Opinion Magazine
Number of visits: 9448791
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આતંકવાદનો અંત ક્યારે આવશે ? — એક બાલિકાની યોજના

અાશા બૂચ|Opinion - Opinion|19 April 2013

તાજેતરમાં બોસ્ટન યુ.એસ.એ.માં મેરેથન દોડ પૂરી થઈ, તેવે ટાણે બે વિસ્ફોટ થયા, જેમાં ત્રણ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા અને સોથી વધુ ઘવાયાના સમાચારથી ફરી નિ:સાસો નખાઈ ગયો.

ઘાયલ થયેલામાંથી નવ, સાત અને બાર વર્ષનાં બાળકો છે અને મૃત્યુ પામેલામાંથી એક તો માત્ર આઠ વર્ષનો બાળક હતો, એ સંભાળીને પૂર્ણિમાબહેનની આઠ વર્ષની પુત્રી અભિલાષા પણ વ્યથિત થઈ ગઈ. તેને થયું, હું એમની જગ્યાએ હોઉં તો મારું અને મારા મમ્મી-ડેડીનું શું થાય? એ સાથે જ એના મનને બીજા અનેક સવાલો સતાવવા લાગ્યા. એ કુમળી બાલિકા પોતાના ઓરડામાં જઈને વિચારે ચડી. છેવટ પોતાના સવાલોના જવાબ શોધવા તેણે ઇન્ટરનેટનો સહારો લીધો. પડદા પર એક પછી એક કડીઓ ખૂલતી ગઈ અને અભિલાષા વિસ્ફારિત આંખે જોઈ રહી.

અચાનક અભિલાષા દોડીને તેની મમ્મીને બોલાવી લાવી અને એક શ્વાસે બોલવા લાગી, ‘મમ્મી, આ જો તો, મેં આતંકવાદી સંગઠનોના નામની શોધ કરી તો કેટલાં બધાં નામ આવ્યાં? એ જોઇને મને વિચાર આવે છે કે એ બધા કોણ છે, કઈ ભાષા બોલાતા હશે, દુનિયામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ ક્યાં રહેતા હશે, કયો ધર્મ પાળતા હશે. અને સૌથી મોટી વાત તો એ કે એ લોકો શા માટે આતંક ફેલાવતા હશે?’

ખરું પૂછો તો પૂર્ણિમાએ કોઈ દિવસ આવી બાબતોનો વિચાર નહીં કરેલો, એમ માનીને કે આપણે કદિ આ પરિસ્થિતિમાં સુધારો કરી શકવાના નથી, તો ઉપાધિ શા સારુ કરવી ? પણ નાના બાળકો આપણા કરતાં વધુ સંવેદનશીલ હોતાં હશે; એટલે જ અભિલાષા તરત પોતાના સવાલોના જવાબ શોધવા સક્રિય થઇ ગઈ. પછી તો બંને મા-દીકરીએ મળીને એ માહિતીનો અભ્યાસ કર્યો અને કૈંક આવું તારણ કાઢ્યું :

૧. આતંકવાદી સંગઠનોનાં નામ પરથી એવું લાગે છે કે મોટા ભાગના પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાંથી ઊભા થયેલા છે.

૨. સંગઠનોમાં એટલી વિવિધતા છે કે તેઓ વ્યવહારમાં કઈ ભાષા બોલતા હશે તે કહેવું મુશ્કેલ છે, પણ વર્તનમાં એક માત્ર હિંસક આક્રમણની ભાષા જાણતા લાગે છે.

૩. વળી આ બાબતે વધુ ઊંડા ઉતરવાની જરૂર જણાય છે, પણ સંગઠનોનાં નામ ઉપરથી મોટા ભાગના ઇસ્લામ ધર્મ પાળતા હોય તે શક્ય લાગે છે.

૪. આતંક ફેલાવવા પાછળનો તેમનો હેતુ આ માહિતી પરથી સ્પષ્ટ નથી થતો.

૫. આતંકવાદી હુમલાઓનો સહુથી વધુ ભોગ યુ.એસ.એ, બ્રિટન, કેનેડા અને ભારત જેવા દેશો બને છે.

પૂર્ણિમાએ વિચાર્યું, શાળામાં નાના પાયે અભ્યાસ સંશોધનો હાથ ધરવાનું શીખેલી અભિલાષાને આટલા તારણથી સંતોષ થશે. બરાબર તે જ વખતે અભિલાષાના ડેડી વિવેક આવ્યા, તેથી સહુ જમવા બેઠાં. પણ તેના હાથ વારે વારે જમતા અટકી જતા હતા. પૂર્ણિમાએ શું બન્યું તેની ટૂંકમાં વાત કરી. અભિલાષા હવે તેના ડેડી તરફ ફરીને પૂછવા લાગી, ‘ડેડી, આતંકવાદી સંગઠનો મોટે ભાગે પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાં ઊભા થયેલા છે. એવું કેમ હશે, એ લોકોને સારી રીતે વાટાઘાટો કરતાં નથી આવડતું? વળી મોટા ભાગના ઇસ્લામ ધર્મ પાળતા હોય તેવું પણ શક્ય લાગે છે, તો એ લોકો પાસે પોતાની વાત કે માગણી રજૂ કરવાનો બીજો માર્ગ નહીં હોય કે શું? નવાઈની વાત તો એ છે કે એનો ભોગ પશ્ચિમના દેશો વધુ બને છે, તો એમણે એવું તે શું ખોટું કર્યું છે તે આમ ઘર આંગણે અને દુનિયામાં બીજે ક્યાં ય પણ એમનાં થાણાં હોય એના પર આક્રમણ થાય? ડેડી, મને ખરેખર આ આતંકવાદીઓના હુમલાઓ પાછળનું કારણ નથી સમજાતું.’ આટલા બધા અને તે પણ આવા ગંભીર પ્રશ્નો આઠ વર્ષની છોકરી પાસેથી સાંભળીને તેનો શું જવાબ આપવો તે મમ્મી-ડેડીમાંથી કોઈને ન સમજાયું.  

આજના સમાચારોથી અસ્વસ્થ થયેલી અભિલાષાએ રાત્રે સૂતી વખતે વાર્તાનું પુસ્તક સાથે વાંચવાની પણ ના પાડી, તેથી વિવેક તેની પાસે બેસીને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો. અને કહ્યું, ‘જો બેટા, મારી સમજ પ્રમાણે યુરોપ અને અમેરિકા જેવા ધનાઢ્ય દેશોએ વર્ષો પહેલાં પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાં રાજ્ય કર્યું, અથવા એક બીજાની સામે લડવા લશ્કરી મદદ મોકલી, જેનાથી એ દેશોને ખૂબ અન્યાય થયો અને નુકસાન થયું. આને પરિણામે જેમને અન્યાય થયો તેઓએ હિંસક પ્રતિકારનો રસ્તો લીધો, અને જેઓએ અન્યાય કર્યો તેમને એનો માર સહન કરવો પડે છે. તારી વાત ખરી છે કે તેઓ બધા અમુક એક જ ધર્મના અનુયાયીઓ હોવાનું જણાય છે, પણ કદાચ એમને બીજા દેશની સંસ્કૃિતનાં ભયસ્થાનોનો વધુ ડર હોય. જો કે તું કહે છે તેમ એ લોકોએ શાંતિમય પદ્ધતિથી પોતાની વાત કરતાં શીખવું તો જોઈએ જ. ચાલ આપણે શોધી કાઢશું કે તેઓએ પહેલાં એવી કોશિશ કરેલી અને હજુ પણ વાટાઘાટો  કરવા માગે છે કે નહીં? બાકી વ્યક્તિ કે નાના સમૂહો હિંસાત્મક આક્રમણ કરે તો તેને આતંકવાદી હુમલો કહેવાય અને કોઈ સરકાર કરે તો તેને યુદ્ધ કહેવાય એવું તને નથી લાગતું? આજે આપણે આટલી ચર્ચા કરીને અટકીએ. તારો સુવાનો સમય થયો છે અને આવી અટપટી વાતો સમજવા માટે તારી પાસે ઘણાં વર્ષો છે. ચાલ બેટા ગૂડ નાઈટ!’

અભિલાષા કદાચ તેના ડેડીએ આપેલ ખુલાસાઓની યોગ્યતાનો વિચાર કરતી મોડી સૂતી હશે. સવારે ઉઠતા જ તેણે જાહેર કર્યું, ‘મમ્મી, ડેડી, હું મોટી થઈને આતંકવાદી સંગઠનો અને વ્યક્તિઓ સાથે વાત કરીને તેમને શું જોઈએ છે, તે શોધી કાઢી, જેમના પર તેઓ હુમલા કરે છે તેમને કહીશ. બધા એક બીજાની વાત સાંભળશે. એટલે મારા-મારીથી નહીં પણ શાંતિથી દરેક ઝઘડાનો ઉકેલ લાવશે એટકે બોમ્બ વિસ્ફોટ કે લડાઈથી કોઈ નાહક નહીં મરે તમે જોજો તો ખરા!’

e.mail : 71abuch@gmail.com

Loading

19 April 2013 admin
← ‘You Can Walk Away !’
Whither Annihilation of Caste ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved