આપણા વડા પ્રધાન ત્રણ નેતાઓની લાંબી લીટી ભૂંસી, પોતાની ટૂંકી લીટી લાંબી દેખાડવાની સતત કોશિશ કરે છે. નકલ કરે છે, પણ મેળ પડતો નથી !
[Illustration courtesy : The Print]
પ્રથમ છે, જવાહરલાલ નેહરુ. તેમની આંતરરાષ્ટ્રીય છબિને નાની કરવા વડા પ્રધાને અનેક દેશોની યાત્રા કરી. પરંતુ એ સમજી શક્યા નહીં કે નેહરુ વિદેશમાં જઈને ‘અબ કી બાર ટ્રમ્પ’ જેવી મૂર્ખતા કરતા ન હતા ! નેહરુ કોર્પોરેટ મિત્રોને ઠેકો મળે તે માટે વિદેશ યાત્રા કરતા ન હતા ! નેહરુ ભારત નિર્માણ માટે લાગેલા હતા. નેહરુ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા. વડા પ્રધાન તો વૈજ્ઞાનિક અભિગમને સાવ ફાલતું સમજે છે ! વડા પ્રધાને કહ્યું હતું કે ‘વાદળાં છે અને તેમાં આપણું ફાઈટર વિમાન રડારમાં દેખાશે નહીં, એટલે એટેક કરવાનો મોકો છે !’ વડા પ્રધાને 5 મે 2023ના રોજ, કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર સભામાં કહ્યું કે “કાઁગ્રેસ સતામાં આવશે તો બજરંગ બલિ હનુમાનની પૂજા કરતા બજરંગદળ પર પ્રતિબંધ મૂકશે !” આમાં કોઈ તર્ક ખરો? 1984માં બનેલા બજરંગ દળની સરખામણી, સદીઓથી પૂજાતા બજરંગ બલિ સાથે કરી શકાય? વડા પ્રધાનને ગણેશજીમાં કોસ્મેટિક સર્જરી દેખાય છે ! બંધારણનાં આર્ટિકલ- 51A (h) મુજબ “દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે તે વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ, જિજ્ઞાસા અને સુધારણાની ભાવના કેળવે.” નેહરુમાં આ ભાવના હતી, વડા પ્રધાનમાં તો બધું વિપરીત જોવા મળે છે ! નેહરુ આધુનિકતાવાદી હતા; જ્યારે વડા પ્રધાન revivalist-પુનરુત્થાનવાદી છે. નેહરુ Harmony-સંવાદિતાના માસ્ટર હતા; જ્યારે વડા પ્રધાન Polarisation-ધ્રુવીકરણના માસ્ટર છે ! એટલે નેહરુને આંબી શકવાની કોઈ શક્યતા જ નથી. નફરત ફેલાવવી સહેલી છે, સમજણ રોપવાનું કામ અઘરું છે. અઘરું કામ નેહરુએ કર્યું હતું.
બીજા છે, ઇન્દિરા ગાંધી. બાંગ્લાદેશ દેશ યુદ્ધને ભૂંસી નાખવા વડા પ્રધાને સર્જીકલ સ્ટ્રાઈક કરી ! પરંતુ ઇન્દિરાજી જેવી ઈમેજ બનાવી ન શક્યા !
ત્રીજા છે, ગાંધીજી. ગાંધીજીની સાદગી કરતાં પોતાની ફકીરી મહાન છે, તેવું દેખાડવાની કોશિશ કરી. સંન્યાસી બની હિમાલય જઈ તપસ્યા કરવાની વાત કરી ! પણ વચ્ચે 10 લાખનો સૂટ આવી ગયો ! કોર્પોરેટ મિત્રો તથા કોર્પોરેટ ધર્મ ધર્મગુરુઓ વચ્ચે આવીને ફકીરી છીનવી ગયા !
ગાંધીજી / નેહરુ / ઇન્દિરાજી પ્રેસથી ડરતા ન હતાં; પણ આપણા વડા પ્રધાન પ્રેસથી ફફડે છે, તેથી દરબારી-ગોદી મીડિયાની હજારો કોશિશ છતાં; રોજે કરોડો રુપિયા ખર્ચ કરવા છતાં; વડા પ્રધાનની છબિ મોટી બનતી નથી ! મહાન કાર્યો કરવાથી મહાન છબિ બનતી હોય છે; નફરત ફેલાવવાથી છબિ ક્યારે ય મોટી બની શકે નહીં !
શું ગાંધીજી / નેહરુ / ઇન્દિરાજીએ ક્યારે ય નફરત ફેલાવી હતી?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર