Opinion Magazine
Number of visits: 9504444
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રાસની રાસલીલા

અભિજિત વ્યાસ|Opinion - Opinion|30 May 2021

રાધેશ્યામ શર્મા આપણી ભાષાના એક અગ્રગણ્ય સર્જક છે અને એમણે સાહિત્યનાં લગભગ બધાં જ સ્વરૂપોમાં સર્જનકાર્ય કર્યું છે. નવલકથા, વાર્તા, વિવેચન, ચરિત્રલેખન, ભાષાંતર, સંપાદન અને  કવિતાઓનાં એમનાં અનેકવિધ પુસ્તકો પ્રગટ થયાં છે. કવિતાના જ એમના આઠ જેટલા સંગ્રહો છે, જેમાં એક અંગ્રેજી કવિતાનો સંગ્રહ પણ આવી જાય. ૧૯૬૩માં એમનો પહેલો કાવ્યસંગ્રહ ’આંસુ અને ચાંદરણું’ પ્રગટ થયેલો, ત્યારથી તેઓ સાતત્યપૂર્વક કાવ્યસર્જન કરતા રહ્યા છે. એમનો છેલ્લો અને આઠમો કાવ્યસંગ્રહ ’પ્રાસની રાસલીલા’ ર૦૧૯માં પ્રગટ થયો છે. સર્જન ક્ષેત્રે પ્રયોગશીલ સર્જક તરીકે તેઓ જાણીતા છે. એમના આ છેલ્લા કાવ્યસંગ્રહ વિષે થોડું મિતાક્ષરી –

કવિતામાં અને ખાસ કરીને ગઝલમાં પ્રાસનું મહત્ત્વ અનેરું છે. મુશાયરામાં કે સુગમસંગીતના કાર્યક્રમમાં પ્રાસ જ શ્રોતાઓને બાંધી રાખે છે. આ પ્રાસ ગળચટા હોય છે. શ્રોતાઓની દાદ મેળવવા માટે એ કદાચ મહત્ત્વના હશે, પણ અન્યથા એ લપસણો માર્ગ છે. કવિઓએ એનાથી બચવું રહ્યું. રાધેશ્યામ શર્મા તો મુખ્યત્વે અછાંદસ લખે છે. એટલે પ્રાસનું મહત્ત્વ છંદોબદ્ધ કૃતિઓને માટે જેટલું મહત્ત્વનું છે, તેટલું અછાંદસ કવિતાઓને માટે નહીં. તો પણ અછાંદસમાં પ્રાસને લયબદ્ધતા જાળવવા માટે કેટલાક કવિઓ અપનાવે છે. સંગ્રહના નિવેદન ’આંતરિક લયની પ્રયોગશીલ પ્રાસયાત્રા’માં તેઓ લખે છે, ’પ્રાસ વગર છંદોબદ્ધ કૃતિઓ કે ક્યારેક અછાંદસ રચનાઓનું નિર્વહણ ક્યારે ય થયું નથી, થશે પણ નહીં.(પૃ. પ).

કવિતા એ આમ તો લીલા જ છે. અને કવિતામાં પ્રાસ તો હોય જ છે. પણ અહીં તો ’પ્રાસની રાસલીલા’ છે. એટલે કે કવિએ સર્જનની લીલાને રાસલીલાની જેમ સર્જી છે. એટલે વાચકે પણ તેને લીલાની જેમ વાંચવાની. અછાંદસ કવિતામાં તેનું સ્ટ્રક્ચર અત્યંત મહત્ત્વનું હોય છે. એટલે કે છંદમાં આપણે જેને માત્રામેળ કહીએ છીએ, તેમ અછાંદસમાં પંક્તિઓની રજૂઆત કઈ રીતે થઈ છે, તેના આધારે કવિતા સર્જાય છે. અન્યથા એ એક સ્ટેટમેન્ટ (વિધાન) થઈ જાય. એટલે કૃતિની રચનાનો આકાર અત્યંત મહત્ત્વનો છે. અને કવિએ એ આકારમાં જ લીલા કરીને રાસલીલાનું સર્જન કર્યું. એક કવિતા ’શાહી’(૬૦)ની લીલાને જોઈએ –

  ખડિયે
  ખૂટી
  તૂટી
  એની
  બૂટી
  નહીં
  તહીં
  કલમ
  ટટ્ટાર
  થઈ
  લટાર
  મારવા
  પાર્ક
  બાગમાં
  ગઈ
  જ્યાં
  છુપાયેલા
  ચોરને
  એકલા
  મોરે
  ટેહૂક
  ગાઈ
  ભગાડી
  મૂક્યા 

(પૃ. ૩૯)

રાધેશ્યામ શર્મા સાહિત્યમાં પ્રયોગ કરવાના સાહસવીર છે. ’પ્રાસની રાસલીલા’ એ સાહસનું સર્જન છે.

’પ્રાસની રાસલીલા’ – કવિ રાધેશ્યામ શર્મા : પ્રકાશક : રન્નાદે પ્રકાશન : મૂલ્યઃ રૂ. ૮૦/-

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 14

Loading

30 May 2021 admin
← શું રસીકરણ તંદુરસ્તીની સાચી દિશા છે?
પેટ્રોલ- ડીઝલનો ભાવ વધારો લોકોને પરવડતો/નડતો નથી … →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved