Opinion Magazine
Number of visits: 9509555
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સદ્‌ગત ધીરુ પરીખ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 May 2021

૧૯૩૩થી ૨૦૨૧ : પૂરાં ૮૭-૮૮ વરસનું પૂર્ણાયુષ ભોગવી આપણા અપ્તરંગી વિદ્યાવ્યાસંગી ધીરુ પરીખ ગયા. ચમકદમક અને તડક-ભડક વગર અધ્યાપન-લેખન-સંપાદન, નંદાદીપની ધૃતિપૂર્વક એમણે આજીવન કર્યાં.

તુલનાત્મક સાહિત્યમાં એમની ગતિ, વિશ્વસાહિત્યમાં એમનો પ્રવેશ. આમ તો, કવિ તરીકે સુપ્રતિષ્ઠ, કુમાર ચંદ્રકે પુરસ્કૃત અને ‘કવિલોક’નું દાયિત્વ વહન કરનાર. પરંપરિત માત્રામેળ રચનાઓથી જાણીતા થવા લાગેલા એ સાચું, પણ એમનો પ્રવેશ વાર્તાસંગ્રહથી થયેલો એ તો હવે ઇતિહાસવસ્તુ છે. ‘રાસયુગમાં પ્રકૃતિનિરુપણ’ પર ડૉક્ટરેટ કરનાર ધીરુભાઈ તમને નિષ્કુળાનંદથી માંડી એલિયટની સૃષ્ટિ સુધી આંગળી ઝાલી ફેરવી શકે. ઠાવકા અલબત્ત, પણ અખાની ઢબે અકેકું અંગ લઈ છપ્પે ચડે ત્યારે તમને એમની સર્જકતા અને મિજાજનો એક જુદો જ પરિચય થઈ આવે.

‘પરમેશ્વરને મારી પછી પથ્થર સ્થાપ્યો’ જેવી, શું કહીશું-જ્વલંત? – પંક્તિ આપનાર ધીરુભાઈએ એમના સેવ્ય વિષયોને અનુષંગે પોતીકી તરેહની કર્મશીલતા પણ સતત દાખવી. ૧૯૯૦થી એમણે ‘કુમાર’ના પુનર્જીવનનું કાર્ય ઉપાડ્યું (લગભગ એ જ અરસામાં આ લખનારને શિરે ‘અખંડ આનંદ’ના દ્વિજ અવતારનું દાયિત્વ આવ્યું.) અને હા, ખાસ વાત. બચુભાઈ રાવતના અવતારકાર્ય સમી જે બુધસભા, એ સાહિત્ય પરિષદને સોંપાઈ તેનું દાયિત્વ એમણે પ્રતિબદ્ધપણે આજીવન સંભાળ્યું.

સચ્ચિદાનંદ સન્માન, રણજિતરામ સુવર્ણચંદ્રક બધું ખરું પણ આ ક્ષણે, મને લાગે છે, એમની છેલ્લી ઈનિંગ્ઝનો – એક અર્થમાં ‘સેકન્ડ કમિંગ’નો મારે વિશેષોલ્લેખ કરવો જોઈએ. ૨૦૦૭માં નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્ય પરિષદે ગાંધીનગર અધિવેશનમાં સ્વાયત્તતાનો પ્રસ્તાવ પારિત કર્યો ત્યારે હજુ આશાનું એક અંજીરપાંદ તો હતું; કેમ કે અકાદમી આગળ ચાલતાં ચુંટાયેલા પ્રમુખ હસ્તક કાર્યરત થશે એવી અપેક્ષા ઊભી હતી. પણ ૨૦૧૫ના એપ્રિલમાં સરકારે પેરેશુટ પ્રમુખનો રાહ લીધો અને બંધારણીય પ્રક્રિયાને સરેઆમ રૂખસદ આપી ત્યારે લગભગ કોઠે પડી ગયેલી એવી એક અનવસ્થા ગુજરાતના સાહિત્યપ્રતિષ્ઠાનમાં હતી. એની વચ્ચે, સ્વતંત્રપણે જો કે સ્વાયત્તતા માટેનો અવાજ નહોતો એમ નથી. પણ આ અવાજનું ૨૦૧૫ના એ નિર્ણાયક ગાળામાં પરિષદના અધ્યક્ષ તરીકે ધીરુભાઈએ પ્રગટ સમર્થન કર્યું એમાં એમનું જે વિત્ત પ્રગટ થયું તે લાંબો સમય યાદ રહેશે. આ વાનું જેમ ઇતિહાસદર્જ છે તેમ એમાં સાથેનાઓ અને પછીનાઓ માટે દાયિત્વબોધ પણ રહેલો છે.

અલવિદા ધીરુભાઈ ! 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 16

Loading

14 May 2021 admin
← ‘પહેલી વારના વાચનનો હરખ’
સ્વપ્નભ્રમ, સ્વપ્નભંગ →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved