Opinion Magazine
Number of visits: 9447967
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વર્ષારંભે અનુત્તરે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|17 July 2015

વર્ષા સત્રના ચોઘડિયા બજતા સંભળાય છે ત્યારે જ તાકડે રાહુલ ગાંધી દિલ્હીમાં ‘ફોટો ઑપ’ની લાયમાં ફેરિયાઓ અને પાથરણાં બજારની જાહેર ભાળસંભાળ સારુ નીસરી પડ્યા છે એવું કેમ, એવી એક ટિપ્પણી ભા.જ.પ. પ્રવક્તાએ કરી છે. કૉંગ્રેસ અને ભા.જ.પ. બેઉ એકબીજા બાબતે આમ કૌતુક કરવાને હકદાર હોઈ શકે છે, પણ નાગરિક છેડેથી આપણે જેમ કૉંગ્રેસના એક આખા દસકા વિશે પૂછવાપણું છે તેમ ભા.જ.પ.ને પણ કહેવું રહે છે કે દિલ્હીમાં એટલે કે કેન્દ્રીય સ્તરે તમે હવે પૂરા એક વરસથી આરૂઢ છો એટલે ફેરિયાઓને લગતા કાયદાની અમલબજાવણી બાબતે તમે જવાબ-દાર તો છો જ.

વર્ષા સત્રમાં તેમ આવતે મહિને પંદરમી ઑગસ્ટના લાલ કિલ્લા સંબોધનમાં સરકારે, ખાસ તો વડાપ્રધાન મોદીએ હવેનાં સપનાં વેચવે માત્ર નહીં અટકતાં વરસનો ધોરણસરનો હિસાબ પણ આપવો રહેશે. લોકસભાની ચૂંટણી આગમચ કેટલાક મહિનાઓમાં નમોએ ડેમેગોગી અને સોફિસ્ટ્રીનો અજબ જેવો મેળ પાડીને વક્તૃત્વકૌશલપૂર્વક ધડબડાટી બેલાશક બોલાવી દીધી હતી. સામે પક્ષે, એમને મૌનમોહનસિંહનો મુદ્દો પણ હંમેશની શબ્દરમત સાથે મળી રહ્યો હતો. આ પૃષ્ઠભૂમાં વિચારીએ ત્યારે પોતાના શાસનકાળના વાસ્તવિક પ્રશ્નો બાબત મોદીનું મૌન એમને એક સવાલિયા દાયરામાં મૂકી આપે છે. સ્વચ્છતા અભિયાનથી માંડીને વિશ્વ યોગ દિવસ તરેહની તંતોતંત ‘ઈવેન્ટ મેનેજમેન્ટ’, પ્રશ્નો ચાતરી ઉફરાટે ચાલતી ‘મન કી બાત’, પ્રચારદિવસો પછી પ્રત્યક્ષ શાસનકાળની તક ને તકાજા સામે ઊણાં એટલે કે બેહદ ઊણાં ઉતરે છે. પ્રચારમાં પરફોર્મન્સથી નભી ગયું પણ શાસનમાં તો કંઠકૌવતથી હેઠે કેડે કાંકરે મેલી ખરેખાત પરફોર્મ કરવું રહે.

આ અગ્રનોંધ લખાઈ રહી છે ત્યારે લખવી મુદ્દે પાક ઠાગાઠૈયાના હેવાલો સાથે રશિયામાં ભારત-પાક. વડાપ્રધાનોની બેઠકમાં દેખાયેલી ઉઘાડ સંભાવના પાછી પડતી જણાય છે. આમ પણ, મે ૨૦૧૪ પછીનાં મોદી વચનોમાં એવાં પણ ઇંગિતો મળતાં રહ્યાં છે જે કૉંગ્રેસ કે અન્ય સ્રોતથી આવ્યાં હોત તો ભા.જ.પ .શ્રેષ્ઠીઓના વૃંદવાદને એને ઝૂડવામાં કશી કસર રાખી ન હોત. પાકિસ્તાન સાથે અગાઉની સરકારની હર વિનયઅનુનય ચેષ્ટા વખતના એકંદર ભાજપી પ્રતિભાવો આ સંદર્ભમાં સંભારવા જોગ છે. પાકિસ્તાનની આઘાપાછી બાબતે દો ટૂક વલણ બેલાશક અપેક્ષિત છે. પણ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અને પડોશીઓ સાથેની નીતિમાં ખાસ તરેહના રાષ્ટ્રવાદ કરતાં વધુ તો રાજકીય પ્રૌઢિ અને રાજનયિક (ડિપ્લોમેટિક) સૂઝબૂઝની જરૂરત હોય છે એ દૃષ્ટિએ પક્ષે વિચારધારાકીય શોધન અને સંસ્કરણનો અહેસાસ કરાવવો રહે છે. ૨૦૧૪ પહેલાં ભા.જ.પ.ની રાષ્ટ્રવાદી રણનીતિમાં આજના એના પી.ડી.પી. સંધાનની કોઈ સંભાવના નહોતી, એ પણ આવું જ એક બુનિયાદી વાનું છે.

૨૦૦૮માં અગમના એંધાણ બોલી જાણનાર રઘુરામ રાજનને હવેનાં વરસોમાં મંદી આવતી વંચાય છે એનો ઉકેલ કંઈ કોર્પોરેટતરફી ઘાંઘાઈમાં કે ડેમેગોગી અને સોફિસ્ટ્રીની તરાહમાં તો હોવાનો નથી. ખબર નથી, પાર્ટી ઑફ ગવર્નન્સ તરીકે ભા.જ.પ. શ્રેષ્ઠીઓ એકંદરે વિચારધારાકીય અભિગમ વિશે આમૂલ પુનર્વિચારને ધોરણે કોઈ ચિંતન બેઠકના મિજાજમાં છે કે નહીં. ૧૯૯૧ની નરસિંહ રાવ – મનમોહન ટીમે જે અર્થનીતિ વિષયક ફેરફારો શરૂ કર્યા તે યુ.પી.એ.-એન.ડી.એ.ના વારામાં કોઈ જ દિલખુલાસ બહસ વગર બરકરાર રહ્યા છે.

સુષમા સ્વરાજ, વસુંધરા રાજે અને શિવરાજસિંહ ચૌહાણ (પક્ષના ત્રણે મોદીસ્પર્ધીઓ, જોગાનુજોગ?) વિવાદના દાયરામાં છે. ત્યારે એની એ જીરણ ગંધારી ક્રિકેટ રાજનીતિ અને બેભથ્થુ, નાણાસ્રોતનો છે કોઈ ઉત્તર મોદી કને, વર્ષારંભે ?                                                 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 01

Loading

17 July 2015 admin
← આપણા અજાણ્યા જ્યોતિર્ધરો
યશવંતભાઈ ત્રિવેદીને સ્મરણાંજલિ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved