના આરોગ્ય વિભાગે એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવેલ વ્યક્તિ ફરજિયાત ત્રણ વરસ ગામડાંમાં સેવા આપે અથવા રૂ.પાંચ લાખના બોન્ડ આપે એવો ઠરાવ કર્યો હતો. સેવાને વરેલા તબીબી કોલેજોના વિધ્યાર્થીઓને આ નિયમ બહુ કઠતો હતો એટલે તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એપ્રિલ ૨૦૧૯માં હાઈહોર્ટના સિંગલ જજના એક ચુકાદામાં, “સરકારને ગ્રામીણ વિસ્તારોમાં ડોકટરો મેળવવાની મુશ્કેલી “કબૂલ રાખીને, પાંચ લાખના બોન્ડની શરતના ઠરાવને ગેરબંધારણીય, મનસ્વી અને અન્યાયી ઠેરવવામાં આવ્યો હતો. સરકારે આ જજમેન્ટને ડિવિઝન બેન્ચ સમક્ષ પડકારતાં છ મહિના પછી બે જજીસની બેન્ચે સરકારને રાહતરૂપ ચુકાદો આપ્યો. બોન્ડનો સરકારી નિયમ તબીબી વ્યવસાયના એથિક્સનો ભાગ હોવાનું જણાવીને, સરકાર જો ડોકટર્સ તૈયાર કરવા પ્રજાના કરવેરાના કરોડો રૂપિયા ખર્ચતી હોય તો ડોકટર્સની અછતના આ જમાનામાં ડોકટર્સનું દાયિત્વ બને છે કે તે ગામડાંઓમાં ફરજ બજાવે, તેમ પણ વડી અદાલતે જણાવ્યું હતું.

હાઈકોર્ટના આ રોકડા ચુકાદા બાદ ડોકટર વિના તરફડતા, રિબાતા અને ક્યારેક મરતાં  ગરીબ ગ્રામીણોને બદલે આપણી દયાળુ ગુજરાત સરકારને બાપડા ડોકટરોની દયા આવી !  તેણે તબીબી વિધ્યાર્થીઓના વાલીઓની, ‘ત્રણ વરસ ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવવાની મુદ્દત બહુ લાંબી અને આકરી છે’, તેવી અરજ સ્વીકારી લીધી. અને ગામડાંઓમાં ફરજ બજાવવાની મુદ્દત ઘટાડીને એક જ વરસની કરી દીધી ! જો કે સરકારને ન્યાય કરવા કહેવું પડે કે તેણે બદલામાં બોન્ડની પાંચ લાખની શરત યથાવત રાખીને બીજા ૧૫ લાખની બેન્ક ગેરન્ટી લેવાની શરત ઉમેરી દીધી છે. એટલે હવે જો કોઈ ડોકટરને એક વરસ પણ ગામડાંમાં ન જવું હોય તો તેણે સરકારને વીસ લાખ રૂપિયા ચુકવવા પડશે.

સેવાને વરેલા તબીબો પરનો ગ્રામીણ વિસ્તારમાં ફરજિયાત સેવા આપવાનો બોન્ડનો સરકારી ગાળિયો કેટલો નિષ્ફળ રહ્યો છે તે એ હકીકત પરથી પુરવાર થાય છે કે સપ્ટેમ્બર ૨૦૧૮ની સ્થિતિએ તબીબી અભ્યાસ પૂર્ણ કરીને ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવવાની શરતનો ભંગ કરીને ૨૧૯ ડોકટર્સ વિદેશ જતા રહ્યા છે. તેમની પાસેથી બોન્ડની માત્ર ૨.૯૪ કરોડ રૂપિયાની જ વસૂલાત થઈ શકી છે. હજુ ૨૧.૩૧ કરોડ રૂપિયાની બહુ મોટી રકમ વસૂલવાની બાકી છે. ૨૦૧૪થી ૨૦૧૮ના પાંચ વરસોમાં ૨,૪૩૬ ડોકટરોએ બોન્ડની શરતોનો ભંગ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ફરજ બજાવી નથી. તેમની પાસેથી પણ ૨૬ કરોડ ૯૪ લાખ રૂપિયા વસૂલ કરવાના બાકી છે.

ગુજરાતની આરોગ્ય સેવાની કંગાલિયત સુવિધા અને ડોકટર વિનાના દવાખાનાઓની આંકડાકીય વિગતોથી ઉજાગર થાય છે. ગુજરાતના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ૩૫૪ ફિજિશિયન, ૩૩૨ સર્જન, ૩૧૫ ગાયનેકોલોજિસ્ટ્, ૩૩૩ પેડિયાટ્રીસ્ટ, અને ૧૫૩ જનરલ ડોકટરની જગ્યાઓ ખાલી છે. નર્સિંગ સ્ટાફની ૮૫૫, લેબ ટેકનિશિયનની ૧૭૯ અને મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની ૧,૭૯૪ જગ્યાઓ ખાલી છે. દેશની ૭૨,૦૦૦ સરકારી હોસ્પિટલોમાંથી ૬૧ %માં મહિલા માટે અને ૩૮ %માં સ્ટાફ માટે ટોયલેટની સુવિધા નથી. આવી હોસ્પિટલોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સાથે ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ વરસના કેન્દ્રીય અંદાજપત્રમાં દેશના તમામ જિલ્લામાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે મેડિકલ કોલેજો સ્થાપવાની અને તેને સરકારી જિલ્લા હોસ્પિટલ્સ સાથે જોડવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર આમ કરીને આરોગ્ય સેવાના ક્ષેત્રમાંથી પોતાની જવાબદારી ખેંચી રહી છે. નેશનલ હેલ્થ એન્ડ ફેમિલી સર્વેમાં નબળી ગુણવત્તા, પ્રતિકૂળ સમય અને ડોકટરની અછતને કારણે ૫૬% શહેરી અને ૪૯% ગ્રામીણ લોકોને ખાનગી આરોગ્ય સેવા સાથે પનારું પાડવું પડે છે. ખાનગી હોસ્પિટલ્સની મોંઘી સારવાર તેમના પર દેવાના ડુંગર ખડકે છે. અને તેઓ ગરીબીની ખાઈમાં વધુ ઊંડા ઉતરે છે. સરકાર તેનો ઉકેલ શોધી, સરકારી દવાખાનાંઓને વધુ સુવિધાવાળાં, સક્ષમ અને ગુણવત્તાસભર બનાવવાને બદલે ખાનગીકરણનો ગરીબવિરોધી આસાન રસ્તો લે છે. ભારત સરકાર સરકાર આરોગ્ય માટે દુનિયામાં સૌથી ઓછો ખર્ચ કરે છે. દુનિયાના દેશો જી.ડી.પી.ના ૬% આરોગ્ય પાછળ ખર્ચે છે જ્યારે ભારત માત્ર ૧.૪ % ખર્ચ કરે છે. હવે તેમાં પણ ઘટાડો થતો જાય છે. દેશના કુલ જી.ડી.પી.નો માંડ એક ટકો જ ખર્ચ થાય છે. આ સ્થિતિ પણ ચિંતાજનક છે..

ભારતીય બંધારણના આમુખમાં દર્શાવેલ સ્વતંત્રતા અને સમાનતા તો કાયદાથી સ્થાપિત થઈ શક્યાં છે, પરંતુ જેમ બંધુત્વ કાયદાથી સ્થાપિત કરી શકાતું નથી તેમ સામાજિક નિસબત, દાયિત્વ, સમભાવ અને સેવા પણ કાયદાના ડરથી વ્યક્તિમાં સ્થાપિત કરી શકાતાં નથી. તબીબી વ્યવસાયની અનેક ઊણપો છતાં ગુજરાતમાં અને દેશમાં સેવાભાવી તબીબોની પણ ખોટ નથી. પરદેશની દોમદોમ સાહ્યબી છોડીને સુવિધાહીન અંતરિયાળ, પછાત અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્યની ધૂણી ધખાવી બેઠેલા તબીબો પણ છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલજના ભૂતપૂર્વ છાત્રોએ ગરીબ તબીબી છાત્રોને દત્તક લીધાના તાજેતરના જ સમાચાર છે. આ જ કોલેજમાં મુન્નાભાઈ એમ.બી.બી.એસ. જેવી ફિલ્મોની ક્લીપ અભ્યાસક્રમના ભાગરૂપે દર્શાવીને તબીબી વિધ્યાર્થીઓમાં સંવેદના રોપવાના પ્રયાસ થઈ રહ્યો છે. માહિતી કે જ્ઞાન આધારિત તબીબી શિક્ષણમાં સક્ષમતા સાથે દાયિત્વ, મૂલ્યો, અને સંવેદનાને જોડવામાં આવી રહ્યાં છે. પાંચ કે વીસ લાખના સરકારી બોન્ડના ડર કરતાં આ પ્રયાસો સફળ થવાની શક્યતાઓ વધુ છે.

(તા.૧૨-૦૨-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 12 ફેબ્રુઆરી 2020 

Loading

12 February 2020 admin
← Manufacturing Hate and Violence: Anurag Thakur’s ‘Shoot the Traitors’
હવે સમય આવી ગયો છે કે બી.જે.પી. આ પરાજયના સંકેતો સમજવાનો પ્રયાસ કરે →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved