Opinion Magazine
Number of visits: 9448629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતપ્રેમી અંગ્રેજ અમલદાર

દીપક મહેતા|Opinion - Literature|9 July 2014

ક્યાં લંડન, ક્યાં બોમ્બે (એ વખતનું પ્રચલિત નામ), ક્યાં અમદાવાદ, ક્યાં પૂના! આજે તો દુનિયા નાની થઈ ગઈ છે એટલે આ શહેરો બહુ દૂર ન લાગે. પણ ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં? એમનો જન્મ લંડનમાં, ૧૮૨૧ના જુલાઈની સાતમી તારીખે. આજે એ વાતને ૧૯૩ વર્ષ થયાં. માત્ર ૪૪ વર્ષની વયે ૧૮૬૫ના ઓગસ્ટની ૩૧મી તારીખે પૂનામાં અવસાન.

જીવનનો મોટો ભાગ વીત્યો અમદાવાદ, સુરત, મુંબઈ, અને તે વખતના બોમ્બે પ્રેસિડન્સીનાં બીજાં શહેરોમાં. એમનું નામ એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સ. પણ ગુજરાતીઓમાં જાણીતા થયા કવિ દલપતરામે આપેલા ફાર્બસસાહેબના નામે. હતા તો કંપની સરકારના અમલદાર, પણ હતા ગુજરાત અને ગુજરાતી ભાષા-સાહિત્યના પરમ ચાહક અને હિતેચ્છુ. સ્વદેશમાં સિવિલ સર્વિસમાં જોડાયા પછી હિન્દુસ્તાન આવ્યા અને ૧૮૪૬ના નવેમ્બરમાં અમદાવાદ ગયા અને ભોગીલાલ માસ્તર પાસે ગુજરાતી શીખવાનું શરૂ કર્યું. પણ પછી ભોળાનાથ સારાભાઈની ભલામણથી દલપતરામને વાર્ષિક ૨૪૦ રૂપિયાના પગારથી નોકરીમાં રાખી લીધા. આ પગારની રકમ સરકારી તિજોરીમાંથી નહોતી ચૂકવાતી. ફાર્બસ પોતાની આવકમાંથી ચૂકવતા હતા. દલપતરામ પાસે ગુજરાતી શીખવા ઉપરાંત ગુજરાતનાં સાહિત્ય, સંસ્કૃિત, લોકજીવન, વિષે જાણવા લાગ્યા. ગુજરાતી શીખવાની ફાર્બસની ચીવટ અંગે દલપતરામે લખ્યું છે : ‘શબ્દે શબ્દનો અને અક્ષરે અક્ષરનો અર્થ તે સાહેબ મને પૂછી લેતા. કઠણ શબ્દ હોય તેનો અર્થ અંગ્રેજીમાં લખી લેતા’.

ફાર્બસ અમદાવાદ પહોંચ્યા ત્યારે અમદાવાદની, બલકે ગુજરાતની દશા કેવી હતી? મનસુખરામ ત્રિપાઠી લખે છે : ‘સરસ્વતી બંધનમાં બંધાઈ ભોંયરા રૂપી બંદીશાળામાં પડેલી! જેને સુગડ પંડિતો સેવે તેને કનિષ્ઠ કીટોએ – ઉધઇએ – સેવવા માંડેલી. ગુજરાતમાં જ્યાં ત્યાં અક્ષરશત્રુ વિના બીજું કોઈ દીઠામાં જ આવે નહિ.’ આવા વાતાવરણમાં બીજા કેટલાક અંગ્રેજ અમલદારોને સાથે રાખીને ફાર્બસે ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. અર્વાચીનતાનો પ્રકાશ ફેલાવનારી ગુજરાતની એ પહેલવહેલી સંસ્થા. શિક્ષણ, સાહિત્ય, પુસ્તકપ્રકાશન, વર્તમાનપત્રનું તથા સામયિકનું પ્રકાશન, વગેરે કંઈ કેટલીયે અર્વાચીન યુગની નિશાનીઓની માંડણી ફાર્બસે આ સંસ્થા દ્વારા કરી.

૧૮૫૦ના એપ્રિલની ૧૫મી તારીખે ફાર્બસની બદલી સુરત થઈ તો ત્યાં તેમણે સુરત અષ્ટાવિન્શી સોસાયટી શરૂ કરી, સુરત સમાચાર નામનું અખબાર શરૂ કરાવ્યું, એન્ડ્રુઝ લાયબ્રેરીનો આરંભ કરાવ્યો. પણ તેમની સૌથી મોટી અને મહત્ત્વની કામગીરી તો મ્યુિનસિપલ એક્ટ સામેનો લોકોનો વિરોધ દૂર કરાવી એ કાયદાનો અમલ સફળતાપૂર્વક કરાવ્યો તે ગણાય. આ માટે તેમણે દલપતરામ અને દુર્ગારામ મહેતાનો સાથ લીધો. આજે જેને સ્ટ્રીટ કોર્નર મિટીંગ કહીએ છીએ તેવી સભાઓ સુરતમાં ઠેર ઠેર ભરી. લોકોની વાત સાંભળી અને તેમને સરકારની વાત સમજાવી. તેમની આ કામગીરી માટે ખાસ આભાર માનતો પત્ર બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નરે ફાર્બસને મોકલ્યો હતો. આ ઉપરાંત કાઠિયાવાડમાં પણ વાઘેરોનો બળવો શમાવવા અંગે ફાર્બસે કળથી કામ લીધેલું. ગુનેગારી પ્રવૃત્તિઓમાંથી તેમને પાછા વાળવા માટે વાઘેરો માટે કામગીરીની કેટલીક તકો ઊભી કરેલી.

ફાર્બસે ગુજરાત અને તેનાં ભાષા-સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃિત, વગેરેનો ઊંડો અભ્યાસ કરેલો તે માત્ર નિજાનંદ ખાતર નહિ. એ અભ્યાસ પછી અંગ્રેજીમાં તેમણે ‘રાસમાળા’ નામનું મોટું પુસ્તક લખ્યું. એ લખવા ખાતર જ નોકરીમાંથી રજા લઈ તેઓ ૧૮૫૪ના માર્ચમાં સ્વદેશ પાછા ગયેલા. રિચર્ડસન બ્રધર્સના પ્રેસમાં છપાઈને ૧૮૫૬માં બે ભાગમાં ‘રાસમાળા’ પુસ્તક અંગ્રેજીમાં પ્રગટ થયું. તેની એક ખાસ વિશિષ્ટતા એ છે કે ગુજરાતના ઇતિહાસ માટે માત્ર મુસ્લિમ સાધનોનો ઉપયોગ કરવાને બદલે સ્થાનિક બોલીઓમાં લખાયેલ રાસા, પ્રબંધ, કથા-વાર્તા, સ્થાનિક લેખો જેવાં સાધનોનો તેમણે વ્યાપક ઉપયોગ કર્યો. પરિણામે રાજપૂતયુગ વિશેની ઘણી નવી વાતો બહાર લાવી શક્યા. ગુજરાત વિષે અંગ્રેજીમાં લખાયેલું આ પહેલું પુસ્તક.

૧૮૬૧માં ફાર્બસની બદલી મુંબઈ થઈ. ૧૮૬૨માં બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ ત્યારે ગ્રેટ બ્રિટનની રાણી દ્વારા છ ન્યાયાધીશોની નિમણૂક થઈ હતી. ફાર્બસ આ છ ન્યાયાધીશોમાંના એક હતા. ત્યાર બાદ તેઓ બોમ્બે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, બેમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી (હાલની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના ઉપ્રમુખ, અને જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના પ્રમુખ પણ બન્યા. મનસુખરામ ત્રિપાઠી, રેવરંડ ધનજીભાઈ નવરોજી, વગેરેની મદદથી ફાર્બસે ૧૮૬૫ના માર્ચની ૨૫મી તારીખે મુંબઈમાં ‘ગુજરાતી સભા’ની સ્થાપના કરી. પણ તે પછી થોડા જ વખતમાં તેઓ ગંભીર માંદગીમાં સપડાયા. આરામ અને હવાફેર કરવા માટે મુંબઈથી પૂના ગયા. અને ત્યાં જ તેમનું અવસાન થયું. ત્યાર બાદ તેમણે સ્થાપેલી ‘ગુજરાતી સભા’નું નામ બદલી ‘ફાર્બસ ગુજરાતી સભા’ કરવામાં આવ્યું. ફાર્બસને પોતાને લાંબુ આયુષ્ય ન મળ્યું, પણ તેમણે સ્થાપેલી ત્રણ સંસ્થાઓ આજે પણ નોંધપાત્ર કામગીરી કરી રહી છે – અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (નવું નામ ગુજરાત વિદ્યાસભા), સુરતની એન્ડ્રુઝ લાયબ્રેરી, અને મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા. આવતે વર્ષે ઓગસ્ટની ૩૧મી તારીખે ફાર્બસની ૧૫૦મી મૃત્યુિતથિ આવી રહી છે. એ નિમિત્તે તેમણે સ્થાપેલી આ ત્રણે સંસ્થાઓએ સાથે મળીને ફાર્બસની સ્મૃિતને કાયમ રાખવા માટે નક્કર કામો કરવાં જોઈએ.

સૌજન્ય : ‘પ્રૉફાઇલ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2014 

Loading

9 July 2014 admin
← ‘શોર્ટ કટ’
‘અાવ વરસાદ, ભાગ વરસાદ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved