Opinion Magazine
Number of visits: 9445922
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધ પટેલ્સ ઓફ ફિલ્મ ઇન્ડિયા બાબુરાવ પટેલની પટલાઈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 June 2015

ફિલ્મ ઇન્ડિયાને બાબુરાવ પટેલ એકલા હાથે લખતા. એમાં હિન્દી સિનેમાના ચમરબંધી એક્ટરોની ચામડી ઊતરી જાય તેવા લેખો અને રિવ્યૂ છપાતા હતા.

બધા પટેલ પટેલ ના હોય, પાટિલ પણ હોય, એટલે, ફિલ્મ ઇન્ડિયાવાળા, બાબુરાવ પટેલ પટેલ ખરા પણ પાટીદાર નહીં. એ પાટિલમાંથી પટેલ થઈ ગયેલા. કેમ થઈ ગયેલા? એનો જવાબ નથી. બહુ લાંબા સમયથી એવી માન્યતા ચાલી આવે છે કે બાબુરાવ પટેલ ગુજરાતી હતા. એમાં પાછું, એમને પરણેલી પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશીલા રાણીનું નામ પણ આપણને એમ માનવા પ્રેરે કે બાબુરાવની બીવી પણ કો’ક પાટીદાર સુશીલાબહેન છે. પટેલ અને સુશીલા ભેગાં થાય તો આપણને ‘ઘર-ઘર’ રમતાં હોઈએ તેવી ફીલિંગ થાય તે સ્વાભાવિક છે પરંતુ બાબુરાવ અને સુશીલા રાણી બંને જુદા જુદા ઘરના : કર્ણાટક અને મહારાષ્ટ્ર.

પત્રકાર-લેખક સિદ્ધાર્થ ભાટિયા(ભાટિયા ગુજરાત ઉપરાંત પંજાબ, રાજસ્થાન અને સિંધમાં પણ છે)ની અફલાતૂન કિતાબ ‘ધ પટેલ્સ ઓફ ફિલ્મ ઇન્ડિયા’માં બાબુરાવ પટેલ ગુજરાતી હતા કે નહીં તેનો ખુલાસો થયો છે. બાબુરાવ મુંબઈથી નજીક પાલઘર પાસેના એક ટચૂકડા ગામ માસવામાં 4 એપ્રિલ 1904ના પેદા થયા હતા. એમના પિતા પાંડુરંગ વિઠ્ઠલ પાટિલ નાની-મોટી વકીલાત કરતા હતા. એમની માતા જમના બાબુરાવ ચાર વર્ષના હતા ત્યારે સિધાવી ગયેલાં અને પિતા બીજી પત્ની લાવ્યા તેના આશ્રયે મોટા થયા. આ પાટિલ પરિવાર મુંબઈ આવ્યો ત્યાં સુધીમાં ‘પટેલ’ થઈ ગયો હતો. કેમ? ખબર નથી. કદાચ પાટિલ કરતાં પટેલમાં વધારે વજન હશે.

અને બાબુરાવે સાબિત પણ કરી દીધું કે પટેલો કેવા ભાયડા હોય, પછી ભલેને ખાલી સરનેમ જ પટેલ હોય. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મ પત્રકાર તરીકે જેનો ડંકો વાગ્યો હોય, વાંચતી વખતે (વાચક તરીકે) દાઝી જવાય અને (જેને વિશે લખાયું હોય તેને) ઉઝરડા પડી જાય એવું લખવાવાળા પત્રકારો ન તો સિનેમામાં રહ્યા છે કે ન તો મુખ્ય ધારામાં રહ્યા છે. એક જમાનામાં પત્રકારત્વ એક વ્યવસાય હતું. આજે નોકરી કે ધંધો બનીને રહી ગયું છે.

અમિતાભ બચ્ચનને પત્રકારોનો એટલો કડવો (અને વરવો) અનુભવ થયેલો કે એણે કહેલું કે અમને (એટલે કે સ્ટારને) બનાવવાવાળા અને તોડવાવાળા તો આ પત્રકારો છે, દર્શકો નહીં. તોડફોડિયા પત્રકારોની પ્રજાતિમાં આ બાબુરાવનું નામ પ્રથમ આવે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી પહેલું સમર્પિત સામયિક ગુજરાતીમાં ‘મોઝ-મઝા’ 1924માં શરૂ થયેલું. એની સફળતાથી પ્રેરાઈને અન્ય ભાષામાં ફિલ્મી સામયિકો શરૂ થયાં. અંગ્રેજીમાં ધમાકેદાર એન્ટ્રી બાબુરાવ પટેલના ફિલ્મ ઇન્ડિયા (1935 થી 1961) સામયિકે કરેલી. કહે છે કે આ ફિલ્મ ઇન્ડિયાએ એવો ત્રાસ વર્તાવ્યો કે ટાઇમ્સવાળા જૈનોએ ફિલ્મફેર (1952) શરૂ કરવું પડેલું. આ ફિલ્મ ઇન્ડિયાને બાબુરાવ પટેલ એકલા હાથે લખતા. એમાં હિન્દી સિનેમાના ચમરબંધી એક્ટરોની ચામડી ઊતરી જાય તેવા લેખો અને થિયેટરોમાં ફિલ્મો ઊતરી જાય તેવા રિવ્યૂ છપાતા હતા. 1948માં રાજકપૂરની ‘આગ’ આવી તેના રિવ્યૂમાં બાબુરાવે લખેલું, ‘નરગિસ ખભાથી ઉપરના ભાગે, કરુણ દૃશ્યોમાં, સારો અભિનય કરે છે. પરંતુ, નૃત્ય કરતી વખતે એની બેઢંગ ‘બેક સાઇડ’ અને ચપટુ શરીર ઘૃણાસ્પદ લાગે છે.’

આવાઝ (1956) ફિલ્મના રિવ્યૂમાં બાબુરાવ લખે છે કે, ‘(આ ફિલ્મમાં) રાજેન્દ્રકુમાર દેખાય છે ય સ્ટુપિડ અને એક્ટિંગ પણ સ્ટુપિડ છે. કારણ? સ્ટુપિડ એટલા માટે દેખાય છે કારણ કે એ દિલીપકુમાર જેવો દેખાવા ફાંફાં મારે છે અને સ્ટુપિડ એક્ટિંગ એટલા માટે કરે છે કારણ કે એ દિલીપકુમાર જેવી એક્ટિંગ કરવા ગયો છે!’ વિભાજન બાદ પાકિસ્તાન જતી રહેલી નૂરજહાંનો ચહેરો બે વિશ્વયુદ્ધમાંથી પસાર થયા પછી ઘરડો થઈ ગયો છે એવું બાબુરાવે લખેલું. રાજકપૂરની જ બીજી ક્લાસિક ‘શ્રી 420’ રજૂ થઈ ત્યારે ફિલ્મ ઇન્ડિયાએ એને એક ઇડિયટની ઠન ઠન ગોપાલ જેવી કહાની ગણાવેલી. વી. શાન્તારામની મ્યુિઝકલ બ્લોકબસ્ટર ‘નવરંગ’ આવી ત્યારે એના લેખમાં બાબુરાવે મથાળું ઠઠાળેલું :  મેન્ટલ માસ્ટરબેશન ઓફ અ સેનાઇલ સોલ (ઓક્સફર્ડ અંગ્રેજી-ગુજરાતી ડિક્ષનરીની મદદ લેવી!)

મુંબઈની સેન્ટ ઝેવિયર્સમાં દસમું ધોરણ પણ પૂરું ન કરનાર બાબુરાવને બૌદ્ધિક શિક્ષણ નહીં મળ્યાનો અફસોસ રહી ગયેલો. અને એ અફસોસમાંથી જ ફિલ્મ ઇન્ડિયા અને એ બંધ થયું તે પછી 1961માં મધર ઇન્ડિયા નામનું રાજકીય સામયિક આવેલું. આજે આ બંને (ખાસ કરીને ફિલ્મ ઇન્ડિયા) સામયિકના જૂના અંકો કે એના કવર પેજની તસવીરો સંઘરી રાખવાનું મન થાય તેવી જણસ ગણાય છે. પંજાબના ગુરદાસપુર જિલ્લાના સાકરગઢમાં આનંદ પરિવારનો નાનો દીકરો દેવ આનંદ આ ફિલ્મ ઇન્ડિયાના અંકોને રદ્દીમાંથી લઈ આવતો હતો અને એમાંથી એને ફિલ્મોનો ચસકો લાગેલો. રદ્દીની એ દુકાનનો દેવ એટલો નિયમિત ગ્રાહક કે દુકાનનો માલિક રદ્દી આવે તો એમાંથી ફિલ્મ ઇન્ડિયાની પસ્તી જુદી કાઢી રાખતો. આવા જ એક અંકમાંથી દેવને સમાચાર વાંચવા મળેલા કે ‘સુપરસ્ટાર’ અશોકકુમાર ‘બંધન’ (1940) ફિલ્મના પ્રીમિયર માટે ગુરદાસપુર આવવાનો છે. ફિલ્મ સ્ટારને નજીકથી જોવાનો એ પહેલો અનુભવ અને ત્યાંથી જ સફર શરૂ થયેલી.

પાકિસ્તાન જઈને (ગરીબી અને કોર્ટ કેસોમાં) ફસાઈ ગયેલા લાજવાબ કહાનીકાર સાદત હસના મંટોએ હિન્દી ફિલ્મોની અનેક શખ્સિયત પર લખેલું એમાંથી એક બાબુરાવ પટેલ પણ સિદ્ધાર્થ ભાટિયા ‘ધ પટેલ્સ ઓફ ફિલ્મ ઇન્ડિયા’માં લખે છે કે પાછળથી રાજ કપૂરના લેખક તરીકે મશહૂર થનારા ખ્વાજા અહેમદ અબ્બાસ આ ફિલ્મ ઇન્ડિયામાં નિયમિતપણે ‘ભારત વિરોધી’ ફિલ્મો વિશે લેખ લખતા હતા. બાબુરાવ પટેલ 1939માં (પહેલીવાર) હોલિવૂડ ફરવા ગયા ત્યારે ફિલ્મ ઇન્ડિયાનો હવાલો અબ્બાસને એવી સૂચના સાથે આપેલો કે એની બે લોકપ્રિય કોલમો, સવાલ-જવાબ અને યુ હાર્ડલી બીલીવમાં સહેજ પણ આઘું-પાછું ન કરવું. (બાબુરાવે ત્રણ શાદી રચાવેલી. એક વાચકે ‘સવાલ-જવાબ’ કોલમમાં ‘કેમ ત્રણ પત્ની?’ એવું પૂછેલું. જવાબમાં બાબુરાવે ગુજરાતીમાં જવાબ લખેલો : તમારા બાપાનું શું જાય છે? વકીલ રામ જેઠમલાણીની બે પત્નીને લઈને કોઇકે પૂછેલું કે, ‘તમારી પહેલી પત્ની ખુશ છે?’ ત્યારે જેઠમલાણીએ કહેલું, ‘યસ, તમારી એક જ પત્ની કરતાં મારી પ્રથમ પત્ની વધારે ખુશ છે.’)

બાબુરાવના નામે પ્રથમ અંગ્રેજી ફિલ્મ સામયિક શરૂ કરવા ઉપરાંત બીજો એક રેકોર્ડ પણ છે. આજકાલ તો લોકો રાજનીતિમાં ઘૂસવા માટે પત્રકાર બની જતા હોય છે પણ એ સમયે બાબુરાવ પ્રથમ પત્રકાર હતા જે ભા.જ.પ.ના જૂના અવતાર જનસંઘની ટિકિટ ઉપર 1967ની સંસદમાં ચુંટાયા હતા. 1960 સુધીમાં બાબુરાવમાં રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ જન્મી ચૂકી હતી અને એ માટે જ એમણે મધર ઇન્ડિયા સામયિક શરૂ કરેલું. બે સામયિકોનો માર સહન ન થયો એટલે ફિલ્મ ઇન્ડિયા બંધ કરી દીધું અને પૂરું ફોકસ મધર ઇન્ડિયા પર લગાવી દીધું. આ સામયિક પણ ખાસ્સું લોકપ્રિય થયેલું.

કાનપુરમાં જવાહરલાલ નહેરુએ એક પાર્ટી કરેલી તેમાં બાબુરાવ સપત્ની ગયેલા. ગરમી હતી એટલે પાર્ટી લોનમાં રાખેલી. ત્યાં પવનમાં સુશીલા રાણીની સાડીનો પાલવ ઊડીને નીચે પડી ગયો. નહેરુ બાજુમાં ઊભેલા હતા. એમણે મુશ્કુરાઈને પાલવ ઉઠાવીને સુશીલાને થમાવ્યો. બાબુરાવે આનો ફોટો પાડી લીધો અને ફિલ્મ ઇન્ડિયાના તાજા અંકમાં છાપીને લખ્યું : કોનું હાસ્ય વધુ મોહક છે? કોઇકે નહેરુને આ અંક બતાવીને પૂછ્યું, કે શું જવાબ છે? ત્યારે નહેરુએ કહ્યું, ‘આ નવજુવાનની મુશ્કુરાહટ લાજવાબ છે.’ એ વખતે બાબુરાવ પર લખાયેલા એક લેખકમાં જામીલ અન્સારી નામના પત્રકારે લખેલું, ‘પિસ્તોલ જો નિશાન ચૂકી જાય તો બાબુરાવ પિસ્તોલના બટ વડે કામ પૂરું કરે છે.’

પટેલોને આમે ય જુગાડ કરતા તો આવડે જ છે!

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’, “દિવ્ય ભાસ્કર”, 28 જૂન 2015

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5036114-NOR.html

Loading

29 June 2015 admin
← Cartoonist and Publishers
રાજકારણ એકપાત્રી પ્રયોગનો મંચ નથી, નરેન્દ્રભાઈ! અહીં તો બોલવું પડતું હોય છે, સાંભળવું પડતું હોય છે તેમ જ પ્રતિસંવાદ કરવો પડતો હોય છે →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved