Opinion Magazine
Number of visits: 9463313
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી મુદ્રણ, ભાષા અને લિપિ

દીપક મહેતા|Opinion - Literature|15 July 2014

આજે આપણને છાપેલું લખાણ વાંચવાની એવી ટેવ પડી ગઈ છે કે આપણે ત્યાં મુદ્રણ આવ્યું તે પહેલાંની સ્થિતિની કલ્પના કરવાનું પણ આજે આપણે માટે મુશ્કેલ છે. પણ ૧૭૯૭ પહેલાં ગુજરાતી મુદ્રણની સગવડ જ નહોતી. એટલું જ નહીં, ૧૭૯૭માં ગુજરાતી મુદ્રણની શરૂઆત થઈ તે પણ આજના ગુજરાત રાજ્યમાં આવેલા કોઈ સ્થળે નહીં. એ વખતે ગુજરાતીભાષી, મરાઠીભાષી અને બીજા કેટલાક પ્રદેશોનો સમાવેશ મુંબઈ ઇલાકામાં થતો હતો અને બોમ્બે પ્રેસિડન્સી તરીકે ઓળખાતા આ ઇલાકાનું પાટનગર હતું બોમ્બે, આજનું મુંબઈ.

ત્યાં ૧૭૯૨માં બોમ્બે કુરિયર નામનું અંગ્રેજી અખબાર શરૂ થયું. એ બોમ્બે કુરિયરના ૧૭૯૭ના જાન્યુઆરી ૨૯ના અંકમાં પહેલીવાર ગુજરાતીમાં લખાયેલો મજકૂર મુદ્રિત રૂપે પ્રગટ થયો. એ લખાણ હતું એક સરકારી જાહેર ખબરનું. આ લખાણ છાપવા માટેનાં ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં બહેરામજી છાપગરે. ૧૭૫૪ના અરસામાં સુરતમાં તેમનો જન્મ. ૧૭૯૦માં મુંબઈ આવી લુક ઍશબર્નરના બોમ્બે કુરિયરના પ્રેસમાં કમ્પોઝિટર તરીકે જોડાયા. એમણે આ પહેલો ગુજરાતી મજકૂર છાપવા માટેનાં બીબાં બનાવ્યાં. આ પહેલા મુદ્રિત લખાણમાં ગુજરાતી અક્ષરો પર હિંદી – મરાઠીની જેમ શિરોરેખા જોવા મળે છે પણ એ જ વર્ષના જુલાઈ ૨૨ના અંકમાં છપાયેલી બીજી એક સરકારી જાહેર ખબરમાં અક્ષરો પરની શિરોરેખા દૂર થયેલી જોવા મળે છે. આગલી જાહેર ખબર કરતાં આ બીજી જાહેર ખબરમાં વપરાયેલાં બીબાંના અક્ષરો વધુ સુડોળ બન્યા છે. શિરોરેખા વગરના આ અક્ષરો મહાજન લિપિ તરીકે ઓળખાયા અને ત્યારથી આજ સુધી ગુજરાતી મુદ્રણ માટે આ લિપિ જ વાપરવામાં આવે છે.

અલબત્ત, વખત જતાં તેમાં કેટલાક ફેરફાર થયા છે. ગુજરાતી અક્ષરોનાં આ પહેલ વહેલાં બીબાં બહેરામજી છાપગરે જ બનાવેલાં એમ ખાતરીપૂર્વક કઇ રીતે કહી શકાય ? ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે બહેરામજીનું અવસાન થયું ત્યારે જે મૃત્યુનોંધ છપાયેલી તે પારસી પ્રકાશ (પુસ્તક ૧, પાનું ૯૭) આ પ્રમાણે હતી.: “બહેરામજી જીજીભાઈ છાપગર. ઉંમર વરસ ૫૦. એવણ સુરતથી ઇ.સ. ૧૭૯૦ને આશરે શેઠ નસરવાનજી જમશેદજી દાંતારાની સાથે મુંબઈ આવ્યા હતા અને અત્તરેનું બોમ્બે કુરિયર પતર કે જે મિ. લુક ઍશબરનરની માલિકીમાં હતું તેમાં કમ્પોઝિટર તરીકે રહયા હતા. મિ.ઍશબરનરે એવણ પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં. આથી પારસીઓમાં પહેલવહેલા અંગ્રેજી કંપોઝિટર તથા ગુજરાતી બીંબા ઓટનાર તરીકે એવણ જણાયેલા છે.” (ભાષા જોડણી મૂળ પ્રમાણે)

મુંબઈના જે બોમ્બે કુરિયર પ્રેસમાં ૧૭૯૭માં પહેલીવાર ગુજરાતી મજકૂર છપાયો તે જ પ્રેસમાં છપાઈને ૧૮૦૮માં પહેલુંવહેલું ગુજરાતી પુસ્તક બહાર પડયું. એ પુસ્તકનું લાંબુલચક નામ હતું : ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટસ ઑફ ધ ગુજરાતી મરહટ્ટ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ.’ નામ જ સૂચવે છે તેમ આ પુસ્તક ત્રિભાષી હતું. આ પુસ્તકમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં છે તે બહેરામજીએ બનાવેલાં તે જ બીબાં હોય તેમ અક્ષરો સરખાવી જોતાં લાગે છે. અલબત્ત, બહેરામજીનું તો ૧૮૦૪માં અવસાન થયેલું. એટલે આ પુસ્તકનો ગુજરાતી મજકૂર તેમણે કમ્પોઝ કર્યો ન હોય. આ પુસ્તક તે મુંબઈમાં છપાયેલું પહેલું મરાઠી પુસ્તક પણ છે. તેના લેખક હતા એક અંગ્રેજ ડૉ.રોબર્ટ ડ્રમન્ડ. વ્યવસાયે સરકારી સર્જન. આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની પુરોગામી સંસ્થા લિટરરી સોસાયટી ઑફ બોમ્બેની ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ સ્થાપના થઈ ત્યારના તેના સ્થાપકોમાંના એક હતા ડૉ. ડ્રમન્ડ. આ પુસ્તક પ્રગટ થયું તે પછીના વર્ષે તેઓ સ્વદેશ જવા મુંબઈથી રવાના થયા. પણ તેમનું વહાણ અધવચ્ચે ડૂબી જતાં ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખે ‘લોસ્ટ એટ સી’ એવી નોંધ સાથે બોમ્બે આર્મીના નોકરિયાતોની યાદીમાંથી તેમનું નામ દૂર કરવામાં આવ્યું.

(વધુ હવે પછી ક્યારેક)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2014

Loading

15 July 2014 admin
← Hind Swaraj vs Hindu Rashtra
એક સ્મરણ – નોંધ : બાબુભાઈ રાણપુરા … →

Search by

Opinion

  • ઝુબિન ગર્ગ અને ડૉ. હિમા સાને : જીવનની મર્યાદા મનની મર્યાદા નથી
  • GSTમાં રાહત આભાસી છે …?
  • સત્યનો અવાજ દબાવવો એટલે લોકશાહીની હત્યા !
  • વાંચનનો વ્યાયામ : પુસ્તકો વાંચતા લોકો બે વર્ષ લાંબુ જીવે છે!
  • લદ્દાખની લડતઃ શાસન સામે સ્વાયત્તતા, ગૌરવ અને રાજકારણનો જંગ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved