Opinion Magazine
Number of visits: 9506063
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વધામણી ! ચીનમાં ગાંધીની પધરામણી !!!

અાશા બૂચ|Gandhiana|5 April 2013

Gandhiji’s teachings taught from pre-school onwards in China

“More and more people in China are evincing interest in Mahatma Gandhi and his non-violent movement as his teachings form an integral part of curriculum from pre-school to university.” Says a Chinese Scholar. [“The Indian Express” : 18.03.’13]

વિપુલભાઈ કલ્યાણી, આવું ‘ને આવું કૈંક, સવારના નાસ્તામાં પીરસતા રહે છે. આ વાંચીને મારો તો આખો દિવસ સુધરી ગયો. પહેલી નિરાંત તો એ વાતની થઈ કે ભાઈ, હવે ચીન ભારતનો ઉત્તર-પૂર્વનો ભાગ પચાવી પાડવા કે બીજા પડોશી દેશો પર પોતાની સત્તા જમાવવા આપણા પર લશ્કરી હુમલો નહીં કરે. કેમ કે તેઓ અહિંસક ચળવળનો અભ્યાસ કરે છે. જો કે એક હાથે તાળી ન પડે એટલે ભારતે પણ સંરક્ષણ ખાતર પણ હિંસાને સર્વથા ત્યજવી જોઇશે.

બીજો ફાયદો એ થશે કે ચીન હવે વિકાસના નામે મૂડીવાદ તરફ દોટ મૂકવાને બદલે સર્વોદયી માળખા પર રચાયેલ સમાજવાદી સમાજ રચના તરફ પગલાં ભરશે. જો એમ જ થાય તો ભારત પછી કોની સાથે હોડમાં ઉતરે એ સવાલ થાય ખરો, પણ સાચું કહું તો હરીફાઈ તો સરખે સરખામાં જ શોભે. એ ન્યાયે આપણે ચીનને હરાવીને મૂડીવાદને તિલાંજલિ આપીને સમાજવાદ તરફ બમણી ગતિથી દોડવાનું રહેશે.

આ સમાચારથી ગાંધી વિચાર ચીન જેવા સામ્યવાદી દેશ સુધી પહોંચ્યો એથી આનંદ થયો પણ સાથે સાથે થોડી ચિંતા પણ થઈ. હું ભૂલતી ન હોઉં તો બે-અઢી હજાર વર્ષ પહેલાં ભારતમાં જ પ્રાદુર્ભાવ પામેલો બૌદ્ધ ધર્મ ધીમે રહીને ભારતમાંથી નિકાસ પામીને ચીનમાં મૂળ જમાવીને રહ્યો. જો આપણે ખ્યાલ નહીં કરીએ તો ગાંધી વિચારનું પણ એમ જ થવા સંભવ છે ! જો કે જેમ આજે ચીનથી ભારત અગણિત વસ્તુઓની આયાત કરે છે, એમ આ વિચારધારાની આયાત જરૂર કરી શકાય, પણ એ તો બ્રિટિશ રાજ્યના અમલ દરમ્યાન ભારતથી નિકાસ થયેલા રૂમાંથી બનેલ કાપડની આયાત કરતા હતા તેવું થાય. એમાં આપણી શી શોભા ?

આ સમાચારમાં આગળ જતાં લખે છે ચીનમાં પ્રિ-સ્કૂલમાં ગાંધીનું એકાદ ચિત્ર બતાવીને દોરવાનું શરુ કરવામાં આવે છે, અને માધ્યમિક કક્ષા સુધીમાં, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની વાતો દરેક ધોરણમાં ઓછમાં ઓછા એક પાઠ દ્વારા ભણાવાય છે. આ વાતથી તો હું સાવ ભડકી જ ગઈ. ગુજરાતમાં અને કદાચ બીજા પ્રાંતોમાં પણ હવે તો મોટા ભાગની શાળાઓ અંગ્રેજીને શિક્ષણનું માધ્યમ રાખીને શિક્ષણ આપે છે અને વધારામાં ગુજરાતી અને હિન્દી ભણવાનો બોજો હવે વિદ્યાર્થીઓ ઉપરથી હઠી ગયો, કેમ કે માતૃભાષા અને રાષ્ટ્રભાષા હવે વૈકલ્પિક વિષયોના દરજ્જામાં શોભવા લાગી છે. જ્યાં શિક્ષણની આવી નીતિ હોય અને સ્વાતંત્ર્ય પછીના ઇતિહાસને મારી મચડીને ભણાવાતો હોય, ત્યાં અહિંસક સત્યાગ્રહ અને સ્વાતંત્ર્યની ચળવળના પાઠો ભણાવતા હોય, એ અપેક્ષા રાખવી જરા વધુ પડતી છે. હવે કેન્દ્ર સરકાર અને પ્રાંતીય સરકારોના શિક્ષણ પ્રધાનોએ વિચારવા જેવું છે કે ચીન આ બાબતમાં આપણાથી આગળ નીકળી જાય તે પાલવશે ખરું ? 

Quanyu Shang – જેમણે P.A.Nazarethનું ‘Gandhi’s Outstanding Leadership’નો ચીની ભાષામાં અનુવાદ કર્યો છે (જે પછીથી કન્નડ, તમિલ, તેલુગુ, ઉડિયા, હિન્દી અને સ્પેનીશમાં પણ અનુવાદિત થયું છે) તેઓ કહે છે, ‘ગાંધી વિષે અભ્યાસ આ દેશના જુદા જુદા સમૂહોમાં થાય છે. તેમના વિષેની જાણકારી ચીની વિશેષજ્ઞ સુધી મર્યાદિત ન રહેતાં શાળાના નાનામાં નાના બાળકો સુધી પહોંચી રહી છે.’ તેઓનું કહેવું છે કે ચીનમાં ગાંધી વિશેની ઘણી પુસ્તિકાઓ પ્રકાશિત થઇ ચૂકી છે. આમ જુઓ તો બ્રિટનના વિદ્યાર્થીઓને પણ ચીન ભણવા મોકલવાથી તેમને બ્રિટનના સંસ્થાનવાદ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વિષે જાણકારી મળે, જે એમને પોતાના દેશમાં નથી આપવામાં આવતી. આ વાત પરથી ધડો લઈને ગાંધીજીના જીવન અને કાર્યો વિષેની જાણકારી જે મુઠ્ઠી ભર ગાંધીવાદીઓમાં સીમિત થઈ જવા પામી છે તેને બહુજન સુધી, ખાસ કરીને નવી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી ભારત દેશની છે, એ કોઈ વિદેશી સત્તા કે પ્રજા ન કરી આપે.

કરુણતા તો એ વાતની છે કે ચીનમાં નાઝરથના પુસ્તકના લોકાર્પણ વખતે વડાપ્રધાન મનમોહન સિંઘે સંદેશો મોકલ્યો : ‘મને વિશ્વાસ છે કે આ પુસ્તક અમારા રાષ્ટ્રપિતા અને તેમના આદર્શો એક બીલિયનથી વધુ લોકો સુધી પહોંચાડશે અને એનાથી આપણા બે દેશો વચ્ચેની સમજણ સુધરશે.’ ચીનનો નાનામાં નાનો બાળક આપણને પૂછી શકશે, તમારા દેશમાં એક બીલિયન તો શું, એક લાખ લોકો પણ એમના રાષ્ટ્રપિતા કોણ હતા, એમના વિચારો શું છે અને એનું શું મહત્ત્વ છે, એ જાણે છે?

ગાંધી વિચારની પ્રસ્તુિત એમના જીવન કાળ દરમ્યાન હતી, આજે છે અને સદીઓ પછી પણ રહેશે, એનો પુરાવો આનાથી બીજો ન હોઈ શકે. તો હવે આપણા હરીફ અને દુશ્મન ગણાય તેવા દેશની સામે બાથ ભીડવા, ગાંધી વિચારને સમજવાનું શરુ કરીશું તો એ ખોટા કારણ સર પગલું ભર્યું કહેવાશે, પણ એમ કરતાં ય જો એ વિશ્વ વિભૂતિના વિચારો જાણી-સમજીને આચરણમાં મૂકવાની સદ્દબુદ્ધિ સૂઝે તો ચીનનો આભાર માનવાનું ચુકીશું નહીં.

e.mail : ten_men@hotmail.com

Loading

5 April 2013 admin
← ભારતીય નારીની સુરક્ષા : રાજ્ય અને સમાજનું ઉત્તરદાયિત્વ
કવિવર રાજેન્દ્ર શાહ જન્મશતાબ્દીનો શાંત કોલાહલ →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved