Opinion Magazine
Number of visits: 9483379
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજેન્દ્ર શાહની કેટલીક કવિતા

ધ્વનિ ભટ્ટ|Opinion - Literature|10 April 2013

કવિ રાજેન્દ્ર શાહની કવિતાઓ એ ગુજરાતી સાહિત્યને મળેલું અમૂલ્ય યોગદાન અને વારસો કહી શકાય. કવિવર રવીન્દ્રનાથ ટાગોરથી પ્રભાવિત અને સંસ્કૃતની છાંટ ધરાવતી, રાજેન્દ્ર શાહની કવિતાઓમાં પ્રકૃતિપ્રેમ, પ્રણય, અધ્યાત્મ અને રોજ-બ-રોજની જિંદગીની છણાવટ જોઈ શકાય છે. અનુ-ગાંધીયુગના આ કવિની કવિતાઓમાં, નરસિંહ મહેતા, કબીર અને અખા જેવા આદિ કવિઓની પણ ઝાંખી જોવા મળે છે.

માનવી પાસે બધું જ હોય, છતાં ય હજુ વધારે કંઈક મેળવવાની અભિલાષા છૂટતી નથી હોતી. એ ન તો જે હોય તે ભોગવી શકે છે, ન તો સઘળું પામી શકે છે. માનવીનો 'નિંદા-કૂથલી' કરવાના સ્વભાવને પણ કવિ આ કવિતામાં આવરી લેવાનું ચુક્યા નથી.

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં

પોયણીએ ઊચું જોયું રે આકાશમાં,
કોણને એ મ્હોતી,
ને નેણભરી જોતી,
શું જાણ એને ન્હોતી,
– કે ચાંદલો બંધાણો પાણી ના પાશ માં – પોયણી૦

તમરાં એ ગાન મહીં,
વાયરા ને કાન કહી,
વન વન વાત વહી,
ઢૂંઢતી એ કોને એ આટલા ઉજાશમાં? – પોયણી૦

અંકમાં મયંક છે,
ન તોય જરી જંપ છે,
અંગમાં અનંગ છે,
શી બ્હાવરી બનેલ અભિલાખ નાં હુતાશમાં! – પોયણી૦

રાજેન્દ્ર શાહ મૂળે તો 'કવિ પ્રકૃતિ'ના માણસ. એ એમની કવિતાઓમાં છંદ છાંટે એ સ્વાભાવિક વાત છે, પણ વાત જ્યારે 'પ્રેમનાં છંદ'ની આવે તો? 'પ્રેમનાં છંદ' જેવો શબ્દ તો કદાચ આ કવિની કલમે જ અવતરે.

કોઈ લિયો આંખનું અંજન,
નહીં કાળવું કાજલ,
સુરમો નહીં,
નહીં દરિયાજલા,
અરે આંજવા
નહીં શલાકા,
નહીં આંગળી,
નહીં જોઈએ બાદલ,
એવો એનો ઈલમ,
પાણીનું મીન,
અને નભખંજન,
એનો અમલ અહીં.
કંઈ દૂર ન
વિરાટ તે વડપર્ણ
અહીં
સોણલાં સમયપરાં
શાશ્વત પૂનમનો વર્ણ,
જુઓ પ્રેમનો છંદ,
મધુર અકળામણ ને મનોરંજન.

રાજેન્દ્ર શાહની કવિતાઓની એક એ પણ ખાસિયત છે કે એમની કવિતાઓ જેટલી પ્રકૃતિવિષયક લાગે છે, તેટલી જ માનવવિષયક પણ લાગે છે. એ પારકી છતાં ય પોતીકી લાગે છે. ક્યારેક એમની એક જ કવિતામાં એક કરતાં વધુ અર્થો પણ તરવાય છે.

'ક્ષિતિજે સૂર્ય,
અહીં ઓસનાં અંગે,
રંગ અપૂર્વ'

કવિએ અહીં થોડા જ શબ્દોમાં કેટલું બધું કહી નાખ્યું છે!

પ્રકૃતિ ને આબેહૂબ આલેખનાર કવિ, પ્રણયની અનુભૂતિ આલેખવાથી શીદને છેટા રહે !

'સંગમાં રાજી રાજી'

સંગમાં રાજી રાજી
આપણ
એક-બીજાનાં સંગમાં રાજ રાજી,

બોલવા ટાણે હોઠ ખૂલે નહિં,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ,
ભરિયું શું છલકાય!
એવા એ
આપ-લે ને અવસરિયે પાગલ,
કોણ રહે, કહે પાજી?
વીતેલી વેળની કોઈ,
આવતી ઘેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ,
અષાઢી
આભમાં વાદળ વીજ શા વારિ,
ઝરતાં રે જાય ગાજી!

કોઈ પણ કવિની કવિતા એ શબ્દોનો મેળાવડો માત્ર નથી જ. જે-તે વ્યક્તિની કવિતામાં શબ્દોના – એમનાં વિચારોનાં ઉંડાણ  અનુભવો − વ્યક્તિત્વ અને ઇચ્છાઓનો સમન્વય પણ જોવા મળે છે.

એક ફિલસૂફી કે આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો 'જીવ' એ શું છે? એ તમે કે હું કોઇ જ નહીં, ફક્ત એક આત્મા – અનંત અંતરનો પ્રવાસી છે.

પ્રકૃતિ ને મન ભરીને માણનારા કવિ પ્રકૃતિનાં સૌન્દર્યની સાથે સાથે આત્મિક સૌન્દર્યને પણ એમનાં કાવ્યમય મિજાજમાં વણવાનું ચૂક્યા નથી.

'પ્રવાસી'

પ્રવાસી છું ભીતરના અસીમનો,
ને હું મનોવેગ ધરંત વાંછિત,
છતાંય જાણે અહીંનો અહીં સ્થિત,
ન ભેદ મારે ગતિ ને વિરામનો.

લહું ઘણું ને ઘણું ય અલક્ષિત,
રહી જનું સૂચિત થાય ઈંગિતે,
અજાણ નો આદર હું કરું સ્મિતે,
પળે પળે નૂતન છે અપેક્ષિત.

આવી મળે તે મુજમાં સમન્વિત,
ને સંચરું તે પથ જે તિરોહિત.

કવિની કવિતાઓમાં વધારે ખાસ વાત એ છે કે એમનાં શબ્દોમાં ખાસ એક હકારત્મક અભિગમ રહ્યો એ. પોતાનાં મૃત્યુની વાતને પણ કવિ 'ખોળિયું બદલવાનો ઉત્સવ' તરીકે વર્ણવે છે . જ્યાં સુધી જીવ છે, સંસારમાં છીએ, ત્યાં સુધી સંપૂર્ણપણે સ્વાર્થ, મોહ માયાનાં બંધનમાંથી મુક્ત થવાતું જ નથી, પણ આ બંધન ક્યારેક તો સંકેલવા જ રહ્યાં! સાવ સહજ .. અને નિરુદ્દેશે!

'નિરુદ્દેશે '

સંસારે મુજ મુગ્ધ ભ્રમણ,
પાંશુ મલિન વેશે,

ક્યારેક મને આલિંગે છે,
કુસુમ કેરી ગંઘ,
ક્યારેક મને સાદ કરે છે,
કોકિલ મધુર કંઠ,

નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ સંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું,
પ્રેમ ને સન્નિવેશ.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ

ત્યાંજ રચું મુજ કેડી,
તેજ છાયા તણે લોક ,પ્રસન્ન,
વીણા પર પૂરવી છેડી.
એક આનંદના સાગર ને જલ,
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે  હું જ રહું અવશેષે.

e.mail : dhwanibhatt1212@gmail.com

('ગુજરાતી સાહિત્ય અકાદમી'ના માસિકી કાર્યક્રમ 'કાવ્યચર્યા'માં, રાજેન્દ્ર શાહના શતવર્ષી અવસરે, શનિવાર, 06 અૅપ્રિલ 2013ના દિવસે, લંડનમાં કરાયેલી રજૂઅાત)

Loading

10 April 2013 admin
← भाई हो तो ऐसा हो
૨૦૧૪: વિકાસમાર્ગે લઈ જવા કોણ સક્ષમ છે? →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved