Opinion Magazine
Number of visits: 9448913
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નાયકન’ અને મણિરત્નમ્

સૌમ્યા જોશી|Opinion - Opinion|2 January 2013

ઇ. સ. 1987ના મે મહિનાની વાત. વિખ્યાત ફિલ્મનિર્દેશક મણિરત્નમ્ ચેન્નાઈના એક સ્ટુડિયોમાં લાગેલા ઝૂંપડપટ્ટીના સેટ પર દ્રશ્યનું ફિલ્માંકન કરી રહ્યાં હતા. તે સમયે ગુંડા જેવા લાગતા ચાર-પાંચ માણસો સેટ પર આવીને ચૂપચાપ શૂટિંગ જોઈ રહ્યાં હતા. મણિરત્નમ્એ એક નજર તેમના સામે કરી અને ચૂપચાપ પોતાનું કામ કરવા લાગ્યા.

શૂટિંગના ચોથા દિવસે તેમનો ફોન રણક્યો. સામેથી સાંકેતિક ભાષામાં સંદેશો અપાયો. સંદેશો સાંભળીને ભયભીત બની ગયેલા રત્નમ્, જોખમ લઈને પણ, નિયત કરેલા સમયે અને સ્થળે પહોંચ્યા. શ્વેત ધોતિયું પહેરેલા, કપાળમાં તિલક કરેલા, નાના કદના પણ શક્તિશાળી માણસે તેમને આવકાર્યા.

એ માણસ એટલે બીજું કોઈ નહીં પણ રત્નમ જેના જીવન અને કુકર્મ પર આધારિત 'નાયકન' નામની ફિલ્મ બનાવી રહ્યાં હતા, એ વર્દરાજન મુદલિયાર ઉર્ફે 'વર્દાભાઈ' તરીકે કુખ્યાત મુંબઈનો ગુંડો સરદાર !

રત્નમના આશ્ચર્ય વચ્ચે, વર્દા તેમની ફિલ્મ વિશે, ફિલ્મના હીરો વિશે જાણવા ઉત્સુક હતો ! વર્દાને એ જાણવું હતું કે ફિલ્મનો હીરો પોતાની ગરદન પર લાલ રંગનો ખેસ વીંટાળે છે? તે લોકોને ફટકારે છે? કોર્ડલેસ ફોન પર હુકમ આપ્યા કરે છે? (એ સ્પષ્ટ હતું કે હિન્દી સિનેમામાં ખલનાયકના પાત્રને જેવું ચિતરવામાં આવે છે, તેનાથી વર્દા વાકેફ હતો.

ફિલ્મમાં ગુંડા સરદાર કેવો હોવો જોઈએ એ અંગે રત્નમને જણાવતા વર્દાએ કહેલું : 'તમારી ફિલ્મ એકપક્ષી ન બની જાય તે સુનિશ્ચિત કરજો. કોઈ પણ વ્યકિત, ગુંડા સરદાર સહિતની કોઈ પણ વ્યક્તિ, તેને ચીતરવામાં આવે છે, એટલી ખરાબ નથી હોતી. તમારી માથે એકની એક બાબત થોપવામાં આવે તો તમે એના આદી બની જાઓ એ વાત ખરી છે, પરંતુ તમને જે દેખાડવામાં આવ્યું છે, તે જ સાચું હોય એવું જરૂરી નથી. સત્યનું પ્રભાવલય તો દ્રષ્ટિની પેલે પાર સુધી વિસ્તરેલું હોય છે. અંધારી આલમ હંમેશાં પોલિસથી એક ડગલું આગળ શું કામ હોય છે, તમને ખબર છે ? અમારી પાસે ભલે કોઈ સુવિધા નથી, ભલે ઢગલાબંધ માણસો નથી, પણ અમે બુદ્ધિશાળી છીએ, કૌશલ્યવંત છીએ …… વગેરે વગેરે ….'

જો કે, રત્નમ્ જેને ગર્ભિત ધમકી સમજતા એવી આ વાત અર્ધસત્ય જ હતી. એ સમયે વર્દા મુંબઈ પોલિસથી ડરીને ભાગતો ફરતો હતો. સામે એ વાત પણ એટલી જ સાચી હતી કે, જો વર્દા ધારે તો આખી ફિલ્મનું શૂટિંગ ખોરવી નાખે. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એ સ્પષ્ટ થતું ગયું કે વર્દાને પોતાના જીવન પર આધારિત આ ફિલ્મ બને અને તેમાં પોતાના પાત્રનું વાસ્તવિક ચિત્રણ રજૂ થાય એમાં રસ હતો.

કુખ્યાત દાણચોર હાજી મસ્તાનના જીવન પર વિખ્યાત પટકથાલેખક જોડી સલીમ-જાવેદે લખેલી ફિલ્મ 'દીવાર'થી સ્ટાર સ્ટેટસ મેળવનાર અમિતાભ બચ્ચનની જેમ જ કમલ હાસને વર્દાભાઈની ભૂમિકામાં પ્રાણ રેડી દીધેલો. તે વર્દાને મળ્યો ત્યારે એક વાતોડિયા અને ઊર્જાભર્યા, ભારોભાર ચંચળ અને જોશભર્યા માણસ તરીકે પિછાણીને અવાચક બની ગયેલો !

વર્દાએ ફિલ્મમાં રસ દાખવ્યા બાદ રત્નમ્, વર્દા વિશે વધુ માહિતી મેળવવા મુંબઈ આવીને વર્દાના દીકરા મોહનને મળ્યા અને એમની વાતચીતના આધારે ફિલ્મના અનેક દ્રશ્યો અત્યંત રોમાંચક બન્યાં. દા.ત., ફિલ્મમાં હીરોના નિવાસસ્થાનના દ્રશ્યો.

1987ના ઓક્ટોબર મહિનાની એક સાંજે, મણિરત્નમે તેમની આ મહત્વકાંક્ષી ફિલ્મ 'નાયકન'નો સ્પેિશયલ પ્રિવ્યૂ શો, ચેન્નાઈના ટી.નગર પ્રિવ્યૂ થિયેટરમાં યોજેલો. આગલી હરોળમાં ખુશખુશાલ વર્દરાજન મુદલિયાર તેમના પરિવાર અને મિત્રો સાથે બિરાજેલા હતા. એ પ્રિવ્યૂ પછીની સવારે વર્દાએ રત્નમને ફોન કર્યો અને કહ્યું, : 'હું શક્તિશાળી માણસ છું, પણ તમારી ફિલ્મે મને એ વાતનું ભાન કરાવ્યું છે કે હું વધુ સારો માણસ બની શક્યો હોત. ઘણું ઘણું વધારે સારું કામ કરી શક્યો હોત. તમે મને મદદ કરો. તમે કોઈને એવું ન કહેતા કે, આ ફિલ્મ મારા જીવન પર આધારિત છે. હું સખત મૂંઝવણ અનુભવું છું.'

રત્નમે આ ભડભાદર માણસની આખરી ઇચ્છાને માન આપ્યું. જી હા, આખરી ઇચ્છા. આ ઘટનાના ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં વર્દા હૃદયરોગના હુમલાને લીધે મૃત્યુ પામ્યો. આજના જ દિવસે એટલે કે, 2 જાન્યુઆરી, 1988ના દિવસે.

વર્દા ઇચ્છતો હતો કે તે શાંતિથી, ચૂપચાપ મરે, નહીં કે ફિલ્મના નાયકની જેમ હિંસક રીતે તેનું મોત થાય. તેને દિલથી ચાહતા લોકો દ્વારા તેના મોત બાદ કોઈ તંગદિલી ન સર્જાય એવી તેની ઇચ્છા પૂરી થઈ. વર્દાનો એક વેળાનો બોસ, દાણચોર હાજી મસ્તાન વર્દાના મૃતદેહને લેવા મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં ચેન્નઈ આવેલો. અંતિમયાત્રાના દિવસે. વર્દાના મૃત્યુનો શોક પાળતા હોય એમ આખા મુંબઈની બધી દુકાનોના શટર બંધ રહેલા. એકઠા થયેલા ઢગલાબંધ લોકોએ વર્દરાજનના મૃતદેહ પર પુષ્પવર્ષા કરી હતી.

* 'નાયકન'ને 1988ની શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની કેટેગરીમાં એકેડેમી એવોર્ડ માટે નામાંકન પ્રાપ્ત થયેલું.

https://www.facebook.com/home.php#!/saumya.joshi.739

Loading

2 January 2013 admin
← ગુજરાતના વિકાસ માટેનું વર્તમાન માૅડેલ અનુસરણલાયક ખરું?
એ દેશની ખાજો દયા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved