Opinion Magazine
Number of visits: 9448684
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત મોડલ? અલ્લાયો, ભાઈ અલ્લાયો

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|3 May 2014

પહેલ ઘણું કરીને નર્મદનગરી સુરતે કરી, અને હવે તો દલપતનગરી અમદાવાદ પણ એ દિશામાં ઉદ્યુક્ત દીસે છે : મ્યુિનસિપલ ર્કોપોરેશન વરસોવરસ રાષ્ટ્રીયસ્તરના પુસ્તકમેળાનું આયોજન કરે છે અને એ દિવસો સાહિ‌ત્યિક કાર્યક્રમોથી ય ભરેલા હોય છે. કવિઓના સ્વર અને ખાણીપીણીનાં વ્યંજનની જુગલબંદી પણ જનસાધારણની દૃષ્ટિએ ઠીક જ હોય છે. અમદાવાદે ગયે વરસે જો મુનશીને વિશેષરૂપે સંભાર્યા હતા તો ઓણ પુસ્તકમેળાનું વિશેષ વસ્તુ આપણા સ્વાતંત્ર્યસૈનિક શિક્ષણકાર અને સર્જક મનુભાઈ પંચોળી-દર્શકનું છે. ગયું વરસ જો કનૈયાલાલ મુનશીની સવા શતાબ્દીનું હતું તો ચાલુ વરસ દર્શકની શતાબ્દીનું છે.

આ દર્શક, એમને કોઈકે પૂછેલું કે ભવિષ્યમાં લોકો તમને કેવી રીતે સંભારશે. હતું તો એ એક બહુમુખી વ્યક્તિત્વ થોડો સમય એ રાજ્યના શિક્ષણમંત્રી પણ હતા. પણ એમણે કહેલું કે લોકો મને મારા સર્જનથી, મારાં પાત્રોથી ઓળખશે. જેમ મુનશી એમની સામગ્રી અને કથયિતવ્યની શોધમાં ઇતિહાસ અને રાજનીતિ પાસે ગયા, દર્શક પણ ગયા છે. પણ બંનેની ઇતિહાસચર્યા જુદી એ રીતે પડે છે કે મુનશી રાજ્યનિર્માણ અને સામ્રાજ્યસંવર્ધનના સગડ દબાવતા ચાલે છે જ્યારે દર્શકનો રાષ્ટ્રપ્રેમ પ્રજાપરક ધોરણે લોકશાહીનું પગેરું દાબતો ચાલે છે, જેમ ગાયની પૂંઠે પૂંઠે વાછડું.

હજુ બુધવારે જ ગુજરાતે પોતાનો મત પેટીબદ્ધ કર્યો છે. ૩૦મી એપ્રિલથી ૧૬મી મે(મતગણતરી)ના આ વચગાળામાં એક નવા વળાંકે અગર નવવમળની શક્યતાઓ ગુજરાત મુનશીની ઘાટીએ વિચારશે કે દર્શકની ઘાટીએ? ગમે તેમ પણ, ચાલુ વરસના તેમ ગયા વરસના પુસ્તકમેળાઓએ મુનશી-દર્શકના વિષયવસ્તુ વાટે કંઈક ચિંતનયોગ આ દિશામાં જરૂર જોગવી આપ્યો છે. મુનશી 'ગુજરાતનો નાથ’ માટે સુપ્રતિષ્ઠ છે. એ ગયા છે સોલંકી યુગમાં પણ, છે તો આધુનિક જગતના જીવ એટલે કાયદાનું શાસન શી વસ છે તે આ જાણે છે. તમે જુઓ કે જયદેવકુમાર સિદ્ધરાજ જયસિંહપણું પ્રાપ્ત કરી યથાર્થમાં 'ગુજરાતનો નાથ’ કેમ કરતાં બને તે દર્શાવવા વાસ્તે મુનશીએ એમાં 'ધ અધર’ કહેતાં મ્લેચ્છ ખતીબને પાટણપતિ પાસે ન્યાય અપાવવાનું આયોજન કર્યું છે. એટલું જ નહીં, ધર્મઝનૂનનો માંજો પાયેલી રાજનીતિ કેટલી અનર્થકારી હોઈ શકે તે દર્શાવવા માટે મુનશીએ આનંદસૂરિ નામના જતિની જે ગત કરી છે તે પણ એમની ઐતિહાસિક નવલત્રયીના આશકોના ખયાલ બહાર ન જવી જોઈએ.

દર્શક જેલમાં હતા અને હિ‌ટલરવાદ સામે લોકશાહી બળો વિશ્વસ્તરે રણે ચઢયાં હતાં ત્યારે એ પણ પ્રેરણાના પીયૂષ સારુ ઇતિહાસ પાસે તો ગયા, પણ તે ઇતિહાસ મગધના સામ્રાજ્યનિર્માણનો કે કૌટિલ્યનો ન હતો. એ ઇતિહાસ ગણરાજ્યોએ જે શીલ અને કૌવત દાખવ્યું એનો હતો. એમની આ નવલકથા, 'દીપનિર્વાણ’ ઉમાશંકર જોશી પાસે 'મનહર અને મનભર’ એવી હૃદયાંજલિ પામી કેમ જાણે દર્શકને ગોવર્ધનરામની પ્રણાલિકામાં મૂકી આપે છે. ધારાસભ્ય મનુભાઈ પંચોળીએ ગૃહમાં ગોંધળ અનુભવ્યું અને ધારાસભ્યોને હરાજ થતા જોયા એ ધક્કા સાથે ગ્રીસના નગરરાજ્ય એથેન્સમાં 'સોક્રેટીસ’ના કાળની લોકશિક્ષણમથામણ નવલકથારૂપે ચાલી આવી. સ્વાતંત્ર્યસંગ્રામની પાર્શ્વભૂમાં 'ઝેર તો પીધાં છે જાણી જાણી’માં વળી વિશ્વતોમુખી સ્વરાજદર્શન છે.

મતપેટીઓ માંહેલી શલ્યા ૧૬મી મેના રોજ સહસા અહલ્યા થઈને ઊઠશે. નવી લોકસભા અને નવી સરકાર, એની દિશા શું હશે? જેને ગુજરાત મોડલ તરીકે રાષ્ટ્રબજારમાં ખાસું વેચવામાં આવ્યું છે એની પાસે કેન્દ્ર સરકારની રાહે એલપીજી રેજિમ અને મેળાપી મૂડીવાદ સિવાય ખરેખાત શું છે એ અંગે આંતરખોજેભરી તપાસ મથામણ વગર દેશની સંસદીય લોકશાહીનું આગલું કદમ કેવું હશે એ કહી શકાતું નથી. કાયદાનું શાસન અને એ શાસનની પ્રજાપરકતા, આ બે મુનશી-દર્શકચર્ચ્યાં વાનાં બાબતે ૨૦૦૧ના ઓક્ટોબરથી ગુજરાતમાં શરૂ થયેલ કથિત નવસંવતનાં બારતેર વરસોમાંથી કોઈ પ્રતિબોધ મળે છે?

ભાઈ, આપણે તો – કેમ કે પુસ્તકમેળાની ને સાહિ‌ત્યની ચર્ચા કરીએ છીએ – સીધોસાદો એક જ દાખલો લઈએ તો 'દીપનિર્વાણ’માં દર્શકે તક્ષશિલાના પ્રવેશ પર એવા સૂચનાપટનું નિરૂપણ કર્યું છે કે રાજન, આ વિદ્યાર્તીથ છે. તારા શસ્ત્રાલંકાર બહાર રાખી, વિનીત વેશે અને અડવાણે પાય અહીં પ્રવેશજે. દર્શક હસ્તક જેને સ્વાયત્ત નવરૂપ મળ્યું એ ગુજરાત સાહિ‌ત્ય અકાદમી આજે સરકારગ્રસ્ત છે. સરકારનો એની સાથેનો વહેવાર વિનીત વેશે અને અડવાણે પાય નથી. ગુજરાતમાં લોકાયુક્તની જે ગત થઈ એમાં કોઈને ન્યાય મળવાનો તો કોઈ કહેતાં કોઈ સવાલ જ નથી. અને રાજ્યની યુનિવર્સિ‌ટીઓ અત્યારે પાળીતા કુલપતિઓથી સોહતી હોવાની સાર્વત્રિક છાપ છે. શું અદ્દભુત વાત સંભારી હતી એક વાર ડોલર રાય માંકડે, ઋગ્વેદના વસિષ્ઠ સૂક્તની સાખે, કે વર્ષાકાળે ડ્રાં ઉ ડ્રાં ઉ કરવા માંડતા દેડકાની જેમ દક્ષિણકાળે ઋષિઓ મંત્રોચ્ચાર કરવા લાગે છે મુદ્દે, દર્શકની સૃષ્ટિમાં અપેક્ષિત એવો સ્વતંત્રચેતા પ્રજાપારક બૌદ્ધિક ગણ ૨૦૧૪ના ગુજરાતમાં છે કેમ એ જ તપાસનો વિષય છે.

આખરે શતાબ્દીઓ અને સવા શતાબ્દીઓ પાસે આપણે જઈએ છીએ કેમ? આપણી પ્રજાકીય બેટરી ચાર્જ કરવા કે પછી સેમિનાર શૈલીએ કશોક ચાર્જ ગુંજે ભરવા?

પ્રશ્નપાત્ર એવા ગુજરાત મોડલ વિશે પ્રશ્ન ઉઠાવવાની આપણી પાત્રતા પણ કદાચ તપાસનો વિષય છે … રે, દર્શક

સૌજન્ય : http://www.divyabhaskar.co.in/article/ABH-gujarat-model-and-its-understanding-4600661-NOR.html : 03 મે 2014

Loading

3 May 2014 admin
← જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા
હીરાબાઈ બડોદેકર →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved