Opinion Magazine
Number of visits: 9633085
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદી અને મુફતી

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૯ : ગોધરાની નિર્ઘૃણ ઘટનાને સાત વરસ પૂરાં થશે અને એ દિવસોમાં માર્યા ગયેલાઓનો સત્તાવાર જુમલો હાલ સ્વીકૃત ૯૫૨ માં બીજા ૨૨૮ 'ગુમ થયેલાઓ' વિધિવત્ મૃત જાહેર કરતાં ૧૧૮૦નો થશે. ૨૦૦૨ની પૃષ્ઠભૂ ઉપર ફિલ્માવાયેલ 'પરઝાનિયા'નું વસ્તુ જે એક ખોવાયેલ બાળકની સત્યઘટના આસપાસનું હતું તે બાળક પણ આ સાથે મૃત જાહેર થશે. એક વાત સાચી કે આવા વિધિવત્ સ્વીકારને કારણે મૃતાત્માના કુટુંબને વળતર આપવાની પ્રક્રિયા પૂરી થઈ શકશે, અને એ મોડો પણ એક લાભ જ છે. પણ તે સાથે ૨૨૮ ગુમ થયેલાઓની આ સાત-સાલી દાસ્તાં બીજી પણ એક વાત સૂચવે છે. અને તે એ કે ન્યાયની પ્રક્રિયા આપણે ત્યાં કઈ હદે ધીમી છે.

અહીં ન્યાયની પ્રક્રિયા અગર તો કાયદો કાયદાનું કામ કરશે એ પ્રકારની ભૂમિકા વિશે કંઈક ઊહાપોહ કરવાનું તત્કાળ નિમિત્ત અમદાવાદની જુમા મસ્જિદના ઇમામ મુફતી સિદ્દીકીએ પૂરું પાડ્યું છે. મુફતી સિદ્દીકીના હવાલા સાથે ડિસેમ્બર ૨૦૦૨ની ચૂંટણીઓમાં મુસ્લિમોએ ભાજપને મત આપવો નહીં એવો ફતવો અખબારી જાહેરખબર વાટે પ્રસારિત થયો ત્યારથી તેઓ એકસાથે વિવાદ અને ધ્યાનનું કેન્દ્ર રહ્યા છે. તેઓ ભાજપનાં વર્તુળોની નજીક છે અને મુસ્લિમો માટે આ પ્રકારના ફતવાથી હિંદુ મતોનું વળતું દૃઢીકરણ ભાજપની તરફેણમાં થાય એ હેતુસર આવી પ્રયુક્તિ અજમાવાઈ છે એવો એક મત ત્યારે પ્રવર્તતો હતો. મુફતી સિદ્દીકીએ હમણાં, પૂરાં સાત વરસે, 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની પૃચ્છાના ઉત્તરમાં ખુલાસો કર્યો છે કે આ જાહેરખબર કૉંગ્રેસવાળાઓએ આપી હતી અને એમાં મારા નામનો ઉપયોગ કરવા બાબત એમણે મને જાણ સુદ્ધાં નહોતી કરી. કૉંગ્રેસ અને ભાજપ બેઉ એકબીજાને આંતરવા અને મતબૅન્કો ઓળવવા આવા ખેલ પાડવામાં માહેર છે એટલે, સિવાય કે, આ પક્ષો સત્તાવાર કોઈ રદિયો કે ખુલાસો બહાર પાડે આપણું સત્યાન્વેષણ સવાલિયા દાયરામાં જ રહેવાનું. તેમ છતાં, જેમ ખેલપાડુ પક્ષમાસ્તરોની તેમ ખેલપાડુ મજહબ માર્તંડોનીયે ખોટ નથી, એ ચિંતાનો વિષય હતો, છે અને રહેશે. માત્ર, મુફતી સિદ્દીકીની એ મુદ્દે ટીકા મ્યાન ને મોકૂફ રાખી અહીં એમના બીજાં એકબે વિધાન આસપાસ ટૂંકો નિર્દેશ કરવાનો ખયાલ છે.

મુસ્લિમોને કૉંગ્રેસ અને ભાજપ બેઉ તરફથી અન્યાય થતો રહ્યો છે એવી ભૂમિકા સાથે મુફતી સિદ્દીકીનું કહેવું છે કે ૨૦૦૨માં જે બન્યું તેને વાસ્તવ કરતાં વધુ વગોવાયું છે. મોદીને જીતવા સારુ મુસ્લિમ મતોની ગરજ નથી એ સમજીને મુસ્લિમોએ મોદીની બાકી કામગીરીની કદર બૂજવી જોઈએ. બાકી, કાયદો કાયદાનું કામ કરશે.

ઝડપથી એક બે નિરીક્ષણો, અને વાત પૂરી. સવાલ મોદીને મુસ્લિમ મતોની ગરજ ન હોવાનો કે કૉંગ્રેસ અને ભાજપ બેઉ કોમી હોવાનો કે ન્યાયની પ્રક્રિયાનો જ એટલો નથી, જેટલો કાયદાના શાસનનો અને નાગરિક ભાવનાનો છે. કાયદાને કાયદાનું કામ કરવા દેવા માટે બેસ્ટ બેકરીના કેસને રાજ્ય બહાર લઈ જવો પડે અથવા સર્વોચ્ચ અદાલતે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ ઉતારવી પડે એ મોદીના ગુજરાતમાં પ્રવર્તતી અનવસ્થા સૂચવે છે. બીજું, કૉંગ્રેસ કે ભાજપ સાથે તેમ સંખ્યાબંધ મુસ્લિમો અગ્રણીઓ સાથે નાગરિક સમાજ તરીકે આપણી પાયાની ફરિયાદ એ છે કે ભેદભાવ વગરનું રાજકારણ અને કાયદાનું શાસન એ કોઈ હિંદુઓ અગર મુસ્લિમોમાં સીમિત સવાલ નથી. તમે નાગરિક તરીકે આખી વાતને જોવાસમજવા તૈયાર છો કે કેમ એ પાયાનો સવાલ છે. મુફતી સિદ્દીકીએ, જેમ બીજા અનેકે, આવા વ્યાપક સંદર્ભમાં આખી વાતને જોવાપણું છે.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • શિક્ષણનું પરચુરણ …
  • ગુજરાતી ચલચિત્ર કંકુ (૧૯૬૯) – એક વિહંગાવલોકન
  • સમતાલક્ષી કોશિશ સામે ‘સવર્ણ’ ઊહાપોહ શીદને 
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • जो कार्नी नहीं कह सके …

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved