Opinion Magazine
Number of visits: 9447781
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન ગરિમાપ્રદ કે ન સર્જક્તાપોષક

સિતાંશુ યશશ્ચંદ્ર|Opinion - Opinion|3 August 2015

મિત્રો,

સભામાં જાતે હાજર રહી શકતો નથી, એ માટે ક્ષમા ચાહી, જે  વ્યક્તિનિરપેક્ષ અને મર્યાદિત વિરોધથી પર એવી વ્યાપક અને વિધેયાત્મક ખેવના આપણને સહુને આજે સાંકળે છે, એ વિશે બે-એક વાત આ પત્રથી કરું.

સાહિત્યના સરકારી તેમ જ બિન-સરકારી સત્તાઓ સાથેના સંબંધ વિશેની એક સમજણ આજે આપણને સહુને સાંકળે છે. આ સમજણ શી છે? પ્રજાની સાહિત્ય અંગેની બધી સંસ્થાઓનું સંચાલન એ પ્રજાના લેખકો અને વાચકો, કલાકારો અને ભાવકો ભેગા મળીને, અંગત કે જૂથગત  સત્તાલાલસાથી ઉપર ઊઠીને, આપસૂઝથી અને આપસમાં સંવાદ-વિવાદ વડે કરે, એ રીત સાહિત્યગત તેમ જ પ્રજાગત સર્જકતા માટે જરૂરી છે, એવી કંઈક એ સમજણ છે. એ સંચાલન સંસ્થાગત સત્તાજૂથ વડે કે રાજ્યસત્તા વડે, સીધી કે આડકતરી રીતે થાય, એમાં સાહિત્યનું જ નહીં, આખા સમાજનું અહિત છે. સાહિત્યની સંસ્થાઓ માટે ફંડ જોઈએ. એ ફંડ આપનારું કોઈ પણ, સંસ્થા-સંચાલનનો દોર પોતાના હાથમાં રાખે, પોતાની પસંદગીના સંચાલકોને નીમે, તો એ સંસ્થા પ્રજાની કૌવતભરી સર્જકતાનું જતન કરનારી જગ્યા ન બની શકે કે રહી શકે. સાહિત્યની જાતે કશુંક શોધતી સર્જનાત્મક પ્રવૃત્તિ તો પ્રજાએ પોતાની આંતરસૂઝ કેળવવા માટે ખોલેલી કોઢ કે વર્કશોપ છે, એમાં એને પોતાની મેળે કામ કરવા દેવાય, એ રાષ્ટ્ર, રાજ્ય, સમાજ ત્રણે માટે સારું, બલકે જરૂરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી જેવી સંસ્થાના અધ્યક્ષપદે સરકાર કોઈની નિમણૂક કરે, એ વાત એ સંસ્થા માટે, સરકાર માટે, અને નિમણૂક પામનાર માટે ગરિમાભંગ કરનારી છે. સાહિત્ય અને સમાજ માટે તો મૂળગામી રીતે વિઘાતક છે, પછી ભલે બેઉ ડાળીઓ ઉપર પ્રજાના પૈસે રંગબેરંગી લાઇટોનાં તોરણ લટકાવાય. વિરોધ આ વિઘાતકતા સામે છે. આ વિરોધ કોઈ એક વ્યક્તિ સામે નથી કે નથી કોઈ અન્ય વ્યક્તિની તરફદારી કરનારો. એ વ્યક્તિનિરપેક્ષ અને વ્યાપક વિરોધ છે, એટલે તો એ આખા ગુજરાતમાં, બલકે ગુજરાતીભાષી સમાજમાં ફેલાતો જાય છે. 

ખેદની વાત તો એ છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના ઘણા સત્તાવાળાઓ આ સરકારી હસ્તક્ષેપમાં સીધા સામેલ થયા છે અથવા થોડે આઘેથી એનું સમર્થન કરે છે. આવું કેમ થયું? વિચારતાં જણાય કે સાહિત્યની આવી, સમાજે સ્થાપેલી સંસ્થાના સભ્યો વચ્ચે પણ આજે કૃપા કરનાર અને કૃપાપાત્ર થનાર વચ્ચે હોય એવો આંતરિક સંબંધ ઘર ઘાલી ગયો છે. એવો સંબંધ એ સંસ્થા માટે જ નહીં, સમાજ માટે ય કેવો જોખમી નીવડે. કેમ કે એવો સંબંધ સંસ્થાને તાબેદારીમાં લેતી ઓલિગાર્કી કે ટોળકીશાહીમાં પરિણમે. એવી ઓલીગાર્કી સંસ્થાગત શાસકો કે સંસ્થાગત શાસિતો, બેમાંથી એકે માટે ગરિમાપ્રદ કે સર્જકતાપોષક ન નીવડે.

પ્રજાને માટે તો એ ભારે નુકસાન કરનાર સ્થિતિ બને. ગુજરાત સાહિત્ય અકાદમીમાં અધ્યક્ષની સરકાર દ્વારા સીધી નિમણૂક થાય, અને એને ગુજરાતી સાહિત્ય પરિષદની ઓલીગાર્કી ટેકો આપે, એ આજની હકીકત છે. એ હકીકતનો સમાન વિરોધ સમગ્રપણે થાય, એમાં એ વિરોધની સચ્ચાઈ રહી છે. બન્ને સંસ્થાઓ ગુજરાતની પ્રજાની સ્વાયત્ત સર્જકતાનો મહિમા કરવામાં, એને પોષણ આપવામાં પરસ્પર સ્પર્ધા કરે, એ કરવાજોગું કામ છે, બન્ને સંસ્થાઓ આત્મરતિગ્રસ્ત કૃપાળુઓ અને કીર્તિલોલૂપ, ધનલોલૂપ કૃપાવાંછુઓનો સંયુક્ત અડ્ડો ન બની રહે, એ જોવાનું કામ ગુજરાતની પ્રજા અને એ પ્રજાએ ચૂંટેલી સરકારનું સહિયારું અને તાકીદનું કામ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 03

Loading

3 August 2015 admin
← તિરંગાના સર્જકનું સ્મરણ અને સલામ
હિરોશિમાનાં ૭૦ વર્ષ : વિવેકની કોઈ શાશ્વતી ન હોય ત્યારે જોખમો પેદા કરવામાં જોખમ છે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved